Monthly Archives: June 2020


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪) 1

વર્ષકાર અને સેનાપતિ રસાલા સાથે ગણપતિના ઘર પાસે આવ્યા. તેઓ બંને અંદર ગયા. વર્ષકાર ગણપતિ સમક્ષ શું કેફિયત આપવી તે વિષે વિચારી રહ્યો હતો. તેને થયું કે ગણપતિને મગધનો અમાત્ય બનાવવો જોઈએ. તેણે મારી સાથે ખૂબ સારી મિત્રતા નિભાવી છે. તેના ઋણનો બદલો ચુકાવવાની આ જ ઉત્તમ તક છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)

મગધના મહાઅમાત્ય વર્ષકારે મગધનરેશને કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરશો તો વૈશાલી તમારા ચરણે ધરીશ.’ ત્યારબાદ તેમણે જડબેસલાક યોજના બનાવી અને બિંબિસારે વર્ષકારની યોજના પ્રમાણે વૈશાલીને ગુપ્તપણે સાવ હતું ન હતું કરી નાખ્યું. અને વર્ષકારનો સંદેશો મળતાં તે લાવલશ્કર સાથે વૈશાલીને મગધમાં ભેળવવા માટે અવિલંબ ચાલ્યો આવ્યો હતો.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)

બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.


રીલ vs રિઅલ – આરોહી શેઠ 25

જેટલાં લોકોને એમ છે કે સુશાંત સિંહ રાજપૂતે તેમનો સંપર્ક કર્યો હોત તો તેઓ તેને બચાવી શક્યાં હોત, તેવાં લોકો માટે એક શાનદાર બમ્પર ઓફર છે કે આવા કેટલાય હરતાં-ફરતાં સ્યુસાઇડ બોમ્બ તમારી આસપાસમાં જ ક્યાંક છે; તેને ડિફયુઝ કરવાની જવાબદારી લઇ શકો તો મહેરબાની કરીને લો.