Monthly Archives: June 2015


બ્રેવહાર્ટ્સ : શૌર્ય, સાહસ અને સત્વસભર સત્યકથાઓ.. 5

લલિતભાઈની કલમે હોલીવુડની અનેક ફિલ્મોના વિશદ અને ઉપયોગી છતાં મનોરંજક રિવ્યુ તેમની કટારમાં માણતા હોઈએ ત્યારે તેમના તરફથી આ પ્રકારનું પુસ્તક આશ્ચર્ય તો નથી જ! નવી પેઢીના પત્રકારો પાસેથી, લેખકો પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ વાચકો રાખે છે તેમાં સતત કાંઈક નવું મેળવવાની ઝંખના અને માહિતીની સાથે સાથે વાંચનની ખરી મજા આવે એવું કાંઈક વાંચ્યાનો સંતોષ ‘બ્રેવહાર્ટ્સ’માંથી મળી રહે છે. પુસ્તક લેખનના મર્યાદિત પ્રકારોની બહાર નીકળી ઉપયોગી માહિતી તથા ગુણવત્તાસભર લેખો ‘બ્રેવહાર્ટ્સ’માં પ્રસ્તુત કરતા લલિતભાઈને અનેક શુભકામનાઓ.


ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 5

રાજકોટના પ્રસિદ્ધ ગઝલકાર મિત્ર રાકેશભાઈ હાંસલિયાની કલમે અવતરેલી ચાર તરોતાઝા ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે વાચકમિત્રોને આ નવી રચનાઓ ગમશે. રાકેશભાઈ સદાય તેમની નવીન રચનાઓ અક્ષરનાદ વાચકો સાથે વહેંચે છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


તૂફાન મેલ – રાજુલ ભાનુશાલી 16

ઓહો.. આજે તો ‘તૂફાન મેલ’ આવે છે..!

આ તૂફાન મેલ એટલે અમારા એક કૌટુંબિક સગાનો સાત વર્ષનો પુત્ર. નામ એનું ‘દેવ’. આ ‘દેવ’નું દિમાગ કઈ ઘડીએ કઈ દિશામાં દોડશે એ તો ફક્ત ‘દેવ’ જ જાણે. એ આજે શું ઉથલપાથલ મચાવશે એનો વરતારો કોઈ ન કરી શકે! મને એની અમુક પાછલી મુલાકાતો યાદ આવી ગઈ અને એ સાથે જ યાદ આવ્યું પેલું ફ્લાવરવાઝ જે દિકરી કોલેજની ટ્રીપમાં દિલ્હી ગયેલી ત્યાંથી લઈ આવેલી. બિચારું તૂફાન મેલની અડફેટે ચડી ગયેલું!


મંત્રદ: પિતા – કંદર્પ પટેલ 8

આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારનું શિક્ષણ લેવાની નિશાળ એટલે ‘ધન્યો: ગૃહસ્થાશ્રમ’. એ નિશાળમાં જગતસમક્ષ આદર્શભૂત સામાજિક ગુણો, દિવ્ય કૌટુંબિક જીવન અને શ્રેષ્ઠતમ નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન ઉભું કરનાર વ્યક્તિ એટલે પિતા. કૌટુંબિક હૃદયપુષ્પોને પરસ્પર શુભ્ર મોતીની માળામાં એકસૂત્રતાથી પરોવીને રાખે તે એટલે પિતા.

પિતા એ…


રતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ 13

સાલ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર, ૬૮ વર્ષના શ્રી પ્રવીણભાઈ શાહ આજે તેમના રતનમહાલના પ્રવાસ વિશેનો ફોટોગ્રાફ્સ સાથેનો સુંદર લેખ લઈને ઉપસ્થિત થયા છે. ‘રતનમહાલ’માં ‘મહાલ’ શબ્દ છે, પણ આ કોઈ રાજામહારાજાનો મહેલ નથી બલ્કે એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી તે ૮૬ કી.મી. દૂર આવેલું છે. ગોધરાથી ૪૦ કી.મી. દેવગઢબારિયા અને ત્યાંથી બીજા ૪૬ કી.મી. જઈએ એટલે રતનમહાલ પહોચી જવાય. ગોધરાથી કે દેવગઢબારિયાથી બસમાં, કારમાં કે જીપ ભાડે કરીને રતનમહાલ જઈ શકાય છે. પ્રવીણભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.


રેશનાલિઝમ : એક પરિચય – રમણ પાઠક 6

‘રેશનાલિઝમ’ એક એવો માનસિક અભિગમ છે કે જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. અને જેનો હેતું ફિલસૂફી તથા નીતિશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈપણ વ્યક્તિ કે ગ્રંથ (ઓથોરીટી)ની એકપક્ષી માન્યાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્રારા ચકાસી સત્ય યા અસત્ય સિદ્ધ કરી શકાતી હોય.

ઉપર્યુક્ત વ્યાખ્યા લંડન રેશાનાલીસ્ટ એસોસીએશનને ઘડેલી છે, અર્થાત અંગ્રેજીભાષીઓ વડે રચિત છે છતાં એમાં ક્યાંય ‘બુદ્ધિ’ ( intellect or intelligence) શબ્દ પ્રયોજવામાં આવ્યો નથી.


ભૂરી – દોસ્તોયેવ્સ્કી, અનુ. ડૉ. જનક શાહ 5

જેલમાં આવ્યા પછી મારા માટે આ બીજી દિવાળી હતી. બેસતા વર્ષના દિવસે અમને કામમાંથી મુક્તિ આપવામાં આવતી. જો કે કામમાંથી મળતી મુક્તિ અમારા માટે એક પ્રકારની સજા જ હતી. નવરાશમાં વિચાર સિવાય બીજું સૂઝે શું ? ગત દિવસોની યાદ પૂરા જોશથી ઊભરાઈ આવે ત્યારે કેદીને એક બોજો થઈ પડે છે. જ્યારે કામમાં તો માનવીનું મન રોકાયેલું હોવાના કારણે તેને વિચારવાનો કોઈ જ સમય રહેતો નથી.

આજે બેસતું વર્ષ હતું. જેલ શાંત હતી. આજે પેલી બેડીઓના અવાજ, સાંકળોના ખણખણાટ કે કેદીઓની હાજરીની બૂમો કશું જ ન હતું. કેટલાક કેદીઓ આ શાંતિનો ભંગ થશે તો ? એ બીકે ખૂબ ધીમું ગણગણતા હતા. આજે તેઓ ગુનેગાર છે તેનું ભાન કરાવતી બેડીઓ હાથે કે પગે ન હતી.


વાચકમિત્રોની કાવ્યરચનાઓ.. – સંકલિત 9

અક્ષરનાદ માટે અનેક મિત્રોની રચનાઓ મળતી રહે છે જેમાં ૯૦% પદ્યરચનાઓ હોય છે, કેટલીક સુંદર અને માણવાલાયક કૃતિઓ પ્રસ્તુતિ માટે મળે છે અને સાથે એમાં કેટલીક રચનાઓ એવી પણ હોય છે જે ભૂલો સાથે પણ, કોઈ બંધારણમાં બેસી શકે એવી કદાચ જ હોય. જે મિત્રો પ્રથમ વખત કાવ્યરચના કરતા હોય તેમની ભૂલ થવી સ્વભાવિક છે, તેમની રચનાઓમાં વિચારના પ્રાધન્યને લીધે અને શાસ્ત્રીય સર્જનની જાણકારીના અભાવને લીધે પ્રસ્તુતિ માટે પસંદ ન થાય એવો ભય પણ રહે છે. પણ ત્યારબાદ વધુ સર્જન કરતી વખતે તેઓ જે તે પદ્યપ્રકારની જાણકારી મેળવી સર્જનરત થાય તે ઇચ્છનીય છે. લગભગ બંને પ્રકારની રચનાઓનો સમન્વય કરીને સમયાંતરે આ પદ્યરચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થાય જ છે, એ જ શ્રેણીમાં પસંદ કરીને આજે પાંચ મિત્રોની કૃતિઓ પ્રસ્તુત કરી છે. સંજય ગુંદલાવકર, ટી.સી. મકવાણા, વિનોદ પટેલ, આશિષ આચાર્ય અને હંસા રાઠોડ ‘અનુભૂતિ’ ની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બધાંય મિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર અને તેમની સર્જનયાત્રા માટે શુભેચ્છાઓ.


એક સાંજ – પોળોના જંગલને નામ.. – મેહુલ સુતરીયા 12

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે આવેલું પોળોનું જંગલ. તેના શ્રેષ્ઠ સ્મારકો તેનાં ભવ્ય ઇતિહાસની ગાથા ગાય છે. એકવાર ચોક્કસથી માણવા જેવી આ જગ્યા છે. પ્રકૃતિપ્રેમી અને ઇતિહાસના રસિકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે.

આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા હમણાં જ થોડા સમય પહેલાં પોળો-મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેના પ્રચાર અને પ્રસાર થકી આ જગ્યાએ પ્રવાસીઓનો ધસારો હવે વધવા લાગ્યો છે. પણ હજુ કંઈક ખૂટે છે, સુવિધાઓને જો વધારવામાં આવે તો ચોક્કસથી આ જગ્યા તેના ઈતિહાસને બુલંદ રીતે રજૂ કરી શકે તેમ છે…


લગ્ન સંસારનો રોજમેળ નથી… – રમેશભાઈ ચાંપાનેરી 6

ચમનીયો કહે, ‘માન કે ન માન. પણ વિરોધ પક્ષની, મૂડીવાદી વાળી બૂમરાણ ખોટી તો નથી જ! સાલા કાગડા કૂતરાનો કોઈ ભાવ નથી પૂછતું અને સરકાર સિંહની વસ્તી ગણતરી કરવાં નીકળી! શાના માટે ભાઈ? એ જંગલનો અનિલ અંબાણી છે એટલે? અરે જંગલનો રાજા હોય તો એના વનમાં. આને મૂડીવાદ ના કહેવાય તો શું સમાજવાદ કહેવાનો.? શું કૂતરા, કાગડા, કબૂતરા, ને બિલાડાને જીવ નથી? બિચારા રાજા નથી તો શું થયું, “એમ.ઓ.યુ” તો એની સાથે પણ કરવાં જેવાં ઘણાં છે. ક્યારેક ભિખારીઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક ગાંડાઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક રાજમાં વાંઢાઓની વસ્તી ગણતરી કરી છે? ન જ કરી હોય. કરતી હોય તો કહેવાય કે સરકાર સાલી દિન દુખિયાની પડખે પણ છે! બિચારી રખડતી ગૌ માતાની જેમ કોઈ એનું વિચારતું જ નથી. હવે તમે જ કહો, એ બિચારા ‘મનકી બાત’ કોને કહેવા જવાના? એમના પણ કોઈ ખૌફ તો હોય જ ને? એ ક્યાં કાઢે? તો અમારાં ઉપર કારણ હવે તો એમને પણ ખબર પડી જ ગઈ છે કે, અમે જ મત આપીને આ સરકાર બનાવીએ છીએ!


છેલ્લી બાજી… – સમીરા પત્રાવાલા 13

વહેલી સવારે છાપાં પર નજર કરી. પોલિટિકલ ન્યુઝ આમ તો મને ઉડતી નજરે જ જોવા ગમે છે, પણ આજે કંઈક અલગ જ હતું! મહિલા મોરચા ની વિશેષ કામગીરીએ એક ઉંચી વગનાં બળાત્કારીને સજા અપાવી હતી એના એ સમાચાર હતાં. ઉડતી નજરે પણ મોટા મોટા નામો અને અમુક ફોટાઓ વચ્ચે એક ચહેરા પર નજર અટકી પડી. એ ચહેરા સાથે નામ હતું કોર્પોરેટર “નસીમ શેખ”

મારા માટે આ ચહેરો અજાણ્યો ન્હોતો. નસીમ મારી નજર સામે મોટી થઈ હતી અને આજે મોટા માણસો વચ્ચે ઉઠતા બેઠતા પણ થઈ હતી મારા માટે એ ગર્વની વાત હતી. નસીમ મારી કામવાળી નૂરબેનની સાવકી ઓલાદ હતી. એની માનાં મોત પછી એની માસી જ એની નવી મા બની ગઈ હતી. એના અબ્બા પણ ચપ્પલ સીવી ગુજરાન ચલાવતાં. નસીમ એમની આંખોનો તારો હતી. માનું વર્તન એની હાજરીમાં ખુબ સારું હતું પણ નસીમ એટલી નસીબદાર ન્હોતી.


મારી કલ્પનાનું ગુજરાત.. – નેહા પંચાલ 24

“જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઈચ્છતા હોવ,
જો તમારું ધ્યેય વસુધૈવ કુટુમ્બકમ હોય, તો..
ગુજરાત તમારા માટે જ છે.”

ખરેખર, જેણે આ પંક્તિઓની રચના કરી છે, તે યથાર્થ છે. કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે? અને તે પણ મારી માતૃભૂમિ – મારી જનની ગુજરાતની કલ્પના! ગુજરાત રાજ્યને એક ઉજ્જવળ ભવિષ્ય છે, સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે. ગુજરાત ઉત્કૃષ્ટતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના શિખરો સર કરશે અને સામાન્ય માનવીનું જીવનધોરણ એ જ રીતે ઉંચુ આવશે.