Yearly Archives: 2019


માઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર

એવું કહેવાય છે કે માઉન્ટેઈનર્સ આર ઓલવેઝ રફ એન્ડ ટફ, ફિટ એન્ડ ફાઇન.. પર્વતારોહકોનું જીવન કેવું હોય છે, તે કયા પ્રકારના સાધનો પોતાના ખભે ઊંચકીને ઉત્તુંગ શિખરો ચડતા હોય છે, વિશ્વના – એશિયાના – ભારતના ઊંચા શિખર ક્યા? વગેરે પ્રશ્નોના નિરાકરણ લાવતું મ્યૂઝિયમ માઉન્ટ આબુ ખાતે આવેલું છે. જેમાં હિમાલય પર્વતમાળાનાં મોડેલ સાથે પર્વતારોહણની નાવિન્યસભર સમજૂતી રજૂ થયેલી છે, પહાડોની ગોદમાં વસતા આ હિલ સ્ટેશન ઉપર ગુજરાત રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યાં છેલ્લા ૫૦ વર્ષથી રોક ક્લાઈમ્બીંગના બેઝિક, એડવાન્સ જેવા કોચીંગ કોર્સ દ્વારા પર્વતારોહકોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)

વર્ષકારે પોતે જ કરેલી ગોઠવણ મુજબ તેની યોજના આગળ વધે છે. બિંબિસારને અને વર્ષકારને પોતાની યોજના આગળ વધતી જોઈ આનંદ થાય છે. તે માટે હવે તેમણે ખાસ મુશ્કેલ પ્રયત્નો કરવા પડતા નથી. યોજનાનો અમલ કરવામાં તો બે-ત્રણ વર્ષ થઈ જાય તેમ લાગે છે. બ્રાહ્મણ અને રાજા બંને આ વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવા નહોતા ઈચ્છતા.


ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર 19

ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.


ટેબલ – ઉષા પંડ્યા 9

ઘણીવાર ઋતાને લાગતું કે આ ઘરમાં જો સહુથી નજીકનો સબંધ તેને કોઈ સાથે હોય તો તે છે – આ ઘરનું મલ્ટી પર્પઝ ટેબલ! તેની કલ્પનાના ડીઝાઇનર ડાઈનીંગ ટેબલથી ક્યાંય અલગ, એક સીધું સાદું લાકડાનું ખોખું જે બંને બાજુથી ફોલ્ડ થઇ જઈને ઘરના કોઈ પણ ખૂણે ગોઠવાઈ જતું, તેના કમનીય વ્યક્તિત્વની જેમ જ!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩) 1

પ્રકરણ ૧૩. આમ્રપાલી વૈશાલીના વિશાળ અતિથિ ભવનમાં હમણાથી ભારે ભીડ રહેવા લાગી હતી. વૈશાલી બહારથી જે લોકો આવતા તેઓ ત્યાં જ ઉતરતા. મોટાભાગના સંથાગારની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા જ આવતા હતા. એ વખતે એવી પ્રથા હતી. બહારથી આવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગણનાયકો જ નહીં અમાત્યો પણ ત્યાં આવતા હતા. જે લોકો આવતા તેઓ ગણરાજ્યની વાતો કરતા અને વિદેશ જઈને તેના વખાણ કરતા.


ચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી.. 4

૨૬ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પછી રિએક્ટર નંબર ચારના કન્ટ્રોલ રૂમમાં હાજર હતા અને આ દુર્ઘટનાના સાક્ષી બનેલા એવા એ વખતના ચર્નોબિલ પ્લાન્ટના એન્જિનીઅર ઓલેક્સિ બેરુસ એચ.બી.ઓ – સ્કાય ટીવીની મિનિ વેબસીરીઝ ચર્નોબિલ વિશે પ્રતિભાવ આપતાં કહે છે, “એક વૈશ્વિક દુર્ઘટના જેણે હજારો લોકોનો જીવ લીધો અને લાખો લોકોના જીવનને અસર કરી એને – ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટની દુર્ઘટનાને એ લોકોએ ખૂબ સશક્ત રીતે દર્શાવી છે, અને સાથે સાથે એ દુર્ઘટના વખતની લાગણીઓ, અનુભવો અને માનસિકતાને પણ સરસ રીતે તાદ્દશ કરાઈ છે. જો કે તેના અમુક ટેકનિકલ પાસા વિવાદાસ્પદ છે, ભલે એ સંપૂર્ણપણે ખોટાં નથી, પણ ઘણા અંશે કાલ્પનિક જરૂર છે.”


તું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા 5

તું ક્યાં? શોધની ચરમસીમાએ ઊઠતો આ સવાલ કેટલો પીડાકારક હોય છે એ શી રીતે સમજાવું? ખાસ કરીને એવા સવાલો કે જેનો જવાબ આપણે જાણતાં જ હોઈએ ! ..તું ક્યાં ? હા, તારી શોધ.. તારી તલાશ. !


વેકેશન તો બાળકોનું પણ મરજી કોની? – ચેતન ઠાકર 2

વેકેશનના સમયમાં બાળકોને તેમની મરજી મુજબની પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ કે વાલીઓએ તેમના માટે અગાઉથી વિચારેલી પ્રવૃત્તિઓમાં તેમને જોતરવા જોઈએ? આ વર્ષોથી ચાલી આવતી બે પેઢીઓ વચ્ચેની કશમકશ છે અને વાલીઓ માટે મુંઝવણ એ છે કે કયો માર્ગ બાળકો માટે ઉત્તમ છે! ભારતમાં દરેક જગ્યાએ વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી ચર્ચાતો આ સૌથી હોટ ટોપિક છે. આ એવા વિષયની ચર્ચા છે કે જેનો અંત આવતો નથી. ચર્ચાને અંતે લોકો છુટ્ટા પડે ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શક્તા નથી. હંંમેશા આ ચર્ચા અપૂર્ણ જ રહે છે, વિષયની આસપાસ કાયમ ગોળગોળ ફર્યા કરે છે.


અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14

૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી.


‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી 2

વરસાદની ૧૭૧ કવિતાનો સંગ્રહ દિનેશભાઈ કાનાણીએ ભેટ આપ્યો ત્યાર પહેલા જ એ વિશે ઘણી પ્રસંશા સાંભળી ચૂક્યો હતો, પણ એમાંથી પસાર થયો ત્યારે ખરેખર અનરાધાર ભીંજાવાની ખૂબ મજા આવી. આ પ્રકારનો મેઘધનુષી સંગ્રહ અદ્વિતિય સર્જન છે. વરસાદના વિવિધ ભાવ, અનેકવિધ લાગણીઓને રજૂ કરતા આ સંવેદનાસભર સંગ્રહમાંથી સપ્તરંગી મેઘધનુષરૂપી સાત કવિતા આજે અક્ષરનાદના વાચકો માટે પ્રસ્તુત કરી છે. દિનેશભાઈને આ સંગ્રહની બીજી આવૃત્તિ થવા બદલ અનેક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ પોસ્ટને અંતે આપી છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)

વૈશાલીના નગરજનો પાસે વાતનો બીજો વિષય આવ્યો વર્ષકારનો! જાણકાર હોવાના વહેમમાં ઘણા લોકો કહેવા લાગ્યા કે ‘દુનિયામાં દરેકનું મન કળી શકાય પણ અપમાનિત થયેલા બ્રાહ્મણનું મન વાંચી ન શકાય કેમકે તે ઝેરી નાગ કરતાંય ખતરનાક હોય છે. મગધને કેવી પીછેહઠ કરવી પડી! ઈતિહાસ ચાણક્યને જાણે જ છે. ધનનંદનું નિકંદન કાઢ્યા પછી જ તેને શિખા બાંધી હતી!


પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4

સતત પાંચમા વર્ષે પ્રસ્તુત છે અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય માઇક્રોફિક્શન સ્પર્ધા. ૨૦૧૫થી શરૂ થયેલી આ સ્પર્ધાને સતત બહોળો પ્રતિસાદ મળતો રહ્યો છે, અનેક નવોદિત સર્જકોને અહીં મંચ અને પુરસ્કાર મળ્યા છે, તેમની કલમને એક આગવો અવસર આ સ્પર્ધા દ્વારા મળી રહ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં ઓછામા ઓછી ત્રણ માઇક્રોફિક્શનને બદલે ફક્ત એક માઇક્રોફિક્શનનો નિયમ કર્યો છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)

પોતાના માર્ગદર્શન પ્રમાણે ગણપતિ અને રાક્ષસ ચાલે તે માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી હતો. વર્ષકારે પોતાની યોજનામાં નાના ફેરફારો કર્યા. તેણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનાં આધારે એક જડબેસલાક ષડ્યંત્ર રચ્યું. તેણે ગણપતિને કહ્યું કે, ‘અત્યારે મગધમાં ગડબડ ચાલે છે તેનો લાભ લઈને તેના પર આક્રમણ કરવું જોઈએ. હું બધાનું નેતૃત્વ કરીશ.’


કાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર 19

અંજલિ દરેક વર્ષની કાળીચૌદશની જેમ આજે પણ સવારમાં વહેલી ઊઠી ગઈ. એને ખબર હતી કે હીરાબાનો આજે સાદ પડવાનો નથી, મોટા અવાજે ઝીણી ઝીણી સૂચનાઓ આપવાના નથી. છતાં પણ એ હીરાબાના સાદને ઝંખી રહી હતી. અંજલિના લગ્નને સતર વર્ષ થયાં હતાં ને પોતાના સાસરે તેની આ અઢારમી દિવાળી હતી. અંજલિને હીરાબા વગરની આજની કાળીચૌદશ સૂની સૂની લાગતી હતી. એણે ગેસ પર ચા માટે પાણી ગરમ કરવા મૂક્યું ને વિચારે ચડી ગઈ.


હાઈકુ – હરસુખ રાયવડેરા 7

હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા હાઈકુ આજે પ્રસ્તુત છે.


ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય 11

ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય તો ખરું જ, પરંતુ જેમને મારી જેમ વાંચન નામનો હરિરસ પીવાની આદત પડી ગઈ છે તેમના માટે તો ગ્રંથાલય કેવળ વિશ્વવિદ્યાલય નહીં, વૃંદાવન પણ છે એટલે જ હિન્દુ શાસ્ત્રોના આચાર્યોએ દેવો જ્યાં વાસ કરે છે તેને દેવાલય કહ્યા અને પુસ્તકો જ્યાં હોય તેને પુસ્તકાલય, ગ્રંથોના નિવાસની જગ્યાને ગ્રંથાલય નામ આપીને તેને મંદિર જેવો ઊંચો અને પવિત્ર દરજ્જો આપ્યો છે. જે રીતે એક ભક્ત દેવાલયમાં પ્રવેશ કરતા જ તેના તન, મનમાં એક શાંતિ અને સુખનો અનુભવ કરે છે તેવી અનુભૂતિ એક સાચો વાચક જ્યારે પુસ્તકાલય / ગ્રંથાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મન-મસ્તિષ્કમાં થાય છે. ત્યાં હાજર તેના જેવા અન્ય વાચકોની હાજરીથી સમગ્ર ગ્રંથાલયનુંં વાતાવરણ અલૌકિક બની જાય છે, વાંચકને વાંચવા માટે આમંત્રણ આપતા વિવિધ વિષયના અસંખ્ય પુસ્તકોની હારમાળા વાચકના તન અને મનને એક અલગ પ્રકારની શાતા / ઠંડક આપી જાય.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦) 2

અંબીને લીધે વૈશાલી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ગણપતિ અને અમાત્ય રાક્ષસ અંબીને આંગણે આવીને ઊભા. તેઓ ઘરનું દિવ્ય વાતાવરણ જોઇને આભા બની ગયા હતા. અને… અંબીને જોઇને છક થઇ ગયા. રાક્ષસ વિચારવા લાગ્યો કે આટલું રૂપ તો તેણે આજસુધીમાં ક્યારેય જોયું નથી. કોઈ આટલું રૂપાળું હોઈ શકે તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે? વૈશાલીના યુવાનો જો આની પાછળ પાગલ ન થાય તો તેઓ યુવાન કેવી રીતે કહેવાય! અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ઠ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી આંખો, સપ્રમાણ નિતંબ, નાભિ પ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!


વાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2

‘વાદળાં વરસાદના રે’ સંગ્રહમાંથી આજે ત્રણ બાળગીતો, ‘પંખીડું મારું’, ‘એ તો આવે છે’ અને ‘બાર મહીના’, સાભાર અહીં પ્રસ્તુત કર્યા છે. બાળગીતો અને કાવ્યોનો આ સુંદર સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી જિતેન્દ્ર પ્રજાપતિનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.


‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ 11

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી શ્રેણી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ જોયા પછી મન અફસોસથી ભરાઈ ગયું. ઓશો જીવતા હતા ત્યારે તેમની સાથે અમેરિકામાં જે થયું એ તો ભારોભાર પૂર્વગ્રહયુક્ત હતું જ પણ આ ડોક્યુમેન્ટરી એ જ બીમાર માનસિકતાને એક દેખાવડા સજાવેલા માળખા સાથે સાચી ઠેરવવાનો સુનિયોજીત પ્રયત્ન છે. હું ઓશોનો અનુયાયી નથી અને એમના એકાદ બે પુસ્તકો બાદ કરતા કે ઓનલાઈન અમુક વિડીઓ જોવા સિવાય એમનો ખાસ ચાહક પણ નથી, પણ આ ડોક્યુમેન્ટરી જોયા પછી એમના વિશે અને આનંદશીલા વિશે ઘણું વાંચ્યુ. અને આખરે ઘણાં વખતે આ રિવ્યૂ પૂરો કરી શક્યો છું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)

આપણાં વેદોમાં ખાસ કરીને અથર્વ વેદમાં, પુરાણોમાં, રામાયણમાં, મહાભારતમાં અને જૈન તથા બુદ્ધ ધર્મમાં મગધ જેવા મહા રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડીસા વિસ્તારનો એ પ્રાંત રાજગૃહ (રાજગીર) તરીકે ઓળખાતો હતો. જે પછીથી મગધની રાજધાની પાટલીપુત્ર બન્યું અને આજે તે પટણા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એ બે હજાર સાતસોથી વધારે વર્ષોનો ઈતિહાસ ધરાવે છે. મગધમાં જ મૌર્યસામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યનાં મૂળ મળી આવે છે.


ફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ 2

આજકાલ ફેમિનિઝમનો વાયરો વાય છે, ઘણી રીતે એ યથાર્થ પણ છે. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કદાચ હવે આઉટડેટેડ છે, પોતાના અલગ અસ્તિત્વને ઝંખતી – પામતી સ્ત્રીઓની વાત કહેતી ઘણી ફિલ્મો – ટી.વી અને વેબ શ્રેણીઓ આવી રહી છે, એમાંથી ઘણી એ વાતને યોગ્ય રીતે મૂકી શકવામાં સફળ રહી છે, અમુક એવી પણ છે જે ફેમિનિઝમના પેકેટમાં એ જ ચવાઈને ડુચ્ચો થઈ ગયેલી વાતો ભયાનક રીતે ડ્રામેટાઈઝ કરીને મૂકે છે..


શિવત્વ – ચિરાગ ડાભી 3

શિવ સમાન કોઈ સાંસારિક નથી અને શિવ સમાન કોઈ વૈરાગી પણ નથી. આ બંને વચ્ચેનો ભેદ પાડી, તેવું આચરણ તો આ શિવ જ કરી શકે. તેઓ મોટાભાગનો સમય તો તપ અને સાધનામાં જ વિતાવે છે, પરંતુ સાથેસાથે પોતાના કુટુંબનું પાલન-પોષણ તેમજ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન પણ કરે છે. પણ આ શિવ કોનું તપ કરે છે? કોનું ધ્યાન ધરે છે? તેઓ કહે છે, ‘આ હરિ મારો ઈશ્વર અને હું તેમનો દાસ.’ જ્યારે હરિ કહે છે, ’હું હરનો દાસ અને હર મારા ઈશ્વર.’ આમ જ આ હરિહર, આ બ્રહ્માંડના પાલનકર્તાઓ દાસત્વની ભાવનામાં પોતાનું ‘હું’ પણું ઓગાળી દે છે. એટલે જ તો તેઓ અહંકાર વિના આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)

અંબી દિવસે દિવસે મોટી થતી જતી હતી. મહાનામન વૈશાલીમાં અંબારા ગામેથી ફરી વૈશાલીમાં આવ્યા પછી તો જાણે હંમેશાં વિચારોમાં જ ખોવાયેલા રહેવા લાગ્યા. સુદેશા પણ અંબી સાથે જાણે અંબી જેવડી થઇ ગઈ હતી. હવે તેને કંટાળો આવતો નહોતો, હવે તેને પહેલાં જે થાક લાગતો હતો તે પણ લાગતો ન હતો. જાણે અંબીનાં સ્વરૂપે તેને નવજીવન મળ્યું હતું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)

ઇતિહાસમાં જે મહાન મનુષ્યોના નામ સુવર્ણાક્ષરે કોતરાયેલા છે તેનું કારણ તેમનું અસાધારણ જીવન છે. અન્ય લોકોને ઉપયોગી થાય તેવાં કર્મો તેમણે કર્યા હોય છે. આથી એ વાત તો નક્કી છે કે જીવનમાં માણસે સારાં કામ કરવાં જોઈએ. ઇતિહાસમાં નામ અમર થાય તેવું વિચારીને કોઈ સારાં કામ કરે તો પણ તે ઇચ્છનીય છે. અઢી હજાર વર્ષો પછી આજે પણ આપણે ભગવાન તથાગત એટલે કે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધને યાદ કરીએ છીએ. તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે.


દિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ 4

‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’ અમે ડ્રાઇવરને કહ્યું. શ્રીલંકા દેશના નુવારા એલિયા (nuwara eliya) હિલસ્ટેશનમાં અમે પ્રવેશી રહ્યા હતા. અંગ્રેજોએ વિકસાવેલું હિલસ્ટેશન હતું. આમ તો એ નાનકડું શહેર હતું પણ લગભગ આખા શ્રીલંકામાં આપણને તો ખાસ કરીને ગુજરાત જેવા લીલોતરી વંચિત પ્રદેશમાંથી જનારાઓને તો બધે જાણે જંગલો, ખેતરો અને બગીચાઓ જ છે એવું લાગે. એમાં આ તો હિલસ્ટેશન હતું. પર્યટનનું સ્થળ હતું. શહેર શરૂ ક્યારે થયું તે ખબર ન પડી પણ જ્યારે એ સમજાયું ત્યારે અમે ડ્રાઇવરને કહ્યું, ‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’


કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ 1

સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા રાજકોટ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પહોંચ્યો. એ જ દિવસે એક વિશેષ પુસ્તક વિમોચનના સાક્ષી બનવાનો અવસર મળ્યો. ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત પેટ્ટી ઓફિસર શ્રી મનન ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક ‘કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો’ નું વિમોચન આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવ્યું. કારગીલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ૧૨ ગુજરાતી શહીદ જવાનોની યુદ્ધ ક્ષેત્રે સર્વોચ્ચ બલિદાનની એમના જ મિત્રો દ્વારા કહેવાયેલી અને એમના જ એક સાથી ઓફિસર દ્વારા શબ્દસ્થ કરાયેલી ગાથા એટલે આ પુસ્તક. ગુજરાતીઓ વેપારી પ્રજા છે અને તેઓ સૈન્યમાં નથી એવા મેણાંંનો આ પુસ્તક સજ્જડ જવાબ છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એવા કારગીલના પર્વતો પર, ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈએ જ્યાં અત્યંત પાતળી હવાને લીધે શ્વાસ લેવો મુશ્કેલ છે, કાતિલ ઠંડી છે અને બર્ફીલા તોફાન વચ્ચે દુશ્મન વિરુદ્ધની જીવસટોસટની લડાઈમાં આપણા વીર જવાનોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનોની અમર સત્ય કથાઓ આ પુસ્તકમાં છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)

હા, એ વાત સાવ સાચી હતી. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા, ‘તમે તમારી આંખો બંધ કરી લો!’ કારણ કે બુદ્ધ નહોતા ઈચ્છતા કે તેમના શિષ્યો તેને જુએ. પણ રાજ્યમાં થયેલી ઘોષણા તો દરેક શિષ્યના કાને પહોંચી ચૂકી હતી. વૈશાલીમાં ઠેર ઠેર એની જ ચર્ચા ચાલી રહી હતી. દેશમાં તો ઠીક પણ વૈશાલીની બહાર મગધમાં પણ સર્વત્ર એની જ ચર્ચા થતી હતી. અને આજ એ દિવસ આવી ગયો હતો! શું હતું આજે?


વાત સાવજ પરિવારની : નર સલામત, નારી-બચ્ચા અસલામત.. – જિજ્ઞેશ ઠાકર 7

એશિયાટિક લાયનની એક માત્ર હાજરી ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, ત્યારે તેમના જતન અને પાલન-પોષણની જવાબદારી દરેક ગુજરાતીની છે. વનવિભાગની છેલ્લી ગણતરી અનુસાર રાજ્યમાં ૫૨૩ સાવજ ચોપડે નોંધાયેલા છે. પરંતુ ચોંકાવનારી વિગતો એ છે કે, છેલ્લા બે વર્ષમાં ૧૮૪ તો મોતને ભેટયા છે. બે વર્ષના સિંહોના મોતના આંકડાનો અભ્યાસ કરીએ તો તેમાં સિંહ કરતા સિંહણ અને સિંહબાળના મૃત્યુનો આંકડો ઘણો વધારે છે, જે ચિંતાજનક છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૫)

પ્રકરણ ૫ – વૈશાલીમાં કૌતુક ! પછાત ગણાતા આજના બિહારનો એક ઈતિહાસ હતો. માની ન શકાય પણ એ આપણા અસ્તિત્વ જેટલી જ નક્કર હકીકત છે કે એક જમાનામાં બિહારમાં ભારતનો સુવર્ણ યુગ હતો! બિહાર એટલે વિહાર… વિહાર શબ્દનો એક અર્થ છે ‘બૌદ્ધ મઠ’. તે ૧૦૦૦ વર્ષ સુધી સત્તા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. પ્રાચીન બિહાર મગધ તરીકે સુવિખ્યાત હતું. ભારતનું તે પ્રથમ સામ્રાજ્ય હતું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોનો ઉદય પણ તે સમયમાં થયો હતો. ત્યાંથી જ બૌદ્ધ વિશ્વમાં પ્રસર્યો અને ત્યાર બાદ આધુનિક બિહારનો જન્મ થયો. મગધની રાજધાની પાટલીપુત્ર હતી જે આજે પટણા તરીકે ઓળખાય છે. તે સમયમાં મગધ શિક્ષણ, કળા, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે બહુ આગળપડતું સ્થાન ધરાવતું હતું. તે ત્યારના ૧૬ મોટાં રાજ્યોમાંનું (મહાજનપદ)  એક મોટું રાજ્ય હતું. અત્યારે જે પુરાતત્વ ખાતાને હવાલે થયેલું દર્શનીય સ્થળ છે તે વૈશાલી બિહારનું પ્રથમ પ્રજાતંત્ર રાજ્ય હતું. ડો. રાજેન્દ્રપ્રસાદની કર્મભૂમિ, ચંપારણથી જ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળનો આરંભ કર્યો હતો. ખુદીરામ બોઝ, આચાર્ય જે.બી.ક્રિપલાની અને જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરુષો પણ ત્યાંથી જ મળ્યા છે. પણ ગંગા નદીને કિનારે આવેલા વૈશાલી લીચ્છવીઓની રાજધાની હતી. ત્યાં જ છે અશોક સ્તંભ, ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કુંડલાગ્રામ. બુદ્ધ અને જૈન ધર્મ આપનાર એ શહેર ત્યારે બહુ જ વિશાળ હતું. તે સમૃદ્ધ પણ હતું. કળા, નૃત્ય, અભ્યાસ, ધનધાન્ય બધામાં વિકાસમાન. જરા કલ્પના કરી જુઓ કે ત્યાં ૭,૭૦૭ જેટલા મેદાનો અને તેટલાં જ તળાવો હતા. મહાવનો હતાં. વૈશાલીથી સીધા હિમાલયની તળેટીએ પહોંચી શકાતું. વૈશાલી પ્રથમ પ્રજા માટે, પ્રજા વડે અને પ્રજા દ્વારા ચલાવવામાં આવતું ગણરાજ્ય હતું. અત્યારે ચુંટાય છે તેમ જ ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા. સંથાગાર, વિધાનસભા, […]


કિન્નોર (હિમાચલ પ્રદેશ) ની સફરે – હિરલ પંડ્યા 17

શું ક્યારેય તમારા સપનામાં સફરજન આવ્યા છે? સફરજન! આવતા હશે કાંઈ? કેરીની સીઝનમાં રસની મહેફિલ જામતા સપના જોયા છે, પણ સફરજનના સપના? ન આવ્યા હોય, તો આવી જાવ હિમાચલના કિન્નોર જિલ્લામાં!