Monthly Archives: September 2016


ભ્રમ! – કનુ ભગદેવ 4

શિખા ખૂબ જ ઉદાસ અને પરેશાન હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ જે ભ્રમમાં રાચતી હતી તે અચાનક જ તૂટી ગયો હતો. આજકાલ કરતાં ઘણા દિવસથી તે માનસિક પરિતાપ ભોગવતી હતી. એ મનોમન પોતાનાં બોસ અમરને ચાહતી હતી. ઘણી વખત અમરે ખૂબ જ નિખાલસતાથી એની સાથે વાતો કરી હતી, ફિલ્મો જોઈ હતી અને સાથે ફરવા માટે પણ ગયા હતાં. આથી તે મનોમન એમ માની બેઠી હતી કે પોતાની જેમ અમર પણ પોતાને ચાહે છે. જયારે અમરના હ્યદયમાં શિખા પ્રત્યે આવો કોઈ ભાવ નહોતો. તે એને પોતાની પર્સનલ સેક્રેટરી અને સાથે જ પોતાની મિત્ર માનતો હતો. એથી વિશેષ કઈ જ નહી. એ તો શિખાની સાથે જ રહેતી તેની બહેનપણી આરતીને ચાહતો હતો.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..


ચહેરો – ઈલા આરબ મહેતા 6

સ્વ. ગુણવંતરાય આચાર્યની દીકરી ઈલા આરબ મહેતાએ પિતાજીનો સાહિત્યનો વારસો જાળવી રાખ્યો, બલકે વધાર્યો. ખાસ કરીને નવલકથા અને વાર્તાસાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે. વ્યવસાયે અધ્યાપિકા હતાં એટલે એમની અભ્યાસવૃત્તિનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. તેમની અમુક જ વાર્તાઓ સંપાદન-સંગ્રહોમાં જોવા મળે છે. એ સિવાય પણ તેમની ઘણી વાર્તાઓ સુંદર કલાના નમૂના જેવી છે. તેમની ‘ચહેરો’ વાર્તા આપણા સાહિત્યની એક સદાબહાર, તરોતાઝા વાર્તા છે. ‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લીધી છે. ડૉ. અસ્મા માંકડ દ્વારા સંપાદિત આ સંગ્રહમાં ૪૩ આવી જ સુંદર સદાબહાર વાર્તાઓ છે.


‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7

વર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.


(માય નેમ ઈઝ બોન્ડ).. જેમ્સ બોન્ડ – લલિત ખંભાયતા 3

‘ડબલ ઓ સેવન, દક્ષિણી ચીની સમુદ્રમેં હમારા જહાજ ગુમ હો ગયા હૈ..’

બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ ના વડા’એમ’ બોન્ડને બોલાવીને હુકમ આપે એટલે પછીના દ્રશ્યમાં બોન્ડ સીધો જ ધરતીના કોઈ બીજા ખૂણે હોય. દરેક ફિલ્મમાં ખૂફિયા મિશન પર નીકળેલો બોન્ડ અંતે દુશ્મનોનો ખાત્મો બોલાવી ખાધું પીધું ને રાજ કર્યું પ્રકારના કારનામા જ કરે છે. જેમ્સ પોતે કઈ રીતે કારનામાઓ કરશે એ જોવાના જ પૈસા છે. એટલે જ તો બોન્ડ સીરીઝ અડધા દાયકાથી અણનમ છે અને હજુ કેટલાય વર્ષ ચાલ્યા કરશે.. લલિતભાઈ ખંભાયતાનું પુસ્તક ‘૦૦૭ જેમ્સ બોન્ડ – સુપર સ્પાય’ ગુજરાતીમાં પ્રથમ વખત જેમ્સ બોન્ડના પાત્ર અને ફિલ્મોની વિગતે વાત લઈને આવે છે. આજે એમાંથી બોન્ડ અભિનેતાઓ વિશે જાણીએ..


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૯) – નીલમ દોશી

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૮) – નીલમ દોશી 6

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – નીલમ દોશી 6

અમારા આ ‘સર્જન’ દ્વારા પણ આવી કોઇ સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે એમાં કોઇ બે મત નથી જ. અમારા નવોદિત લેખકો અઘરી થીમ કે અઘરા પ્રોમ્પ્ટ પરથી પણ જે રીતે અવનવી વાર્તાઓનું સર્જન કરી રહ્યાં છે એ કાબિલેદાદ છે. એ સર્વે સર્જકોને દિલથી સલામ. અમારા સર્જન પરિવારનું અમને દરેકને ગૌરવ છે.

સર્જનનો બીજો અંક આપની સમક્ષ આવી રહ્યો છે ત્યારે પહેલા અંકની સફળતાનો આનંદ અને સંતોષ હજુ ભીતર અકબંધ છે. આ આનંદ અમારો સહિયારો છે.


આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા 5

૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.

હિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા (Paramountcy) સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા.
અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.


યંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ” 7

સને ૧૯૪૮, ૬ નવેમ્બરના રોજ ભાવનગરની એ.વી. સ્કુલના મધ્યસ્ત ખંડના મંચ ઉપર આ નાટક યંગક્લબની ટીમે પહેલી વખત ભજવ્યું, પ્રેક્ષકોને ઘણું ગમ્યું, પછી તો “વિવેચક અથવા મુનળ” ઘણી વખત ભજવાયું, ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિકોત્સવમાં પણ મંચસ્થ થયું.

નાટકમાં વાત ગઈ પેઢીના અગ્રતમ ગુજરાતી સાહિત્યકારો અને તેમને રચેલાં અમર પાત્રો વચ્ચેના વિવાદની છે. પાત્રો છે : મુનિકુમાર, ઋષી, કાક, નાયક, બાદશાહ, બીરબલ, દેવદાસ, મુનળ , ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, ધૂમકેતુ વગેરે..
નાટકનું સ્થળ છે મુનિકુમારનું ઘર, તેઓ ગુજરાતી સાહિત્યના વિવેચક છે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૭) – નીલમ દોશી 1

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૯ (૪૭ વાર્તાઓ) – સંકલિત 6

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૬ – ૭ ઑગસ્ટ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. ફક્ત વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ…

આ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..


અંગ્રેજી સાહિત્યનું આચમન – ડૉ. મધુસુદન પારેખ

મેરેડિયે એનાં કાવ્યોમાં શૈલીનું વૈવિધ્ય દાખવીને અભિવ્યક્તિની બાબતમાં એક આગવો અવાજ પ્રગટ કર્યો છે. તેનો કાવ્ય સંગ્રહ ‘પોએમ્સ ઍન્ડ લિરિક્સ ઑવ ધ જૉય ઑવ અર્થ (Poems and Lyrics of the joy of earth 1883) માં પ્રકૃતિના રહસ્ય, એની ગતિ વગેરેનો પોતાની વિશિષ્ટ બૌદ્ધિક શક્તિથી, કલ્પના બળે ડાર્વિન (Darvin) ની ઉત્ક્રાન્તિવાદ (Evolution) ની થીઅરી અધ્યાત્મ (spiritualism) ને તાકે છે. એ ભૌતિક વાસ્તવિકતાનો આધાર લઈને તેમ જ અનુભવપૂત હકીકતોની માંડણી કરીને નવા આશાવાદનો સંચાર કરે છે. ઉત્ક્રાન્તિ (Evolution) એ વૈશ્વિક નિયમ છે, અરે સિદ્ધાંત જ છે. આત્મધર્મનો એમાં નકાર નથી. સૃષ્ટિના ઊંડાણમાં, એની અંતર્ગત દિવ્યતા રહેલી છે. અને ધરતી, મનુષ્યની માતા, નવરાપણાનો અને પ્રગ્યાનો ઝરો છે. તેમાં વારંવાર ડૂબકી મારીને મનુષ્યે તાજગી મેળવવાની છે. કલ્પનાદ્રષ્ટિ હોય તો પ્રકૃતિ માણસને વ્યવસ્થા શીખવે છે. સૌંદર્યબોધ કરે છે અને સદગુણ ખીલવે છે તથા અધીન રહેવામાં મનુષ્ય આનંદનો અનૂભવ કરે છે.


સુખદ મૃત્યુની ઈચ્છાની અભિવ્યક્તિ (દેવેન્દ્ર દવે) કાવ્યાસ્વાદ – હેમન્ત દેસાઈ

કોઈનેય મરવું ગમતું નથી, પણ મૃત્યુ અનિવાર્ય છે. અને એથી જ માણસને સૌથી મોટો ભય હોય છે મૃત્યુનો. મૃત્યુને સહજભાવે સ્વીકારવા -આવકારવાની ઇચ્છા વિરલ ગણાય તેમ છતાં એ’વી વિભૂતિઓ જોવા મળી છે કે જેમણે સ્વેચ્છાએ મૃત્યુને ભેટવાનું પસન્દ કર્યું હોય.માણસ ઇચ્છે અને એ’ને મૃત્યુ મળે એ ઘટનાને ઇચ્છામૃત્યુ કહે છે. અલબત્ત, ઇચ્છામૃત્યુ આત્મહત્યા નથી. વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી નાંખે તે આત્મહત્યા. એથી ભિન્ન; વ્યક્તિ પૂરી સ્વસ્થતાથી જીવનને સમાપ્ત કરવા ઇચ્છે, સામેથી મૃત્યુને નિમંત્રે અને મૃત્યુ થેને આવી મળે તે ઇચ્છામૃત્યુ, મૃત્યુના યોગ્ય સમયના આગમનને આમ ઘણા માણસો – દુઃખથી કે રોગથી તપ્ત-ત્રસ્ત માણસો – ઇચ્છે છે ખરા, પણ બહુ જ જૂજ વ્યક્તિઓની એ’વી ઇચ્છા ફળે છે. પણ તો ઇચ્છાના ‘હોવા’ને થેની સફળતાનિષ્ફળતા સાથે ક્યાં કોઈ નિસબત હોય છે જે. તો એવી જ રીટે મૃત્યુ અનિવાર્ય છે તો સુખપૂર્વક મરવાનું માણસ ઇચ્છે તે સ્વાભાવિક નથી? એવા ઇપ્સિત સમયના નહિ, ઇપ્સિત પ્રકારના મૃત્યુના આ ગીતમાં કવિએ સુખદ – સુખાવહ મૃત્યુની ઇચ્છા પ્રગટ કરી છે.સુખદ એટલે એમની પોતાની દ્રષ્ટિએ સુખદ. હા. એમની દ્રષ્ટિ સાથે સરેરાશ માણ્સની દ્રષ્ટિનો મેળ સધાય છે. કારણ એમના જેવી દ્રષ્ટિ ધરાવનારા અનેક માણસો હોવાના અને એથી જ એ ઇચ્છાની અભિયક્તિ રૂપ આ કૃતિ ‘કાવ્ય’ની કક્ષાએ પહોંચે છે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૬) – નીલમ દોશી 4

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


માઈક્રોફિક્શન વાર્તા એટલે શું? – જીજ્ઞેશ અધ્યારુ 13

આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય – એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઈલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયાઓ પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તાપ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.


ગુજરાતી ‘અર્બન’ સિનેમામાં ફુગાવો.. – નિલય ભાવસાર 9

શું અત્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે? આજકાલ ગુજરાતી સિનેમા, નાટક અને મીડિયા સાથે જોડાયેલા લોકોમાં આ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ તેનો સીધો અને સરળ જવાબ છે, ‘ના’. વર્ષ ૨૦૧૨માં આવેલી અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’થી લઈને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઇ છે પરંતુ તે પૈકી માત્ર પાંચ કે છ ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળ થઇ છે જેમાં ‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘લગે રહો ગુજ્જુભાઈ’ અને ‘થઇ જશે’ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની અપાર સફળતા બાદ આજકાલ ગુજરાતી ફિલ્મ્સ બનાવવા માટે જાણે લાઈન લાગી છે અને તે પૈકીના મોટાભાગના ફિલ્મમેકર્સ ‘છેલ્લો દિવસ’ જેવી અથવા તે કક્ષાની કોમેડી ફિલ્મ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.