Monthly Archives: February 2019


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)

ઇતિહાસમાં જે મહાન મનુષ્યોના નામ સુવર્ણાક્ષરે કોતરાયેલા છે તેનું કારણ તેમનું અસાધારણ જીવન છે. અન્ય લોકોને ઉપયોગી થાય તેવાં કર્મો તેમણે કર્યા હોય છે. આથી એ વાત તો નક્કી છે કે જીવનમાં માણસે સારાં કામ કરવાં જોઈએ. ઇતિહાસમાં નામ અમર થાય તેવું વિચારીને કોઈ સારાં કામ કરે તો પણ તે ઇચ્છનીય છે. અઢી હજાર વર્ષો પછી આજે પણ આપણે ભગવાન તથાગત એટલે કે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધને યાદ કરીએ છીએ. તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે.


દિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ 4

‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’ અમે ડ્રાઇવરને કહ્યું. શ્રીલંકા દેશના નુવારા એલિયા (nuwara eliya) હિલસ્ટેશનમાં અમે પ્રવેશી રહ્યા હતા. અંગ્રેજોએ વિકસાવેલું હિલસ્ટેશન હતું. આમ તો એ નાનકડું શહેર હતું પણ લગભગ આખા શ્રીલંકામાં આપણને તો ખાસ કરીને ગુજરાત જેવા લીલોતરી વંચિત પ્રદેશમાંથી જનારાઓને તો બધે જાણે જંગલો, ખેતરો અને બગીચાઓ જ છે એવું લાગે. એમાં આ તો હિલસ્ટેશન હતું. પર્યટનનું સ્થળ હતું. શહેર શરૂ ક્યારે થયું તે ખબર ન પડી પણ જ્યારે એ સમજાયું ત્યારે અમે ડ્રાઇવરને કહ્યું, ‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’


કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ 1

સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા રાજકોટ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પહોંચ્યો. એ જ દિવસે એક વિશેષ પુસ્તક વિમોચનના સાક્ષી બનવાનો અવસર મળ્યો. ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત પેટ્ટી ઓફિસર શ્રી મનન ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક ‘કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો’ નું વિમોચન આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવ્યું. કારગીલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ૧૨ ગુજરાતી શહીદ જવાનોની યુદ્ધ ક્ષેત્રે સર્વોચ્ચ બલિદાનની એમના જ મિત્રો દ્વારા કહેવાયેલી અને એમના જ એક સાથી ઓફિસર દ્વારા શબ્દસ્થ કરાયેલી ગાથા એટલે આ પુસ્તક. ગુજરાતીઓ વેપારી પ્રજા છે અને તેઓ સૈન્યમાં નથી એવા મેણાંંનો આ પુસ્તક સજ્જડ જવાબ છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એવા કારગીલના પર્વતો પર, ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈએ જ્યાં અત્યંત પાતળી હવાને લીધે શ્વાસ લેવો મુશ્કેલ છે, કાતિલ ઠંડી છે અને બર્ફીલા તોફાન વચ્ચે દુશ્મન વિરુદ્ધની જીવસટોસટની લડાઈમાં આપણા વીર જવાનોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનોની અમર સત્ય કથાઓ આ પુસ્તકમાં છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)

હા, એ વાત સાવ સાચી હતી. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા, ‘તમે તમારી આંખો બંધ કરી લો!’ કારણ કે બુદ્ધ નહોતા ઈચ્છતા કે તેમના શિષ્યો તેને જુએ. પણ રાજ્યમાં થયેલી ઘોષણા તો દરેક શિષ્યના કાને પહોંચી ચૂકી હતી. વૈશાલીમાં ઠેર ઠેર એની જ ચર્ચા ચાલી રહી હતી. દેશમાં તો ઠીક પણ વૈશાલીની બહાર મગધમાં પણ સર્વત્ર એની જ ચર્ચા થતી હતી. અને આજ એ દિવસ આવી ગયો હતો! શું હતું આજે?


વાત સાવજ પરિવારની : નર સલામત, નારી-બચ્ચા અસલામત.. – જિજ્ઞેશ ઠાકર 7

એશિયાટિક લાયનની એક માત્ર હાજરી ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, ત્યારે તેમના જતન અને પાલન-પોષણની જવાબદારી દરેક ગુજરાતીની છે. વનવિભાગની છેલ્લી ગણતરી અનુસાર રાજ્યમાં ૫૨૩ સાવજ ચોપડે નોંધાયેલા છે. પરંતુ ચોંકાવનારી વિગતો એ છે કે, છેલ્લા બે વર્ષમાં ૧૮૪ તો મોતને ભેટયા છે. બે વર્ષના સિંહોના મોતના આંકડાનો અભ્યાસ કરીએ તો તેમાં સિંહ કરતા સિંહણ અને સિંહબાળના મૃત્યુનો આંકડો ઘણો વધારે છે, જે ચિંતાજનક છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૫)

પ્રકરણ ૫ – વૈશાલીમાં કૌતુક ! પછાત ગણાતા આજના બિહારનો એક ઈતિહાસ હતો. માની ન શકાય પણ એ આપણા અસ્તિત્વ જેટલી જ નક્કર હકીકત છે કે એક જમાનામાં બિહારમાં ભારતનો સુવર્ણ યુગ હતો! બિહાર એટલે વિહાર… વિહાર શબ્દનો એક અર્થ છે ‘બૌદ્ધ મઠ’. તે ૧૦૦૦ વર્ષ સુધી સત્તા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. પ્રાચીન બિહાર મગધ તરીકે સુવિખ્યાત હતું. ભારતનું તે પ્રથમ સામ્રાજ્ય હતું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોનો ઉદય પણ તે સમયમાં થયો હતો. ત્યાંથી જ બૌદ્ધ વિશ્વમાં પ્રસર્યો અને ત્યાર બાદ આધુનિક બિહારનો જન્મ થયો. મગધની રાજધાની પાટલીપુત્ર હતી જે આજે પટણા તરીકે ઓળખાય છે. તે સમયમાં મગધ શિક્ષણ, કળા, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે બહુ આગળપડતું સ્થાન ધરાવતું હતું. તે ત્યારના ૧૬ મોટાં રાજ્યોમાંનું (મહાજનપદ)  એક મોટું રાજ્ય હતું. અત્યારે જે પુરાતત્વ ખાતાને હવાલે થયેલું દર્શનીય સ્થળ છે તે વૈશાલી બિહારનું પ્રથમ પ્રજાતંત્ર રાજ્ય હતું. ડો. રાજેન્દ્રપ્રસાદની કર્મભૂમિ, ચંપારણથી જ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળનો આરંભ કર્યો હતો. ખુદીરામ બોઝ, આચાર્ય જે.બી.ક્રિપલાની અને જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરુષો પણ ત્યાંથી જ મળ્યા છે. પણ ગંગા નદીને કિનારે આવેલા વૈશાલી લીચ્છવીઓની રાજધાની હતી. ત્યાં જ છે અશોક સ્તંભ, ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કુંડલાગ્રામ. બુદ્ધ અને જૈન ધર્મ આપનાર એ શહેર ત્યારે બહુ જ વિશાળ હતું. તે સમૃદ્ધ પણ હતું. કળા, નૃત્ય, અભ્યાસ, ધનધાન્ય બધામાં વિકાસમાન. જરા કલ્પના કરી જુઓ કે ત્યાં ૭,૭૦૭ જેટલા મેદાનો અને તેટલાં જ તળાવો હતા. મહાવનો હતાં. વૈશાલીથી સીધા હિમાલયની તળેટીએ પહોંચી શકાતું. વૈશાલી પ્રથમ પ્રજા માટે, પ્રજા વડે અને પ્રજા દ્વારા ચલાવવામાં આવતું ગણરાજ્ય હતું. અત્યારે ચુંટાય છે તેમ જ ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા. સંથાગાર, વિધાનસભા, […]


કિન્નોર (હિમાચલ પ્રદેશ) ની સફરે – હિરલ પંડ્યા 17

શું ક્યારેય તમારા સપનામાં સફરજન આવ્યા છે? સફરજન! આવતા હશે કાંઈ? કેરીની સીઝનમાં રસની મહેફિલ જામતા સપના જોયા છે, પણ સફરજનના સપના? ન આવ્યા હોય, તો આવી જાવ હિમાચલના કિન્નોર જિલ્લામાં!


સમિધા (ઈ-પુસ્તક) – સુરેશ સોમપુરા 2

સમિધા.. એક જમાનામાં સમિધ જિજ્ઞાસાનું પ્રતીક હતું, આજે પણ છે. સમિધનો શબ્દાર્થ છે યજ્ઞમાં વપરાતું લાકડું. જિજ્ઞાસુ વિદ્યાર્થી ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતો ત્યારે જંગલમાંથી લાકડા કાપવા જવું પડતું, જ્ઞાનયજ્ઞ સતત ચાલુ રહેતો. ‘ફી’ રૂપે વિદ્યાર્થી પાસેથી સતત જિજ્ઞાસાની – જ્ઞાનપિપાસાનીજ અપેક્ષા રખાતી. અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ સોમપુરાનું સુંદર અને મનનીય પુસ્તક ‘સમિધા’ આજથી ઈ-પુસ્તક સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪) 3

વસન્ત ઋતુ સર્વત્ર આનંદ ફેલાવતી હતી. વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. બધાના હૃદયમાં શુભ ભાવનાઓ ઉભરાતી હતી. ધરતી હસતી હતી. ઝર ઝર કરતાં ઝરણાં સાથે હરણાં જાણે હોડમાં ઉતર્યા હોય તેમ દોડતાં, કૂદતાં ઠેકતાં હતાં. આકાશ પણ પોતાની સ્વચ્છતાનો અને વિશાળતાનો પરિચય આપતું હતું. પર્વતોને તો પંખીઓનાં ગાન સાંભળીને ડોલવું હતું પણ ધરતીમાતાની ગોદમાંથી ચસકી શકતા ન હતા. સૂર્યના કિરણો પર સવાર થઈને પતંગિયા કયા ફૂલ પર બેસવું તેની વિમાસણમાં આમતેમ ઉડતાં હતાં અને ભ્રમરનો ગુંજારવ વૃક્ષોના પર્ણોમાંથી પસાર થતા પવન સાથે સંતાકૂકડી રમતો હતો. વૃક્ષોનો આનંદ જાણે ક્યાંય સમાતો નહોતો. આબે મોર આવ્યા હતા અને વસન્ત ઋતુને વધાવતા હતા.