Monthly Archives: December 2014


તૃતીય ગણેશ પીઠ-પાલીના બલ્લાલેશ્વર ગણપતિ – પૂર્વી મોદી મલકાણ 5

બલ્લાલેશ્વર ગણપતિ એ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના મંદિરોમાં તૃતીય ગણપતિ ગણાય છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં આવેલ છે. આ સ્થાન સરસગઢ કિલ્લા અને અંબા નદીની પાસે આવેલ છે. અષ્ટવિનાયકમાં એક વિઘ્નેશ્વરાયજી છે જેમણે દેવોના દુશ્મન વિઘ્નાસુરનું નામ ધારણ કરેલું છે. પરંતુ કેવળ એક બલ્લાલેશ્વર ગણેશજી જ એવા ગણેશજી છે જેઓએ પોતાના ભક્તનું નામ ધારણ કર્યું છે.


પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી 12

પારકાની પંચાત કરવી એ પણ એક કળા છે..!

એ તો આપણો વહેમ છે બકા.. કે, આપણે બહુ સારાં માણસ છીએ. બાકી પંચાત કરતાં ના આવડતું હોય તો, જાતને ‘ ઝીરો ‘ જ માનજો! આપણે હજી પંચાતીયાઓ જેટલાં ‘નાડ-પારખું’ નથી! આ લોકો એવાં ટેસ્ટી હોય કે આપણું ભેજું ફ્રાઈ કર્યા વગર ચાવી જાય! આપણા ડ્રાય ભેજાનું તો એમની આગળ પાંચિયું પણ નહીં આવે! ‘પંચાતિયા’ એટલે પારકી પંચાતના સ્ટૉકીસ્ટ અને હોલ-સેલ ડીલર! એનો ધંધો જ એ! જ્યાં સુધી કોઈની પંચાત ના કરે ત્યાં સુધી એમના ચોઘડિયાં સુધરે જ નહીં!


આંતરખોજની અભિવ્યક્તિ (કાવ્યાસ્વાદ) – તરુણ મહેતા 7

ભાવનગર સંસ્કારનગરી તરીકેની ઓળખ ઊભરી રહ્યું છે. આ ભૂમિ પર અનેક કવિઓ સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિને માનવતાની મહેકને જિવંત રાખી છે. પસ્તુત ગઝલ કવિયિત્રિ શ્રી જિજ્ઞાબેન ત્રિવેદી છે. જેમણે ‘અર્થના આકાશમાં’ સંગ્રહથી ભાવઓનું ધ્યાન ખેચ્યું છે. અનેક સામાયિકો, દૂરદર્શન અને આકાશવાણીમાં પણ તેની સર્જકતા પુરસ્કૃત થઈ છે. તેમની કવિતામાં ભાવસંવેદનની ગહેરાય અને અર્થની અગણિત શક્યતાઓ પડી છે.


શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ : પરીક્ષાલક્ષી કે વાસ્તવલક્ષી? – કંદર્પ પટેલ 4

વર્તમાન શિક્ષણની કંગાળ પરિસ્થિતિ પર નજર ઠરાવતા એવું જણાઈ આવે કે, વિદ્યાર્થીઓ યંત્ર છે, શિક્ષકો કંટ્રોલર છે અને શિક્ષણસંસ્થાઓ પોલીટીક્સ ઈવેન્ટ્સના અડ્ડાઓ છે. આટ-આટલા વર્ષો કહેવાતા ઉચ્ચ કોર્સનો અભ્યાસ કર્યા પછી પણ જે વિદ્યાર્થીને ‘કાબેલ’ બનાવવાને બદલે ભવિષ્યના વિચાર માત્રથી ડરતો ‘કાયર’ બનાવે એ કઈ રીતે સાચું શિક્ષણ હોઈ શકે? થીંક ઓન ધેટ. ૨+૨=૪ થાય એ કદાચ દરેકને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડશે પરંતુ બીમાર વ્યક્તિને રાત્રે હોસ્પિટલ કેમ લઇ જવો એ નહિ આવડે. વોટ્સએપ-ફેસબુક પર લાંબા-લચક અઢી કિલોમીટરના ‘ગુડ નાઈટ’ ના મેસેજ પોસ્ટ કરતા આવડશે પરંતુ મમ્મી-પપ્પાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા કોણ શીખવશે? દરેક મેચ-ખેલાડીનો સ્કોર યાદ હશે પરંતુ પોતાની માનસિકતાનો સ્કોર કેટલે પહોચ્યો એ માપ્યું કે? કાલાંતરે માનવી પર અલગ-અલગ અસરો થઇ છે.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯) 1

આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં પથિકની નકારાત્મક વર્તણુંક માટે ઘણાં કારણો જવાબદાર હતાં. પથિકને રોજીંદી દરેક બાબત કરવામાં કંટાળો આવતો હતો. રોજીંદા કામ કરવા માટે જરૂરી ચાલકબળનો પથિકમાં અભાવ હતો પરંતુ ટીવી જોવાનું એક કામ પથિક ખૂબ જ સમયસર અને જરૂરિયાત કરતાં ઘણું વધારે કરતો. કદાચ આના કારણે જ અન્ય કામો પ્રત્યે પથિકને અરુચિ થઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલાં ગુજરાતમિત્રમાં દર બુધવારે ‘પરવરિશ’ શીર્ષક હેઠળ કોલમ લખવાનો મોકો મળ્યો હતો ત્યારે ‘ટીવીને IDIOT BOX કેમ કહેવાય છે?’ એવો એક લેખ બાળકોનાં અનુસંધાનમાં લખ્યો હતો આજે પણ લખવાનું તો બાળકોનાં અનુસંધાનમાં જ છે છતાં એક વાત જે લાંબા સમયથી મનમાં ખટક્યાં કરે છે તે જણાવી રહી છું.


સર્વોચ્ચ રહસ્ય (અધ્યાત્મ કથા) – ભાણદેવજી 3

એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે હજારો વર્ષથી આ સૃષ્ટિ પર જ્ઞાનની અપરંપાર વૃદ્ધિ થઈ છે. આ સર્વ જ્ઞાનની જાળવણી થવી જોઈએ. સર્વ જ્ઞાન ગ્રંથસ્થ થવું જોઈએ. રાજાએ પંડિતોની સભા ભરી અને પંડિતોને આદેશ આપ્યો – “સૃષ્ટિના સર્વજ્ઞાનને ગ્રંથસ્થ કરો”
પંડિતોને એક મોટો સમૂહ કામે લાગી ગયો. વર્ષૉની મહેનત પછી એક મોટી ગ્રંથમાળા તૈયાર થઈ, પંડિતોએ આ ગ્રંથમાળા રાજાની સમક્ષ રજૂ કરી.
રાજાએ આ વિશાળ ગ્રંથસમૂહ જોયો. આ ગ્રંથમાળા તો ખૂબ સરસ બની હતી, પરંતુ તે વિશાળકાય હતી. રાજાએ પંડિતોને કહ્યું – “અરે! આ તો અતિ વિશાળ ગ્રંથમાળા છે. આટલો મોટો ગ્રંથસમૂહ કોણ વાંચી શકે? ??


મામેરું – ભારતી કટુઆ 13

લીલાએ બે વર્ષ પહેલાં ભરેલી મગની ટાંકી આડી કરી. છેક અંદર હાથ નાખી રેતી અને રાખમાં દાબેલા મગ પીપના મોં સુધી આણ્યા.ચાળણીમાંથી રેતી અને રાખ ચળાઈ ગયા પછી માંડ એકાદ કિલો જેટલા મગ વધ્યા હતા. રેતીમાંથી ઊડતી રાખથી આખા શરીરે ભભૂતી લગાવી હોય તેવું લાગતું હતું.

‘લે હવે તો મગેય ખૂટ્યા’ એવું વિચારતાં આકાશ સામે જોવાઇ ગયું. આંગણાંમાં દોડાદોડી કરતાં છોકરાને જોઇ તે મનોમન બોલવા લાગી, ‘આ બિચારાને ખબરેય નથી કે ઉપરવાળો સામું જોશે તો ઠીક, નહીતર રોટલા માટે દોડવું પડશે.’

લીલાએ સૂપડામાં મગ નાખ્યા એ વખતે જ ડેલીની સાંકળ ખખડી. ‘અત્યારે વળી કોણ આવ્યું.’ લીલાએ પગને વળગી પડેલા છોકરાને કાખમાં તેડ્યો અને…


ત્રણ પદ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 16

મિતુલભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેઓ ત્રણ પદ્યરચનાઓ લઈને ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


અનાથનું એનિમેશન ભાગ ૧ (સત્યકથા આધારિત) – સુરેશ જાની 14

જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાત લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


કર્મનો સિદ્ધાંત અને પ્રમાણિકતા – સંજય દૂધાત 12

મારી સાથે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપનીમાં શિપ રિપેર વિભાગમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત શ્રી સંજયભાઈ દૂધાત સુંદર લેખન કરે છે એવી ખબર થોડાક દિવસ પહેલા જ થઈ, તેમનો આ પેખ ‘ઘર એક તીર્થ’ સામયિકમાં પ્રસ્તુત થયેલો જે તેમણે પાઠવ્યો હતો. આજે એ જ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે. પ્રમાણિકતાની અને કર્મના સિદ્ધાંતની વિશદ વાત તેઓ મૂકે છે. તેમની કલમને અનેક શુભકામનાઓ…


મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ.. – પૂર્વી મોદી મલકાણ 10

અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. અમેરીકાથી ટૂંક સમય માટે ભારત આવેલા પૂર્વીબેન મોદી મહારાષ્ટ્રના ગણેશ શક્તિપીઠ મયૂરેશ્વરની તેમની મુલાકાત વિશે અને એ સ્થળવિશેષ વિશે વિગતે જણાવે છે.


જીમેલમાં ખાંખાખોળા… – જીજ્ઞેશ અધ્યારૂ 13

ગૂગલે જ્યારે ૧ એપ્રિલ ૨૦૦૪ના દિવસે જીમેલની જાહેરાત કરી ત્યારે માઈક્રોસોફ્ટ અને યાહુ ઈ-મેલ સુવિધા આપતી અગ્રગણ્ય કંપની હતી. માઈક્રોસોફ્ટના હોટમેલ કરતા લગભગ ૫૦૦ ગણી વધારે એવી ૧ જીબીના સ્ટોરેજ સાથે ગૂગલે જાહેર કરેલ જીમેલને ત્યારે મોટા ભાગના લોકો એપ્રિલફૂલ જોક સમજ્યા હતા. એ સમયે જીમેલ ‘ઇન્વાઈટ ઓન્લી’ સુવિધા હતી, ૨૦૦૭માં તેને પૂર્ણપણે સાર્વજનિક કરાઈ ત્યારથી લઈને આજ સુધી એ નિઃશુલ્ક વેબમેઈલ વિભાગમાં એકહથ્થુ સામ્રાજ્ય કરે છે. પણ તેની શરૂઆતના સમયે જીમેલને અન્ય સ્પર્ધકોથી આગળ લઈ જનાર વસ્તુ હતી તેની મોટી સ્ટોરેજ ક્ષમતા અને ‘ઇ-મેલમાં આંતરીક શોધની સુવિધા.’


હું અને મારો કેમેરો.. – કંદર્પ પટેલ 10

કંદર્પ પટેલની આ પહેલા પણ એક કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. કેમેરા સાથે એક ચાહકનો, એક ભાવકનો સંબંધ કેળવી ચૂક્યા હોય તેવા રસિયાઓ માટે કેમેરો એક પ્રેમિકાની, એક દોસ્તની, એક શિક્ષકની કે એક સહારાની ગરજ સારે છે. આવા જ કેટલાક અલંકૃત વાતો સાથેના આજના આ લેખને માણીએ, અક્ષરનાદને લેખ પાઠવવા બદલ કંદર્પભાઈનો આભાર.


ઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ 14

અમેરિકાના સાન ડિએગોમાં રહેતા વિનોદભાઈ પટેલ તેમના બ્લોગ દ્વારા વિચારો વહેંચતા રહે છે. તેમણે પોતાની એક સરળ કૃતિ ‘ઇન્ડીયન અમેરિકન’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ 9

શ્રી ગોવિંદભાઈ શાહનું સુંદર પુસ્તક ‘તારે સિતારે’ અનેક સુંદર લઘુકથાઓ સાથે અનેક પ્રેરણાદાયક વાતો મૂકે છે. આજે પ્રસ્તુત છે તેમાંથી જ બે સુંદર લઘુકથાઓ. અક્ષરનાદને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


કમળપૂજા (વાર્તા) – હિમાંશી શેલત 4

હથોડાએ પોતાનું કામ પાકું કર્યું. પરસુને લોહી રેડાય એ ગમતું નથી, એટલે લાંબા વિચારને અંતે હથોડા પર પસંદગી ઢળી. બાવડામાં તાકાત નહીં, એટલે છ મહિના એને મજબૂત કરવા પાછળ આપેલા. બદરુ અખાડા જેવું ચલાવતો ત્યાંયે પરસુ આટાં મારી આવેલો. હાથવાળીને ગોટલા જોઈ પછી એ હરખાતો થયો. હથોડો નવો લીધેલો. પકડીને ફેરવવાની ટેવ પાડેલી. કામ પાકે પાયે થવું જોઈએ.

પહેલે ફટકે જ ઓરત ભોંયે પડી તેથી જરાય નવાઈ લાગી. આટલું સહેલું? દુર્બળ શરીર, પાંચ છ છોકરાને જનમ આપવામાં ખતમ થઈ ગયેલું. ન પ્રતિકાર, ન ચીસ. માટીનું હોય એમ ભોંયે ફસકાઈ પડ્યું એ. જે કરવા ધારેલું એ તો થઈ ગયું. હવે?


દસ મુકતકો.. – યાકૂબ પરમાર 8

અક્ષરનાદ પર જેમની પદ્યરચનાઓ સમયાંતરે માણવા મળે છે તેવા યાકૂબભાઈ પરમારનો મુક્તકસંગ્રહ ‘હવાનાં રૂપ’ અમદાવાદના રંગદ્વાર પ્રકાશન તરફથી ૨૦૧૨માં પ્રકાશિત થયો હતો. આજે પ્રસ્તુત છે તેમણે અક્ષરનાદને પાઠવેલાં દસ સુંદર મુક્તક. છંદબદ્ધ અને રચનાની શિસ્ત સાથેની આ કૃતિઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


સંકલિત ગઝલરચનાઓ.. – ‘લઈને.. અગિયારમી દિશા’ સંગ્રહમાંથી 6

ફેસબુક પર ગુજરાતી ગઝલસર્જનમાં રત એવા મિત્રોના એક સમૂહ દ્વારા તેમના ગઝલસર્જનને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરાયું. ‘ગઝલ તો હું લખું’ ફેસબુક ગૃપના ગઝલકાર મિત્રો પારૂલ ખખ્ખર, મોહસીન મીર, મેહુલ ભટ્ટ, ભાવેશ શાહ, ટેરેન્સ જાની, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, કાંતિ વાછાણી, યોગેન્દુ જોષી અને અનંત રાઠોડની ગઝલરચનાઓનું સંકલન એટલે સુંદર ગઝલસંગ્રહ ‘લઈને. અગિયારમી દિશા’. આજે પ્રસ્તુત છે તેમાંથી પાંચ સુંદર ગઝલો. અક્ષરનાદને ગઝલસંગ્રહ પાઠવવા બદલ શ્રી કાંતિ વાછાણીનો ખૂબ આભાર અને સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ. સોશિયલ મિડીયાના સુંદર અને સાર્થક ઉપયોગની આ પદ્ધતિ અનેકોને ઉપયોગી થઈ રહે એવી શુભકામનાઓ.