Yearly Archives: 2019


સમિધા (ઈ-પુસ્તક) – સુરેશ સોમપુરા 2

સમિધા.. એક જમાનામાં સમિધ જિજ્ઞાસાનું પ્રતીક હતું, આજે પણ છે. સમિધનો શબ્દાર્થ છે યજ્ઞમાં વપરાતું લાકડું. જિજ્ઞાસુ વિદ્યાર્થી ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતો ત્યારે જંગલમાંથી લાકડા કાપવા જવું પડતું, જ્ઞાનયજ્ઞ સતત ચાલુ રહેતો. ‘ફી’ રૂપે વિદ્યાર્થી પાસેથી સતત જિજ્ઞાસાની – જ્ઞાનપિપાસાનીજ અપેક્ષા રખાતી. અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ સોમપુરાનું સુંદર અને મનનીય પુસ્તક ‘સમિધા’ આજથી ઈ-પુસ્તક સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪) 3

વસન્ત ઋતુ સર્વત્ર આનંદ ફેલાવતી હતી. વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. બધાના હૃદયમાં શુભ ભાવનાઓ ઉભરાતી હતી. ધરતી હસતી હતી. ઝર ઝર કરતાં ઝરણાં સાથે હરણાં જાણે હોડમાં ઉતર્યા હોય તેમ દોડતાં, કૂદતાં ઠેકતાં હતાં. આકાશ પણ પોતાની સ્વચ્છતાનો અને વિશાળતાનો પરિચય આપતું હતું. પર્વતોને તો પંખીઓનાં ગાન સાંભળીને ડોલવું હતું પણ ધરતીમાતાની ગોદમાંથી ચસકી શકતા ન હતા. સૂર્યના કિરણો પર સવાર થઈને પતંગિયા કયા ફૂલ પર બેસવું તેની વિમાસણમાં આમતેમ ઉડતાં હતાં અને ભ્રમરનો ગુંજારવ વૃક્ષોના પર્ણોમાંથી પસાર થતા પવન સાથે સંતાકૂકડી રમતો હતો. વૃક્ષોનો આનંદ જાણે ક્યાંય સમાતો નહોતો. આબે મોર આવ્યા હતા અને વસન્ત ઋતુને વધાવતા હતા.


સૌરાષ્ટ્રનાં મહિલા ધારાસભ્યો : છેલ્લા બે દાયકાનો ઇતિહાસ.. – જિજ્ઞેશ ઠાકર

સૌરાષ્ટ્રની આ વખતની વિધાનસભા બેઠકો ઉપર દ્રષ્ટિ કરતાં ખ્યાલ આવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામોની સરખામણીએ સૌથી ઓછાં મહિલા ધારાસભ્યો બન્યાં છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતા’ની વાત અહીં લાગુ પડતી નથી. સમગ્ર સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લાઓમાંથી માત્ર બે મહિલા ધારાસભ્યો વિભાવરીબેન દવે અને ગીતાબા જાડેજા પ્રતિનિધિત્વ પામ્યાં છે.


જેસલમેર : રણની રેતને ખાળતું નગર મળે.. – લલિત ખંભાયતા 8

રણમાં આવેલું અને ફિલ્મોથી વખણાયેલું જેસલમેર નગર કેવું હશે? એ જાણવા માટે અમે મિત્રો એ રજવાડી નગરની સફરે નીકળી પડયા. સોનાર કિલ્લો અને રણની સુવર્ણરેત દુનિયાભરના પ્રવાસીઓને જેસલમેર આવવા મજબૂર કરે છે.


યંગક્લબ ભાવનગરનું એકાંકી “ચાંદરણાં” – બાબુભાઈ વ્યાસ 4

૧૯૪૭માં આ નાટક સ્ટેજ પર સ્પોટલાઈટ દ્વારા દર્શાવવામાં આવેલું. આ રીતે નાટક મંચસ્થ કરવા પાછળ લેખક અને દિગ્દર્શકનો વિચાર કઈંક જુદો હતો. સ્પોટલાઇટ દ્વારા બનતા જુદા જુદા બનાવો દર્શાવી નાટક આગળ વધતાં તેની ગૂંથણીને એક રસપ્રદ અંત સુધી લઇ જવી – આ પ્રયોગ મહદઅંશે સફળ થયેલો. પ્રેક્ષકો તરફથી સુંદર આવકાર આ નાટકને મળેલો! આ નાટક છ મહિનામાં ફરી તે જ મંચ પર ભજવાયું. નાટકની પૃષ્ઠભૂમિ ૧૯૪૨ આસપાસનો સમય. નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પ્રેરણાથી ઘણા નવલોહિયા જુવાનિયાઓએ આઝાદીની ચળવળમાં સશસ્ત્ર ઝુકાવેલું! બ્રિટિશ સરકારની ચાંપતી નજર અને તેની સામે એક ઝનૂન ભરી લડાઈ!!


કુછ દિન તો ગુજારો ‘કચ્છ’ મેં!- મીરા જોશી 20

ટ્રેનની લાંબી વ્હીસલ, આવ-જો કહેતા ફટાફટ ડબ્બામાંથી ચઢ-ઉતર કરતા મુસાફરો અને પછી ધીમે ધીમે પ્લેટફોર્મ છોડતી જતી ટ્રેન.. કોણ જાણે કેમ પણ મને મારા શહેરના રેલ્વે સ્ટેશનનું ખુબ આકર્ષણ છે! આ નજારો મને ક્યારેય કંટાળાભર્યો નથી લાગ્યો.. એટલે જ દર દોઢ-બે મહિનાના અંતરે ટ્રેનના પ્રવાસની જાણે મને તલપ લાગે છે!


યુથોપનિષદ (પ્રકરણ ૧) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 5

શહેરના સૌથી મોટા બ્રાન્ડેડ શૉરૂમમાં આવેલા વેદાસ સ્પેશિયલ કલેક્શનમાં એને એક ટી-શર્ટ ખુબ પસંંદ આવી. સંસ્કૃત ભાષાને તોડી મરોડીને બનાવાયેલ ફોન્ટસથી એની ઉપર લખ્યું હતું. “અથતો બ્રહ્મ જિજ્ઞાસા” એનો મતલબ શું થાય એ તો રામ જાણે, પણ ટીશર્ટ ધાંસુ લાગ્યુ એટલે એને ખરીદીને બહાર નીકળ્યો અને ત્યાંજ તેના ફોનની સ્ક્રીન પર એક નામ ઝબક્યું… “ડેડ” ફોન ઉપાડીને એણે કશું જ સાંભળ્યાં વગર જ બોલવાનું શરૂ કર્યું, “બહાર છું.. અડધો કલાક થશે.. હમણાં પહોંચું છું.” ફોન કટ કર્યો અને ફોનની સામે જોઇ મનમાં અકળાયો; કે મને વિઝા કયારે મળશે? હદ છે યાર..


રોલ નંબર બાર અને તેર – અજય ઓઝા 3

‘યસ સર..’ આ નિરવ. સખત ધમાલિયો અને તોફાની. કોઈને ગાંઠે જ નહિ. ભણવામાં તો ચિત્ત જ નહિ. લેશન નહિ કરવાનું. ચોપડી જ ખોલવાની નહિ.

આમ તો એ આ વર્ષથી જ મારા વર્ગમાં આવેલો. જૂઓ ને, તાજેતરનો જ જાડા કાચવાળા ચશ્મામાં એનો ફોટો પણ કેવો આવ્યો છે !


કલમને ડાળખી ફૂટી – પારુલ ખખ્ખર 7

નોખી નક્કર ભાત ઘસુું છું ઓરસિયા પર,
હું મારી ઓકાત ઘસું છુું ઓરસિયા પર.

સામા કાંંઠાનું ઈજન ને પગમાંં લંગર,
દરિયા સાતેસાત ઘસું છુું ઓરસિયા પર.


જાણીજોઈને કરાયેલી ભૂલોની માફી – લીના જોશી ચનિયારા 3

આજે ઘણા દિવસે પ્રાંજલ મને બજાર માં મળી. વાતોવાતોમાં સમય ક્યાં પસાર થઇ ગયો એ ખ્યાલ જ ન આવ્યો. આ બાજુ મારા પતિનો ઓફીસથી આવવાનો સમય થઈ ગયો હતો અને પ્રાંજલ સાથે મારી વાતો ખૂટતી જ ન હતી. એટલે મેં પ્રાંજલને રવિવારે મારા ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું. આ રવિવારે અમારા બંન્નેના પતિને બહાર જવાનું હોવાથી અમારી પાસે નિરાંતનો સમય હતો.


મધ્યરાત્રીએ મેઘગર્જના – સ્વાતિ મેઢ 9

માલિનીબહેન ઘસઘસાટ ઉંઘતાં હતાં. અચાનક એમને એવું લાગ્યું કે મેઘગર્જના થાય છે. અડધી ઊંઘતી અડધી જાગતી અવસ્થામાં એમણે સાંભળ્યું હતું. ઘરરર ઘુઉમ્મ, ઘરરર ઘુઉમ્મ. આ શું? ઉતરતા શિયાળાની મધરાતે આવી મેઘગર્જના? માવઠું થવાનું છે કે શું? માલિનીબહેનના મનમાં સવાલ ઉઠ્યો અને મનમાંથી જ જવાબ આવ્યો, ‘ના પણ હવા તો એવી નથી લગતી. વરસાદના આગમન પહેલાં હોય એવી ઠંડી, ભીની.’ મનમાં ફરીથી સવાલ ઉઠ્યો, ‘તો પછી?’ ત્યાર સુધીમાં માલિનીબહેનનું ઊંઘવા-જાગવાનુ ફિફ્ટી-ફિફ્ટીમાંથી એઇટી-ટ્વેન્ટી થઈ ગયું હતું. એટલે કે એઇટી પર્સન્ટ જગવાનુ અને ટ્વેન્ટી પરસેન્ટ ઊંઘવાનું. હવે માલિનીબહેનને ખાતરી થઈ ગઈ કે આ જે અવાજ આવે છે તે મેઘગર્જના તો નથી જ. હજી ય મેઘગર્જના ચાલુ હતી. રહી રહીને થતી હતી. હવે એ મેઘગર્જનાએ માલિનીબહેને હન્ડ્રેડ પરસેન્ટ જગાડી દીધાં. એમને સમજાઈ ગયું કે આ જે ઘરરર ઘુમ્મ, ઘરરર ઘુમ્મ અવાજ સંભળાય છે તે વિશાળ આકાશમાં થતી મેઘગર્જના નથી પણ એમના જ શયનખંડમાં એમની જ પથારીમાં એમનાથી માત્ર ત્રણ જ ફૂટ દૂરથી થઈ રહેલી નસકોરાંની ગર્જના છે. નિખિલભાઈનાં નસકોરાં બોલે છે.


ઈશાની (લઘુનવલ) – દિપિકા પરમાર 13

પોતાના આલિશાન ચાર માળના રજવાડી ઘર કમ મહેલના વૈભવશાળી બેડરૂમના દસ બાય દસના બેડ પર આડી પડેલી ઈશાની છેલ્લા એક અઠવાડિયામાં પોતાના જીવનમાં આવેલા વળાંકોથી હતપ્રભ થઈને વિચારતંદ્રામાં સરી ગઈ હતી. પોતે શું હતી ને ક્યાં હતી? ઘણીવાર તમે પોતાના જીવનનો આખો માસ્ટરપ્લાન બનાવી નાખતાં હોવ છો ને પછી જિંદગી અચાનક એવો વળાંક લે છે કે બધાં પ્લાન, પ્લેઇન થઈ જાય છે. આવું જ બન્યું ઈશાની સાથે. ઈશાનીને એક મહિના પહેલા પોતાની લંડનની સવાર યાદ આવી ગઈ. પોતાના જ આદર્શો ને નિયમો સાથે જીવનારી ઈશાનીના લંડનજીવનની એ સવાર.


જડ-ચેતન નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકમાં વક્તવ્ય 6

હરકિસન મહેતાની ‘જડ-ચેતન’ નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકના ખૂબ સુંદર, આધુનિક, ગ્રીન એનર્જીથી ચાલતા અને અત્યંત સુવિધાજનક ઓડીટોરિયમમાં તા. ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાયુંં હતું. હરકિસનભાઈ મહેતાની ખૂબ વંચાયેલી અને ભારોભાર વખણાયેલી નવલકથા ‘જડ-ચેતન’ મારી પણ મનગમતી છે. શાળા સમયમાં વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પુસ્તકાલયમાંંથી દસમા ધોરણના વેકેશનમાં (૧૯૯૫) હરકિશન મહેતા, ક. મા. મુનશી અને ગુણવંતરાય આચાર્યની લગભગ બધી નવલકથાઓ વાંચેલી. એટલે જ્યારે એમાંથી આ મનગમતી નવલકથા વિશે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તો જાણે મનગમતું કામ મળ્યું.