Monthly Archives: April 2016


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૦} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

શાનદાર ઘડપણ – અનુ. : નટુભાઈ મોઢા 10

આજે આપણે સદાય હોઈએ તેના કરતાં વધારે વૃદ્ધ છીએ, અને છતાંય આપણે ફરીથી સદાય યુવાન બની રહીએ એ માટે જીવનની દરેક ક્ષણને અપનાવો અને કંઈક અર્થપૂર્ણ કરો. તમે જે શીખ્યા છો તેને જતું ન કરો; અનુભવ માટે કારણ છે અને ભૂલો તેના ભાગ રૂપે છે. તમે જે ડહાપણ પ્રાપ્ત કર્યું છે તે તમારી જાતને યાદ અપાવો, ને વિશ્વાસપૂર્વક શાનદાર રીતે વૃદ્ધ બનો.
તમે પૂછ્યું એટલે કહું છું, હા, મને ઘરડા થવાનો આનંદ છે. હું સ્વતંત્ર છું અને રોજ સવારે અરીસામાં દેખાતી વ્યક્તિને હું ચાહું છું.

મને મારી જાતથી સંતોષ છે.


ચાર કાવ્યો – ગોવિંદ શાહ 4

દેશને દુનિયામાં
નામ ગાંધી બધે ઝળકે છે
નામ ગાંધી બધે રણકે છે
પણ
સાબરમતીના ગાંધી અને
યમુનાના ગાંધી વચ્ચે
માત્ર ફેર મિસ્ટર કે મિસિસનો નથી
એક આખે આખી સંસ્કૃતિનો છે.


મરકવાનો મસાલો.. – સંકલિત 9

ટિલ્લુ તેની મમ્મીને – ‘મમ્મી, મને ઉંઘ નથી આવતી, વાર્તા કહે ને!’ ટિલ્લુની મમ્મી – મને પણ ઉંઘ નથી આવતી બેટા, તારા પપ્પા હજુ નથી આવ્યા, એને ઘરે પહોંચવા દે, હું એને પૂછીશ કે ઘરે આવવામાં કેમ લેટ થયા, પછી જોજે, તને નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે. * * * પતિ – સાંભળ, આજે આપણે બહાર જમશું. પત્ની – (ખુશ થઈને) સારુ, હું હમણાં તૈયાર થઈ જા ઉં. પતિ – હા, હું બહાર ફળિયામાં ચટાઈ પાથરી બેઠો છું, રસોઈ બનાવીને આવી જા. * * * ગામડાની સ્ત્રી પોલિસ સ્ટેશનમાં – મારા પતિ એક અઠવાડીયાથી ગૂમ થયેલ છે. પોલિસ – તેમની કોઈ નિશાની? સ્ત્રી (શરમાઈને) – જી, બબ્બે છે સાહેબ, આ મુન્નો ૬ વર્ષનો અને પીંકી ૪ વર્ષની.. * * * છોકરો – ડિયર, એક વાત કહું? છોકરી – બોલ ને બકા.. છોકરો – આજે વિચારું છું તો સમજ પડે છે કે તું દરેક વખતે મારી સાથે હતી, મારો અકસ્માત થયો ત્યારે, પાંચમા સેમેસ્ટરના ત્રણ વિષયમાં એટીકેટી આવી ત્યારે, મને પથરી થઈ હતી ત્યારે, મને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારે.. છોકરી – હા બકા, કારણ કે આઈ લવ યૂ, અને હું હંમેશા તારી સાથે જ રહીશ.. છોકરો – અરે એમ નહીં યાર, મને લાગે છે કે તું જ પનોતી છે. * * * એક ભાઈની તબીયત ખરાબ થઈ, સાંજે તે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કહે, તમે બારેક કલાકના જ મહેમાન છો.. કાલ સવાર પણ નહીં જોઈ શકો એમ લાગે છે. એ ભાઈએ દુઃખી થઈને પત્નીને વાત કરી, વિચાર્યું કે બધું છોડીને પત્ની સાથે પ્રેમથી વાતો કરે, તેઓ રાત્રે વાતો કરતા […]


રસ્તો – સમીરા પત્રાવાલા 13

સૂરજ આજે એના પૂરા જોશમાં હતો. આજે જાણે જમીનને વીઁધીને પાતાળ સુધી પહોંચવાનું પ્રણ માંડ્યું હોય એમ કાળઝાળ વરસતો હતો. વરસાદ આ વર્ષે ઓછો હતો એમાંય આ મોસમ જ પાણી વગરની હતી! ક્યારે એવું લાગતું જલદી ઊઠીને નદી બનીને વહી જાઉં અને સાગરમાં સમાઈ જાઉં. પણ આવું વરદાન તો મને વેદપુરાણે પણ નથી આપ્યું. માણસોના પ્રતાપે મારા શરીર પર હવે કોઈ આવરણો રહ્યા નહોતાં એટલે તડકો પણ થપાટ મારીને મને અંદરથી વીંધતો હતો. ધરતીનાં પટ પર વિસ્તરાઈને લોકોને ઠેકાણે પહોંચાડવાનું મારું કામ! દુનિયા આખી અને કુદરતનો ભાર વેંઢરવાનું નામ મારી જિંદગી! માણસે મારા ઉપર ડામરના લપેડા એવી રીતે લગાવ્યા હતા જે જાણે બળદને નથ પહેરાવી હળમાં જોડાવા તૈયાર કર્યો હોય.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૩)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૯} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

પત્ની ના પ્રેમમાં પડી શકાય ખરું? – દિનેશ પાંચાલ 9

આજે આટલાં વર્ષો બાદ સ્મરણ નથી કે અમારી મિત્રમંડળી ક્યાં ગઈ હતી પરંતુ પાછા વળતી વેળા બસ ચાલુ થઈ ગયેલી અને અરવિંદભાઈ દોડતા દોડતા બસમાં ચઢેલા. પત્ની માટે કશુંક ખરીદવામાં પડ્યા હતા. થોડા મિત્રોએ પૂછ્યુંય ખરું – ‘શું ખરીદી લાવ્યા ભાભી માટે…?’ અરવિંદભાઈનો વિશિષ્ટ પત્ની પ્રેમ અમારી મિત્ર મંડળીમાં હંમેશ હસીમજાકનો વિષય બનતો. તે દિવસે પણ મિત્રોએ હસાહસ ચલાવેલી.

અરવિંદભાઈની મજાક થતી તે ખાસ ગમતું નહીં. અમને પ્રશ્ન થતો શું પત્નીને પ્રેમ કરવો એ ગુનો છે?


નિરુત્તર આકાશ – ડૉ. રમેશ શાહ 4

થોડા વખત પહેલાં સોમાલિયાના કોઈ ગામનું બધું જ અન્ન ખલાસ થઈ ગયું. એક પિતા તેનાં આઠ બાળકોને લઈને શહેર તરફ ચાલવા માંડ્યો. ચાલીસ માઈલ ચાલ્યો. ચાલીસ માઈલ ચાલ્યો ત્યારે રાહત કેમ્પમાં પહોંચ્યો. તે પહેલાં એક પછી એક તેનાં સાત બાળકોએ ભૂખથી તરફડીને રસ્તામાં અંતિમ શ્વાસ લીધો. પિતાએ આઠમું બાળક ડૉક્ટરને સોંપ્યું ત્યારે નીચે પડી તેણે ભગવાનનો આભાર માન્યો…


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૨) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


લાભશંકર ઠાકરનું એક મૃત્યુ – લાભશંકર ઠાકર 2

પોતાના મૃત્યુને જ શીર્ષકના એક અંશ તરીકે પ્રયોજનાર લાભશંકર ઠાકર આ ૨૦૧૬ના જાન્યુઆરીની છઠ્ઠીએ વાસ્તવમાં મૃત્યુ પામ્યા. (જન્મ તા. ૧૪-૦૧-૧૯૩૫) મુખ્યત્વે તો સુરેશ જોશી યુગીન આધુનિક કવિ અને એવા કવિઓના બળવાખોર મુખિયા તરીકે જાણીતા. લા.ઠા. ની આ વાર્તા ૧૯૭૫થીય વહેલી લખાઈ હતી. પણ તેમાં પણ તેમણે પોતાના મૃત્યુની આંતરિકતાને પશુ, પંખી, વૃક્ષ, માટી, સિમેન્ટ અને એવા કેટલાય પ્રતીકોનો વિનિયોગ કરીને વર્ણવી છે. ગુજરાતીમાં અનુસ્નાતક થયા પછી તેમણે સુવિખ્યાત વૈદ્ય પિતા સ્વ. જાદવજી નરભેરામ ઠાકરને પગલે આયુર્વેદ પ્રવીણની ઉપાધિ પણ હાંસલ કરી એથી પોતાને અનેક માનસમ્માન અપાવનારા અને આધુનિકો માટે પ્રયોગશીલતાની પ્રેરણા આપતા એક કરતા વધુ કાવ્યસંગ્રહો અને નાટ્યસંગ્રહો ઉપરાંત એક નવલકથા ‘કોણ?’ પણ આપી અને સમાંતરે વૈદકના પુસ્તકો પણ સારી સંખ્યામાં આપ્યા.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૮} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


સંતૂરવાદન – સ્નેહલ મુઝુમદાર 4

‘સંતૂર’ શબ્દનું સ્મરણ થતાં જ કાશ્મીરનું શાહી સૌંદર્ય આપણા મનમાં ચિનાર વૃક્ષ બનીને ઝૂમી ઊઠે છે અને દાંડી અડક્યાના વહેમથી જન્મેલો રણતઝણતકાર પર્ણપર્ણ બનીને વેરાઈ જાય છે. સંતૂરની બે દાંડીઓ એકબીજાની શોક્ય નહીં પરંતુ સખી બની તાર પર પા પા પગલી પાડે છે ત્યારે હરખપદૂડા તારો એવો થનગનાટ કરે છે કે ન પૂછો વાત. ચિનાર વૃક્ષોની દૂરસુદૂર સુધી ફેલાતી હારમાળા, એ હારમાળામાં સંતાકૂકડી રમતી માર્દવ અને માધુર્ય વડે મત્ત બનેલી પવનલહર, ડાલ સરોવરમાં વિહાર કરતા શિકારાઓમાં વિવિધરંગી ફૂલોની છાબ ગોઠવતી કોઈ મહાશ્વેતા કે કાદંબરી, પેલે પાર ગગન જોડે જુગલબંધી કરવા સાજ મેળવતા નગાધિરાજનાં હિમાચ્છાદિત શૃંગો… નિસર્ગશ્રીનો આ નિનાદ નજાકત બનીને નીતરે છે જ્યારે કોઈ સિદ્ધહસ્ત સંતૂરવાદક છેડે છે સંતૂરનો શતતંત્ર મિજાજ. આજના આ કોલાહલ, કકળાટ અને કાગારોળના કળિયુગ અને કળયુગમાં પણ સંતૂરે પોતાનું, શરમાળ કહી શકાય એટલી હદે સૌમ્ય એવું સ્વરસૌંદર્ય જાળવી રાખ્યું છે.


વીસ હાઈકુ.. – સંકલિત 7

‘સંસ્કારમિલન’ વલસાડ સાહિત્યિક, સાંસ્કૃતિક અને કલાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક માસિક ‘મિલન’નો ઓગસ્ટ ૨૦૧૫નો અઁક વલસાડી હાઈકુ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયો હતો. પ્રા. મનોજ એમ. દરૂ અને અમૃત કે. દેસાઈ દ્વારા સંપાદિત આ સંગ્રહમાંથી આજે સાભાર પ્રસ્તુત કર્યા છે ઉશનસ, અમૃત કે. દેસાઈ, અજિત પારેખ, અમૃત મોરારજી અને ડૉ. અરુણિકા દરૂ દ્વારા રચિત હાઈકુ પ્રસ્તુત છે.


(ઑસ્કર ૨૦૧૬) ધ રેવનન્ટ.. જિજીવિષા અને પ્રતિશોધની અનોખી કથા.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

મૃત્યુ પછી પણ પાછો ફરનાર અથવા જીવનની ખૂબ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી જનાર માણસ.. જીવન માટે, અસ્તિત્વ ટકાવવા માટે જીવસટોસટનું સાહસ કરીને મૃત્યુના મુખમાંથી પણ પાછો આવનાર માણસ એટલે રેવનન્ટ.

વાત છે ૧૭૮૩માં અત્યારના અમેરિકાના પેન્સિલવેનીયા રાજ્યમાં જન્મ લેનાર અને પોતાના સખત પ્રયત્નો અને અદ્રુત હિંમતને લીધે જીવસટોસટના જોખમોમાંથી સુપેરે જીવતા રહેનાર હ્યૂ ગ્લાસની..


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૧)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૭} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


સ્ત્રીઓ.. – રમણીક અગ્રાવત 5

એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી
જાણે એ કદી ક્યાંય હતી જ નહીં.
પોતાની કોઈક સમયની નક્કર હાજરીની
છેલ્લામાં છેલ્લી નિશાની
પોતે જ ભૂંસી નાખી
ક્યાંય વહી જાવ છે
વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ….


રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ 9

પન્નાલાલ, પેટલીકર ને પીતાંબરનો માત્ર એક- એક શબ્દમાં જ પરિચય આપતાં રઘુવીરે લખ્યું કે પન્નાલાલ એટલે કોઠાસૂઝ, પેટલીકર એટલે તાટસ્થ્ય અને પીતાંબર એટલે ઉત્સાહ. પણ રઘુવીરને આ રીતે એક જ શબ્દમાં ન બાંધી શકાય. ઓછામાં ઓછા છ શબ્દ તો વાપરવા જ પડે; તો જ એના વ્યક્તિત્વનો થોડોકેય અણસાર આવી શકે. મારે મન રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ. (છ શબ્દો પૂરા). આ પ્રકારનો આત્મવિશ્વાસ ઘણા લોકોમાં મોડોમોડો આવતો હોય છે. જ્યારે રઘુવીર ચૌધરી નાના હતા અને રઘુવીરને બદલે રઘજીભાઈ ચૌધરી હતા, ત્યારનો તેમનામાં આ જ આત્મવિશ્વાસ છે.


બે ઈ પુસ્તકો : વિવેકવલ્લભ અને વિવેકવિજય – રમણ પાઠક ‘વાચસ્પતી’ (ડાઉનલોડ)

આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ઉમેરાયા છે શ્રી રમણ પાઠક ‘વાચસ્પતી’ ના બે ઈ-પુસ્તકો
૧. તેમના ચિંતનાત્મક લેખોનો સંગ્રહ ‘વિવેકવલ્લભ’ જેનું સંપાદન શ્રી સુનિલ શાહે કર્યું છે.
૨. તેમના ચૂંટેલા લેખોનો સંગ્રહ ‘વિવેકવિજય’ જેનું સંપાદન શ્રી વિજય ભગતે કર્યુઁ છે.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૦) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૬} 2

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

સ્મરણકથા.. – હરિશંકર પરસાઈ, અનુ. શાંતિલાલ મેરાઈ 5

મારા ઘરમાં ઘણી ઘણી તકલીફો હતી જે વિશે હું આગળ લખી ગયો. આ તકલીફો હોવા છતાં હું બરાબર ખાતો, રમતો, વાંચતો તેમજ સામાજિક અને રાજકીય કાર્યોમાં ભાગ લેતો. ઘરે જવામાં અવશ્ય ડર લાગતો. ત્યાં બિમાર, દુઃખી અને ચિઢાયેલા રહેતા પિતાજી હતા અને ઉદાસ નાનાં ભાઈબહેનો હતાં. ફોઈ બનાપુરા ચાલી ગયાં હતાં અને ત્યાં તેમણે એક નાનકડું ઘર બનાવી લીધું હતું. મારા લાઠીઘારી કાકા મારા પિતાજી સાથે સતત રહેતા હતા અને તેમની સેવા કરતા હતા. આ બંને ભાઈઓ જેની આવકમાંથી છોકરાંઓ મોટાં થઈ જાય એવો કોઈ ધંધો શરૂ કરવા માટે આપસમાં ચર્ચાવિચારણા કરતા રહેતા. પણ કોઈ ધંધાની યોજના પાકી થતી નહીં અને પાસે હતા તે પૈસા ખવાતા જતા હતા. બધી ચર્ચાવિચારણાને અંતે એક જ પંચવર્ષીય દસવર્ષીય અથવા સ્થાયી યોજના પર તેઓ પહોંચતા અને તે યોજનાનું નામ હતું હરિશંકર. તેઓ વાતો કરતા કે થોડાક જ મહિનામાં શંકર મૅટ્રિક પાસ થઈ જશે. પ્રથમ વર્ગ આવશે અને તરત નોકરી મળી જશે.