Monthly Archives: May 2019


વેકેશન તો બાળકોનું પણ મરજી કોની? – ચેતન ઠાકર 2

વેકેશનના સમયમાં બાળકોને તેમની મરજી મુજબની પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ કે વાલીઓએ તેમના માટે અગાઉથી વિચારેલી પ્રવૃત્તિઓમાં તેમને જોતરવા જોઈએ? આ વર્ષોથી ચાલી આવતી બે પેઢીઓ વચ્ચેની કશમકશ છે અને વાલીઓ માટે મુંઝવણ એ છે કે કયો માર્ગ બાળકો માટે ઉત્તમ છે! ભારતમાં દરેક જગ્યાએ વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી ચર્ચાતો આ સૌથી હોટ ટોપિક છે. આ એવા વિષયની ચર્ચા છે કે જેનો અંત આવતો નથી. ચર્ચાને અંતે લોકો છુટ્ટા પડે ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શક્તા નથી. હંંમેશા આ ચર્ચા અપૂર્ણ જ રહે છે, વિષયની આસપાસ કાયમ ગોળગોળ ફર્યા કરે છે.


અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14

૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી.


‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી 2

વરસાદની ૧૭૧ કવિતાનો સંગ્રહ દિનેશભાઈ કાનાણીએ ભેટ આપ્યો ત્યાર પહેલા જ એ વિશે ઘણી પ્રસંશા સાંભળી ચૂક્યો હતો, પણ એમાંથી પસાર થયો ત્યારે ખરેખર અનરાધાર ભીંજાવાની ખૂબ મજા આવી. આ પ્રકારનો મેઘધનુષી સંગ્રહ અદ્વિતિય સર્જન છે. વરસાદના વિવિધ ભાવ, અનેકવિધ લાગણીઓને રજૂ કરતા આ સંવેદનાસભર સંગ્રહમાંથી સપ્તરંગી મેઘધનુષરૂપી સાત કવિતા આજે અક્ષરનાદના વાચકો માટે પ્રસ્તુત કરી છે. દિનેશભાઈને આ સંગ્રહની બીજી આવૃત્તિ થવા બદલ અનેક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ પોસ્ટને અંતે આપી છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)

વૈશાલીના નગરજનો પાસે વાતનો બીજો વિષય આવ્યો વર્ષકારનો! જાણકાર હોવાના વહેમમાં ઘણા લોકો કહેવા લાગ્યા કે ‘દુનિયામાં દરેકનું મન કળી શકાય પણ અપમાનિત થયેલા બ્રાહ્મણનું મન વાંચી ન શકાય કેમકે તે ઝેરી નાગ કરતાંય ખતરનાક હોય છે. મગધને કેવી પીછેહઠ કરવી પડી! ઈતિહાસ ચાણક્યને જાણે જ છે. ધનનંદનું નિકંદન કાઢ્યા પછી જ તેને શિખા બાંધી હતી!


પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4

સતત પાંચમા વર્ષે પ્રસ્તુત છે અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય માઇક્રોફિક્શન સ્પર્ધા. ૨૦૧૫થી શરૂ થયેલી આ સ્પર્ધાને સતત બહોળો પ્રતિસાદ મળતો રહ્યો છે, અનેક નવોદિત સર્જકોને અહીં મંચ અને પુરસ્કાર મળ્યા છે, તેમની કલમને એક આગવો અવસર આ સ્પર્ધા દ્વારા મળી રહ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં ઓછામા ઓછી ત્રણ માઇક્રોફિક્શનને બદલે ફક્ત એક માઇક્રોફિક્શનનો નિયમ કર્યો છે.