Monthly Archives: January 2014


ત્રણ લઘુકથાઓ.. – સંકલિત 8

આજે પ્રસ્તુત છે ત્રણ ટૂંકી વાર્તાઓ… બે નાનકડી વાર્તાઓ સર્જન છે ધવલભાઈ સોનીનું જે તેમણે પ્રસ્તુત કરવા માટે પાઠવી છે અને એક વાર્તા કાંતિલાલ વાઘેલાએ અક્ષરનાદને પ્રસ્તુતિ માટે પાઠવી છે. ત્રણેય વાર્તાઓ સુંદર અને રસપ્રદ છે. આશા છે વાચકમિત્રોને ગમશે…


વહેમોથી વીંટળાયેલું વિશ્વ – વંદિતા દવે 8

આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને બિલાડી આડી ઉતરે તો આપણા પગ ચાલતા થંભી જશે, ઘરની બહાર નીકળતા હોઈએ અને છીંક આવે એટલે પણ થોડીવાર માટે અટકી જઈએ. અમુક અગત્યના કામે જતા હોઈએ અને સામું કોણ મળે એ પરથી જ પરિણામની અટકળ કરી લઈએ. અમુકવાર અમુક રંગના કપડાં જ પહેરાય, દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજે લીંબુ-મરચાં લટકાવાય, ક્યાંક કામે જતા હોઈએ અને કોઈક પાછળથી ટોકે તો કામ પૂરું ન થાય, બહાર જતી વેળા ચા નાસ્તાની વાત અવાણી ન શકાય…. આવી માનસિકતાને શું કહેવાય?


સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ 1

હમણાં દુનિયામાં હિગ્ઝ બોઝોનની અસરો નોંધવાની સફળતા મળી. બ્રહ્માંડના સર્જન પાછળનું રહસ્ય શોધવા જતાં એક સ્ટાન્ડર્ડ મૉડલ તરીકે ઓળખાતી બિગ-બેંગ થિયરીને મોટાભાગના વિજ્ઞાનીઓએ માન્યતા આપી જેમાં… બ્રહ્માંડ એક વખત અત્યંત સૂક્ષ્મ, ઘટ્ટ અને ગરમ હતું, ત્યારે એક અત્યંત વૈશ્વિક મહાવિસ્ફોટ (Cosmic Explosion) થયો જેને બિગ-બેંગ કહેવામાં આવે છે. આ ઘટના ૧૩.૭ અબજ (અબજ એટલે એકડા પર નવ મીંડા સમજવા) વર્ષ પહેલા બની હોવાનું અનુમાન છે. બિગબેંગ થિયરીનું સ્ટાન્ડર્ડ મૉડેલ અને હમણાં જેનું અસ્તિત્વ શોધાયું તેને હિગ્ઝબોઝોન એટલે કે God’s particle કહે છે. આપણે બ્રહ્માંડની રચનાના આ રહસ્યને સાંખ્યદર્શનમાં વર્ણવેલી થિયરી સાથે તપાસીશું. સાંખ્યદર્શનની રચના સમયે અદ્યતન ટૅલિસ્કોપ કે માઈક્રોસ્કોપ જેવા સાધનો કે વાતાનુકૂલિત પ્રયોગશાળાઓ નહોતી છતાં ઘણાં રહસ્યો ઉકેલ્યા હોવાનું માનવામાં વાંધાસરખું નથી. વળી અહીં ભારતીય જ્ઞાનની મહાનતા કે Pseudo Scientific Theory આપવાનો પ્રયત્ન નથી પણ એક જ દિશામાં સમાંતર વિચારો સરળતાથી જાણી શકાય એવો પ્રયાસ છે. ભૂમિપુત્ર સપ્ટેમ્બર ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચાર ગઝલો – યાકૂબ પરમાર 2

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિઓ છે. ચાર સુંદર ગઝલો આજે તેમણે પ્રસ્તુત કરી છે. આ સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ભાષણ વિશે ભાષણ… – હરનિશ જાની 5

ભાષણ વિશે ભાષણ… ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? ભાષણની અસર લોકો પર કેવી છે? ભાષણનો વિષય, ભાષણ સાંભળવાની મઝા જેવા ભાષણને લગતા અનેક વિષયો પર લેખિતમાં ભાષણ આજે પ્રસ્તુત કર્યું છે. સૂરતમાં તાજેતરમાં યોજાઈ ગયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધિવેશનને લક્ષમાં રાખીને આ કૃતિ પ્રસ્તુત કરવાની ઇચ્છા થઈ. આ જ વિષયને લગતો અન્ય એક લેખ પણ ટૂંક સમયમાં પ્રસ્તુત થશે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હરનિશભાઈનો આભાર તથા શુભકામનાઓ.


પાંચ સુંદર ગઝલો.. – રાકેશ હાંસલિયા 7

રાકેશભાઈની ગઝલો માણવાનો અને પ્રસ્તુત કરવાનો એક અનોખો આનંદ હોય છે. ગઝલમાં સત્વ અને તત્વને સમાવતા હોવા છતાં ચુસ્ત છંદબંધારણ અને સુંદર વિષયાનુભૂતિ સહિતની કૃતિઓ તેમની વિશેષતા રહી છે. અક્ષરનાદનું સદભાગ્ય છે કે આવા રચનાકારો અક્ષરનાદને તેમની કૃતિઓ પ્રસ્તુત કરવાનું ગૌરવ આપે છે, રાકેશભાઈની પાંચ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. વૃક્ષના છાંયડારૂપી પ્રસાદની વાત હોય કે શબ્દનો નિરાકાર સાદ હોય, આજીવન દળતી ડોશીની વાત હોય કે ઘેરા થતાં સ્મરણની વાત હોય, દરેકે દરેક ભાવને, દરેક લાગણીને શબ્દોમાં મઢીને મૂકાઈ છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


“……તો તો હવે બોવ ધ્યાન રાખવું પડશે !” (વાર્તા) – મિતુલ ઠાકર 13

અક્ષરનાદ પર મિતુલભાઈની આ પ્રથમ રચના છે, ગ્રામ્યસમાજની સામાન્ય સમજનું, ઘટનાઓ અને પ્રસંગોનું અહીં સરળ આલેખન થયું છે. એક નાનકડી ગેરસમજ લગ્નજીવનમાં કેવા ઝંઝાવાત સર્જી શકે તેનું પ્રસ્તુત કૃતિ સુંદર ઉદાહરણ છે. ગ્રામ્યભાષા અને લહેકાને સમાવવાનો મિતુલભાઈનો પ્રયત્ન સરસ છે. આ કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


શાશ્વતની શોધ.. – કર્દમ આચાર્ય 2

અસ્તિત્વદર્શન એક વિચારપત્ર છે, ચિંતનાત્મક દાર્શનિક પત્રિકા. પ્રાચીન – અર્વાચીન એવા તત્વજ્ઞાનોને એક આગવી રીતે જોવાની દ્રષ્ટિ તો અહીં અભિપ્રેત છે જ, ઉપરાંત જીવનને સ્પર્શતી બાબતોને એક દાર્શનિકના દ્રષ્ટિકોણથી જોવાની કલા હસ્તગત કરવાનો એક પ્રયત્ન છે. આદર્શવાદ અને વ્યવહારવાદની સમજ સાથે આદર્શ વાસ્તવવાદ તરફ ઈંગિત કરતી કર્દમ આચાર્યની પ્રતિભાસ વિચારણા આજે અહીં પ્રસ્તુત કરી છે. આદર્શવાદ – idealism અને વ્યવહારવાદ – practicalism એ બંને શબ્દોના અર્થમાં ઉંડા ઉતરીને ideal practicalism અથવા આદર્શની શક્ય એટલું નજીક રહેલી વાસ્તવિકતા વિશેના વિચારની તાત્વિક વિચારસરણી અહીં પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ‘અસ્તિત્વદર્શન’ નો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચકલી ચકલાંનું અંગ્રેજીકરણ…- જીજ્ઞા ત્રિવેદી 21

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞાબેન ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્યરચના જેમાં તેઓ અંગ્રેજીના વધતા પ્રભાવને હાસ્યસભર રીતે ચકલા-ચકલીની વાતોમાં અભિવ્યક્ત કરી રહ્યા છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને તેમની કલમે આપણને આવી સુંદર, અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


કાગળ (વાર્તા) – નિમિષા દલાલ 16

વિશ્વ ગુજરાતી સમાજઆ સામયિકના દિપોત્સવી અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની ‘કાગળ’ વાર્તા સમકાલીન સમાજવ્યવસ્થાની ખૂબીઓ અને ખામીઓ સાથેનું સમગ્રતયા ચિત્ર પ્રસ્તુત કરે છે. વાર્તામાં અમુક અંશે સસ્પેન્સનું તત્વ પણ છે તો વાચકને અનેક વિકલ્પો વિચારવાની તક આપતો અંત પણ અહીં છે. નિમિષાબેનની કલમ દરેક નવી વાર્તા સાથે વધુ ને વધુ નિખરતી રહી છે એ આ વાર્તા સાથે પણ દેખાઈ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આયુની ઋતુ – ઉત્સવ તલાટી 19

અમેરીકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહેલા ઉત્સવભાઈ તલાટીની આ પ્રથમ રચના છે. આયુ ઋતુને પ્રેમ હ્રદયથી કરે છે, બંને મળી શક્યા નથી – મળી શકવાના નથી એ હકીકત છે. અણધારી રીતે યુવાનીમાં જ જીવનના અંતિમ પડાવ પર ઊભેલા આયુને એ હકીકતની ખબર છે અને એ વાતને લઈને તેનો ઋતુને સંબોધીને લખાયેલ આ પત્ર વિશેષ બની રહે છે. પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવા તેમણે અક્ષરનાદને પાઠવી છે. પ્રથમ સર્જન વિશેષ હોય છે અને અનેક મિત્રોએ એ માટે અક્ષરનાદને તક આપી છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ ઉત્સવભાઈનો આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 27

હેમલભાઈ વૈષ્ણવ આ પહેલા પણ માઈક્રોફિક્શન વાર્તાઓ પર હાથ અજમાવી ચૂક્યા છે અને અક્ષરનાદના વાચકવર્ગ સમક્ષ પ્રસ્તુત પણ થયા છે. આજે ફરીથી પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ લઈને તેઓ આવ્યા છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


બે ગઝલો.. – ગની દહીંવાલા 3

૧૯૦૮માં સૂરતમાં જન્મેલ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની’ દહીંવાલા ગઝલ કવિ. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન ચલાવી. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી તથા ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય થયા. ‘ગાતાં ઝરણાં’, ‘મહેક’, ‘મધુરપ’ અને ‘ગનીમત’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત બે ગઝલો જયન્ત પાઠક દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


મારા વ્યંગ કસરતના પ્રયોગો… – રમેશભાઈ ચાંપાનેરી 8

અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ બીમારી તથા તેને ટાળવા માટેની કસરતને લીધે થતા વ્યંગની વાત લઈને આવ્યા છે. પેટ ઘટાડવા માટે હોય, ડાયાબિટીસ નિવારવા માટે કે ફક્ત શોખ ખાતર હોય, કસરતના આવા પ્રયોગોની અનેક શક્યતાઓને તેઓ અહીં ચકાસે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રમેશભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


૧૫ ચોટદાર અછાંદસ.. – ધવલ સોની 8

૧૫ અછાંદસ, દરેકની શરૂઆત સમાન, ‘ને…’, દરેકની વાત અલગ, દરેકનું ભાવવિશ્વ અને વિષયવસ્તુ અલગ અને છતાંય એ પંદરેય નાનકડાં અછાંદસને એક તાંતણે બાંધતી દોરી એટલે સંવેદનશીલ હ્રદય. આમ તો દરેક અછાંદસમાં વાચક કહેવા પૂરતી એક વાર્તા શોધી જ કાઢશે, પરંતુ એ વાતની ભીતરમાં રહેલ ભાવને સમજવાનો પ્રયત્ન કદાચ તેના સર્જનને વિશેષ ન્યાય આપી શક્શે. અમદાવાદના ધવલભાઈ સોનીનો અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


પરમ તેજે… – ભવસુખ શિલુ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

આજે પ્રસ્તુત છે શ્રી ભવસુખભાઈ શિલુ દ્વારા સંકલન અને રચના પામેલ ઈ-પુસ્તક ‘પરમ તેજે…’ પ્રસ્તુત પુસ્તકમાં ભવસુખભાઈ વિશ્વની રચના, પ્રકૃતિ અને પુરુષ, સજીવસૃષ્ટિ, ધર્મ અને સમાજ, વર્ણવ્યવસ્થા અને સત્વ, રજસ, તમસ, સનાતન ધર્મ, માનવસમાજ અને હિન્દુ ધર્મ, સાંપ્રત વિશ્વ અને મધ્યમમાર્ગ જેવા વિષયોને આવરી લઈને વિગતે ચર્ચા કરે છે. આ સુંદર, મર્મસભર અને અનેકવિધ વિષયોની વિગતે ચર્ચા કરતું પુસ્તક ઈ સ્વરૂપે પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા પુસ્તક માટે શુભકામનાઓ. અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી એક ક્લિકે તદ્દન નિઃશુલ્ક મેળવો ઈ-પુસ્તક ‘પરમ તેજે…’


ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…! – હરેશ દવે, હર્ષદ દવે 4

શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ હિમાલયની ટોચે પહોંચવાની હિંમત ન કરી શકે એ વાત સમજાય તેવી છે. સાહસ કરાય પણ આંધળું સાહસ ન કરાય. તમારી વાત સાચી છે, પરંતુ ગિરનાર ઊંચો પર્વત છે, કદાચ તે હિમાલય કરતાં પણ જૂનો છે. આ પર્વતનું ઐતિહાસિક મહત્વ ચમત્કૃતિપૂર્ણ છે પરંતુ આજે આપણે તેનાં ધાર્મિક ગુણગાન નથી ગાવા. આજે તો આપણે વાત કરવી છે આ ગરવા અને નરવા ગિરનારની સાહસિક સફરની!


એ તો એમ જ ચાલે.. – હરનિશ જાની 17

હેમિલ્ટન, ન્યૂ જર્સીમાં રહેતા શ્રી હરનિશભાઈ જાનીનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ નથી, અનેક સામયિકોમાં તેઓ લખે છે, તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ ને ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકૅડમિનો પુરસ્કાર મળ્યો છે. તેમના વાર્તાસંગ્રહ ‘સુધન’ને ગુજરાતી સાહિત્ય અકૅડમિનું વર્ષ ૨૦૦૭નું બીજું પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં તેઓ ભારતીય વાહનવ્યવહારને અને અહીંની સિસ્ટમની વાતોને એકમેકસાથે સુંદર રીતે સાંકળે છે. કાયદેસર – ગેરકાયદે જેવા ભેદભાવોથી પર ચાલતી આ સિસ્ટમની વાત તેઓ સહજતાપૂર્વક અને સૂક્ષ્મ હાસ્ય સાથે મૂકી રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી હરનિશભાઈ જાનીનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


એક્ટર : એક વાર્તા, ત્રણ અનોખા અંત.. – હાર્દિક યાજ્ઞિક 26

હાર્દિકભાઈ યાજ્ઞિકે એક વાર્તા મોકલી, અને પછી ફોન પર કહ્યું કે એ વાર્તાના તેમણે બે અંત મૂક્યા છે, તેમણે મને પસંદ પડે તેવો અંત સ્વીકારવા જણાવ્યું. પરંતુ વાર્તા વાંચી તો ક્યાંક મને એક અલગ જ અંત આપવાની ઈચ્છા થઈ આવી, અને એ અંત લખીને મેં તેમને મોકલી આપ્યો. તેમણે સહર્ષ તેને વધાવ્યો. એ ત્રણેય અંત સાથે વાર્તા આજે પ્રસ્તુત કરી છે. કદાચ આ નવો પ્રયોગ છે, અને અક્ષરનાદની પ્રયોગખોર છબીને આથી વધુ બળ બીજુ શું જોઈએ? વાચકમિત્રોને પણ હાર્દિકભાઈએ ઈજન આપ્યું છે, તમને ત્રણમાંથી કયો અંત ગમ્યો તે કહો અથવા તમારી સર્જનાત્મકતાને આધારે કોઈ નવો જ અંત સૂઝે તો પ્રતિભાવમાં મૂકો. અક્ષરનાદને કૃતિ પાઠવવા, અખતરાઓ કરવા અને સાહિત્યક્ષેત્રને સદાય કાંઈક ‘નવું’ આપ્યાના દેખાડા સિવાય, કામ કરતા રહેવા બદલ આભાર વ્યક્ત કરીશું તો તેમને જ નહીં ગમે…


ચાર અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 12

પાલનપુર, બનાસકાંઠાના શ્રી દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા ચાર અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. ચારેય અછાંદસ સુંદર અને અર્થસભર છે. શહેરમાં અનુભવાતા નિરસ ઋતુપરિવર્તનની વાત હોય, જીવનમાં પ્રિય પાત્રની અનુપસ્થિતિના વિચાર હોય, વિચારોના ઝાંઝવાને જોવાનો પ્રયત્ન હોય કે રણની વ્યથાના માર્ગે માણસની એકલતાને વાચા આપવાનો પ્રયત્ન હોય, ચારેય અછાંદસ માણવાલાયક સર્જાયા છે. અક્ષરનાદ પર દિનેશભાઈની આ પ્રથમ કૃતિ છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


અમદાવાદી ટ્રૅફિક – મિહિર શાહ 22

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો અક્ષરનાદ પર આ બીજો લેખ છે. આજે પ્રસ્તુત લેખ અમદાવાદના વાહનવ્યવહાર અને તેને લગતી સમસ્યાઓ વિશેના તેમના વિચારોનો પડઘો અહીં પ્રસ્તુત કરે છે. આ પહેલા અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત મૂકનાર મિહિરભાઈએ આજે અમદાવાદના ટ્રૅફિકની વાત વિગતો અને અનુભવોક્તિઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સમસ્યાઓથી બચવા અને બીજાઓને બચાવવાની પ્રેરણા આપે એવો છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ગઝલ અષ્ટક + હસ્તાક્ષર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 8

આજે શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે અને તેમને આપણી શુભેચ્છાઓ પાઠવવા તેમની જ આઠ ગઝલો અને એક પ્રલંબ લયની અતિસુંદર હસ્તાક્ષર ગઝલ પ્રસ્તુત કરવાથી વધુ ઉપર્યુક્ત માધ્યમ કયું હોઈ શકે? બધી જ ગઝલો સુંદર અને બંધારણની રીતે ચુસ્ત છે, પ્રલંબ લયની ગઝલ તો વળી એક અનોખા વિશ્વમાં જ લઈ જાય છે. આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેઓ સતત આમ જ આગળ વધતા રહે, અર્થસભર, સંવેદનાસભર અને લાગણીશીલ કૃતિઓ દ્વારા આમ જ આપણી લાગણીઓને વાચા આપતા રહે એવી શુભેચ્છાઓ. ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી અક્ષરનાદના સર્વે વાચકો વતી ઈશ્વરને પ્રાર્થના સાથે તેમની કૃતિઓ તેમને જ સાદર.