Monthly Archives: August 2012


બદમાશ (ટૂંકી વાર્તા) – ઝવેરચંદ મેઘાણી 9

આપણા રાષ્ટ્રીય શાયર અને ગુજરાતીના આગવા લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીનો ૨૮ ઓગસ્ટે – આજે જન્મદિવસ છે, તેમને આજના દિવસે તેમની જ એક સુંદર વાર્તા દ્વારા યાદ કરીએ, અક્ષરનાદ અને સમગ્ર વાચક પરિવાર તરફથી શ્રી મેઘાણીને વંદન

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઇએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રૂક્ષ્મિણીએ એ પછડાટમાંથી ઊઠી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રૈન સ્ટેશન-યાર્ડને વટાવી ગઇ.

ખાલી પડેલા પ્લાટફોર્મ પર જે કોઇ આ દૃશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી : ‘સા’બલોકના પોરિયા થઇ ગયા બધા ! – ‘પંક્ચ્યુઅલ’ ટાઇમ પર જ આવનારા !’

‘— ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !’

આ વાક્યે રામલાલને ચમકાવ્યો…..


૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ – હર્ષદ દવે 8

૨૪મી ઓગસ્ટનો દિવસ કયા કારણે વિશેષ છે? યાદ ન આવે તો કહી દઉં, એ આપણા શ્રી નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે, આશા છે આપને હવે તો ખ્યાલ આવ્યો હશે કે હું કવિ નર્મદની વાત કરી રહ્યો છું જેમનો ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે સૂરતમાં જન્મ થયો હતો. આ જ દિવસને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા. વિશ્વ ગુજરાતી ભાષા દિવસને તેમની સાથે સાંકળીને ભાષાનું ગૌરવ જ વધ્યું છે. આવતીકાલે વિશ્વભરના ગુજરાતીઓ આ દિવસને તેના સાચા અર્થમાં ઉજવે એ જ આશા સાથે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા પ્રસ્તુત છે ગુજરાતી ભાષાની આજ અને આવતીકાલ વિશે કેટલીક વાતો. હર્ષદભાઈનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


દરિયાકિનારે – વાડીલાલ ડગલી 5

‘શિયાળાની સવારનો તડકો’ જેવો નિબંધ સંગ્રહ, ‘સહજ’ જેવો કાવ્યસંગ્રહ, ‘કવિતા ભણી’ જેવો સાહિત્યનિબંધ સંગ્રહ અને ‘થોડા જોવા જેવા જીવ’ જેવો ચરિત્ર નિબંધ સંગ્રહ વગેરે પુસ્તકો આપ્યાં. શિકાગો યુનિવર્સિટીની પુસ્તિકા પ્રવૃત્તિ જોઈને પ્રેરણા પામીને શરૂ કરેલી પરિચય પુસ્તિકા પ્રવૃત્તિના તેઓ આદ્ય સંપાદક હતાં. પ્રસ્તુત નિબંધ ‘શિયાળાની સવારનો તડકો’માંથી લેવામાં આવ્યો છે, દરિયા વિશે મને સતત અને સદાય અનેરૂ આકર્ષણ રહ્યું છે, દરિયા વિશેની અનેક વાતો – ભાવનાઓ – સ્પંદનો – વિચારો અને અનુભવોને શ્રી વાડીલાલ ડગલી પ્રસ્તુત લેખમાં સહજ રીતે મૂકી આપે છે.


મારી કોટડીમાં સામાન ઘણો.. – નીનુ મઝુમદાર 2

સાહિત્યમાં વ્રજ, અવધિ, મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ તથા સંગીતમાં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત તેમજ રાગદારીનો અભ્યાસ જેમણે મેળવ્યો તેવા શ્રી નીનુ મઝુમદારની ઉપરોક્ત રચના કઈ કોટડી વિશે વાત કરે છે એ સમજવું ભાવક માટે જરાય મુશ્કેલ નથી. અર્થ સાવ સરળ અને સહજ છે. જીવનને એક કોટડી ગણી એમાં ભરેલા સામાનને, એના વિવિધ સ્વરૂપોને કવિ પ્રસ્તુત પદ્યરચનામાં અસરકારક રીતે વર્ણવે છે.


માણી લઉં હું આજને… (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 12

સામાન્ય રીતે વાર્તાની ઝડપ એટલી હોવી જોઈએ કે તેના વિષયવસ્તુને પૂર્ણપણે વાચક સુધી પહોઁચાડી શકાય, અતિશય ઝડપથી વહેતા પ્રસંગો અને સંવાદો વાર્તાનું સ્વરૂપ થોડુંક ગૂંચવણભર્યું કરી શકે છે. રિતેશભાઈની વાર્તાઓ ઝડપી હોવા છતા આ બાબતોને સફળ રીતે સંભાળી શકે છે. જો કે આજની વાર્તામાં એક સમજદારી ભર્યા સંબંધ વિશેની વાત તેઓ અનોખી ધીરજથી અને તેમની કાયમી ઝડપી ગતિ વગર કહે છે, વાર્તામાં એક અનોખો ઠહેરાવ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ વર્ષાકાવ્યો (ભાગ ૬) – સંકલિત 1

આજે પ્રસ્તુત છે ફક્ત ત્રણ વર્ષાકાવ્યો, દેવિકા ધૃવ, પ્રજારામ રાવળ અને મનોજ ખંડેરિયાની આ સુંદર રચનાઓ છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા વર્ષાકાવ્યોની આ મજલિસને અનોખા રંગે રંગીને તરબરત રસસભર કરશે એ ચોક્કસ. આપને આ ઈ-વર્ષાઋતુ કેવી લાગે છે તે ચોક્કસ કહેશો.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૫) 3

આજે પ્રસ્તુત છે વધુ પાંચ મનોહર વર્ષાકાવ્યો. આજે જે કવિઓની કૃતિઓ અહીં પ્રસ્તુત કરી છે તેમાં નિરવ પટેલ, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર અને સુન્દરમની રચનાઓ સમાવિષ્ટ છે. વરસાદમાં મોજથી નહાતા અને છબછબીયાઓથી બીજાઓને પણ ભીંજવતા નાના ભૂલકાંઓ જેવા આ કાવ્યોની રસધાર સાચે જ એક અનોખી શરૂઆત થઈ અને જોતજોતામાં પચીસ કાવ્યરચનાઓ એકત્ર થઈ ગઈ. હજુ આગળ પણ આવા જ વધુ કાવ્યો પ્રસ્તુત થતાં રહેશે. આપ તો બસ ભીંજાતા રહો આ ઝરમરમાં મૂશળધાર.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૪) 1

આજે ફરીથી વર્ષાકાવ્યોનો આ ચોથો ભાગ પ્રસ્તુત છે. આવા સુંદર કાવ્યો શોધાતા રહ્યાં, અનેક પુસ્તકો ફંફોસાતા રહ્યાં અને એક પછી એક એ ધોધમાર કૃતિઓ અને કાવ્યરચનાઓ મળતા રહ્યા છે એ અલગ આનંદની વાત છે. અહીં શક્ય હોય તેટલા વિવિધ રચનાકારોની વર્ષા અંગેની એક એક કૃતિ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પ્રસ્તુત થયેલ વીસેય કાવ્યોમાં એક પણ રચનાકારની બે કૃતિ નથી એ આપ જોઈ શક્શો. હજુ વધુ કાવ્યો આવતીકાલે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૩) 3

આજે ફરી પ્રસ્તુત છે પાંચ વર્ષાકાવ્યો. આ હેલી તો ધાર્યાથી વધુ લાંબી ચાલી, એટલે એ નીતર્યા નીતર્યા મનને લઈને આવા વધુ ગીતોની / કાવ્યકૃતિઓની તપાસ આગળ ધપાવી છે. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિવિધ કવિઓના સંકલન એવા કાવ્યકોડીયાં સંગ્રહમાંથી આ રચનાઓ અહીં પ્રસ્તુત કરી છે, એ સિવાય ગોપાલભાઈ પારેખે પાઠવેલી એક મિત્રની આવી જ રચનાઓના સંગ્રહની સુંદર ડાયરી અને અન્ય સ્ત્રોતમાંથી આવી રચનાઓ મળી રહી છે. ચાલો જોઈએ આપણે આવી કેટલી રચનાઓ એકત્ર કરી શકીએ છીએ. આ હેલીમાં રસતરબોળ થવા સર્વેને આમંત્રણ છે…


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૨) 3

ગઈકાલે કેટલાક વર્ષાકાવ્યો મૂક્યા હતા જેને આપ સર્વે મિત્રોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. આજે પ્રસ્તુત છે બીજા પાંચ એવા જ મનોહર વર્ષાકાવ્યો. આશા છે આપને આ વરસાદ ભીંજવતો હશે, સ્મરણોના – પ્રેમના – વહાલના – આનંદના – મિત્રતાના એમ વિવિધરંગી વરસાદમાં રસતરબોળ કરતો હશે. આજે પ્રસ્તુત છે શ્રી અવિનાશ વ્યાસ, ગની દહીંવાલા, બાલમુકુન્દ દવે, ઝવેરચંદ મેઘાણી અને ત્રિભુવન વ્યાસની વર્ષાકૃતિઓ. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશું પાંચ વધુ વર્ષાકાવ્યો એકત્ર કરીને પ્રસ્તુત કરવાનો.


આદ્યકવિઓના પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૧) 7

આપણા આદ્યકવિઓ જેવા કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, ન્હાનાલાલ કવિ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના વર્ષાકાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ વર્ષાકાવ્યોના વરસાદમાં સૌને રસતરબોળ કરવાનો પ્રયત્ન હજુ આગળ વધવાનો છે જે અંતર્ગત વધુ કાવ્યો મૂકાવાના છે. બે દિવસના વડોદરાના મુકામ દરમ્યાન વરસાદને મન ભરીને માણ્યો, શરીર પલળ્યું, મન પલળ્યું તો થયું વેબવિશ્વને પણ વર્ષાકાવ્યોના વરસાદમાં તરબોળીએ…


શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ 25

ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાઁ જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયુઁ છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.


નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… 15

કૃષ્ણભક્તિની વાત આવે અને નરસિંહનું નામ સ્મરણમાં ન આવે એ કેમ શક્ય છે? જન્માષ્ટમી નિમિત્તે આજે પ્રસ્તુત છે નરસિંહ મહેતાની સર્જેલી કુલ ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… આ સુંદર રચનાઓ એકત્ર કરી, ટાઈપ કરી મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.


દસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત 6

આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.


રાજેશ શેટ્ટી રચિત ‘લઘુ ગાથા’ સંગ્રહ : ગુચ્છ ૧ – અશોક વૈષ્ણવ 12

એવું લાગે કે કોઇ પણ વાત કહેવામાટે ૫૦ શબ્દોની મર્યાદા બહુ આકરી કહેવાય. પરંતુ,થોડી શિસ્ત અને થોડી સર્જનાત્મકતાનું યોગ્ય મિશ્રણ કરાય, તો ૫૦ શબ્દોમાં ઘણું કહી શકાય. આ લઘુ ગાથાઓ એ ૫૦ જ શબ્દોમાં કહેવાયેલ વાત છે – નહિ ૪૯ કે નહિ ૫૧, પરંતુ બરાબર ૫૦ જ. દરેક લઘુ ગાથા પોતાનો એક આગવો સંદેશ પ્રસ્તુત કરે છે. આજે પ્રસ્તુત છે શ્રી રાજેશ શેટ્ટી રચિત આવી જ લઘુગાથાઓના સંગ્રહમાંથી પ્રથમ 20 ગાથાઓનો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા અનુવાદ.


નિષ્કપટ અને સ્થિર ભક્તિમાં જ સાચું ઈશ્વરદર્શન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

ભગવાનને કરવામાં આવતી દ્રઢ અને સ્થિર ભક્તિના મહિમાની વાત આ શ્લોકમાં કરવામાં આવે છે. ભગવાનની ભક્તિ અનેક પ્રકારના લોકો અનેક રીતે કરતા હોય છે જેમ કે કોઈ ભગવાનના નામનો જાપ કરે, કોઈ ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરે, કોઈ વ્રત, ઉપવાસ કરે… અહીં પુષ્પદંત મહારાજ જણાવે છે કે ત્રુટક ત્રુટક ભગવાનની ભક્તિ કરતાં તૈલધારાવત સ્થિર ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરવામાં નિમિત્ત બને છે. ભક્તિમાં સ્થિરતા કે દ્રઢતા ત્યારે જ આવે જ્યારે ભક્તિનો આરાધ્યદેવ ઈશ્વર બરોબર સમજાયો હોય. ભગવાનના સ્વરૂપને સમજ્યા વગરની ભક્તિ જીવનમાં ગમે ત્યારે હતાશા કે નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે. એક સત્યઘટના આ મુજબની બની હતી.


પતિ-પત્ની વચ્ચેના સંબંધોમા અલગ અલગ તબક્કા – પી. કે. દાવડા 8

શરૂઆત થાય છે હળવા મળવાથી. આ તબ્બકામા બન્ને જણ પોતાનું સારાપણું દેખાડવા સભાન પ્રયત્ન કરે છે. આ તબ્બકામા બનેની સહિષ્ણુતા સામાન્ય કરતાં વધારે હોય છે. એકબીજાની નાની-મોટી ભૂલો જતી કરે છે, કારણ કે તેમને એકબીજાનો સહવાસ ગમે છે, અને વધુમા વધુ સમય સાથે ગાળવા પ્રયત્ન કરે છે. સામા પાત્રને કેવું લાગસે વિચારી, તેઓ એકબીજાથી ઘણી વાતો છુપાવે છે. આ તબ્બકામા બધું સમુસુતરું ઉતરે તો સંબંધ બીજા તબ્બકામા પ્રવેસે છે.


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

ઈશ્વર અને તેના જગત વિશે વિચારકોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ઈશ્વર વિશેની અનેક માન્યતાઓની ચર્ચા ૭મા શ્લોકમાં કરવામાં આવી હતી. જ્યારે હવે અહીં આ શ્લોકમાં વિચારકોની જગત પ્રત્યેની અનેક માન્યતાઓની ચર્ચા કરવામાં આવે છે. પુષ્પદંત મહારાજ કહે છે કે, હે પુરમથન ! આપની સ્તુતિ કરતાં મને કોઈ લજ્જા થતી નથી. બીજા લોકો આપના અને આ જગત વિશે જે વચનો બોલી રહ્યા છે તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું…


વરસાદમાં વતનની યાદ… – ઉશનસ 2

રોજીરોટી કમાવા અથવા અન્ય વિટંબણાઓને લઈને વતનથી દૂર જવું પડ્યું છે તેમને માટે અમુક ક્ષણો એવી આવે છે જ્યારે વતનની યાદ સતાવે છે. એમાં વર્ષાઋતુ મુખ્ય છે. પહેલા વરસાદમાં પોતાના વતનને – ગામને યાદ કરતા એ અદના માણસની મનોવેદના કવિશ્રી ઉશનસના પ્રસ્તુત કાવ્યમાં સુપેરે વ્યક્ત થાય છે. આ પરથમ પહેલાના ઘનઘોરેલ આકાશે માટીની સુગંધ અને હરીયાળી થઈ રહેલી ધરાને જોઈને કવિને પોતાના વતનથી દૂર હોવા છતાં ત્યાં જ હોવાનો અહેસાસ થાય છે. ગામના કાંઠે વહેતી નદી, ઘર, પણિયારાની માટલી અને આથમણા પાદર જાણે કવિને હાથવેંત છેટા જ લાગે છે. આવી સુંદર રચના એ સર્વેને અર્પણ જે ગોરંભાયેલા વતનના આકાશને યાદ કરીને તેનાથી દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ જીવંત રાખી શક્યા છે. પ્રસ્તુત રચના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત ‘કાવ્યકોડીયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


જગતને પોષનાર આશુતોષ પોતે દરિદ્ર કેમ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

સગુણ અને નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી ભગવાનના કોઈ એક અવતાર કે તેના લીલા સ્વરૂપનું વર્ણન કરતાં ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, હે વરદ એટલે કે વરદાન આપનારા મહાદેવ… વર એટલે ઈષ્ટ કે શ્રેષ્ઠ વસ્તુ દરેક વરદાનના પ્રત્યુત્તરમાં માત્ર તથાસ્તુ એટલે કે માંગનારની સર્વ ઈચ્છા પૂરી થાવ એમ કલ્યાણ કરનારા, આપના કુટુંબનું ભરણપોષણ માટે આપની પાસે સાધન શું છે? જેમ વ્યવહારમાં ઘર, પરિવાર ચલાવવા માટે નોકરી, ધંધો કરતા હોઈએ તેમ પુષ્પદંત મહારાજ વિચારે છે કે ભગવાનનું ઘર તો સમગ્ર વિશ્વ છે તો ભગવાન કયા સાધનોથી વિશ્વનું પાલન પોષણ કરે છે?


ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 9

વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે. આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે


અનેક પંથને અનુસરનારનું ધ્યેય તો એક જ… – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

પ્રતિકૂળ તર્કનો પરિહાર કર્યા બાદ પુષ્પદંત મહારાજ હવે અલગ અલગ સંપ્રદાયમાં રહેલી ઈશ્વર વિશેની માન્યતાની ચર્ચા કરે છે. વિવિધતાથી ભરેલો આપણો દેશ ભારત ધર્મની બાબતમાં પણ અનેક પંથ અને સંપ્રદાયોથી ભરેલો છે. અને આ જ મુદ્દા પર તો વારંવાર આપણા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે શૈવ લોકો શિવ માને તો જૈન લોકો અર્હંતને ભગવાન કહે છે, વૈષ્ણવ કૃષ્ણના નાના સ્વરૂપ લાલાને જ ઈશ્વર માને છે તો આમાંથી ભગવાન કોને માનશું? આટલા બધા મત ભક્તને મૂંઝવણમાં મૂકી દે છે. તેનો જવાબ આપતા ગંધર્વરાજ કહે છે કે જાતજાતના અનેક સરળ અને વિકટ પંથને અનુસરનારા મનુષ્યોનું આપ એક જ ધ્યેય છો, લક્ષ છો. વ્યવહારમાં આપણને એક પ્રશ્ન વારંવાર પુછાઈ રહ્યો છે કે તમે કેટલા ભગવાનને માનો છો? તમારે ત્યાં રામ પણ ભગવાન, કૃષ્ણ પણ ભગવાન, શિવજી ઉપરાંત ગણપતિ, હનુમાનજી અને માતાઓમાં તો ગાયત્રીમાં, શીતળામાં, અંબામાં, દશામાં વગેરે વગેરે…


ઋગ્વેદમાં વર્ષા પ્રાર્થના… 3

આ વર્ષે સમય થઈ ગયો હોવા છતાં, વીતી રહ્યો હોવા છતાં વરસાદ ઓછો, નહિવત છે અને ધરતીપુત્રો સાથે સમગ્ર સમાજ ચિંતિત છે. ઋગ્વેદના પાંચમા પાઠમાં શ્લોક ૮૩ ગુચ્છ પર્જન્યના મહિમાગાન તથા આનંદ અભિવ્યક્તિ વિશેનું છે. આવો આપણે પણ ઈશ્વરને એજ પ્રાર્થના કરીએ કે આ વખતે સારો અને સાર્વત્રિક વરસાદ થાય, ધરતીપુત્રો આનંદે, વાવણી સફળ થાય અને ધરતીને લીલી ચાદર પહેરાવીને પર્જન્ય ધન ધાન્ય તથા એ રીતે સુખ સમૃદ્ધિ વરસાવે. વરસાદ વગરનું ચોમાસુ અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓ લઈને આવે છે, અનેકોને તે આફતમાં મૂકે છે. એવું ન થાય એ માટેની ઈશ્વરને વિનંતિ અને પર્જન્યનું મહિમાગાન ઋગ્વેદમાં કરાયું છે, વર્ષામાં અભિવ્યક્ત થતા કર્મ અને આનંદને તે સુપેરે વર્ણવે છે. પ્રસ્તુત છે એ શ્લોકોનું શ્રી દર્શકે ‘આપણો વારસો અને વૈભવ’માં કરેલ સુંદર અનુવાદ


સર્જન સ્થિતિ અને સંહારના કર્તા… ઈશ્વર – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી પણ સિદ્ધ ન થઈ શકે કે તર્કથી અસિદ્ધ પણ ન થઈ શકે. વિચાર કરવાની શક્તિ રૂપી સુંદર ભેટ ઈશ્વર દ્વારા મળી છે તેનો સદઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ વ્યક્તિ પર નિર્ભર રહે છે. કુતર્ક એ આપણા પગ પર કુહાડો મારવા સમાન છે. વ્યવહારમાં પણ એવું જ જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે જૂથમાં કોઈ એક વિષય પર સુંદર ચિંતન ચાલતું હોય ત્યારે પોતાના સ્વભાવને આધીન કેટલાક એવા લોકો હોય જ છે જે તે સમયે ખોટા પ્રશ્નો ઉભા કરીને એકરસ, સંવાદિતામાં ચાલી રહેલી મીટિંગને કલહ અને અસ્વસ્થતાથી ભરી દે છે. કુતર્કના ઉદાહરણ રૂપે જોઈએ તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે તમારો ઈશ્વર શું એવો કોઈ પથ્થર બનાવિ શકે કે જેને તે પોતે પણ ન ઉપાડી ન શકે?…