Daily Archives: March 4, 2019


શિવત્વ – ચિરાગ ડાભી 3

શિવ સમાન કોઈ સાંસારિક નથી અને શિવ સમાન કોઈ વૈરાગી પણ નથી. આ બંને વચ્ચેનો ભેદ પાડી, તેવું આચરણ તો આ શિવ જ કરી શકે. તેઓ મોટાભાગનો સમય તો તપ અને સાધનામાં જ વિતાવે છે, પરંતુ સાથેસાથે પોતાના કુટુંબનું પાલન-પોષણ તેમજ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન પણ કરે છે. પણ આ શિવ કોનું તપ કરે છે? કોનું ધ્યાન ધરે છે? તેઓ કહે છે, ‘આ હરિ મારો ઈશ્વર અને હું તેમનો દાસ.’ જ્યારે હરિ કહે છે, ’હું હરનો દાસ અને હર મારા ઈશ્વર.’ આમ જ આ હરિહર, આ બ્રહ્માંડના પાલનકર્તાઓ દાસત્વની ભાવનામાં પોતાનું ‘હું’ પણું ઓગાળી દે છે. એટલે જ તો તેઓ અહંકાર વિના આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે.