Monthly Archives: January 2009


માં = મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા 10

મા મારી પહેલી મિત્ર અને શ્રેષ્ઠ મિત્ર અને છેલ્લી પણ બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થનું, નહીં તો અપેક્ષાનું વાળ જેવું બારીક પણ એકાદ કણ તો આવી જાય, પછી લસરકો, ઉઝરડો, તિરાડ ઉદારતાથી ક્ષમા કરીએ કે કોઈ આપણને ક્ષમા કરી દે તે વાત જુદી પણ થીંગડુ અને ભીંગડુ બંને ઉખડે, સ્ત્રી પુરૂષની મૈત્રી ઘણું ખરું પ્રેમમાં પરિણમે અને પ્રેમીજનો પતિ – પત્નિ બને, ન પણ બને, પતિ – પત્નિનો મિત્ર કે મિત્ર જેવા બનવું, આદર્શ તો પણ અતિ દોહ્યલું, ચડસા ચડસી, હું પદ, આળાપણું, ચામડીની જેમ ચીટક્યા તે ચીટક્યા, નખ જરાક અડી જાય, કે લોહી નીકળ્યું જ સમજવું હીંડોળાની ઠેસમાં, પાનનાં બીડામાં, ખબે મૂકાતા હાથમાં, બાળકો પ્રત્યેની મીટ માં, નેજવાની છાજલીમાં, પતિ – પત્નિ પણું ઓગળે તો ઓગળે નહીંતર પરસેવાની ગંધ નોખી તે નોખી મા ને તો આકાશ જેટલુ ચાહી શકાય, દેવમૂર્તિ જેમ પૂજી શકાય પણ એ એવું કશું માગે – ઈચ્છે – વિચારેય નહીં ! એટલે જ દોસ્તની જેમ એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય, ઝઘડીયે શકાય આપણાં હોઠો પરની દૂધિયા ગંધ, એની છાતીમાં અકબંધ, એના ખોળામાંની આપણા પેશાબની દુર્ગંધ એ સાથે લઈને જ જાય, ભગવાનની પાસે અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ, (ભગવાનની યે માં તો હશે જ ને?)  – ભગવતીકુમાર શર્મા


ગયા બાપુ – સ્નેહરશ્મિ 10

ગાંધીજીના મૃત્યુ પ્રસંગે રચાયેલા આ કાવ્યમાં કવિ ગાંધીજીને મોટા ઘરના મોભ સાથે, વહાણના કૂવાથંભ સાથે અને હિમાલય સાથે સરખાવતા કહે છે કે મોટા ઘરનો મોભ તૂટ્યો છે. મૃત્યુ જીતી ગયું છે , તેનો ખોળો ભરાઈ ગયો છે, પરંતુ ભારતની પ્રજા રંક બની ગઈ છે. ગાંધીજી વિના તેમને આખો દેશ નોંધારો લાગે છે અને હવે કોણ પ્રેમ, ત્યાગ, હૂંફ આપશે તેની ચિંતા તેમને કોરી ખાય છે તે આ કાવ્યમાં સ્પષ્ટ છે. પૂજ્ય બાપુને તેમની પુણ્ય સ્મૃતિમાં આજે અધ્યારૂ નું જગત તરફ થી ભાવાંજલી અને એ અભ્યર્થના કે તેમના વિચારો અને તેમના સિધ્ધાંતો આપણને દરેક કપરા સમયમાં માર્ગદર્શન આપે, સાચાં રસ્તે લઈ જાય. ************************************* મોટા ઘરનો મોભ તૂટ્યો આ ? કે વ્હાણનો કૂવાથંભ ? ફાટ્યો પહાડનો પા’ડ હિમાલય ? કે આ કો’ઘોર ભૂકંપ ? બની ભોમ ગાંધી વિનાની; તૂટી હાય દાંડી ધરાની ! સાગર આખો ઘોર ખેડીને નાથ્યા ઝંઝાવાત, હાથવેંત જ્યાં આવ્યો કિનારો ત્યાં આ શો રે આઘાત ? ખરાબે લાવી પછાડી મૃત્યુ ! તેં નાવ અમારી. ગયા બાપુ ! ઋત ગયું શું ? ગયા પ્રેમ ને ત્યાગ ? ગયા ગાંધી ! સત્ય ગયું શું ? ગયા શીત સોહાગ ? માનવકુલભાણ ભૂંસાયો ! ધરાનો પ્રાણ હણાયો ! મૃત્યુ આજ હા ! જીતી ગયું શું ? સભર તારો અંક ! અમ પ્રતિ તું જુએ હવે શેં; આજ અમે સૌ રંક ! નોંધારાને ગોદ કો લેશે ? બાપુ વિના હૂંફ કો દેશે ?  – સ્નેહરશ્મી


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]


આદિત્ય હ્રદય 5

આદિત્ય હ્રદય સ્તોત્ર એ સૂર્ય ભગવાનની બધીજ ઉપાસના પ્રાર્થનાઓ અને સ્તોત્રોમાં સર્વથી વિલક્ષણ અને વૈદિક પધ્ધતિ દ્વારા રચાયેલ સૂર્ય પ્રાર્થના – મહાનત્તમ વંદના છે. રામાયણના રામ રાવણ વચ્ચેના યુધ્ધ વખતે અગત્સ્ય મુનિએ પ્રભુ શ્રી રામને આ સૂર્ય પ્રાર્થનાની શિક્ષા આપી હતી અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે સૂર્યભગવાનની આરાધના કરી હતી. કહેવાય છે કે સારા નેત્રજીવન માટે અને હ્રદયરોગ કે અન્ય અસાધ્ય બીમારીઓથી બચવા માટે આ પ્રાર્થનાનો ઉપયોગ થાય છે. પરંતુ તેની સાચી પધ્ધતિ અનુસરવાથીજ તેના ફાયદા મેળવી શકાય છે. [youtube=http://www.youtube.com/watch?v=IsGJlyFcdQM] તતો યુધ્ધ પરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ, રાવણં ચાગ્રતો દષ્ટ્વા યુધ્ધાય સમુપસ્થિતમ. દૈવતૈશ્વ સમાગમ્ય દૃષ્ટુમ્ભ્યાગતો રણે, ઉપગમ્યાબ્રવીદ્રામમગસ્ત્યો ભગવાંસ્તદા રામ રામ મહાબાહો શ્રુણુ ગુહ્યં સનાતનમ યેન સર્વાનરીન વત્સ સમરે વિજયિષ્યસે આદિત્યહ્રદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ જયાવહં જપેન્નિત્યમક્ષયં પરમ શિવમ સર્વમંગલમાંગલ્યં સર્વપાપપ્રણાશનમ ચિંતાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ [youtube=http://in.youtube.com/watch?v=x5hm2iglCAY] રશ્મિમન્તં સમુધ્યન્તં દેવાસુરનમસ્કૃતમ પૂજ્યસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વિ રશ્મિભાવનઃ એષ દેવાસુરગણાંલ્લોકાન પાતુ ગભસ્થિભિઃ એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાંપતિઃ પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ વાયુર્વિહ્યિઃ પ્રજા પ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન સુવર્ણસદ્દશો ભાનુઃ સ્વર્ણરેતા દિવાકરઃ હરિદૃશ્ચઃ સહસ્ત્રાર્ચિઃ સપ્તસપ્તિર્મરીચિમાન તિમિરોન્મથનઃ શમ્ભુસત્વષ્ટા માર્તણ્ડકોંડશુમાન હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનો ભાસ્કરો રવિઃ અગ્નિગર્ભોદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ ઘનવૃષ્ટિરપાંમિત્રો વિન્ધ્યવીથિ પ્લવંગમઃ આતષી મંડલી મૃત્યુઃ પીંગલઃ સર્વતાપનઃ કવિર્વિશ્ચો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ તેજસમાધિ તેજસ્વી દ્વાદશાત્મન્નમોડસ્તુ તે જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ નમઃ પદ્મપ્રબોધાય પ્રચણ્ડાય નમોસ્તુતે બ્રહ્મૈશાનાચ્યુતેશાય સૂરાયાદિત્યવર્ચસે ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ તમોધ્નાય હિમધ્નાય શત્રુધ્નાયામિતાત્મને, કૃતઘ્નઘ્નાય દેવાય જ્તોતિષાં પતયે નમઃ તપ્તચામિકરાભાય હરયે વિશ્વકર્મણે, નમસ્તમોભિતિધ્નાય રુચયે લોકસાક્ષિણે નાશયત્યેષ વૈ ભૂતં તદેવ સૃજતિ પ્રભુઃ પાપત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભિસ્તિભિઃ […]


જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ 4

ઘણાં મિત્રો કહે છે કે ગુજરાતી સામયિકો અને માસિકોમાં તેઓ પોતાની રચનાઓ ઘણી વખત મોકલી ચૂક્યા છે પરંતુ ઘણી વાર કોઈ જવાબ મળતો નથી, ઘણી વાર “કવિતા હજી કાચી છે, તેને થોડાક વધુ શણગારની જરૂર છે” તેવા જવાબ સાથે પાછી આવે છે અને ઘણી વખત “પ્રયત્ન સારો  છે પરંતુ તેનો મૂળભૂત સાદ આ માસિકના પ્રકાશનના વર્તુળમાં બંધબેસતો નથી” એવો જવાબ પણ મળે છે. કવિતા કે કોઈ પણ રચના પ્રકાશનાર્થ મોકલવી તે આપણી નમ્ર ફરજ છે પરંતુ તે પ્રકાશિત થાય કે ન થાય તે માટે પ્રકાશકની મુનસફી પર આધાર રાખવો જોઈએ. કવિતા કે લેખની ગુણવત્તા સાથે તેમણે અન્ય ઘણાંય પાસાનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમના અનુભવના આધારે તેમના સૂચનો કદાચ માનવાયોગ્ય હોય તે બનવાપાત્ર છે. એટલે પ્રયત્ન કર્યા કરવા. આ વિષય પર કેટલાક વિચારો મળ્યા છે જે અત્રે મૂકી રહ્યો છું. જો કે, એ વાતનો ઉલ્લેખ કરવો અત્રે અસ્થાને નહીં ગણાય કે મેં હાલમાં જોયેલા એક અગ્ર ગુજરાતી માસિકમાં સમ ખાવા પૂરતો એક પણ રસપ્રદ લેખ હતો નહીં. વેચાણ, કાયમી ગ્રાહકો જવા દઈએ તો આ જોઈને કોણ તેને ખરીદે? લેખોની પસંદગી તદન તટસ્થ ભાવે થવી ઘટે અને ઉગતી પ્રતિભાઓને ક્યાંક સ્થાન આપવું અને તેમને યથાયોગ્ય રીતે લખવા માટે પ્રેરણા આપવા જેવું કાર્ય પણ માસિકોએ જ કરવાનું છે અને તેમની આશાએ જ ગુજરાતી સાહિત્ય ભવિષ્ય તરફ જોઈ શકે છે.  તમિલ અને મલયાલમમાં જ્યાં માસિકોની નકલ લાખોમાં ખપે છે ત્યારે એ આંકડો ગુજરાતી માસિકો માટે તેના દસમાં ભાગ જેટલો પણ નથી એ શું સૂચવે છે? વાચકોની ઉદાસીનતા અને આપણી અવગણના. આ સંજોગો દૂર કરવા જ રહ્યાં. નવોદિતો માટે અમૂક પાના ફાળવી શકાય, કે નવોદિત વિશેષાંક જેવા […]


શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ 8

પ્રિય દેશવાસીઓ, ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ. આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે? આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર […]


પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ 4

( મિત્રો, આજે મારી બે ગઝલ અત્રે મૂકી રહ્યો છું. સામાન્ય રીતે મારી ગઝલો સાંભળીને મિત્રો કહે છે કે નકારાત્મક વિચાર ગઝલોમાંય ઝળકે છે. પરંતુ મારા હિસાબે હકારાત્મક વિચારો ત્યાંથી જ ઉદભવી શકે. પ્રથમ ગઝલ પ્રભુ અને દરીયા વચ્ચેનું સંયોજન દર્શાવવાનો પ્રયત્ન છે. ચાર વર્ષથી દરીયા કિનારે રોજ સવારે ઉભો રહી અફાટ સાગરને જોઈ, હવે ગઝલોમાં દરીયો આવી જ જાય તેમાં શું નવાઈ? અહીં મેં પ્રભુની વૈશ્વિકતા અને “મારો ઈશ્વર / અલ્લાહ / પ્રભુ” એવાં વાડાઓમાં રહેતા આપણે એ બે વચ્ચે થોડોક ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી ગઝલમાં અનાયાસ જ આંસુ અને દુઃખોની વાત થઈ ગઈ છે. પરંતુ તેમાંય હિંમત ન હારવાની ક્ષમતા દેખાડવાનો પ્રયત્ન છે. (જો કે એક મિત્રએ એમ પણ કહ્યું કે શિકાર થયેલા હરણનાં છેલ્લા ચિત્કાર જેવી આ ગઝલ છે.) આપના દરેક પ્રકારના પ્રતિભાવોનું સ્વાગત છે. ) 1. પ્રભુ ! તું અને દરીયો તું જુએ જો મારી આંખોમાં તો, તારી આંખોમાં મને દેખાય દરીયો. ને જેવો ફેરવું હું નજરુંય તુજથી, બની ઝાંઝવા વહી જાય દરીયો઼. પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો, તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો. ને જોયું જો ભીતર જરી અમથું નમીને, બની લાગણી મુજથી ઉભરાય દરીયો. ઠેરવું જો મારો તો એમેય થાય મને, કિનારે ક્યાં કદી રોકાય દરીયો. પણ મારા માંથી જેવો અમારો કરું તો, કિનારા છોડી કદી ક્યાં જાય દરીયો. એક અડગ આશ ને પૂરો વિશ્વાસ પછી, અર્જુનના બાણે ભલે વીંધાય દરીયો. ખારો તો ખારો ભલે પીધો પીવાય નહીં, બની નદી ઠેર ઠેર પૂજાય દરીયો.   2. સુખનો ફોટો આંસુઓના ઉભરાતા દરીયાને ભોંઠો પાડવો છે, દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે. […]


પાગલ હંસ – દુલા ભાયા કાગ 14

તળાવ સુકાઈ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે  કેઃ  “તું ગાંડો થઈ ગયો લાગે છે ! બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.” ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છેઃ “જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું  હ્યદય પણ ફાટી ગયું છે.” (પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.) ( ભૈરવી –  ગઝલ  ) ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?  યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ? ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા? સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ.              ૧ ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે; દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ.              ૨ “તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને; મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ.                 ૩ મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા; જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ                    ૪ – દુલા ભાયા કાગ


એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ 4

પ્રિય મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગના મારા સંસ્મરણો આજે આઠ વર્ષોના વહાણા છતાંય તાજા ઘા જેવા લીલા છે. તાજા ઘા જેવા એટલા માટે કે એ સુખના, અપાર સુખના દિવસો હજી પણ યાદ આવે તો મન એ દિવસોમાં પાછા જવા તલપાપડ થઈ ઉઠે છે. મુખ્યત્વે આખાંય વર્ષમાં, બંને સેમેસ્ટરમાં થઈને ફેબ્રુઆરી મહીનો અમારા બધાંયનો ખૂબ પ્રિય. કારણકે આ મહીનાનાં બે અઠવાડીયા અમે ઉજવીએ ટેકો-વીક. ટેકનોલોજી ફેકલ્ટીની ફિઝાઓમાં આ બે દિવસ મોજ મજાના વિવિધ રંગ અને  મસ્તી, તો ક્યાંક પ્રેમના ઉગતા છોડવા પણ જોવા મળે. અને આ વાતાવરણમાં તમે તેમાંથી બાકાત રહી શકો તો જ નવાઈ. બધાં જ ડીપાર્ટમેન્ટમાં માસબંક ડીકલેર થયા હોય. કોઈક દિવસ ચોકલેટ ડે હોય, જેમાં ડેરીમિલ્ક પ્રેમનો, તો ચ્યુંઈગમ ચીપકુનો, અને મેલોડી ચોકલેટી પ્રેમ પ્રપોઝલનાં સવિનય નકારનો, પર્ક સારી ફીગરનો તો કીટકેટ દોસ્તીનો સંદેશો આપે. કોઈક દિવસ વેજીટેબલ ડે હોય, જેમાં ભીંડા પ્રેમ પ્રપોઝલનો, કારેલા નકારનો, ગાજર સારી ફીગરનો, કાશ્મીરી મરચા “ગેટ ઈન શેપ”નો તો બટાકા સારા દોસ્તનો સંદેશો આપે. કોઈક દિવસ આઉટ્રેજીયસ દિવસ હોય ત્યારે બધાંય ભાવિ એન્જીનીયરો કોઈક સાધુના વેશમાં, કોઈક ગબ્બર બનીને, તો કોઈક ચિત્રવિચિત્ર પોશાકો પહેરીને, કોઈક ધોતીયું અને શર્ટ ટાઈ પહેરીને, કોઈક એક પગે ચપ્પલ અને એક પગે બૂટ પહેરીને તો કોઈક વળી એક પગ પેન્ટનો અને એક પગ ચડ્ડીનો એવા વિવિધ દેખાવો કરે. અમેય મજૂરો અને કડીયાઓ જેવા દેખાવો કર્યા હતાં, પછી આ આખી સવારી બળદગાડામાં ડિપાર્ટેમેન્ટ પ્રમાણે નગારા ત્રાંસા સાથે ફરે. વેલેન્ટાઈન ડે ના દિવસે ઠેર ઠેર હિંમત અને મિત્રોની જરૂરત પડે. કોઈક પોતાના મનના ખૂણે સંઘરાયેલી વાત બહાર કાઢવા, પ્રેમનો ઈઝહાર કરવા પ્રયત્ન કરે તો કોઈ પોતાના […]


બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત 5

( ગુજરાતી ભાષામાં બાળકો વિશે પ્રગટ થતાં જૂજ માસિકોમાં બાળ ઉછેર અને બાળ કેળવણી અંગે, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતું ગુજરાતનું એક માત્ર લઘુ માસિક એટલે “બાલમૂર્તિ”. કિરણ શિંગ્લોતજી તેમાં ઉપરોક્ત વિષય “બાળકની ઉંમર સાથે તેના લાગણી તંત્રના વિકાસ”  અંગે અંકોમાં ક્રમશ ઉંમરના વિવિધ પડાવો મુજબ સરસ માહીતી પૂરી પાડે છે. ) એક થી દોઢ વર્ષની ઉંમર બાર મહીનાનું બાળક સામાન્ય રીતે આનંદ અને ઉત્સાહ થી છલકતુ, ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાના લક્ષણો જોવા મળે છે અને માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવાનું ગમે છે. પણ કોઈ કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે. હવે એ એની લાગણીઓને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે, બાળકના સાન્નિધ્યમાં એના માં બાપને ઘણો આનંદ આવે છે, પણ સાથે હવે કપરા સમય અને ઘર્ષણની પણ શરૂઆત થઈ જાય છે. માતા સાથે સંબંધ : બાર મહીનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વનું રહે છે પણ સાથે અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હોય છે. માતા સાથેનું વળગણ થોડું ઓછું જરૂર થાય છે, પણ છતાં સલામતિની લાગણી પોષવા માટે તો હજુ એ માતાને જ શોધે છે. રમવામાં ઓતપ્રોત હોય ત્યારે એ માતા તરફ ભાગ્યેજ નજર કરશે. પણ માતાની હાજરીનો એ ખ્યાલ ચોક્કસ રાખે છે. તેથી માતા આમ તેમ ખસવાનો જરા પણ પ્રયત્ન કરશે તો તરતજ બાળકનાં ધ્યાનમાં આવી જાય છે. માતા એની આસ પાસ હશે તો તે વધારે આનંદથી રમતમાં પરોવાયેલુ રહે છે. સામાજીકતા દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળક એકલવાયું મટીને સામાજીક બનવા માંડે છે, જો કે, કોઈ વખત એનામાં આક્રમકતાનાં પણ દર્શન થાય છે. ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે કે કરડી પડે એવું […]


પૂછું એક વાત (બાળગીત)- રાજુ કાનાણી 3

પૂછું એક વાત ? ચાંદામામા, તમને પૂછું એક વાત ? અમાસે ક્યાં ગયા’તા આખી રાત ? સૂરજ દાદા, તમને પૂછું એક વાત ? રહો છો ક્યાં તમે આખીયે રાત ? દાદાજી, તમને પૂછું એક વાત ? થાય કેવી રીતે આ દિવસ અને રાત ? દાદીમાં, તમને પૂછું એક વાત ? ચમકે તારલિયા કેમ આખી રાત ? પપ્પાજી તમને પૂછું એક વાત ? તમરા શીદ બોલતાં આખી રાત ? મમ્મીજી, તમને પૂછું એક વાત ? સપનામાં કેમ આવે તારી જ વાત ? – રાજુ કાનાણી { “બાળકો આવો ગીતો ગાઓ” માંથી સાભાર }


જીવનની રમત – ગની દહીંવાલા 5

જીવનના અનેકવિધ સંજોગોને એક રમત્તના રૂપમાં રજૂ કરવા જેટલી હિંમત અને નિખાલસતા તો ગની સાહેબ જેટલા સિધ્ધહસ્ત કલાકાર જ દર્શાવી શકે. ખૂબ સરસ રમતોના રૂપમાં તેમણે જીવનના કેટકેટલાં અઘરા સંજોગોને સરળતાથી, એક રમતની જેમ પસાર કરવાનાં રસ્તાઓ બતાવ્યાં છે. મારી મનપસંદ ગઝલોમાં અગ્રસ્થાને બિરાજતી આ ગઝલનો મત્લા હોય, મક્તા કે આખે આખી ગઝલ, એકે એક શબ્દે વાહ! વાહ! અચૂક નીકળે.   સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી, આવળ બાવળ રમીએ. બાળ-સહજ હોડી જેવું કાંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ. માંદા મનને દઈએ મોટુ માદળિયુ પહેરાવી, બાધાને પણ બાધન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છળનાં રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ. હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ, પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ. ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ, મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ. હુંય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ, અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.  – ‘ગની’ દહીંવાલા


હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ 5

શું તું મને ચાહે છે? મેં તેને પૂછ્યું .. લાગણીમાં ભીંજાયેલા શબ્દોથી, અને એવા જ ઘેલા પ્રત્યુત્તરની હાર્દીક અપેક્ષા સાથે, પણ અચાનક “ના” સાવ કોરોધાકોર શુષ્ક ઉત્તર, એક રસ્તો ને બે ફાંટા, અને પછી વર્ષોનું લાંબુ મૌન. પણ પણ આજે આટલા વર્ષે જીવન સંધ્યાના અંતિમ પડાવો પર તું અને તું જ યાદ આવે છે. એક ટીસ ઉઠે છે, કે જો તું હોત તો મારા કોમ્પ્યુટરના વોલપેપરની જેમ તારા હાથમાં હાથ લઈને દરીયા કિનારે ડૂબતા સૂરજની સાક્ષીએ સંતોષનાં ઓડકાર લઈને જીવી શક્યો હોત પણ…. હું એકલો છું બસ એકલો અધૂરો તારા વગર ખૂબ અધૂરો સાવ નિરાધાર હજીય રાહમાં… અને સૂરજ જઈ રહ્યો છે… અસ્તાચળ તરફ શું ચંદ્ર ઉગ્યા વગર જ રાત થઈ જશે?  – જીગ્નેશ અધ્યારૂ


ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ 20

કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત. મૂળ મુદ્દા હતા : ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું. અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા અનેરા સ્વાદની છે જેનું વર્ણન કેમ કરવું? અમને સાત જણાને આવેલા જોઈ તે ખુશ થઈ ગયા. વિપુલભાઈ એ પૂછ્યું કે વસ્તારમાં શું છે? તો તે વડીલે કહ્યું કે તેમના દીકરાને […]


પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણાંય વર્ષો પહેલા એક ઉત્તરાયણે મિત્રોના ટોળાં વચ્ચે બધાને અવગણીને વડીલો અને સંબંધીઓને છોડીને ફક્ત પ્રેમને ખાતર મારી ફીરકી પકડીને તું ઉભી હતી, એ તારી પહેલી હિંમત આપણો પ્રેમ પતંગ ખૂબ ચગ્યો બે હાથ અને એક દોરી બે પંખી અને એક આકાશ બે હૈયા અને એક શ્વાસ એ યાદ છે? હું જીવનભર તારી દોરી સાચવીશ એ તારૂં કહેલું વાક્ય મને હજીય યાદ છે અને મારા જીવનની દોરીને તેં કદી ગૂંચવાવા નથી દીધી કપાવા નથી દીધી ” WELL MANAGE ” કરી છે તે બદલ મારા જીવનસાથી, આ ઉત્તરાયણે “થેન્ક્યુ” કહી દઊં તો તને ખોટું તો નહીં લાગે ને?  – જીગ્નેશ અધ્યારૂ


ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru 22

ઘણા વખત પહેલા ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs   એ શીર્ષક અંતર્ગત મારી કન્સ્ટ્રક્શન સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા હતાં. વાચકોનો બહોળો પ્રતિભાવ ત્યારે મળ્યો હતો. આજે ફરીથી ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું. અમારી તારીખ ૧૧-૦૧-૨૦૦૯ની ગીર – પાણીયા રેન્જ – છડવડી રેન્જ – કનકાઈ – ધારી વનભ્રમણના કેટલાક ફોટોગ્રાફ્સ તેના ટૂંકા વર્ણન સાથે મૂકી રહ્યો છું. Click on the photograph for full view. ગીર ની અમારી મુલાકાતો, કહો કે જંગલમાં ભટકવા અને તીર્થ સ્થાનોમાં ફરવાના અનુભવો ઘણી વખત મૂક્યા છે.  જંગલ સફારી – ગીરના યાત્રાધામ, સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ વગેરે પણ આજે ફક્ત થોડીક વાતો અને વધુ ફોટોગ્રાફ્સ. પૂજ્ય શ્રી દાન બાપુનું સમાધિ સ્થાન અને મુખ્ય ગુરૂ ગાદી, ચલાલા. અહીં શ્રી દાનબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર, સદાવ્રત, છાશ કેન્દ્ર, ગૌશાળા તથા પાંજરાપોળ વગેરે પ્રવૃત્તિઓ થાય છે. સાથે દર્દી સહાય, અનાજ સહાય, વસ્ત્ર સહાય વગેરે પણ થાય છે. ગીરના જંગલનો એક અદભૂત નઝારો. આવા દ્રશ્યોની કદાચ ગીરના નેસમાં રહેતા લોકોને નવાઈ નહીં હોય પણ આપણા માટે તો જાણે લોટરી જ લાગી. સૂકા પાંદડા વચ્ચે થઈ જતા રસ્તાઓ જેમાં ફક્ત ફોરેસ્ટ રેન્જર્સને જ ફરવાની પરવાનગી છે. આ સિવાય ફક્ત અહીં પરવાનગી લઈ આવેલા મુસાફરો જ આવી શકે છે. વાનરમાતા અને તેનું બાળ, માતા તેના બાળકને ભોજન કરાવી ચૂકી છે, અને હવે આરામ ફરમાવી રહ્યા છે. કનકાઈ મંદિર પાસે, આવનારા યાત્રાળુઓની જાગૃતિ માટે જંગલખાતાએ આવા સરસ જાહેરાતના બોર્ડ મૂક્યા છે. નેસમાં જઈને જેનાં અમે ફોટા પાડ્યા છે તે ગીર ગાયના વાછરડા, જેને નેસની ભાષામાં બદૂડી કહેવાય છે. જંગલની રાણી, વનકેસરીની બેટરહાફ, સિંહણ, જેને જોવા અમે બે વખત નિષ્ફળ પ્રયત્ન કર્યા હતાં તેણે આ વખતે અમને અડધો કલાકથી વધુ […]


બરાક ઓબામા અને અમેરીકન સ્વપ્ન 4

ચાર વર્ષ પહેલા હું તમારી સમક્ષ ઉભો રહ્યો અને મેં તમને મારી વાત કહી, વાત કહી એ મેળાપની જે કેન્યાથી આવેલા એક યુવાન અને કાન્સાસની એક યુવતિ વચ્ચે પાંગર્યો. તેઓ બહુ સધ્ધર ન હતા, પ્રખ્યાત ન હતા, પણ એક વાત એ બંને માનતા, કે અમેરીકામાં તેમનો પુત્ર તેના હ્રદયમાં, મનમાં જે ઈચ્છે તે મેળવી શકે છે. આ એક એવું વચન છે જે અમેરીકાને અન્ય દેશોથી અલગ પાડે છે, કે આકરી મહેનત અને ત્યાગથી આપણામાંના દરેક આપણા પોતાના વ્યક્તિગત સ્વપ્નો મેળવી શકીએ છીએ, અને છતાં એક સાથે એક અમેરીકન પરિવાર બનીને ઉભા રહીએ, એ જોવા કે આપણી આવતી પેઢી પણ તેમના સ્વપ્નો પૂરા કરી શકે. અને એ જ કારણ છે કે હું આજે અહીં ઉભો છું. કારણકે ૨૩૨ વર્ષો થી, એવા દરેક સમયે જ્યારે આ વચન તકલીફમાં મૂકાય છે, સામાન્ય પુરૂષો અને સ્ત્રિઓ, વિદ્યાર્થીઓ અને સૈનિકો, ખેડુતો અને શિક્ષકો, સફાઈ કામદાર કે પરિચારીકા દરેકમાં તેને જીવંત રાખવાની ધીરજ છે. આપણે એક નિર્ણયાત્મક સમયે મળ્યા છે, એક એવો સમય જ્યારે આપણું રાષ્ટ્ર યુધ્ધમાં છે, અર્થતંત્ર ખાડે ગયું છે અને આ અમેરીકન વચનને ફરી એક વખત પડકાર લેવાનો વખત આવ્યો છે. આજે ઘણા વધારે અમેરીકનો બેકાર છે, અને બીજા ઘણાં ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, તમારામાંથી ઘણાએ પોતાના ઘર ખોયાં છે, અને ઘણા પોતાના ઘરની કિંમતોને પડતી જોઈ રહ્યા છે. ઘણા પાસે કાર છે પણ તેને ચલાવવાનું પરવડે તેમ નથી, ક્રેડીટકાર્ડના બિલ ભરવાનું પણ હવે તમને પરવડે તેમ નથી. આ બધા પડકારો સરકારી બનાવટ નથી. પણ તેમની તરફ પગલાં લેવામાં મોડું કરવું એ વોશિંગ્ટનમાં તૂટેલી રાજકારણીય ઈચ્છા અને જ્યોર્જ બુશની ખોટી રીતરસમો છે. […]


વંદે રોટી માતરમ – પ્રવીણ ગઢવી 10

રોટી દરેકને જોઈએ રોજ જોઈએ પણ રોટીની વાત કરતાં, સૌ દોણી છુપાવે છે. કવિતા રોટીની વાત કરતા શરમાય છે. અભડાય છે. અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે, સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે, વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે, ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે, પરંતુ રોટી રમખાણોની નોંધ લેતો નથી કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં રોટીનું ચિન્હ રાખ્યું નથી કોઈ રાષ્ટ્રગીતમાં ‘વંદે રોટી’ ગવાતું નથી.  – પ્રવીણ ગઢવી


ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા 10

( મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. અધ્યારૂ નું જગત માટે ગુજરાતી સામયિકો વિશે આ લેખ તૈયાર કરી આપવા બદલ તેમનો ખૂબ આભાર. આશા છે આમ જ આપના લેખો આગળ પણ મળતા રહેશે.) કોઈપણ ભાષાનું સામયિક તે ભાષાનું ઐતિહાસીક દસ્તાવેજ બની રહે છે. સાહિત્ય સામયિકની આપણે ત્યાં એક ઉજ્જવળ પરંપરા છે. તેમાંથી આપણને સાંપ્રત અને જીવંત સાહિત્યના સંપર્કમાં જે વૈચારિક સ્પંદનો ઝીલાયા હોય તેનો હિસાબ મળી રહે છે. સાહિત્ય સામયિક બહુઆયામી ફાયદો આપનાર છે. જેમાં સંપાદકની રસ રુચી, જીવંતતા અને પસંદગીને મોકળુ મેદાન મળે છે. આપણે ત્યાં ચાલતા સંપાદકોના અહમને પોષતા અને કવિત્વને જાણ્યા વિના જ કવિ બનાવી દેતાં સામયિકોની સંખ્યા વધારે છે. નિસ્બતથી એક વૈચારિક આંદોલન જન્માવતા સામયિકોને સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા કીમિયાગરને શોધવો રહ્યો. તો બીજી તરફ ઈશ્વર પેટલીકર કહે છે કે “હું “સંસાર” નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારૂ લખાણ તમે નહીં છાપો તો અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે હું માસિક નથી ચલાવતો. હું વાચકો માટે માસિક ચલાવું છું. જો વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં મને ગરજ વધારે છે. ” (સમાજધર્મ પૃ. ૧૯) ગુજરાતી સાહિત્યમાં ચાલતા સામયિકોને માટે ક્યાંક મધ્યાહને સૂર્ય તપે છે તો ક્યાંક ઢળતી સાંજ છે. આ બધાનું મુખ્ય કારણ કોઈ એક ન હોય પણ સંપાદકના વ્યવહારો સામે ગુજરાતી વાચકોની મફત અને માનભેર સામયિક મેળવવાની વૃત્તિ જવાબદાર છે. […]


તું અહીંયા રમવા આવ – ત્રિભુવન વ્યાસ 4

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી. તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી, તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી. તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી, તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી. તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી, કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી. બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી, તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી. – ત્રિભુવન વ્યાસ


ત્રણ પાગલપણાં – શ્રી અરવિંદ 11

મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. પહેલું પાગલપણું આ છે મારો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાને જે કાંઈ ગુણ ઉચ્ચ સંસ્કારો, વિદ્યા અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે. પોતાના કુટુંબના નિર્વાહ માટે તથા બીજી અત્યંત જરૂરી વસ્તુઓ માટે જેટલું જોઈએ તેટલું જ પોતાને અર્થે ખર્ચ કરવાનો માણસને અધિકાર છે. તે પછી જે બાકી રહે તે ભગવાનને પાછું સોંપી દેવુ જોઈએ. હું જો બધું જ મારા માટે, મારા સુખ માટે, મારા ભોગવિલાસ માટે વાપરી નાખું તો હું ચોર બનું. બીજું પાગલપણું મારામાં હમણાં પ્રવેશ્યું છે કે કોઈપણ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય પણ એ માર્ગે જવાનો મેં સંકલ્પ કર્યો છે. ત્રીજું પાગલપણું આ છે સામાન્ય લોકો સ્વદેશને એક જડ પદાર્થ – અમુક મેદાનો, ખેતરો, વનો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ સમજે છે. પણ હું સ્વદેશને માતારૂપે જોઉં છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું. હું જાણું છું કે આ પતિત દેશનો ઉધ્ધાર કરવાનું બળ મારામાં છે, શારીરિક બળ નહિં પણ જ્ઞાનનું બળ. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મતેજ પણ ચે. એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના લઈને તો હું જનમ્યો છું. મારા અણુંએ અણુંએ આ ભાવના ઓતપ્રોત છે. આ મહાધ્યેય સિધ્ધ કરવાને મને ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે. – શ્રી અરવિંદ


ગુજરાતી ભાષા માટે નેટ તરફથી ખુશખબર 10

ગુજરાતી ભાષાના ચાહકો માટે થોડાક સારા સમાચારો છે. ઈકોનોમીક ટાઈમ્સે હવે તેની ગુજરાતી ભાષામાં વેબસાઈટ રૂપી આવૃત્તિ શરૂ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા ગૃપના એક નવા પગલા તરીકે આની કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નથી એટલે કદાચ હજી તે બીટા સ્ટેજમાં હોઈ શકે. પરંતુ અંગ્રેજી અને હિન્દી પછી ત્રીજી ભાષામાં વિકલ્પ તરીકે ગુજરાતી ભાષાને સ્થાન મળ્યું તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ઓગસ્ટમાં તેમણે જ્યારે હિન્દીમાં વેબસાઈટ લોન્ચ કરી ત્યારથી ભારતીય ભાષાઓમાં તેમનું આવવું ધારેલું જ હતું. છતાં પણ કદાચ “વ્યાપાર કરતી પ્રજા” તરીકે ગુજરાતીઓ માટે આ સાહસ વહેલું કર્યું હોય તો કહેવાય નહીં. આ સારા સમાચાર એટલે પણ છે કારણકે બિઝનસ સ્ટાન્ડર્ડે તેમની ગુજરાતી વેબસાઈટ રેગ્યુલર અપડેટ કરવાનું બંધ કરી દીધું છે (જે તેમના ગુજરાતી હોમપેજ પરથી જોઈ શકાય છે), તેના બદલે આ એક સરસ વિકલ્પ મળી રહ્યો છે. રેડીફ ના એક રીપોર્ટ પ્રમાણે એક પરિષદમાં રેડીફ.કોમના સીઈઓ અને સ્થાપક અજીત બાલક્રિષ્ણનને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે રેડીફ હવે જાન્યુઆરી ૨૦૦૯થી ૨૨ ભારતીય ભાષાઓમાં “કોમ્યુનિકેશન” કરવાની સગવડ આપવા જઈ રહ્યું છે કારણકે ભારતીય ભાષાઓનો ઈન્ટરનેટ પર ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. આ પ્રમાણે રેડીફના બે પોર્ટલ પણ કદાચ ફરી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતી અને તમિલ ભાષાના પોર્ટલ અપડેટ કરવાની જરૂરત છે, તે યુનિકોડમાં નથી, ફોન્ટના ઘણાં પ્રોબ્લેમ્સ છે અને તેમને એક વ્યવસ્થિતતાની જરૂર છે. રેડીફ ક્વિલપેડમાં પણ ઈન્વેસ્ટ કરી રહ્યું છે જે ભારતીય ભાષાઓ માટે ટ્રાન્સલિટરેશનનું એક સાધન છે. જો કે હજી તેમાં ઘણાંય સુધારાની જરૂરત લાગે છે અને તેને મૂળ તો યૂઝરફ્રેન્ડલી બનાવવાની જરૃરત છે. મોબાઈલ વેબ બ્રાઉઝરના મહારથી ઓપેરા એ તેમનું ફાઈનલ ઓપેરામિની વર્ઝન […]


હું ઉપેક્ષિત – પ્રવીણ ગઢવી 6

ગામ છોડીને શહેરમાં ચાલ્યો ધર્મ છોડી ચર્ચમાં આવ્યો નામ બદલીને કોર્ટમાં આવ્યો જાત બદલીને ઓફિસમાં આવ્યો તોય, તમે મને ઓળખી કાઢ્યો, આંગળી ચીંધીને હસ્યા, ઘૃણાથી થૂંક્યા તમે તો જબરા ત્રિકાળજ્ઞાની વેદપંડિત શાસ્ત્ર પુરાણી ગમે તેટલા ગામ બદલું દેશ બદલું રૂપ બદલું નામ બદલું તોય તમે ઓળખી કાઢો મારા કપાળે દીધેલા તમે ડામ  – પ્રવીણ ગઢવી


જીવનનું સાફલ્યટાણું – સ્નેહરશ્મિ 1

અસહકારે દેશમાં જે હવા નવી ઉભી કરી એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક નવજીવનનો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડીયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતાં, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દ્રષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં નવજીવનમાં આવેલા સહી વિનાના એક લેખનું શિર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછાં વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈક નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યુ તે, નાખી નજર ન પહોચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં લહેરાતી અમે જોતાં. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક યુવતિઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દિપ્તી નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી કોઈ પણ વ્યક્તિને – કિશોરોથી માંડીને વૃધ્ધો સુધી – મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓનાં બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા, એ જીવનનો અણમોલ લહાવો હતો. ૧૯૨૦-૨૧ના અરસાના એ બધાં દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના અને નવી જ્ઞાન ક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહનાં હતાં. અનાવિલ […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 8 (ટાઈમ-પાસ) 5

ઘણા મહીનાઓ પહેલા આ શૃંખલા શરૂ કરી હતી પણ પછી સર્ચ કરવા જરૂરી સમયના અભાવે અટકી પડી. ગયા અઠવાડીયે ડીજીટલ કેમેરા અને ફોટોગ્રાફી વિશેની વેબસાઈટસ વિશે લખ્યું હતું. આજે થોડું અલગ અને નવું. આજે કેટલીક ટાઈમપાસ પૈસા વસૂલ વેબસાઈટસ વિષે. ઓફીસમાં ઘણાં પેપર્સ હોય છે, અને તે પેપર્સની વચ્ચેથી મોં ઉપાડવાનો જ્યારે તમને સમય મળે ત્યારે આ એક વેબસાઈટ અવશ્ય જુઓ. એ અસંખ્ય પેપર્સના ઢગલા માંથી એકાદ પેપર ઉપાડો અને અહીં બતાવ્યા પ્રમાણે “કળા” કરો. અનેક ફ્લેશ બેઝ્ડ એપ્લીકેશન્સ અને તેના અવનવા અને ચિત્ર વિચિત્ર ઉપયોગો વિષે આ વેબસાઈટ જેટલી સમૃધ્ધિ ભાગ્યેજ ક્યાંક જોવા મળે, એક કણની ગુરુત્વાકર્ષણ ક્ષમતા હોય કે કર્સરનો ફૂલોનો બગીચો, કે બિંદુઓમાંથી રચાતી અનેકો આકૃતિઓ …. અહીં દરેક પ્રોગ્રામ નવીન છે. કોપીરાઈટ વગરના ૧૪૦૦૦થી વધારે પુસ્તકો – લેખો અને સંદર્ભો વાંચવા માટેની એક ઉત્તમ વેબસાઈટ, એરીસ્ટોટલ, વિક્ટર હ્યૂગો તથા માર્ક ટ્વેઈન જેવા લેખકોનાં અનેક પુસ્તકો અહીં વાંચવા મળશે. અને તે પણ તદન ફ્રી. કાંઈ કામ ન હોય અને મારવા માટે માખીની પણ અછત પડતી હોય તો અહીં આ વેબસાઈટ પર આવો, તમારી માખી મારવાની સ્કીલ અહીં વાપરો, કદાચ બીજાઓએ મારેલી માખી કરતા વધુ માખી મારો. નવરા બેઠા આવતી કાલના વર્તમાનપત્રની હેડલાઈન વિચારો અને એ કેવું દેખાશે એ આ વેબસાઈટ પર જુઓ. પર્સનલ ગિફ્ટ માટે નકલી સમાચારપત્રો બનાવો. બે સરખા ચિત્રો અને તેમની વચ્ચે ભેદ બતાવવાવાળી રમત રમ્યા છો? આ વેબસાઈટ આપે છે એ રમત સાથે ટાઈમપાસની પૂરી ગેરેંટી. અને એક પછી એક લેવલમાં વધતી મુશ્કેલી આ વેબસાઈટની ખાસીયત છે. To visit the series about wonderful websites : click Know More ઇન્ટરનેટ