સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અન્ય સાહિત્ય


જહાં ચાર યાર મિલ જાય.. – કમલેશ જોષી 4

પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.

person driving a car

ચોરટી – નયના મહેતા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 1

આજની વાર્તા “ચોરટી” સ્વ. ભાવેશ ચૌહાણ સ્પર્ધા 2020માં તૃતીય ક્રમે વિજેતા બની હતી. ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા શરૂ થાય છે, “ચોરટી, ચોરટી” શબ્દથી અને વાચકને ઉત્સુક કરી દે છે. એક સ્ત્રી ઉપર બાળક ચોરવાનો આરોપ છે,


નીતિશતકના મૂલ્યો (૪) – ડૉ. રંજન જોશી 3

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૧૧ થી ૧૩ ના અર્થ સહ વિસ્તાર.


fashion people woman art

કોલકાતામાં માણેલા લગ્નો અને કોલકાતાની ચટાકેદાર વાનગીઓ! – હરસુખ રાયવડેરા 3

કોલકાતાની બીજી એક સારી વાત એ છે કે બધી વાનગીઓના ભાવ પણ અહીં વ્યાજબી છે. અહીં રહેતા મજૂરો ૩૦ રૂપિયામાં ભરપેટ દાળ, ભાત અને રોટલી ખાઈ શકે છે. અને એટલે જ ભારતના કોઈ પણ શહેર કરતાંં ગરીબ લોકોની વસ્તી અહી વધારે છે. અહી બસના ભાડા પણ ઘણાંં ઓછા છે.


સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૩) – અમી દલાલ દોશી

દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરિહંતનો હાથ જોરથી પકડ્યો હતો, આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી.

woman in multicolored floral coat while holding plant

Rangoli by Hardi Adhyaru

દીપોત્સવ : ખુશીનો ખજાનો – ગોપાલ ખેતાણી 6

તહેવાર – માનવ જીવનને તાજગી બક્ષતા દિવસો! આપ જ્યારે ભણતા હશો ત્યારે તહેવાર પર નિબંધ લખ્યો જ હશે. છતાં પણ તહેવાર, ઉત્સવની વાત આવે એટલે મન મંદ મંદ મુસ્કાન વિખેરવાં લાગે. આસપાસનું વાતાવરણ સકારાત્મક થતું જાય અને તેની અસર આપણા તન – મન પર થવા લાગે; તો કોઈક વાર ધન પર પણ, ખરું ને?


સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી 3

આપણે આ અગાઉ જોયું કે માણસના મગજના સાત અગત્યના ન્યુરોટ્રાન્સમીટર્સ / કેમિકલ્સ પૈકી ડોપામીન આપણા તન અને મનની તંદુરસ્તી પર કેવી રીતે અસર કરે છે. આજે આપણે બીજા એક અગત્યના ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઇન કેમિકલ સેરોટોનિન વિશે જાણીએ.

person holding string lights photo

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી 11

અકારણ ગુસ્સો, તણાવ, મૂડ સ્વિંગ કોઈ ચોક્કસ કારણ વગર શરીરમાં થતા દુખાવા એ બ્રેઇન કેમિકલ્સના ઇમ્બેલેન્સ નું કારણ હોઈ શકે છે.


કલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા 10

દરેક માણસનું જીવન એક નવલકથા સમાન હોય છે… અવનવા સારા નરસા અનુભવો, પ્રસંગો અને યાદગીરીથી ભરપૂર હોય છે. તમારુ જીવન પણ આવા અનેક પ્રસંગોથી ભરપૂર હશે જ. કલકત્તા શહેર મારા બાળપણ, મારી યુવાવસ્થા અને હાલ મારી વૃદ્ધાવસ્થામાં થયેલા પદાર્પણ સુધીનું સાક્ષી છે…


લોકડાઉન : અનલોક માઈન્ડ – ધ્રુવ ગોસાઈ 8

જાત સાથે પણ મનગમતા સ્મરણોની ને જીવનગીતોની એક અંતાક્ષરી અને તમારી જ તમને ગમતી ખૂબીઓ અને તમને ખબર છે એવી ખામીઓ વચ્ચે લૂડો રમી જુઓ, સ્મરણોને પણ કોઈક ફૉટો ચેલેન્જ આપી જુઓ, જીવનની ચોપડીના વણખુલ્યા પાનાં વાંચી જુઓ..


જાંબલી સક્કરખોરો – મયુરિકા લેઉવા બેંકર 21

ત્રણેક વર્ષ અગાઉ જાંબલી સક્કરખોરાને તન્મયતાથી સરગવાના ફૂલોમાંથી રસ પીતો જોયો અને આ મુદ્રામાં તેનો ફોટો ખેંચ્યો ત્યારથી એને નજીકથી જોવાનો, તેની જીવનચર્યા નિહાળવાનું કૂતુહલ ઉપડ્યું હતું. જ્યારે પણ આ પંખી નજરે પડે ત્યારે એનું નિરીક્ષણ કરવાની ખૂબ મજા પડતી.


માત્રાથી વધારે લેવાથી અમૃત પણ ઝેર બની જાય છે.. – ચેતન ઠાકર 9

મનની આ સ્થિતિ સર્જાવાનું નું કારણ શું? ખાસ કરીને આજથી એકવીસ દિવસ આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે. સતત પ્રવૃત્ત રહેતા માણસ માટે ઘરનો દરવાજો લક્ષ્મણરેખા બની જાય ત્યારે આટલો બધો સમય મજબૂરીમાં અંદર રહેવું જરૂરી હોવા છતાં એ માનસિક અસર છોડી જ જવાનો. તો આ નિરાશા અને કંટાળાની લાગણીને નકારાત્મક બનતા કેમ અટકાવવી?


ટામેટું રે ટામેટું.. – આરોહી શેઠ 8

ટામેટું રે ટામેટું,
ઘી ગોળ ખાતું’તું,
નદીએ ન્હાવા જાતું’તું…
યાદ આવી ગયું બાળપણ? પણ આ ટામેટું કેવી રીતે નદીએ ન્હાવા જશે? નદી તો સૂકાઈ ગઈ. જ્યાં પીવાના પાણીના સાંસા હોય ત્યાં નહાવાની તો વાત જ જવા દો.


કાળો કોશી : એટલે બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો – મયુરિકા લેઉવા બેંકર 38

કોઈ તમને પૂછે કે નખથી લઈને માથા સુધી કાળું હોય એવું પંખી કયું? તો તમે તરત જવાબ આપશોઃ કાગડો. પણ મિત્રો, સંપૂર્ણપણે કાળું હોય એવું પંખી માત્ર કાગડો નથી. એવું એક બીજું વ્યાપક પંખી પણ છે. જેનું નામ છે કાળો કોશી. કાળો કોશીને કાળિયોકોશી પણ કહે છે. અંગ્રેજીમાં તેને Black Drongo કહે છે. તો આ Black Drongo મારું અતિપ્રિય પક્ષી છે.


ટ્રાફિકના નવા નિયમો, વિવાદો અને તેના ઉકેલ 11

આ ગરમાગરમ મુદ્દાને પણ પળવારમાં ભુલાવી દેતો સુપર હોટ મુદ્દો લોકજીભે ન કેવળ ચર્ચાય છે પરંતુ તેનો ઉગ્ર વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જો કોઈ આ મુદ્દે સરકાર તરફની જરા પણ વાત કરે તો તેની સામે અન્ય લોકોનો પુણ્યપ્રકોપ ફાટી નીકળે છે. આ મુદ્દો એટલે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને થનારા દંડની જોગવાઈમાં કરેલો અનેકગણો વધારો છે.


જેટલીજી, સુષ્માજીની વિદાય : કામ છોડી દેવું ખતરનાક હોય છે? – જિજ્ઞેશ ઠાકર 7

આમ તો મૃત્યુ એ તદ્દન કુદરતી વાત છે. તેમાં કોઈ વ્યક્તિનું કશું પણ ચાલે નહીં. કોઈ મૃત્યુને એક દોરાવાર પણ આઘુંપાછું કરી શકે નહીં. પરંતુ પ્રવૃત્તિને કારણે મન મજબૂત રહે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ માંદા પડ્યા ત્યારે એવું કહેવાતું હતું કે જો તેઓ ફરી વડાપ્રધાન બન્યા હોત તો કદાચ બચી ગયા હોત. એવું જ અત્યારે કહેવું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં પણ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ફરી મંત્રી બન્યા હોત તો મૃત્યુ એટલુ નજીક ન હોત.


માઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર

એવું કહેવાય છે કે માઉન્ટેઈનર્સ આર ઓલવેઝ રફ એન્ડ ટફ, ફિટ એન્ડ ફાઇન.. પર્વતારોહકોનું જીવન કેવું હોય છે, તે કયા પ્રકારના સાધનો પોતાના ખભે ઊંચકીને ઉત્તુંગ શિખરો ચડતા હોય છે, વિશ્વના – એશિયાના – ભારતના ઊંચા શિખર ક્યા? વગેરે પ્રશ્નોના નિરાકરણ લાવતું મ્યૂઝિયમ માઉન્ટ આબુ ખાતે આવેલું છે. જેમાં હિમાલય પર્વતમાળાનાં મોડેલ સાથે પર્વતારોહણની નાવિન્યસભર સમજૂતી રજૂ થયેલી છે, પહાડોની ગોદમાં વસતા આ હિલ સ્ટેશન ઉપર ગુજરાત રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યાં છેલ્લા ૫૦ વર્ષથી રોક ક્લાઈમ્બીંગના બેઝિક, એડવાન્સ જેવા કોચીંગ કોર્સ દ્વારા પર્વતારોહકોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.


ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય 11

ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય તો ખરું જ, પરંતુ જેમને મારી જેમ વાંચન નામનો હરિરસ પીવાની આદત પડી ગઈ છે તેમના માટે તો ગ્રંથાલય કેવળ વિશ્વવિદ્યાલય નહીં, વૃંદાવન પણ છે એટલે જ હિન્દુ શાસ્ત્રોના આચાર્યોએ દેવો જ્યાં વાસ કરે છે તેને દેવાલય કહ્યા અને પુસ્તકો જ્યાં હોય તેને પુસ્તકાલય, ગ્રંથોના નિવાસની જગ્યાને ગ્રંથાલય નામ આપીને તેને મંદિર જેવો ઊંચો અને પવિત્ર દરજ્જો આપ્યો છે. જે રીતે એક ભક્ત દેવાલયમાં પ્રવેશ કરતા જ તેના તન, મનમાં એક શાંતિ અને સુખનો અનુભવ કરે છે તેવી અનુભૂતિ એક સાચો વાચક જ્યારે પુસ્તકાલય / ગ્રંથાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મન-મસ્તિષ્કમાં થાય છે. ત્યાં હાજર તેના જેવા અન્ય વાચકોની હાજરીથી સમગ્ર ગ્રંથાલયનુંં વાતાવરણ અલૌકિક બની જાય છે, વાંચકને વાંચવા માટે આમંત્રણ આપતા વિવિધ વિષયના અસંખ્ય પુસ્તકોની હારમાળા વાચકના તન અને મનને એક અલગ પ્રકારની શાતા / ઠંડક આપી જાય.


વાત સાવજ પરિવારની : નર સલામત, નારી-બચ્ચા અસલામત.. – જિજ્ઞેશ ઠાકર 7

એશિયાટિક લાયનની એક માત્ર હાજરી ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, ત્યારે તેમના જતન અને પાલન-પોષણની જવાબદારી દરેક ગુજરાતીની છે. વનવિભાગની છેલ્લી ગણતરી અનુસાર રાજ્યમાં ૫૨૩ સાવજ ચોપડે નોંધાયેલા છે. પરંતુ ચોંકાવનારી વિગતો એ છે કે, છેલ્લા બે વર્ષમાં ૧૮૪ તો મોતને ભેટયા છે. બે વર્ષના સિંહોના મોતના આંકડાનો અભ્યાસ કરીએ તો તેમાં સિંહ કરતા સિંહણ અને સિંહબાળના મૃત્યુનો આંકડો ઘણો વધારે છે, જે ચિંતાજનક છે.


સૌરાષ્ટ્રનાં મહિલા ધારાસભ્યો : છેલ્લા બે દાયકાનો ઇતિહાસ.. – જિજ્ઞેશ ઠાકર

સૌરાષ્ટ્રની આ વખતની વિધાનસભા બેઠકો ઉપર દ્રષ્ટિ કરતાં ખ્યાલ આવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામોની સરખામણીએ સૌથી ઓછાં મહિલા ધારાસભ્યો બન્યાં છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતા’ની વાત અહીં લાગુ પડતી નથી. સમગ્ર સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લાઓમાંથી માત્ર બે મહિલા ધારાસભ્યો વિભાવરીબેન દવે અને ગીતાબા જાડેજા પ્રતિનિધિત્વ પામ્યાં છે.


યુથોપનિષદ (પ્રકરણ ૧) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 5

શહેરના સૌથી મોટા બ્રાન્ડેડ શૉરૂમમાં આવેલા વેદાસ સ્પેશિયલ કલેક્શનમાં એને એક ટી-શર્ટ ખુબ પસંંદ આવી. સંસ્કૃત ભાષાને તોડી મરોડીને બનાવાયેલ ફોન્ટસથી એની ઉપર લખ્યું હતું. “અથતો બ્રહ્મ જિજ્ઞાસા” એનો મતલબ શું થાય એ તો રામ જાણે, પણ ટીશર્ટ ધાંસુ લાગ્યુ એટલે એને ખરીદીને બહાર નીકળ્યો અને ત્યાંજ તેના ફોનની સ્ક્રીન પર એક નામ ઝબક્યું… “ડેડ” ફોન ઉપાડીને એણે કશું જ સાંભળ્યાં વગર જ બોલવાનું શરૂ કર્યું, “બહાર છું.. અડધો કલાક થશે.. હમણાં પહોંચું છું.” ફોન કટ કર્યો અને ફોનની સામે જોઇ મનમાં અકળાયો; કે મને વિઝા કયારે મળશે? હદ છે યાર..


જાણીજોઈને કરાયેલી ભૂલોની માફી – લીના જોશી ચનિયારા 3

આજે ઘણા દિવસે પ્રાંજલ મને બજાર માં મળી. વાતોવાતોમાં સમય ક્યાં પસાર થઇ ગયો એ ખ્યાલ જ ન આવ્યો. આ બાજુ મારા પતિનો ઓફીસથી આવવાનો સમય થઈ ગયો હતો અને પ્રાંજલ સાથે મારી વાતો ખૂટતી જ ન હતી. એટલે મેં પ્રાંજલને રવિવારે મારા ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું. આ રવિવારે અમારા બંન્નેના પતિને બહાર જવાનું હોવાથી અમારી પાસે નિરાંતનો સમય હતો.


ઈશાની (લઘુનવલ) – દિપિકા પરમાર 13

પોતાના આલિશાન ચાર માળના રજવાડી ઘર કમ મહેલના વૈભવશાળી બેડરૂમના દસ બાય દસના બેડ પર આડી પડેલી ઈશાની છેલ્લા એક અઠવાડિયામાં પોતાના જીવનમાં આવેલા વળાંકોથી હતપ્રભ થઈને વિચારતંદ્રામાં સરી ગઈ હતી. પોતે શું હતી ને ક્યાં હતી? ઘણીવાર તમે પોતાના જીવનનો આખો માસ્ટરપ્લાન બનાવી નાખતાં હોવ છો ને પછી જિંદગી અચાનક એવો વળાંક લે છે કે બધાં પ્લાન, પ્લેઇન થઈ જાય છે. આવું જ બન્યું ઈશાની સાથે. ઈશાનીને એક મહિના પહેલા પોતાની લંડનની સવાર યાદ આવી ગઈ. પોતાના જ આદર્શો ને નિયમો સાથે જીવનારી ઈશાનીના લંડનજીવનની એ સવાર.


Reality Distortion Field (RDF) – હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ – પી. કે. દાવડા 5

Reality Distortion Field નો સાદો અર્થ છે કે માણસની એવી શક્તિ, જે બીજા લોકોને પ્રથમ દૃષ્ટીએ અશક્ય લાગતા કામને એ શક્ય છે અને સહેલું છે એ સમજાવી શકે, અને એમની પાસેથી સફળતાપૂર્વક એ કામ કરાવી શકે. આના માટે હકીકતોને વળાંક આપી એની અણદેખી કરવી પડે તોય વાંધો નહીં.


વેદકાળની રાષ્ટ્રીય ભાવના – હિમા યાજ્ઞિક 2

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसि|

જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એ ભાવના સૌ કોઈએ રાખવી જોઈએ અને રાખે છે. કારણ એની તોલે કોઈ ભાવના આવી શકે નહીં.

જે માતૃભૂમિ થકી આપણું પાલન પોષણ થયું. બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ પામ્યા, જે માતૃભૂમિએ આપણને સુરક્ષિત રાખ્યા તેનું ઋણ ચૂકવવાનો એક જ માર્ગ છે અને તે છે માતૃભૂમિની વંદના.

આર્ય લોકો ભારતમાં ભલે ગમે ત્યારે આવ્યા હોય, પરંતુ તેઓ આ ભૂમિ પર આવ્યા કે તરત જ ભારતભૂમિને પોતાની પવિત્ર ભૂમિ સમજવી શરૂ કરી છે. આર્યોએ ક્યારેય ભારતભૂમિને અલગ ગણી નથી. તેઓએ આ ભૂમિ સાથે એટલું બધું તાદાત્મ્ય સાધ્યું છે કે વેદમાં એક આખું ‘પૃથ્વીસુક્ત’ રચ્યું છે. જેમાં માતૃભૂમ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. આ દેશની નદી, પર્વત, જળ, સ્થળ બધું જ પોતીકું લાગે છે.


શ્રી મહેન્દ્ર મહેતાને સ્મરણાંજલી – પી. કે. દાવડા 4

મીરાંબહેનની વિદાયના થોડા સમયબાદ મહેન્દ્રભાઈ કેન્સરગ્રસ્ત થયા. જે દિવસે એમનું નિદાન થયું ત્યારથી જ એમણે નિર્ણય કરી લીધો કે જે સમય બચ્યો છે એ સમયમાં સમાજને વધારેમાં વધારે આપી જવું. એમના ઘરના પ્રવેશદ્વારની બહાર એક ટેબલ ઉપર અનેક મોંધા મોંઘા પુસ્તકો મૂકી રાખતા. એમને મળવા આવનાર એમાંથી જે ગમે તે પુસ્તક ભેટ તરીકે લઈ જઈ શકે. છેલ્લા છ મહિના જ્યારે એ પથારીવશ હતા, ત્યારે ચેકબુક અને પેન તકીયા પાસે રાખતા. મન ભરીને યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને નાણાકીય મદદ આપતા ગયા. એમને મળવા આવનાર વ્યક્તિઓમાંથી એક્પણ વ્યક્તિ એવી ન હતી, જેમણે મહેન્દ્રભાઈની આ બિમાર હાલત ઉપર આંસુ ન સાર્યા હોય.

૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સૌને આપનાર આ માણસ, સાહિત્યપ્રેમીઓ અને સર્જકોના ભરપૂર પ્રેમ અને માન સાથે, એમના માનસમાં અમીટ છાપ છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયા.


આપણું પર્યાવરણ – વિમલા હીરપરા 3

પર્યાવરણ કે વાતાવરણ જે એક કામળો – આવરણ છે એ સમુદ્રની સપાટીથી લગભગ બસો માઇલ ઉપર સુધી વાયુના રુપમાં પૃથ્વીને વિંટળાયેલું છે; એ સૂર્યના પ્રખર કિરણો સામે આપણું રક્ષણ કરે છે. એ ઓઝોન, ઓક્સિજન (પ્રાણવાયુ જે આપણે શ્વાસમાં લઇએ છીએ), કાર્બન ડાયોકસાઇડ કે અંગાર વાયુ, હિલિયમ જેવા વિવિધ વાયુઓનું બનેલુ છે, એને લીધે પૃથ્વી પર માનવજીવન શક્ય બન્યું છે.


હૉલકાસ્ટ : કત્લેઆમની લોહીયાળ તવારીખ – વિમળા હીરપરા 6

પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ અને ખાસ તો જર્મની બેહાલ થઇ ગયુ ને એમાં આખી દુનિયા મંદીમાં સપડાઇ ગઇ. લોકો બેકાર થઇ ગયા. ભૂખમરો ને રોગચાળો ફાટી નીકળ્યો. એ સમયે જુઇસ લોકો યુરોપમાં જામી ગયા હતા. મૂળ તો વેપારી ને બુદ્ધિશાળી એટલે પૈસાપાત્ર હતાં. યુદ્ધના સમયમાં ને પછી ઉભી થયેલી હાલાકીમા મદદરુપ થવાને બદલે લોકોને શરાફી વ્યાજથી એક રીતે લૂંટવાનું શરુ કર્યુ. આવા કટોકટીના સમયે સમાજમાં પાસેથી મળેલુ પાછુ વાળવું જોઇએ એ વિવેક ચૂકાઇ ગયો. પછી તો નાઝી પાર્ટીની સ્થાપના થઇ. જુઇસ લોકો આવી રીતે અળખામણા થઇ ગયા. એમાં પણ એનો નેતા હિટલર પોતાને શુદ્ધ આર્યન માનતો ને ફરીથી એવી શુદ્ધ જાતિ પેદા કરવા જર્મન સિવાય બાકીની જાતિઓનું નિકંદન કાઢી નાખ્યું.


મહારાજ લાયબલ કેસ – મથુરદાસ લવજીની સાહેદી 2

હું ભાટીઓ વેપારી, વલ્લભાચાર્ય પંથનો છું, ગુજરાતી, મરાઠી અને વ્રજ ભાષા જાણું છું. મેં મારા પંથના કેટલાએક પુસ્તકો વાંચ્યા છે તે પુસ્તકોના નામ – ‘ગુરૂ સેવા’, ‘પુષ્ટિપ્રવાહ મર્યાદા ટીકા’, ‘સીદ્ધાંત રહસ્ય’, ‘વચનામૃત’, ‘રસભાવના’, ‘ચતુરશ્લોકી’, ‘ચોરાસી વૈષ્ણવની વાર્તા’, ‘બસો બાવનની વાર્તા’ ઇત્યાદી. એ પુસ્તક મધ્યેના કેટલાએક પુસ્તક મેં કરસનદાસને કોર્ટ મધ્યે રજુ કરવાને આપેલા છે. હું મારા પંથના મતથી તથા અસલ હીંદુ ધર્મથી ઘણો ખરો વાકેફ છું. ભાગવત અને બીજા શાસ્ત્ર સાંભળી હું અસલ હીંદુ ધર્મથી વાકેફ થયો છું. હમારો પંથ અસલ હીંદુ ધર્મથી જુદો છે. હમારા પંથમાં મુર્તી પુજવાની જે રીત છે તે વેદશાસ્ત્ર પ્રમાણે નથી પણ વલ્લભાચાર્યે કરી દેખાડી છે તે પ્રમાણે છે. બાલબોધ નામના હમારા પંથના પુસ્તકમાં છે કે કલીયુગમાં (એટલે કે હાલના વખતમાં) કોઈ વેદ શક્શે નહીં. અને વેદમાં કહેલાં કર્મો કીધાથી મુક્તી થતી નથી ભાઈ ફક્ત સ્વર્ગ મળે છે.


હાથ, હથિયાર, હાદસા.. – જાવેદ ખત્રી 4

ભારત દેશ ‘મિનિ-પાકીસ્તાનો’થી ઉભરાઈ રહ્યો છે, કદાચ પાકિસ્તાનમાં પણ ‘મિનિ-હિન્દુસ્તાનો’એ અસ્તિત્વ જમાવી દીધું હશે. હિંદુ અને મુસ્લિમ વિસ્તારોને જુદી કરતી વાડ કે દીવાલ હવે ‘બોર્ડર’ના નામે ઓળખાય છે, દુઃખ એટલું જ છે કે બોર્ડરની બંને તરફ એક જ દેશના, એક જ રાજ્યના અને એક જ ભાષા બોલતા લોકો વસે છે.

ગુજરાતીમાં કહેવાય છે, “હાથે ચઢ્યું તે હથિયાર”, હવે કહેવું પડશે, ‘જીભે જડ્યું તે હથિયાર’, કારણ કે હાથ પર ચઢેલા હથિયાર કરતા ભાષાના માધ્યમથી જીભ પર રહેતા હથિયારો માણસના વર્ગીકરણમાં વધારે મહત્વનો ભાગ ભજવે છે. મિનિ-પાકિસ્તાન કે બ્રીક મેન્શન એ ફક્ત નામ નહીં પણ એક વર્ગ ઉભો કરે છે, અને એ વર્ગના અસ્તિત્વના મૂળમાં છે દ્વેષ.