Daily Archives: February 14, 2019


વાત સાવજ પરિવારની : નર સલામત, નારી-બચ્ચા અસલામત.. – જિજ્ઞેશ ઠાકર 7

એશિયાટિક લાયનની એક માત્ર હાજરી ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, ત્યારે તેમના જતન અને પાલન-પોષણની જવાબદારી દરેક ગુજરાતીની છે. વનવિભાગની છેલ્લી ગણતરી અનુસાર રાજ્યમાં ૫૨૩ સાવજ ચોપડે નોંધાયેલા છે. પરંતુ ચોંકાવનારી વિગતો એ છે કે, છેલ્લા બે વર્ષમાં ૧૮૪ તો મોતને ભેટયા છે. બે વર્ષના સિંહોના મોતના આંકડાનો અભ્યાસ કરીએ તો તેમાં સિંહ કરતા સિંહણ અને સિંહબાળના મૃત્યુનો આંકડો ઘણો વધારે છે, જે ચિંતાજનક છે.