Monthly Archives: April 2019


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)

પોતાના માર્ગદર્શન પ્રમાણે ગણપતિ અને રાક્ષસ ચાલે તે માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી હતો. વર્ષકારે પોતાની યોજનામાં નાના ફેરફારો કર્યા. તેણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનાં આધારે એક જડબેસલાક ષડ્યંત્ર રચ્યું. તેણે ગણપતિને કહ્યું કે, ‘અત્યારે મગધમાં ગડબડ ચાલે છે તેનો લાભ લઈને તેના પર આક્રમણ કરવું જોઈએ. હું બધાનું નેતૃત્વ કરીશ.’


કાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર 19

અંજલિ દરેક વર્ષની કાળીચૌદશની જેમ આજે પણ સવારમાં વહેલી ઊઠી ગઈ. એને ખબર હતી કે હીરાબાનો આજે સાદ પડવાનો નથી, મોટા અવાજે ઝીણી ઝીણી સૂચનાઓ આપવાના નથી. છતાં પણ એ હીરાબાના સાદને ઝંખી રહી હતી. અંજલિના લગ્નને સતર વર્ષ થયાં હતાં ને પોતાના સાસરે તેની આ અઢારમી દિવાળી હતી. અંજલિને હીરાબા વગરની આજની કાળીચૌદશ સૂની સૂની લાગતી હતી. એણે ગેસ પર ચા માટે પાણી ગરમ કરવા મૂક્યું ને વિચારે ચડી ગઈ.


હાઈકુ – હરસુખ રાયવડેરા 7

હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા હાઈકુ આજે પ્રસ્તુત છે.