સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ચિંતન નિબંધ


એ તો જોઈએ જ હોં (નિબંધ) – સ્વાતિ મેઢ 9

માળિયાં કેટકેટલું પોતાની અંદર સંઘરીને બેઠા હોય છે? વસ્તુઓ, લાગણીઓ, વીતી ગયેલા સમયનાં અભાવો, આનંદો, વેદનાઓ, સિદ્ધિઓ, નિરાશાઓની કથાઓનાં સ્મરણો

woman covering her eyes

ભૂલ કબૂલીને પાછા વળવાનો સમય – અલકેશ પટેલ 1

તમારું ધ્યાન એવા ટ્વિટર ટ્રેન્ડ ઉપર ગયું છે કે નહીં જ્યાં પ્રખર રાષ્ટ્રવાદની વાત કરતા અથવા જેહાદી આતંક વિરુદ્ધ રિપોર્ટિંગ કરતા મીડિયાને જાહેરખબરો નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય જાહેરખબર એજન્સીઓને હાકલ થતી હોય!


એક હતી ‘અચરજ’ નામની ચકલી – રાજુલ ભાનુશાલી 27

હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો. મારે મારે નવી નવી ચકલીઓ શોધવી છે.


tealight candle on human palms

દિવાળીનો મૂડ નથી? – અમિતા દવે. 2

તહેવારો સજાવે છે સંબંધોને. મમ્મી-પપ્પા, દાદા-દાદી, મામા-મામી, ફોઈ-ફુઆ, બહેન-બનેવી, સાળા-સાળી, કોઈપણ સંબંધની પોતાની આગવી સુવાસ હોય છે, અનોખી મહેક હોય છે. દિવાળી સગાંવહાલાં, મિત્રોને મળવાની તક આપે છે.


વતનપ્રેમના સંસ્મરણો – મથુર વસાવા 3

સૌરાષ્ટ્રધરા પર જ જીવન જીવું છું તે છતાંય મારું વહાલું ગામડું હદયમાં ધબકે છે. જ્યારે જ્યારે રજાઓ ગાળીને ગામડેથી સોરઠ ભણી જાઉં છું ત્યારે ત્યારે ગામડું જાણે મને વાંંહેથી સાદ દેતું હોય તેમ ભાસે છે! મારા સઘળા સંસ્મરણો ગામડા સાથે જોડાયેલા છે. અતીતમાં મારું મનડું ફરી પાછું ચાલ્યું જાય ત્યારે મારા બધા જ સંસ્મરણો મારી નયન સામે તરવરે છે, સંસ્મરણો આંખો સામેથી ખસતાંં નથી.


રીલ vs રિઅલ – આરોહી શેઠ 25

જેટલાં લોકોને એમ છે કે સુશાંત સિંહ રાજપૂતે તેમનો સંપર્ક કર્યો હોત તો તેઓ તેને બચાવી શક્યાં હોત, તેવાં લોકો માટે એક શાનદાર બમ્પર ઓફર છે કે આવા કેટલાય હરતાં-ફરતાં સ્યુસાઇડ બોમ્બ તમારી આસપાસમાં જ ક્યાંક છે; તેને ડિફયુઝ કરવાની જવાબદારી લઇ શકો તો મહેરબાની કરીને લો.


તું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા 5

તું ક્યાં? શોધની ચરમસીમાએ ઊઠતો આ સવાલ કેટલો પીડાકારક હોય છે એ શી રીતે સમજાવું? ખાસ કરીને એવા સવાલો કે જેનો જવાબ આપણે જાણતાં જ હોઈએ ! ..તું ક્યાં ? હા, તારી શોધ.. તારી તલાશ. !


વેકેશન તો બાળકોનું પણ મરજી કોની? – ચેતન ઠાકર 2

વેકેશનના સમયમાં બાળકોને તેમની મરજી મુજબની પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ કે વાલીઓએ તેમના માટે અગાઉથી વિચારેલી પ્રવૃત્તિઓમાં તેમને જોતરવા જોઈએ? આ વર્ષોથી ચાલી આવતી બે પેઢીઓ વચ્ચેની કશમકશ છે અને વાલીઓ માટે મુંઝવણ એ છે કે કયો માર્ગ બાળકો માટે ઉત્તમ છે! ભારતમાં દરેક જગ્યાએ વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી ચર્ચાતો આ સૌથી હોટ ટોપિક છે. આ એવા વિષયની ચર્ચા છે કે જેનો અંત આવતો નથી. ચર્ચાને અંતે લોકો છુટ્ટા પડે ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શક્તા નથી. હંંમેશા આ ચર્ચા અપૂર્ણ જ રહે છે, વિષયની આસપાસ કાયમ ગોળગોળ ફર્યા કરે છે.


સમિધા (ઈ-પુસ્તક) – સુરેશ સોમપુરા 2

સમિધા.. એક જમાનામાં સમિધ જિજ્ઞાસાનું પ્રતીક હતું, આજે પણ છે. સમિધનો શબ્દાર્થ છે યજ્ઞમાં વપરાતું લાકડું. જિજ્ઞાસુ વિદ્યાર્થી ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતો ત્યારે જંગલમાંથી લાકડા કાપવા જવું પડતું, જ્ઞાનયજ્ઞ સતત ચાલુ રહેતો. ‘ફી’ રૂપે વિદ્યાર્થી પાસેથી સતત જિજ્ઞાસાની – જ્ઞાનપિપાસાનીજ અપેક્ષા રખાતી. અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ સોમપુરાનું સુંદર અને મનનીય પુસ્તક ‘સમિધા’ આજથી ઈ-પુસ્તક સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


ફાગણ ફોરમતો… – દિનેશ જગાણી 9

બે દિવસ પહેલાં હાથીદ્રા ગયેલા ત્યારે ગામના મંદિરની ટેકરી (નાના પર્વત) પરથી નીચે જોતાં દૂર દૂર સુધી ફેલાયેલા ઘઉંના ખેતરો જાણે સુતરફેણીના ચોસલાઓ ગોઠવ્યા હોય એવા લાગતા હતા. પીળા-લીલા રંગથી સભર ઘઉંના ખેતરો અમારા વિસ્તારનું નામ ‘ધાનધાર(દાર)’ એવું યાદ અપાવી રહ્યા હતાં. એમાંય વચ્ચે-વચ્ચે ઉગેલા ખજૂરીના વૃક્ષો, દૂર પર્વતોમાંથી આવતો સુકાઈ ગયેલી નદીનો પટ ખેતરો વચ્ચેથી ગામ તરફ જતો; આસપાસ ખજૂરીના વૃક્ષોથી શોભતો વહેળો-રસ્તો, ટેકરી નીચેનું મંદિર પરિસર અને આખા વિસ્તારને ત્રણ તરફથી ઘેરીને ઉભેલી અરવલ્લીની ગિરિમાળા. એવું થતું હતું કે અહિયાં રહેવા એક ઘર અને ગમતું કામ મળી જાય! મને હાથીદ્રા ગામના લોકોની સહેજ ઈર્ષા આવી! એમને આ વૈભવ સહજપ્રાપ્ય છે. હાથીદ્રાથી ગોઢ ગામ થઇ ધાણધા ગામ સુધીનો રસ્તો પણ સુંદર. ગોઢ ગામતો આખું પર્વતોમાં વસેલું છે.


શાનદાર ઘડપણ – અનુ. : નટુભાઈ મોઢા 10

આજે આપણે સદાય હોઈએ તેના કરતાં વધારે વૃદ્ધ છીએ, અને છતાંય આપણે ફરીથી સદાય યુવાન બની રહીએ એ માટે જીવનની દરેક ક્ષણને અપનાવો અને કંઈક અર્થપૂર્ણ કરો. તમે જે શીખ્યા છો તેને જતું ન કરો; અનુભવ માટે કારણ છે અને ભૂલો તેના ભાગ રૂપે છે. તમે જે ડહાપણ પ્રાપ્ત કર્યું છે તે તમારી જાતને યાદ અપાવો, ને વિશ્વાસપૂર્વક શાનદાર રીતે વૃદ્ધ બનો.
તમે પૂછ્યું એટલે કહું છું, હા, મને ઘરડા થવાનો આનંદ છે. હું સ્વતંત્ર છું અને રોજ સવારે અરીસામાં દેખાતી વ્યક્તિને હું ચાહું છું.

મને મારી જાતથી સંતોષ છે.


પત્ની ના પ્રેમમાં પડી શકાય ખરું? – દિનેશ પાંચાલ 9

આજે આટલાં વર્ષો બાદ સ્મરણ નથી કે અમારી મિત્રમંડળી ક્યાં ગઈ હતી પરંતુ પાછા વળતી વેળા બસ ચાલુ થઈ ગયેલી અને અરવિંદભાઈ દોડતા દોડતા બસમાં ચઢેલા. પત્ની માટે કશુંક ખરીદવામાં પડ્યા હતા. થોડા મિત્રોએ પૂછ્યુંય ખરું – ‘શું ખરીદી લાવ્યા ભાભી માટે…?’ અરવિંદભાઈનો વિશિષ્ટ પત્ની પ્રેમ અમારી મિત્ર મંડળીમાં હંમેશ હસીમજાકનો વિષય બનતો. તે દિવસે પણ મિત્રોએ હસાહસ ચલાવેલી.

અરવિંદભાઈની મજાક થતી તે ખાસ ગમતું નહીં. અમને પ્રશ્ન થતો શું પત્નીને પ્રેમ કરવો એ ગુનો છે?


નિરુત્તર આકાશ – ડૉ. રમેશ શાહ 4

થોડા વખત પહેલાં સોમાલિયાના કોઈ ગામનું બધું જ અન્ન ખલાસ થઈ ગયું. એક પિતા તેનાં આઠ બાળકોને લઈને શહેર તરફ ચાલવા માંડ્યો. ચાલીસ માઈલ ચાલ્યો. ચાલીસ માઈલ ચાલ્યો ત્યારે રાહત કેમ્પમાં પહોંચ્યો. તે પહેલાં એક પછી એક તેનાં સાત બાળકોએ ભૂખથી તરફડીને રસ્તામાં અંતિમ શ્વાસ લીધો. પિતાએ આઠમું બાળક ડૉક્ટરને સોંપ્યું ત્યારે નીચે પડી તેણે ભગવાનનો આભાર માન્યો…


ભગવત્તાની ક્ષણોમાં.. – દિનેશ જગાણી 8

આમ તો આ લેખની લંબાઈ ખૂબ ઓછી છે પણ પોતાના આ સર્જન વિશે દિનેશભાઈ કહે છે, ‘આ સાથે એક નાનકડુ ડાયરીના પાના જેટલું લખાણ મોકલી આપું છું. એ ક્ષણો ખુબ અલૌકિક હતી. લાંબુ લખવા બેઠો હતો પણ અકસ્માતે લખાણ અધૂરું છોડવું પડ્યું. ત્યાર બાદ ન સમય મળ્યો કે ન મનમાં એવો ભાવ આવ્યો એટલે એ જ સ્થિતિમાં લખાણ મોકલી આપું છું.’


સર્જનાત્મકતા આડેના અવરોધ પાર કરવાની રીત.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

આપણે સર્જનની સામેના અવરોધોથી કાયમ માટે છૂટકારો મેળવી શક્તા નથી – એ કળાસર્જન હોય, વ્યવસાય માટે હોય કે લેખન પ્રવૃત્તિ હોય. અવરોધ કાયમ ઉભો થવાનો જ છે, પણ તેને હરાવી એ અવરોધને પાર કરવાની રીત આપણે શીખવી જ રહી. શું તમે પણ આ અવરોધ અનુભવો છો? તમને પણ તમારી હાથ પરનું કામ મુલતવી રાખવાની ઈચ્છા સામે લડો છો? તમે પણ રોજ સર્જન કરવા માંગો છો પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મનને અન્યત્ર જતું રોકવામાં મુશ્કેલી પડે છે? તો સર્જનની આ આદતની આડે આવતા વિઘ્નોને પાર કરીને એ ધ્યાન ફરીથી કેન્દ્રિત કરી શકાય એ માટેની રીત વિશે વાત કરીએ…


તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ 3

આ વાત છે એક અજાણ્યા પણ જાણીતા લોકોની, નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા લેખકે પ્રયત્ન કર્યો છે. રાતના અંધારામાં સિફતથી પોતાનું કામ કરીને ઓગળી જતા લોકો વિશેની વાયકાઓ અને ૬૪ કળામાં એક કળા ગણાયેલ આ માનવસમાજ વિશેની વાત ધ્રુવભાઈ આ પુસ્તકમાં કરે છે.


મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

પોતાની નોકરી અને ઘરેડમાં બંધાયેલા જીવનથી ત્રસ્ત અને નિરાશ બ્રોની વેર એવું કાંઈક કરવા માંગતી હતી જે તેને કાંઈક ઉપયોગી કર્યાનો અહેસાસ અને આત્મસંતોષ આપી શકે. તેણે મૃત્યુશય્યા પર પોતાના આખરી દિવસો વીતાવી રહેલા લોકોને જ્યાં સારવાર મળી રહી હોય એવી એક હોસ્પિટલમાં તેમની કાળજી લેવાનું શરૂ કર્યું. અનેક દર્દીઓની અંગત કાળજી લેતાં તેણે એ દર્દીઓના જીવનને, તેમની આશાઓ અપેક્ષાઓ અને નિરાશાઓને, મૃત્યુ વખતના તેમના રંજ અને અફસોસને ખૂબ નજીકથી અવલોકવાની તક મળી. આાવા દર્દીઓની સાથે તેમના જીવનના છેલ્લા ત્રણથી બાર અઠવાડીયા વીતાવવાનો અવસર તેને મળ્યો, અને આ દરમ્યાનમાં તેણે જે નોંધ્યું એ હતું એ દર્દીઓને મૃત્યુશય્યા પર થયેલ જીવનમાં કાંઈક ન કર્યાનો અફસોસ કે રંજ…


સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ.. – નેહા પંચાલ 8

ઓપન બરોડા નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ નેહાબેન પંચાલનો આ નિબંધ ‘સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ..’ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવી છે. અક્ષરનાદ પર આ નેહાબેનની દ્વિતિય કૃતિ છે, એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


જીવનમાં વણી લેવા જેવા નીતિસૂત્રો (૫) – સુમિત્રાબેન નિરંકારી 2

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પાંચમો ભાગ.


એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ 11

તમને પણ મારી જેમ ક્યારેય એવો અસંતોષ થયો છે ખરો કે આજે કરવાના કામની યાદીમાંથી ઘણાંબધા કામ બાકી રહી ગયા હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે તમારા દિવસભરના સમયમાં અત્યંત વ્યસ્ત રહ્યા હોવ? આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા? આ કરવું હતું પણ રહી ગયું.. જો તમને એમ લાગતું હોય કે તમને તમારી રોજીંદી ક્રિયાઓ કરવા માટે, તમારી મનપસંદ પ્રવૃત્તિ માટે, પરિવારને સમય આપવા કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવા દિવસના ૨૪ કલાક ઓછા પડે છે તો આ વિચારમંથન એક વખત અવશ્ય વાંચશો અને પછી તમારા પ્રતિભાવ આપો.


શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા 4

ભરોસો, વિશ્વાસ વગેરે શબ્દો આપણે શ્રદ્ધા શબ્દની બદલીમાં વાપરીએ છીએ. વધારે બારીકીથી વિચારીએ તો આ શબ્દો એકબીજાથી થોડા અલગ અલગ છે. વિશ્વાસ અને ભરોસો એકબીજાની વધારે નજીક છે, પણ શ્રદ્ધા એ થોડો અલગ શબ્દ છે. શ્રદ્ધા શબ્દમાં જે ભાવ રહેલો છે, એ બીજા બન્ને શબ્દોમાં નથી. ભરોસો અને વિશ્વાસ થોડા અધૂરા છે, પણ શ્રદ્ધા સંપૂર્ણ છે. નાના બાળકને એની માતાની પ્રત્યેક વાતમાં શ્રદ્ધા હોય છે, એના પ્રત્યેક વર્તનમાં શ્રદ્ધા હોય છે.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૪) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 3

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો ચોથો ભાગ.


ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

સ્વભાવની કડવાશ નકારાત્મક લાગણીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને એ અંતે અધોગતિ તરફ દોરી જાય છે, કડવાશનો જવાબ કડવાશથી આપવો એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. આવી નકારાત્મક લાગણીને દૂર કરવાનો ઉપાય છે હકારાત્મક વિચારો, લોકો અને પરિસ્થિતિઓથી સતત ઘેરાયેલા રહેવું જેથી અન્યોનો મુકાબલો કરતા આપણે આપણો મૂળભૂત સ્વભાવ ગુમાવી કડવા ન બની બેસીએ. આશા છે આજનો આ લેખ હકારાત્મક બનવા વિશેના કેટલાક સચોટ અને પ્રાયોગિક સૂચનો આપી શક્શે. ઝેનહેબિટ્સ પરથી લેવાયેલ લીઓ બબૌતાના આ લેખ નો ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂએ કર્યો છે.


સ્કિલ ડેવલપમેન્ટ કે still… development? – કંદર્પ પટેલ 5

દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મૂક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો.


મારી કલ્પનાનું ગુજરાત.. – નેહા પંચાલ 24

“જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઈચ્છતા હોવ,
જો તમારું ધ્યેય વસુધૈવ કુટુમ્બકમ હોય, તો..
ગુજરાત તમારા માટે જ છે.”

ખરેખર, જેણે આ પંક્તિઓની રચના કરી છે, તે યથાર્થ છે. કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે? અને તે પણ મારી માતૃભૂમિ – મારી જનની ગુજરાતની કલ્પના! ગુજરાત રાજ્યને એક ઉજ્જવળ ભવિષ્ય છે, સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે. ગુજરાત ઉત્કૃષ્ટતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના શિખરો સર કરશે અને સામાન્ય માનવીનું જીવનધોરણ એ જ રીતે ઉંચુ આવશે.


ટર્નિંગ પોઈન્ટ, ટોકિંગ પોઈન્ટ – કંદર્પ પટેલ 12

જુન મહિનો. વેકેશન પુરા અને સ્કુલની શરૂઆત. દર વર્ષે આ મહિના દરમિયાન કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની ‘સ્ટુડન્ટ’ લાઈફને અલવિદા કહીને આગળ વધવા અસલી પરીક્ષાઓનો સામનો કરવા પોતાની ગાડીઓને ‘કિક’ લગાવતા હોય છે. આ સમયે કોલેજના કેટલાયે ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં પોતાની ‘હરાજી’ કરાવવા માટે લાઈનબદ્ધ ઉભા રહી જાય છે. ‘માર્કેટર્સ’ એકદમ શાકભાજીના ભાવે તેમની ખરીદી કરે છે અને તોયે ઢગલો ‘શિક્ષિત બેરોજગાર’ બનીને સડી જાય છે. આશાઓ- અપેક્ષાઓ- ઇચ્છાઓ- ભવિષ્યની સચ્ચાઈ… આ દરેક વાતો જાણે અંધકારમાં ડૂબેલી જણાય છે. સામાજિક, આર્થિક, વ્યવહારિક સંબંધોનું દબાણ એટલું હોય છે કે જાણે તેમને ‘પ્રેશર કૂકર’માં મુક્યા હોય અને ‘સીટી’ એ લોકો આમની હાલત પર મારતા હોય છે. નિરાશાના ગર્તમાં ડૂબીને નાસીપાસ થઈને બેસી જાય છે. મનને મારીને ગમે ત્યાં પોતાના ‘લેવલ’ કરતા નીચેના સ્તરની જોબ સ્વીકારે છે. શું કરવાના? આગળનો પ્લાન શું છે? જોબ મળી ગઈ? ‘પ્લેસમેન્ટ’ ના થયું? વિચાર્યું છે કંઈ? કોઈ જગ્યા એ ‘સેટિંગ’ પડ્યું? લોકોના શેતાની દિમાગની ઉપજ એવા આ દરેક પ્રશ્નો આખો દિવસ એક જુવાનિયાના મનને ભવિષ્યના ભયની પ્રતીતિ કરાવે છે, પણ કોઈને પ્રેરણાત્મક કે સૂચક વાતો કહેવી નથી.


ત્રણ દિવસ અંધાપો જતો રહે તો… – હેલન કેલર, અનુ : જયંત મેઘાણી 9

હેલન કેલર આ લેખ માટે કહે છે, ‘મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઇ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઇ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઇ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઇ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું! અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઇ લેવા ઝંખું?


સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ – કંદર્પ પટેલ 7

આજે તા. ૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આજનો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ છે, ૧૫૨ વર્ષ પહેલા આજના દિવસે જન્મેલા વિવેકાનંદજીના વિચારો અને માર્ગદર્શન, યુવાનોને તેમણે આપેલ આદર્શો અને ફિલસૂફી આજના સમયમાં પણ પ્રસ્તુત છે, ઉલટું તેની સર્વસ્વિકૃતિ અને પ્રસાર પ્રચાર વધ્યો છે. સ્વામી વિવેકાનંદને પ્રણામ સહ આજે કંદર્પ પટેલની કલમે પ્રસ્તુત છે તેમના વિશે આ સુંદર લેખ. અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બાબા, બાવા ને બાપુઓની માયાજાળ! – ડૉ. સંતોષ દેવકર 12

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ ઢોંગી બાબાઓ, બાવાઓ અને બાપુઓ વિશે ઘણી વાતો કહી જાય છે. આવા લોકો અને તેમને માનતા અંધશ્રદ્ધાળુ મૂર્ખો એ સમજતા નથી કે માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત વિચારશીલ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


black stackable stone decor at the body of water

૧૦૧ ઝેન વિચારમોતીઓ.. – ટ્વિટર પરથી સંકલિત.. 11

છેલ્લા થોડા વખતથી ટ્વિટર મારે માટે ઝેન વિચારો અને એ રીતે જીવનપદ્ધતિને જાણવા અને સમજવાનું ખૂબ હાથવગું માધ્યમ થઈ રહ્યું છે. ૧૪૦ શબ્દોની મર્યાદામાં અનેક ઝેન ગુરુઓ અને ઉપદેશઓ તરફથી પ્રસ્તુત કરાતી વિચારકણિકાઓ મનને વિચારનું ભાથું પૂરું પાડે છે. થિચ ન્હાટ હાન્હ અને ડી. ટી. સુઝુકીના પુસ્તકો સાથે શરૂ થયેલી આ ઝેનયાત્રા ટ્વિટરના માધ્યમે અનેક નવીન વિચારો અને સરળ પરંતુ અનહદ વાતો આપે છે. આજે એ પ્રયાસમાંથી ૧૦૧ વિચારકણિકાઓ પ્રસ્તુત કરી છે.