Monthly Archives: December 2016


અમો કાકા બાપાના પોરીયા રે.. : ઢોંસા અને પુડલાં – ગોપાલ ખેતાણી 24

“અમો કાકા બાપાના પોરીયા રે, કુંડલીયું ખેલાડુ
અમો જુલા જુલણ જાવા રે, કુંડલીયું ખેલાડુ”.

એયને ગરબા ઘુમીને આપણે “મદ્રાસ કાફે” ની રેસ્ટોરન્ટ, દુકાન કે લારીએ ભાઈબંધુની સાથે જમાવીએ. કાફેવાળા જાણીતાં હોય તો બુમ મારીએ “અન્નાઆઆઆ!!! એક મૈસુરી મસાલા. એય રિતીયા, તું શું ગરચીસ?”. રિતીયો ફરમાવે “આપણે એક મસાલા ઢોંસા અને એ પહેલા ઇડલી સંભારની પ્લેટ”.


મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ 3

શિયાળાની એક બપોરે હું મારા ઘરની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો હતો. ઠંડીને ઓગાળતો મંદ-મંદ તડકો પડી રહ્યો હતો. કાગડા-કોયલ તેમજ ઝાડ-પાનના ધીમા-ધીમા અવાજ સિવાય સાવ શાંતિ હતી. પણ આજે કોણ જાણે કેમ પણ હું મારા પાછલા દિવસો ભણી ભૂતકાળમાં સરી પડ્યો.

આજે મારા મિત્રોની શાળાનાં દિવસોની યાદોથી મારું મન ઘેરાઈ ગયું હતું. મેં મારા મનમાં રહેલી એ વખતની કંઈકેટલી ખાટી-મીઠી વાતો વાગોળવાનું શરૂ કર્યું.


યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ 4

એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક “અભ્યુદય”, “તાજા સમાચાર” અને “નયા દિન” અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક,

પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો – દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૫) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘સર્જન’ 4

અમદાવાદ ખાતે આજે સાંજથી શરૂ થઈ રહેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’માં આ વખતે ‘સર્જન’ના પ્રયત્નો અને માઈક્રોફિક્શનના ‘સર્જન’ દ્વારા થયેલા પ્રચાર તથા વાચકોને ખૂબ પસંદ આવી રહેલા આ વાર્તા સ્વરૂપને લઈને બે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તા. ૧૫ ને ગુરુવારના રોજ વર્કશૉપ,

“માઈક્રોફિક્શન કઈ રીતે લખશો?” – માઈક્રોફિક્શન વાર્તાનો વર્કશૉપ – જીજ્ઞેશ અધ્યારૂ

અને

“બાપા હેમિઁગ્વેના ગુજરાતી પોયરા” – ગુજરાતી માઈક્રોફિક્શન વિશે વિશદ ચર્ચા – જીજ્ઞેશ અધ્યારૂ, હાર્દિક યાજ્ઞિક, ગૌરાંગ અમીન, નીલમ દોશી

આ બંને કાર્યક્રમોનો સમય, તારીખ અને વિગત શેડ્યૂલ આ મુજબ છે..


સોહાગરાત – કેશુભાઈ દેસાઈ 2

પુરુષોત્તમ મહિનાની એકાદશીનો ચંંદ્ર ભીના પવનમાંં ઝબોળાયેલી ચાંદની રેલાવી રહ્યો છે. આકાશ છેલ્લા ત્રણેક દિવસથી નિચોવાઈને જવલના બંદલાના બાથરૂમ જેવું ચોખ્ખું ચણાક જેવું બની ગયું છે. અઠવાડિયા અગાઉ એ જ આભલા સામે નજર માંડતાંય ધ્રુજી જવાતું. ચારે દિશામાં તડકા-ભડકા. ભૂવા ધૂણતા હોય એવા હાકલા – પડકારા. વીજળી સરરરર કરતીક સીધી બંગલાના ચોકમાં ખાબકતી. છેલ્લા એક વરસથી એકલી પડી ગયેલી જવલ જાળી વાસી દઈને ઓસરીમાં બેઠી બેઠી અદ્ધરજીવે આકાશી ધુધવાટા સાંભળતી રહેતી. ક્યારેક જોરૂકો કાટકો પડે ત્યારે એનાથી અનાયાસ જ બોલાઈ જતુંઃ તારી જવાંની છ બાપ, પણ હોંમો શકન વાળનારા તો જતા રહ્યા!


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૪) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ત્રણ કાવ્યો.. – રધુવીર ચૌધરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડૉ. નિરંજન રાજ્યગુરુ 4

આજે પ્રસ્તુત છે ‘ગુજરાત’ સામયિકના દિપોત્સવી અંક ૨૦૧૬ માંથી સાભાર શ્રી રધુવીર ચૌધરી, શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. નિરંજન રાજ્યગુરુની પદ્યરચનાઓ…


માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪) 3

માઈક્રોફિક્શન સામયિક્ સર્જનનો ચોથ અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.. અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરો.. સાથેસાથે આજે માણીએ કલ્પેશભાઈ પટેલની કલમે લેખ.. ‘માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ..’


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૩) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ત્રણ પદ્યરચનાઓ – ગુણવંત વૈદ્ય 3

શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક 4

અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આજે પાંચ નવા ઈ-પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. પી કે દાવડા સંકલિત ‘મળવા જેવા માણસો’, ગૌરાંગભાઈ અમીનનું ‘૪૬૫ કટિંગ’, સન્ડે ઈ-મહેફિલનું ૧૪મું સંકલન પુસ્તક, સન્ડે ઈ-મહેફિલના જ વૃદ્ધાવસ્થાને લગતા લેખોનો સંગ્રહ ‘ગરવું ઘડપણ’ અને નાથુભાઈ ડોડિયા રચિત ઈ-પુસ્તક ‘દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો’ આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં નિ:શુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કર્યા છે.