Monthly Archives: February 2009


બાણશૈયા ઉપર – શ્રી અનિલભાઈ જોશી 2

ઊંધ ન સ્વપ્નની સાવ વચ્ચે સૂતો ના જીવું, નામરું, બાણશૈયા ઉપર આમતો સાવ પડખે ઊભા છો તમે કેમ પડખું ફરું બાણશૈયા ઉપર? લો હવે બંદગીનો સમય થઈ ગયો કેમ સજદા કરું બાણશૈયા ઉપર? શોષ પડ્તો હતો એટલો તો મને ઝાંઝવા સંધરું બાણશૈયા ઉપર પાયને પાયલાગણથી દૂર રાખજો ખૂંચશે ગોખરું બાણશૈયા ઉપર લોહીનાં સગપણો યાદ આવ્યા કરે ક્યાંથી કરવાં શરૂ બાણશૈયા ઉપર આમતો દાખલો સાવ ખોટો હતો શું ગણતરી કરું બાણશૈયા ઉપર – શ્રી અનિલભાઈ જોશી


એક આંસુ – ભાનુશંકર આચાર્ય 2

હું ઈશ્વરનો પરમ ઉપાસક, અનન્યાશ્રયી ભક્ત કે દ્રઢશ્રધ્ધ પૂજક ન હતો અને નથી. માણસ ઈશ્વર પ્રત્યે દરકારી કે બેદરકારી ગમે તે બતાવી રહે છતાં ઈશ્વર કલ્યાણમૂર્તિ છે, તે સર્વનો રક્ષક અને સહાયક છે તેમ તો હું એક અનુભવ પછી માનતો થયો છું. પ્રત્યેક વ્યક્તિને જીવનની કોઈ એક ક્ષણ ધન્ય બની હોય તેવો અનુભવ મળે છે જ. એક ક્ષણની તેવી સ્મૃતિ વારંવાર યાદ કરવામાં આવે તો નાસ્તિક મનુષ્ય આસ્તિક બની જાય છે. પાપી જન પુણ્યાત્મિકા ભાગીરથીથી પણ વધુ પવિત્ર બની જાય છે. ઈશ્વર સમદ્રષ્ટિવાળો છે; તે પાપી કે પુણ્યવાન, આસ્તિક કે નાસ્તિક, ભક્ત કે અભક્ત, દરેકને કોઈવાર પ્રત્યક્ષ થઈને અગર પરોક્ષ રીતે સાન્નિધ્યનું ભાન કરાવે છે. દર્શન દે છે. માત્ર ઈશ્વરનું દર્શન થયા પછી તેનું સ્મરણ જ, પછીથી મનુષ્ય જાગૃત રહે તો, તેના ઉધ્ધાર માટે સ્વતંત્ર અવલંબન બની શકે છે. બલ્કે મનુષ્ય તે દર્શનને ન વિસ્મરે તો તે ક્ષણ તેના જીવનની ધન્ય પળ બની જાય છે. આખું જગત સ્વાર્થી છે. હું કેમ સ્વાર્થી ન હોઉં? પરંતુ આસ્તિક અને શ્રધ્ધાળુ માતાપિતા પાસેથી ઈશ્વરનું સ્મરણ ગમે તે મુશ્કેલ પળમાંથી પણ ઉગારી લે છે તેવો ઉપદેશ મળેલો. નાનપણમાં જ મળેલો આ ઉપદેશ મને હજી યાદ છે. સંકટમાં ઈશ્વર સ્મરણ હું કદી ચૂકતો નથી. હું વિદ્યાર્થી હતો. ઈશ્વર સ્મરણ માત્ર સ્વાર્થ પૂરતું જ મારો આધાર હતું. પણ મુશ્કેલીમાં પાર ઉતારવા ઈષ્ટનું સ્મરણ અમોઘ શસ્ત્ર છે તેમ તો સ્વાર્થ ભાવનાની સાથે જ હું અત્યંત વિશ્વાસપૂર્વક માનતો. ઈષ્ટદેવનું સ્મરણ કર્યા સિવાય નિશાળે ન જવું કે ઘર બહાર પગ ન મૂકવો તે ટેવ માતાપિતાના ઉપદેશથી નાનપણથી જ પડી હતી. ઈચ્છાએ કે અનિચ્છાએ, શ્રધ્ધાથી કે અંધશ્રધ્ધાથી ઈરાદાપૂર્વક કે નિન ઈરાદે […]


લધુકાવ્યો ( સંકલિત ) – જીગ્નેશ અધ્યારૂ 7

1. એક મધરાતે ભીંતે ટાંગેલી ઢાલને સપનું આવ્યું તલવાર છે તે રૂપેરી નદી બનીને વહી રહી છે …. – ધીરૂ મોદી 2. જન્મદિવસ મારો, સાદડી અને કાણમાં વીત્યો. – રમેશ પારેખ 3. શબ્દો અર્થોની પાલખી ઉપાડવાની સાફ ના પાડી બેઠા છે – જિતેન્દ્ર કા. યાસ 4. અબ કે બિછડે તો શાયદ ખ્વાબોંમેં મિલે, જૈસે સૂખે હુએ ફૂલ કિતાબોંમેં મિલે. – અહમદ ફરાઝ 5. મૌસમ અહીંતો કોઈ પણ, છલનાની હોય છે. શ્રાવણ અષાઢ રાખીએ, આ ઝાંઝવાનું નામ. – ભગવતીકુમાર શર્મા 6. કવિતા લખેલ પાનું એ તો સ્ટે ઓર્ડર છે મૃત્યુ સામેનો – અનામ 7. તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે, મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. – નરેન્દ્ર રાવલ 8. ઉતરડાયેલાં અંધકારમાં પ્રસવેલું શિશુ ગુપ્તતાથી પેટીમાં પૂરી તરતું મૂકું ત્યાં કર્ણનો નાદ સંભળાય ન હન્યતે! ન હન્યતે! – પ્રફુલ્લ રાવલ 9. પહેલી વાર સ્મશાને ગયો તે પછી કેટલીય રાત સૂઈ ન શક્યો હવે તો મને નનામી બાંધતા આવડી ગઈ છે! – વિપિન પરીખ 10. અર્ધો તૂટેલ ઝરૂખો એમાં હજીય બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા – રાજેન્દ્ર શાહ 11. લોકશાહીના પેટમાં દુઃખાવો ઉપડ્યો દાક્તરે તપાસ કરીને કહ્યું “એના પેટમાં સત્તાની ગાંઠ છે.” – ફિલિપ ક્લાર્ક 12. શંકા રાખી બરબાદ થવા કરતા વિશ્વાસ રાખી લૂંટાઈ જાવું હું પસંદ કરું છું. – શરદચંદ્ર ચટોપાધ્યાય 13. રોજ સવારે સૂર્ય નહીં એક ઈચ્છા ઉગે છે – માલા કાપડીયા 14. મૃત્યુ જેને આપણે END સમજીએ છીએ વાસ્તવમાં જે AND હોય છે – ‘ખ્વાબ’


ખાબોચીયામાં રમો, ખુશાલભાઈ – શ્રી મકરંદભાઈ દવે 3

ખાબોચિયામાં રમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો પેટ ફુલાવી, પહોળા થઈને, જીવ જંતુડા જમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   સૌથી મોટું ખાબોચીયું, તમ મોટો દોરદમામ, એમાંયે આ એક તમારું શું મોટુંમસ કામ ! સૌથી મોટા તમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   રૈયત તો છે રાંક, બિચારી બિલ્લી, બકરું ઘેટું, કોઈ ભલે માથું કાઢે શું કરશે મારું બેટું? દાંત ભીંસીને દમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   ધમધખતો જો ધોમ ધખે તો સૂરજને શું કે’વું? તમ દરિયાનો દાટ વળે તો બોલો ક્યાં જઈ રે’વુ? ટીપું જળ માટે ટળવળતા, નીચા થઈને નમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો  – શ્રી મકરંદભાઈ દવે એક જ રચનાના અનેકવિધ અર્થો કાઢી શકાય એવી શ્રી મકરંદભાઈની રચનાઓમાં આ એક રચના મારા હ્રદયની ખૂબ નજીક છે. તેની મારી સમજ આ પ્રમાણે થઈ છે. પ્રાથમીક રીતે એક દેડકાના ખાબોચીયામય જીવન વિશે, તેની સંપતિ અને તેના મનોભાવો વિશે લખાયેલી આ કવિતા તેના ગૂઢ અર્થમાં જીવનનું એક અદમ્ય રહસ્ય સમજાવે છે. ખુશાલભાઈ ના નામે, તેમના ઉદાહરણ દ્વારા શ્રી મકરંદભાઈ આપણને જીવનની એક કડવી વાસ્તવિકતા બતાવે છે. આપણે બધાં, પોતપોતાના ખાબોચીયામાં, આપણા ‘હું’ પણામાં જીવીએ છીએ. આપણું ખાબોચીયુંજ સૌથી મોટું અને આપણો દોરદમામ, આપણી નાની વાત પણ જાણે ખૂબ મહત્વની હોય તેમ આપણે સાહજીક રીતે માની લઈએ છીએ. પણ એક દરીયો થોડેક જ દૂર વસે છે, એક અફાટ સાગર કે જે આપણા નાના ‘હું’ પણાથી ખૂબ ઉંચે, ખૂબ મોટો છે તેને આપણે સમજવા માંગતા નથી. જીવનના રસ્તે થોડેક જ આગળ મુક્તિ છે પણ આપણે રસ્તાને જ મંઝિલ માની લઈએ છીએ, કોઈ આપણી વિરુધ્ધ કાંઈ પણ કહે, અરે આપણો કોઈ વાંક કે ભૂલ પણ બતાવે તો આપણે જાણે સો ટકા સાચા જ […]


નમ્ર નિવેદન – જીગ્નેશ અધ્યારૂ 14

અધ્યારૂ નું જગત ની રચનાઓને પોતાના બ્લોગ પર સ્થાન આપતા મિત્રોને સવિનય વિનંતિ કે પોસ્ટ થયાના બે ત્રણ દિવસ સુધી મહેરબાની કરી પોસ્ટ કોપી કરી બ્લોગ પર પ્રસિધ્ધ ન કરે. જ્યારે પણ અન્ય બ્લોગ પર કે અન્યત્ર પ્રસિધ્ધ કરો ત્યારે પોસ્ટની લીન્ક આપે. એક બ્લોગ પર કે વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલી પોસ્ટ તે જ દિવસે કોપી પેસ્ટ કરી અન્ય બ્લોગ પર પ્રસિધ્ધ કરવાની જરૂરત મને દેખાતી નથી. એક જ પોસ્ટ એક જ સમયે બે બ્લોગ પર મૂકવાથી, તેની પસંદગી અને વિવેચનમાં થયેલી મહેનત લેખે લાગતી નથી, તો સામા પક્ષે  પસંદગીની પોસ્ટ અન્ય સાથે વહેંચવાની  લાગણી ધ્યાનમાં રાખતાં આખી પોસ્ટ કોપી ન કરતાં તેની લિન્ક તમે પોતાના બ્લોગ પર વહેંચી શકો છો. ગુજરાતી બ્લોગ જગતમાં આપવા માટે, વહેંચવા માટે લખલૂટ સાહિત્ય પડ્યું છે, આશા છે આપણે બધાંય કોપી પેસ્ટ પ્રવૃત્તિને રોકી કાંઈક નવું આપી શકીએ તો તે યોગ્ય હશે. મારા મતે કોપી પેસ્ટથી કે બીજાની પોસ્ટ પોતાના નામે કરવાથી કોઈ ઉદ્દેશ્ય ફળતો નથી. ક્ષણિક ફાયદો કદાચ હોઈ શકે પણ તે આપણામાંથી કોઈનો હેતુ નથી એમ મને લાગે છે. આ નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા માંગું છું. – જીગ્નેશ અધ્યારૂ


હ્રદયની પ્રાર્થના – રવિન્દ્રનાથ ટાગોર ( ગીતાંજલી માંથી ) 2

મારી તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ! મારા હ્રદયની પામરતાને જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ, મારા આનંદને તેમજ શોકને હું તદન સહેલાઈથી સહી શકું, એટલું બળ મને દે. શોક સહેવાનું જેને માટે શક્ય છે એને માટે પણ આ આનંદ સહેવાનું અઘરું છે, મારા નાથ, એટલે હું પ્રાર્થું છું કે આ આનંદને હું સહી શકું, એ બળ મને દે ! મારો પ્રેમ, મને કોઈ ને કોઈ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને, એવી શક્તિ મને આપ મને, હે નાથ! આ બળ આપ, કે હું કોઈ પણ ગરીબને કદી પણ તિરસ્કારું નહીં અને મોટા ચમરબંધી, ગર્વિષ્ઠ ઉધ્ધતને ચરણે મારું માથું નમાવું નહીં. નિત્યની નિર્માલ્ય વાતોને પણ, હું મારા મન માટેની ઉન્નતિનું એક સોપાન બનાવી શકું, એવી શક્તિ તું મને આપ ! અને છેવટે મને તું એ શક્તિ આપ સ્વામી ! કે મારું સામર્થ્ય, તારી ઈચ્છાને પ્રેમથી આધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ઠા જુઓ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ગીતાંજલી માંથી) શાંત તોમાર છંદ (સંકલિત રચનાઓ માંથી સાભાર)


ઉત્સવ વિશેષ ( મહાશિવરાત્રિ ) – જીગ્નેશ અધ્યારૂ 9

મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રિ કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઈચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઈચ્છા, સમર્પણ અને વિશુધ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ નિઃશંસય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે. “शिवो भूत्वा शिवं यजेत” શિવ ઉપાસના કરવા શિવ જેવા બનવુ જોઈએ. શિવ જ્ઞાનના દેવ છે, ત્યાગના દેવ છે, સમર્પણના દેવ છે. તેમના મસ્તક પર ચંદ્ર વિરાજે છે, જ્ઞાનના આ સ્તોત્રમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનારો પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. શિવજીની જટાઓમાંથી જેમ ગંગા વહે છે તેમ જ્ઞાનપિપાસુ માણસને પણ ગમે તેવી વિટંબણાઓ, જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. […]


શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમબેન દોશી 10

  “‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા આ ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? “   ” દેવુ નાનો હતો ત્યારે આ બધા રંગો તેને બહું ગમતા..તેથી મને થયું કે….એ આવે છે  તો…”   ” અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ.” રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું.  “પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા આ ઘરમાં પાંચ દિવસ પણ  નહીં ટકે.   ભૂલી ગઇ ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો.. પણ બે દિવસમાં બહાનું કાઢી ને ભાગી ગયો હતો. ‘ આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે  છે ? ‘ યાદ છે ને આવું કેટલું ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉં.  હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા…હવે બદલાઇશું. “   ” એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા  ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? “   “‘ બધી માને એવું જ લાગતું હોય છે. પણ સો વાતની એક વાત…. ! આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો જ નથી આપવો ને !  કોઇ જોખમ મારે નથી લેવું. બધું  તેને ગમે તેવું કરી નાખીશું.  પછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. “   […]


વિદ્યા સહાયકોને – તરૂણભાઈ મહેતા 9

( વિદ્યા સહાયકોને ) વટ જાય છે પડી, – ટૂંકા પગાર માં ! નોકરી એવી મળી – ટૂંકા પગાર માં ! આજે નહીં તો કાલે જશે નક્કી વધી એ જ આશા ફળી  – ટુંકા પગાર માં ! કરીયાણા કરતા કટલરીનું બીલ ગ્યું વધી એવી જ શ્રીમતી મળી, – ટૂંકા પગાર માં ! એક સાંધો ત્યાં તેર તૂટી જાય છે, આફત એવી પડી, – ટૂંકા પગાર માં ! સરકાર અમને સાચવે એટલું ઘણું, બીજાની અમને શી પડી, – ટુંકા પગાર માં !  – તરૂણભાઈ મહેતા


વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ 2

હોટ એન્ડ સોઅર સૂપ સામગ્રીઃ ૧/૨ કપ કોબી, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ ફેંચ બીન્સ, ૧/૨ કપ ઘોલર મરચાં, ૧/૨ કપ સોયા બીન્સ અથવા ૧ કપ પલાળેલા વટાણા, ૪ થી ૬ કપ પાણી, ૧/૪ કપ વિનેગાર, ૨ ચમચી તેલ ,૧ ચમચી કાળા મરી, ૧ ચમચી સોયાસોસ, ૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, પ્રમાણસર મીઠું. રીતઃ શાકને બારીક સમારી લેવું , ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને પછી ગરમ થાય એટલે સમારેલું શાક નાખી જલદી જલદી સાંતળવું. સાંતળાઇ જાય એટલે તેમાં પાણી અને પ્રમાણસર મીઠું નાખવુ એક ઉભરો આવે ત્યારબાદ ઘીમાતાપે બે મિનિટ ચડવા દેવું. કોર્ન સ્ટાર્ચ ઠંડા પાણીમાં હલાવી સૂપની અંદર નાખવું. કોર્ન સ્ટાર્ચ નાખ્યા બાદ સૂપને હજી એક વાર ઉકળવા દેવું. ગરમ ગરમ સૂપને પીરસવું. સ્પિનેચ  સૂપ   સામગ્રીઃ ૨૦૦ ગ્રામ પાલખની ભાજી, ૧૦૦ ગ્રામ બટેટા, ૧ ચમચો માખણ, ૧ ચમચી મેંદો, ૧ કપ દૂઘ, પ્રમાણસર મીઠું, મરીનો ભૂકો, જીરૂનો પાવડર. રીતઃ પાલખની ભાજીને ઝીણી સમારી ઘોઈ એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાખવી. બટેટાને છોલી, કટકા કરી બફાય એટલે ઉતારી ચમચાથી ઘૂંટી એકરસ કરવું. પછી ગરણીથી ગાળી લેવું. એક તપેલીમાં માખણ ગરમ કરી, મેંદો નાખી , બરાબર શેકાય એટલે દૂઘ નાખવું. થોડી વાર હલાવી તેમાં સૂપનું પાણી, મીઠું, જીરૂનો પાવડર, મરીનો ભૂકો નાખવો. સર્વ કરતી વખતે થોડું ખમણેલું ચીઝ ભભરાવવું.  રશિયન સૂપ સામગ્રીઃ ૧ ખમણેલું બીટ, ૫૦૦ ગ્રામ વટાણા, ૧૨ નંગ ફણસી, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ બટેટા, ૨ ટમેટા, ૨ ચમચી માખણ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ કાંદા, કોબીનો ટુકડો, પ્રમાણસર મીઠું, મરી. રીતઃ ફણસી, વટાણા, બટાટા,ટમેટા,કાંદા,કોબીને સમારી પાણીમાં બાફી નીતારી એકરસ બનાવી ગાળી લેવા. બાફેલા શાકનું પાણી જુદુ રાખવું. આ પાણી એક તપેલીમાં ઉકળવા મૂકવું. […]


બે નાદાન બાળકો – હરિશ્ચંદ્ર (વીણેલા ફૂલ – ભાગ ૨) 9

‘કમલ ભઈલા!તું હજી જાગે છે? કેમ રડે છે? ‘ દસવર્ષની  નીના ડૂસકાં ભરી રહેલ નાના ભાઈને પૂછે છે. ‘દીદી, પપ્પા ક્યારે  આવશે? એમની પાસે ચાલ ને!’ ‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય?’ ‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં. માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી  એની પાસે જ સૂઈ ગઈ. ‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે? પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’ ‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી. ‘દીદી, કેમ ઘ્રૂજે છે? તને શું થયું? તાવ આવ્યો?’ ‘ચૂપ રહે, માસી આવી રહી છે.’ ‘કેમ નીના,શં છે? ઓહો! ભાઈને કાંઈ બહુ લાડ કરાવે છે ને! મારી શું વાતો કરતાં હતાં? બોલ! બળ્યું મારું નસીબ. બહેન પોતે તો સ્વર્ગમાં પહોંચી ગઈ, પણ મારે માથે આ વેંઢાર નાખતી ગઈ.’ માસીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ‘કેમ શું થયું? માસા પણ આવી પહોંચ્યા. ‘મારું માથું ! ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’ ‘કાંઈ લીધું તો નથી ને? પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા. ‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં. ‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે!’ એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું?’ ‘અને મજાતો એ કે મેં કહ્યું, ત્રણસો-ચારસોની વ્યવસ્થા કરી દે,તો તને છોડાવવાની જવાબદારી મારી. ત્યારે સતવાદી બોલ્યા, હું લાંચ આપીશ નહીં. આપવી ન્’તી તો લીધી […]


ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ 6

આ પહેલા અમારી ગીર વન અને લીલાપાણી તથા અન્ય નેસ ની મુલાકાતો વિશે ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ, ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru , વગેરે પોસ્ટ અંતર્ગત લખ્યું હતું. પરંતુ જેટલો પ્રતિભાવ “કાના” ના ડાયરાને મળ્યો છે એ જોઈને હૈયુ ખરેખર આનંદથી ભરાઈ જાય છે. અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો, આ ડાયરો બીજો ભાગ છે પ્રથમ ભાગ અને તેને સંલગ્ન લેખ ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ એ શીર્ષક અંતર્ગત મૂક્યો છે. આશા છે આપને ગુજરાતની આ તસવીર ગમશે. [youtube=http://www.youtube.com/watch?v=VFjgygFQmNg]


ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે 8

વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે તુલસી દલથી તોલ કરો તો, બને પર્વત પરપોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને મૂલવવા શી રીતે ! – રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચખોટના ખાતાં પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછીતે? રે મનવા, ભજન કરે તે જીતે આવ, હવે તારા ગજ મૂકી, વજન મૂકીને, વરવા, નવલખ તારાં નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા ? ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે  – મકરન્દ દવે. ભજન અને દુન્યવી વેપારની સરખામણી તો શક્ય જ નથી, શ્રી મકરન્દ દવે અહીં કહે છે કે વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે, જીવનનાં વેપારમાં કયા ત્રાજવા કાટલા વાપરીશ? કવિ પોતાના મનને સમજાવે છે કે પ્રભુ તુલસીદલની સામે હળવાફૂલ પરપોટા જેવા થઈ જાય છે તો સામે પર્વતથી પણ ભારે થઈ શકે છે. આ હળવા ભારે હરીને મૂલવવાની કોઈ રીત નથી એમ તેઓ મનને સમજાવે છે. જીવતર માટે માંડ એક ઘડી મળી છે, તો એમાં સાચ ખોટની, દુન્યવી સરખામણીઓ કરવાની છોડીને આનંદ સાગરની સહેલ માણવા તેઓ મનને સમજાવે છે. તેઓ મનને સમજાવતા કહે છે કે પ્રભુ માપવાનાં ગજ – ત્રાજવા મૂકી દે, નવલખ તારા નીચે બેસીને પ્રભુને કયા ત્રાજવે તોળીશ? ચૌદ ભુવનના સ્વામી પ્રભુ એક ચપટી ધૂળથી પણ જો સાચો પ્રેમ હોય તો, દોડતા આવે છે, આમ આ કાવ્યમાં કવિશ્રી મનને સાંસારીક વાતોમાંથી મુક્ત થઈ ભજનમાં મન લગાડવા કહે છે.


તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત) 9

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ શેક્સપીયર (હેમલેટ) પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ) પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે. – ચાર્લ્સ ડિકન્સ (નિકોલસ નિકલાય) મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન, બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા) પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો) ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ) ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ ) નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ) પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે. પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે. પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે, બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ) પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને […]


સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી 7

એકમેકને ઓગાળી દઈએ આરપાર, બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ. શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ, ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ…. આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ ….. આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ ….. પછીતો ના ફરીયાદો, ના વિનંતિ, આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ …… વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત, વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ, તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને ‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ,…. ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ **************** મારી અંદર વરસે છે તું મારી અંદર વરસે છે ધોધમાર તું પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું, મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. જો ! આ ઝાકળભીનો સ્પર્શ એક તારો ભીંજવે મારા યુગો અનેક એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. – શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી ( શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી તરફથી સ્નેહ અઠવાડીયામાં પ્રગટ કરવા માટે મળેલી આ બે રચનાઓ ખૂબ ઉર્મિસભર છે અને પ્રેમમાં મગ્ન એવા એક હ્રદયની લાગણીઓ ખૂબ સરસ શબ્દોમાં કહી જાય છે. આ રચનાઓ અધ્યારૂ નું જગતને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. )


એક પતિનો પ્રથમ પ્રેમપત્ર – મૈત્રેયી દેવી (અનુ. નગીનદાસ પારેખ) 4

કુમારીશ્રી, આપ જીવનસાથીની પસંદગી કરવાનાં છો એવું જાણવામાં આવતા એ ખાલી જગ્યા માટે હું મારી જાતને એક ઉમેદવાર તરીકે રજૂ કરવાની રજા લઉં છું. મારી લાયકાતની બાબતમાં જણાવવાનું કે હું નથી પરણેલો કે નથી વિધુર. ખરું જોતા હું અસલી માલ છું. – સાચો કુંવારો માણસ છું, એટલું જ નહીં, હું પાક્કો એકલો માણસ છું કારણ હું લાંબા સમયથી કુંવારો છું. ન્યાયની ખાતર મારે મારી ગેરલાયકાતો પણ જણાવવી જોઈએ. હું નિખાલસ ભાવે કબૂલ કરું છું કે આ કામમાં હું તદ્દન નવો છું. અને આ લાઈનમાં પહેલાનાં કશા અનુભવનો દાવો કરી શકું તેમ નથી., કારણ પહેલા કોઈ સાથે આવી ભાગીદારીમાં જોડાવાનો મને કદી પ્રસંગ મળ્યો નથી. મારો અનુભવનો આ અભાવ મને ડર રહે છે કે, નડતરરૂપ અને ગેરલાયકાત ગણાવાનો સંભવ છે. તેમ છતાં હું એટલું જણાવવાની રજા લઉં છું કે ‘અનુભવનો અભાવ’ એ જીવનમાં બીજા કોઈ ક્ષેત્રોમાં ગેરલાયકાત હોવા છતાં જીવનનું આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં એ બધી રીતે ઈચ્છવાયોગ્ય ગણાય, એથી પણ મોટી નડતર કદાચ એ હકીકત ગણાય એવો સંભવ છે કે હું લાંબા સમયથી કુંવારો માણસ છું અને કુંવારાપણાની મારી ટેવો દ્રઢ થઈ ગઈ છે. રખેને નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની મારી શક્તિ વિશે શંકા સેવવામાં આવે એટલા ખાતર હું એ હકીકત તરફ આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે મારો કેસ સર પી સી રાયના જેટલો છેક આશા છોડી દેવા જેવો નથી. વધુ માહિતી માટે હું આપને આપના માતાને મળવાની વિનંતી કરું છું જેઓ જેમણે કોઇ વિરલ મમીને તપાસતા કોઇ વિખ્યાત મિસરવિદને પણ જેબ આપે એટલી જિજ્ઞાસા અને રસપૂર્વક મારો અભ્યાસ કર્યો હતો. અંતમાં હું આપને ખાતરી આપું […]


મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર 5

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં   જીંદગીએ કરી નરી બેવફાઇ,   હે મૃત્યુ સાચી સમજ તું તો દેજે,   નફરત ને ધિક્કારને   પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે.   કંઇક શબ્‍દોના વ્‍યર્થ પૃથ્થકરણે   જીવનના સંબંધો બગાડ્યા,   હે મૃત્‍યુ, તું તો સુધારી દે,   આપી અભય વરદાન એ શાશ્વત સ્‍નેહનું   પરીક્ષાની આગલી રાત્રિએ જ   ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,   તેમ મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં   સ્‍નેહના પગરણ માંડ્યા   જીંદગી ફરી મળે તો,   પ્‍યાર વહાવી દઉં અફાટ અવકાશમાં   ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,   આપ ઘડી બે ઘડી, હે મૃત્‍યુ,     હે મૃત્‍યુ થોડું તો થોભી જા,   તું તો ના કર બેવફાઇ,   તું ક્યાં જીંદગી છે?   હે મૃત્‍યુ, તને વ્‍હાલ કરી લઉં   નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,   મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં.   *********************   ઈશ્વર પ્રવેશે છે,   સ્નેહના આ સાગરમાં   અમારા દીપ પ્રગટી ઉઠ્યા.   શ્રધ્ધાના અમારા દીવડાઓમાંથી   નીકળતા કિરણોમાં જોયું તો   અહમના વજનથી મુક્ત એવા અમે   આયાસ વિના જ તરી રહ્યા હતા   એક આનંદ સાગરમાં   આનંદ સાગરના આ નવા અનુભવથી   રોમાંચિત થયું રોમે રોમ   અને હ્રદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે   વૃક્ષો રસ્તાઓ અને ગગન સાગર અને સર્વે   મંદ મંદ મુસ્કુરાતા લાગ્યા   એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના વિશ્વમાં   અભિન્ન લાગ્યા   દીપક કિરણો શ્રધ્ધા સ્નેહ સાગર અને સઘળા કદાચ એ જ દ્વાર છે   જ્યાંથી ઈશ્વર પ્રવેશે છે    – પી. યુ. ઠક્કર   ( પ્રવીણભાઈ ઠક્કરનો જ્યારે પ્રથમ વખત આ અઠવાડીયા માં લેખ આપવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ શંકા […]


મારી દીવાનગી અને હું ઝરુખો! – વિજયભાઈ રાજ્યગુરુ 3

મારી દીવાનગી મારી દીવાનગીની ચર્ચા બધે થવાની, કારણ તરીકે તું પણ મશહૂર થઈ જવાની. સ્મરણો ને સાંજ સાથે હું સૂર્ય જેમ સળગું, પ્રાચી બની પ્રશંશા તો તું જ પામવાની. તારી હરેક પળમાં મારી જુએ નિશાની, તો વાત યાદ કરજે સુગંધ ને હવાની. સાગર બની હું ખળભળું ને બર્ફ જેમ પીગળું, ત્યારે જ તું સરિતા સુજલામ લાગવાની. મારી કથા વચાળે વિરામચિન્હ માફક, પ્રત્યેક વાક્યમાં તું બસ તું જ આવવાની. હું ઝરુખો ! રાતરાણી સુગંધ લાવે છે એમ તું આસપાસ આવે છે. હું ઉઝરડાતો જાઉં છું ને તું, ચાંદનીનો મલમ લગાવે છે. નામ મારું હવે છે ખાલીપો, ઝાંઝરી તું જ રણઝણાવે છે. ઝાંઝવાએ મને ઘણો ઘેર્યો, તું તમસની નદી વહાવે છે. શ્વાસને સાંધવા પડે કાયમ, અવનવાં સ્વપ્ન તું સજાવે છે. હું ઝરૂખો હવડ હવેલીનો કાંગરે તું કળશ મૂકાવે છે. સાવ જર્જર કિતાબ જેવો છું, લાભ ને શુભ તું લખાવે છે.  – વિજયભાઈ રાજ્યગુરુ ( વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. આજે મૂકેલી ગઝલો તેમના સંગ્રહ “અવઢવ” (૨૦૦૫ માં પ્રકાશિત) માંથી લેવામાં આવી છે. આ ગઝલો અધ્યારૂ નું જગતને સ્નેહ અઠવાડીયા માટે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્ત કરવા માટે નું તેમનું સરનામુ છે રવિ મંગલ પ્રકાશન, ૪૦, ગૌતમેશ્વર નગર, રાજકોટ રોડ, પુલ પાસે, સિહોર, […]


દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી 11

  સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે મારો પ્રિય વિષય. સ્નેહ અઠવાડીયા માટે તેનાથી, દીકરીઓથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? તેના વિશે લખેલી એક નાનકડી ગઝલ અહીં મૂકી રહ્યો છું. હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું, દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું તારાથી ગૂંજે આ જીવન કલકલ, દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ, દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા દીકરી છે કાફીયા ને જીવન ગઝલ  – જીગ્નેશ અધ્યારૂ **************************************************************************** હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર, હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર, હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર, હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર, હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર, હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર. ( હીર તેમની પુત્રીનું નામ છે. ) આ રચના મેં મારી ઈચ્છાથી લખી નથી, એક દિવસ અમારી સાઈટ પર મારી વહાલી દીકરી “હીર” મને […]


સ્નેહ અઠવાડીયું – શરૂઆત વસંતની 5

ગઈકાલે વિકાસભાઈ બેલાણીની કૃતિ સાથે હાસ્ય અઠવાડીયાનું સમાપન થયું છે. આ પ્રયત્નમાં મદદ કરવા બદલ તમામ મિત્રો, વાચકો અને ખાસ તો આ માટે સમય ફાળવી પોતાના લેખ સમય બંધનમાં રહીને અધ્યારૂ નું જગત સુધી પહોંચાડવા બદલ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં પ્રસ્તાવનામાં કહ્યું હતું તેમ “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. આ સાથે આવતીકાલે સ્નેહ અઠવાડીયું શરૂ કરી રહ્યો છું. સ્નેહ પ્રેમ એ કોઈ સંબંધના બંધનમાં બંધાયેલા હોતા નથી, અને પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના કે પ્રેમી-પ્રેમીકાના એક જ સંબંધની વાત નથી, તે હોઈ શકે પિતાનો પુત્રી પ્રત્યે, ભક્તનો ભગવાન પ્રત્યે કે માનવનો માનવ પ્રત્યે. પ્રેમને કોઈ સંબંધના ચોકઠામાં પૂરી શકાય નહીં, અને કદાચ એટલે જ આ સ્નેહ અઠવાડીયાની શરૂઆત વિકાસભાઈ બેલાણીના તેમની પુત્રીને લક્ષ્યમાં રાખીને લખાયેલા કાવ્ય થી થઈ રહી છે. વસંત એ પ્રેમીઓનો ઉત્સવ છે, કબૂલ, પરંતુ એ પ્રેમ ફક્ત એક જ પરિમાણમાં ન હોઈ શકે, અને પ્રેમની અભિવ્યક્તિમાં આળસ કે શરમાળપણું ન હોવું જોઈએ, એ તો અભિવ્યક્ત થવો જ જોઈએ. એટલે જ આ અઠવાડીયાનું સંબોધન “સ્નેહ અઠવાડીયું” કર્યું છે. મંદમંદ આ મહેક ઉઠી છે, ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ ક્યાંક ગાઢ પ્રેમની શરમાળ અભિવ્યક્તિ એટલે વસંત તો ક્યાંક વર્ષો પહેલાના, હવે જે સ્મૃતિના ભંડકીયામાં ક્યાંક ખૂણે ખાંચરે ધૂળ ખાતા પડ્યા છે, તેવા તાજા ઝખ્મો જેવા તીખા, પ્રેમના સ્મરણોની અભિવ્યક્તિ એટલે વસંત, […]


ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી 6

“એઈ સાંભળો છો?” આવું ઉદબોધન હું અવારનવાર મારા શ્રીમતીજી ના મુખે થી સાંભળું છું અને સાંભળતાજ તુંરત યાદ કરી લઉ છું કે સવારે નહાઈને મે બંને કાન બરાબર સાફ કરેલા! તદુંપરાંત મને ઝીણા ઝીણા અવાજો પણ સંભળાઇ જાય એવી તીવ્ર શ્રવણ શક્તિ મળી છે, જેના દ્વારા હું અવારનવાર લોકોની ગુસપુસો સાંભળતો હોઉં છું. આટલું સરસ રીતે સાંભળી શકતો હોવા છતાં દરરોજ “એઈ સાંભળો છો?” ના મેણા મારે સાંભળવા પડે છે. “એઈ સાંભળો છો?” ને ! બદલે જો મને મારા શ્રીમતી “એઇ દેખાય છે કે નહી?” એવું કહે તો સમજી શકું કે મારે આંખે ચશ્મા છે અને ચશ્મા વિના મને દૂરનું ઓછુ દેખાય છે, તથા”એઇ દેખાય છેકે નહી?” એવું અવારનવાર મને રસ્તામાં, સોસાયટીમાં બસમાં અને તે સીવાય પણ ઘણી જગ્યાએ ઘણી માનુનીઓ કહેતી જ હોય છે. મને એ આજ પર્યત સમજાયું નથી કે શ્રીમતીઓ પોતાના શ્રીમાનને સ્નેહપુર્વક તેના નામથી કેમ નથી બોલાવતી. મે ઘણા વિદ્વાનોને આ બાબતે પૂછી જોયું પણ મને જાણી ને આંચકો લાગ્યો કે મારા એક મીત્ર ના શ્રીમતી મારા મીત્રને “ગુડિયાના પપ્પા! ” એવું સંબોઘન કરી બોલાવે છે, ત્યારે જ ધર્મસંકટ ઊભું થાય છે, કારણ કે એમની સોસાયટી માં કુલ મળીને સાત ગુડિયા છે. ફક્ત આ બાબતે જ ગોરઘનો ને અન્યાય થતો હોય તેવું નથી! શ્રીમતીઓ અન્યાય તથા અત્યાચારની બીજી પણ ઘણી રીતો જાણે છે. ધર્મરાજાએ જેમ યક્ષનું રૂપ લઈ યુધીષ્ઠિરની પરીક્ષા કરેલી તે રીતે પત્નીઓ પણ પતિની કર્મનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાની અવારનવાર ચકાસણી કરે છે. બીજાની મને ખબર નથી પણ મારી આવી રીતે રોજ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના સ્વરૂપો વિશે વાત કરું તો તેમાં દાળ, શાકનો વઘાર કરવો, કચરા-પોતા કરવા, સારૂ […]


સ્ટિંગ ઓપરેશનની હોળી – હિમાંશુભાઈ કીકાણી 2

કિશોર કીટલી સાથે સાવ આવું બનશે એવું અમે કોઈએ ધાર્યું નહોતું.  કિશોર વિશે ધારવા જેવું તો ઘણું હતું, પણ સાવ આવું બનશે એવું ખરેખર અમે કોઈએ ધાર્યું નહોતું. કિશોર પહેલેથી અદકપાંસળિયો જીવ. વાતવાતમાં એનો ઉત્સાહ દિમાગને ઓવરટેક કરી જતો. ચાની કીટલી એનો કાયમી અડ્ડો. કરિયરની શરૂઆત એણે ક્રાઈમ રિપોર્ટર તરીકે કરી એની અસર હોય કે ગમે તેમ, કિશોરે પોતે જ પોતાનું નામ કિશોર કીટલી પાડ્યું એવું માનવાવાળા પણ ઘણા હતા. એથીક્સનો એવો પાક્કો કે ગામ આખાને ટોપી પહેરાવે, પણ પોતાની ચાના રૂપિયા કોઈ ને કોઈ પાસેથી કીટલીવાળાને અચૂક અપાવે.   અમને સૌને એમ હતું કે કિશોર કીટલી અમારી કૉલેજનું નામ ઉજાળશે. અમે ભણતા ત્યારે પત્રકારોની આજના જેટલી બોલબાલા નહોતી. ગુજરાતીમાં પાંચમાંથી ત્રણ વાક્ય સાચાં લખી શકે (વાક્યરચનાની રીતે, જોડણીની રીતે નહીં) અને હાથમાં માઈક પકડીને કહો તેટલી દોડાદોડી કરી આવે એને પકડી પકડીને પત્રકાર બનાવી દેવા પડે એવો અખબારી માધ્યમોનો કપરો કાળ ત્યારે હજી શરૂ નહોતો થયો. એટલે ગ્રેજ્યુએટ થયા પછી હોંશભેર બે વર્ષ જર્નાલિઝમનો કોર્સ કરીને મૂર્ધન્ય પત્રકાર બનવાનાં સૌમ્ય સપનાં અમે જોતા. એમાં કિશોર કીટલીનો જિગરી મહેશ મિસ્ત્રી પણ સામેલ.   કિશોર જેટલો ઉછાંછળો એટલો મહેશ ધીરગંભીર ને ગભરૂ. સૌએ એનું ભવિષ્ય ભાખી લીધું હતું કે મહેશ આકાશવાણીનો એનાઉન્સર થવાનો. નવાઈની વાત તો હતી, ઋણાનુબંધ કહો તો એમ, પણ કિશોર અને મહેશને સારું બનતું. કિશોર કોઇ પણ કારસ્તાનમાં ફસાતો તો મહેશ મદદે આવતો.   મહેશ જર્નાલિઝમના કોર્સનાં બે વર્ષ કેમ પૂરાં કરશે એ સવાલ હતો ત્યારે અમારો કિશોર એડમિશન મળ્યું ત્યારથી જ પત્રકાર બની બેઠો હતો. પહેલા જ વર્ષે એના ઉત્સાહે દિમાગને ઓવરટેક કર્યો. કૉલેજના ટ્રસ્ટીએ કઈ રીતે […]


કવિ થવું એટલે – તરુણભાઈ મહેતા 5

દરેકના જીવનમાં ધારેલી બધીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈ નથી. દરેકને કોઈક વાતનો અભાવ તો રહેવાનોજ. પરંતુ કવિ બનવું તે નાની સૂની વાત નથી. આમ તો દરેક વત્તા ઓછા અંશે કવિ તો હોય જ પરંતુ તેની કલ્પનાશક્તિ કુંઠિત કરી દેવામાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમ છતાં નીવડેલા કવિને સમાજ ઈનામ અકરામોથી નવાજે છે. કવિને પ્રથમ ઈનામ તો દર્દ – ઝખ્મો અને સહનશક્તિનું મળે છે. સમાજ, ગામ અને ઘરનાં સભ્યો ખુદ ઘરવાળી પણ તેને છટકેલ મગજનો ગણે છે. ઘણી વખત તેના મગજ હોવા અંગેની અફવા પણ તે ફેલાવે છે. પણ એ જ ઘરવાળી જ્યારે પરણી ન હોય ત્યારે કવિને “કવિ” બનાવવાના મૂળમાં રહેલી હોય છે. એથીજ કવિઓ પોતાના સંગ્રહમાં કોપીરાઈટના હક્કો ઘરવાળીના નામે જ કરી દેતા હોય છે. આમ તો માણસ માત્રમાં ઉદારતા રહેલી હોય છે. સામાન્ય માણસ બેન્ક બેલેન્સ, મકાન કે મીટર ઘરવાળીના નામે કરે છે, જ્યારે કવિ તો પોતાની વિચારોની મૂડી પણ ઘરવાળીના નામે કરી તેના નિર્દંભ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. કવિ હોવા માટે કવિ કહેવડાવવું આવશ્યક છે. જેમ કે તેમાં પ્રેમિકા અને પત્નિ કવિ તરીકે ઓળખે તેમજ પ્રસ્થાપિત કવિ થઈ શકાય. મારા ઘણા મિત્રો કવિ છે પરંતુ જાતને કવિ તરીકે ઓળખાવવા જેટલા અપલક્ષણોના અભાવે તેની કવિતા ડાયરીના પાનાની શોભા વધારી બાળમરણ પામી છે અથવા તો પોતે અગરબત્તીની જેમ બળીને અન્યની નાસિકા સુધી ગાંઠીયા અને ચટણી જેવા નયનરમ્ય અને મનોહર ફરસાણની સુવાસ પાથરનાર બની રહે છે. આમ તો સહન કરે તે સંત, રાજી થાય તે ઋષિ. કવિને સંસ્કૃતમાં कविभीः परिभू स्वयंभू मनीषी કહીને ઋષિ સમાન ગણાવ્યા છે, કારણકે મોહ માયા ન મળવાથી સહજ ત્યાગ વૃત્તિ સાધ્ય બની […]


અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ 9

1.  ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય ) અસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે ! પરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે !   સકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે, વાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે.   કુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે, જિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે.   મોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે, રામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે.   પૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે  રે ભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે…   2.  ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે”  નું પ્રતિકાવ્ય ) (સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત) તારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે ! એકલો ખાને, એકલો ખાને,  એકલો ખાને રે !   જો સહુ ડાચા ફાડે ઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે જ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે ત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને જે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે !   જો સહુ ગણગણતા જાય ઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય ત્યારે ખીસ્સા ભરતા તને, સહુ જોઈ ભલે શરમાય ત્યારે સામી છાતીએ, બધું ભૂલીને ભાઈ એકલો ખાને રે !   જ્યારે ગાળો દે સહુ કોઈ ઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ લાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે એકલો ખાને રે !   તારો સાથ માંગે જો કોઈ તો નફ્ફટ થઈને, છેટો રહીને પંડે ખાવું એ જ ધર્મ મારો કહીને […]


મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર 6

મોબાઈલનો વારસદાર ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે! મારા પપ્પાને બે’ન બે બે કુંવરીયા બૈ વચ્ચે પાડ્ય છે ભાગ – વીરાજી કેરી મોટે માંગ્યો છે બે’ન અવિચળ ટેલીફોન નાને માગ્યો છે મોબાઈલ, હાં રે બેની નાને માંગ્યો છે મોબાઈલ – વીરાજી. મોટો બેઠો છે ઘેર આરામ ફરમાવતો નાનો રખડતા રામ – વીરાજી. મોબાઈલ ફોનની રિંગુડી વાગતી નાનો બાઈકનો અસવાર – વીરાજી. રમઝમતી બાઈકે નાનો ફોનુડા સાંભળે વાતુંનો આવે ના પાર – વીરાજી. એક દી બીજો બાઈકનો અસવાર ભટકાયો નાનાની સાથ – વીરાજી. વેરાયા બોલ વીરના ફેલાયા આભમાં પછડાયો સાવ ઊંધમૂંધ – વીરાજી. બેઉ હાથે થયાં નાનાને ફ્રેક્ચર મોબાઈલનાં છૂટ્યાં બંધાણ – વીરાજી. ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે.  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર (ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય ) **************** ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ. તેમનો સંપર્ક ratilalborisagar@gmail.com પર કરી શકાય છો. “આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.”  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર ***************** મોબાઈલનું ગુજરાતી નામ ‘મેઘદૂતમ’ રાખ્યું હોય તો ?


મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5

હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી. અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ […]


પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું 13

                                         જેમની કલમે ગુજરાતના હાસ્ય સાહિત્યને દૈદિપ્યમાન કર્યું છે તેવા તમામ હાસ્ય લેખકો  – લેખિકાઓને સાદર અર્પણ઼ *********************************** ચલો ચલો મુસકાન વાવીએ લ્યો આ આંસુ, આપો હૈયુ, આપો થોડીક હૂંફ, એટલે એક નવી પહેચાન વાવીએ ચલો ચલો મુસકાન વાવીએ – કૃષ્ણ દવે સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત સર્જકોને માન સમ્માન મળે છે, અને મળવું જ જોઈએ પરંતુ નવોદિત છતાં સમર્થ લેખકોની ઘણી વાર ઉપેક્ષા થતી જોવા મળે છે. તે ન જ થવી જોઈએ તેવા વિચારે ગુજરાતી બ્લોગના ઉપલબ્ધ માધ્યમ દ્વારા કેટલાક લેખો અત્રે મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ કૃતિઓની પસંદગીમાં કોઈ સાહિત્યિક માપદંડો નજરમાં નથી રાખ્યા. પસંદ પડેલા બધાં લેખો અત્રે મૂકી રહ્યો છું. “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. દુઃખ વિષાદ તણા ઉપરના સૂર, જગને શું સંભળાવ, હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.  – કૃષ્ણલાલ શ્રીધરાણી આ અઠવાડીયાની ઉજવણી માટે લેખો મોકલનાર, શુભેચ્છા મોકલનાર તથા આશિર્વાદ આપનાર તમામ વડીલો, વાચકો અને મિત્રોનો અને લેખ મોકલી આપનાર મિત્રોનો આભાર માની રહ્યો છું.  આવતીકાલથી રોજ એક લેખ મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.  – જીગ્નેશ અધ્યારૂ (31-01-2009) ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ […]