Monthly Archives: March 2010


એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ) 3

શ્રી મણિલાલ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિલાલ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.


આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે

મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.


શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી 1

આપણા લોક સાહિત્યમાં, દુહા છંદ સાહિત્યમાં પણ શૃંગારરસનું ખૂબ ભાવપૂર્ણ નિરૂપણ છે. ક્યાંક એ રસદર્શન ખૂબ ઉત્કટ છે તો ક્યાંક ફૂલની બંધ પાંખડી જેટલું, પ્રફુલ્લિતકર ઉષ્માસમું છે, જલદ કામોદ્દીપન જેવું નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક “લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો” અંતર્ગત આપણા લોકસાહિત્યને ખૂબ સુંદર અને ઊંડાણથી ખેડ્યું છે, સમજણ આપી છે અને રસદર્શન કરાવ્યું છે. પ્રસ્તુત રચના તેમના આ જ પુસ્તકના “લોકસાહિત્યનું સમાલોચન” એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. શૃંગારરસનું ભારોભાર તેમાં નિરૂપણ છે. લડવૈયા શૂરવીરના લગ્નની પ્રથમ રાત્રીનું તેમાં નિરૂપણ છે. લોકસાહિત્યની આ રચના સ્વયંસ્પષ્ટ સમજી શકાય એવી સહજ છે. આ જલદ શૃંગારસાહિત્ય છે, પ્રથમ મિલનરાત્રિએ પહોરેપહોરે ઉદ્દીપન, પ્રણય અને રસોપભોગ સઘન બને છે.


તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ 1

તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, તેથી રામનામ સાંભળ……તને. ગઇ પળ પાછી નહીં મળે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને…..તને. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તેં અલબેલાની બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને…તને. કળજુગ કુડો રંગ રૂડો, કેતા ન આવે પાર, જપ તપ તીરથ કાંઈ ન કરિયા એક નામ આધાર શ્રીકૃષ્ણ કહીએ…..તને. ગુરુગમ પાયો મનમાં ધર્યો, જુગતે કરી જદુરાય, ગંગાદાસકુ જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને……તને. – ગંગાદાસ ‘ડાયરો’ પુસ્તકના ભજન વૈવિધ્ય વિભાગમાંથી સાભાર.


અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૨) 3

ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ – કવિ – અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.


અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૧) 2

ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ – કવિ – અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરની ઉત્પતિ – શિવસૂત્ર પૂર્વભૂમિકા (પુસ્તક ડાઉનલોડ) 3

શિવસૂત્રો સ્વયં શિવ દ્વારા પ્રગટાવેલ જ્ઞાન છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે આ અણમોલ આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો ઋષિ વાસુગુપ્તને સાંપડ્યો હતો. કાશ્મીરી શૈવવાદનો એ મૂળ પાયો છે; જે માનવ જાતીના ઉત્કર્ષ માટે જ પ્રગટ્યો છે. પારંપારિક રીતે આગમ શબ્દનો અર્થ થાય છે, એવી વ્યવસ્થા અથવા એવા નિયમો જેને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક અપનાવવામાં આવતા હોય. શિવસૂત્રો અંગે એટલું સ્પષ્ટ થાય છે કે એ કોઈ માનવીએ નથી લખ્યા અને એ પ્રગટેલા જ્ઞાનને સૌપ્રથમ પામનાર હતા ઋષિ વાસુગુપ્ત. કુલ ૭૭ સૂત્રો ત્રણ ભાગ કે ઉપાયોમાં વહેંચાયેલા છે. યોગ વશિષ્ઠ અને અન્ય આધ્યાત્મિક વિષય ખૂબ ગહન અધ્યયન કરનારા તથા આધ્યાત્મિક સાહિત્યના અનુવાદ કરવામાં ખૂબ આનંદ અનુભવનારા વડીલ એટલે મહેન્દ્રભાઈ નાયક. તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ સુંદર પુસ્તક એટલે શિવસૂત્ર વિશેની પૂર્વભૂમિકા અને સમજણ. આધ્યાત્મિક જ્ઞાનને કોપીરાઈટના બંધનો ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનનારા મહેન્દ્રભાઈનો આ પુસ્તક અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ આભાર માનવો ખૂબ ઓછો પડે છે. આ સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તક બદલ તેમને ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ.


ક્રૂર માશૂક – કલાપી 3

રાજવી કવિ સૂરસિંહજી તખ્તસિહજી ગોહીલ, ‘કલાપી’ ના વિચારોનો એક આગવો સાગર એટલે તેમના ઉર્મિસભર કાવ્યો. લાઠીના આ કવિવર રાજવીનો પ્રેમ પણ અનોખો હતો, સમયના બંધનોથી ખૂબ આગળ અને આગવો. પ્રસ્તુત રચનામાં તેઓ માશૂકની હ્રદયવિહીનતાની વાત કરે છે. માશૂક એક ઈશારે ખુદાઈ મોતને પણ પોતાના કાબૂમાં કરી શકે છે, કોઈના હાથે ગરદન કપાવનાર માશૂક પ્રત્યે તેઓ શું કહે? તેણે ફૂલ હટાવીને કાંટાની સેજ પાથરી છે. સમયની સાથે સનમનો આ ભાવ પણ સહી શકાશે તેવી આશા તેમને છે. અને અંતે તેઓ એ વાતે રાજી થાય છે કે સનમ રાજી છે, પોતાના દુઃખમાં પણ જો સનમ રાજી હોય તો એને ખુદાની મરજી સ્વીકારી પોતે ખુશ થઈ શકે એવી એક પ્રેમીની ભાવના આટલી સુંદર રીતે કલાપી સિવાય કોણ વ્યક્ત કરી શકે?


ડાઘ – ભગવતીકુમાર શર્મા 4

અમુક રચનાઓ લેખકના જીવનમાંતો સીમાસ્તંભ રૂપ કૃતિ હોય જ છે, પરંતુ સાહિત્યની એક અખંડ પરંપરા માટે પણ તે એવો જ એક જાળવી રાખવા જેવો ખજાનો હોય છે. શ્રી ભગવતિકુમાર શર્મા આપણા આવાજ એક આદરણીય અગ્રગણ્ય રચનાકાર છે જેમની કૃતિઓ ખૂબ ઉમંગથી વંચાય છે, માણી શકાય છે. આજે પ્રસ્તુત છે તેમની એક સદાબહાર સુંદર ગદ્યકૃતિ. આ વાર્તા એક સમાજજીવન અને તેની રૂઢીઓનું પ્રતિબિંબ પાડે છે. સુંદર પ્રસંગવર્ણન, ધારદાર શરૂઆત, વાર્તાતત્વની વિશેષતા અને એવો જ સુંદર અંત આ ગદ્યકૃતિની વિશેષતા છે.


એ તો એની સાથે હોય જ – દોલતભાઈ દેસાઈ 1

કુદરતે ઘણી વસ્તુઓ અવશ્યંભાવી રીતે આપેલી છે, અમુક વસ્તુની સાથે તેના વિરોધાભાસી ગુણધર્મો પણ આવે જ છે. સખત નાળીયેર ના કોચલાની અંદર તેનું મીઠું પાણી અને નરમ મીઠું નાળીયેર મળી રહે છે. આવી જ કાંઈક વાત કહેતો આ નાનકડો પ્રસંગ છે. અરધી સદીની વાંચનયાત્રા ભાગ ૨ માંથી સાભાર લેવાયેલો આ પ્રસંગ ખૂબ સુંદર અને મનનીય છે.


વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા

હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી… જે હતી “તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે…..” અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના ” ખરેખર વખાણ ” કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે….


એક પુસ્તકની જાદુઈ અસર – મહાત્મા ગાંધી 5

વિનોબા ભાવે કહે છે તેમ, “સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં, સહુની સમાન ચિંતા અને સમાન પ્રેમ. સ્વચ્છ રાજકારણની રચના માટે તેના ભાગરૂપ રાષ્ટ્રીય નેતાઓની કોઈ એક વિશેષ બાજુ નહીં, સર્વગામી વિકાસ થવો જોઈએ, એ સત્યાગ્રહ હોય કે નિસર્ગોપચાર, બ્રહ્મચર્યપાલન કે કરકસર, ગાંધીજીએ બધાંને સરખું મહત્વ આપ્યું. સમાજરચનામાં સામાજીક, ધાર્મિક, આર્થિક અને રાજકીય એમ બધાંજ ક્ષેત્રે પ્રભાવી અને પારદર્શક કાર્યપધ્ધતિનું પાલન એટલે ‘સર્વોદય’. બાપુને રસ્કિનના પુસ્તકમાંથી આ વિશેની પ્રેરણા મળી હતી તે જાણીતી વાત છે. એ પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.


કાં સાહ્યબા ! – દાન વાઘેલા 4

પ્રણયના ભીના રંગે રંગાયેલી આ સુંદર ગઝલ બે ઉત્કટ પ્રેમી હૈયાઓની વાત ખૂબ સુંદર અંદાઝમાં રજૂ કરે છે. જવાનીના દિવસોમાં અનુભવાયેલી ઉત્કટતા, વૃદ્ધત્વનો સહારો બની રહે છે, અને એ અગમ્ય ખેંચાણ, એ હા અને ના વચ્ચેનું નાનકડું અંતર, અને એ મિલન પછીની જુદાઈ ભૂલી ભૂલાતી નથી. કોઈ જૂના પુસ્તક પરથી જેમ ધૂળ ખરે અને રંગો સ્પષ્ટ થઈ જાય તેમ પ્રણયના રંગો તાજા જ રહ્યાં છે. જે ઝરમરતાં વરસાદમાં પ્રણયથી ભીંજાવાનો અનુભવ તેમણે લીધો હતો, તે દ્રશ્યોના સહારે આજે ઘડપણમાં જીવન વ્યતીત થઈ રહ્યું છે. આ બધાંજ અનુભવોનો એક સુંદર પ્રાદુર્ભાવ એટલે શ્રી દાન વાઘેલાની આ ગઝલ. અને આ સુંદર ગઝલના દરેકે દરેક શે’ર બેનમૂન છે, “કાં સાહ્યબા !”


વૃદ્ઘત્વ – ગીતા પરીખ (કાવ્ય આસ્વાદ – હરિન્દ્ર દવે) 3

વૃદ્ઘાવસ્થાના એક પ્રસન્ન શાંત ગીતને અહીં કવિયત્રીએ ઉપસાવ્યું છે. આ ગીતનું વરદાન બઘી જ વૃદ્ઘાવસ્થાને પ્રાપ્ત થયું નથી; ઘણા બઘા વૃદ્ઘોને આપણે ફરીયાદ કરતા, જીવનને શાપતા જોઈએ છીએ; પણ જે જીવનને એના ગૌરવ સાથે જીવ્યા હોય અને જેમણે સાથે પોતાના અંગત જીવનનું પ્રમાણ મેળવી લીઘું હોય તેઓની વૃદ્ઘાવસ્થા ‘ ભાવુક ભવ્યગાન’ જેવી બનતી હોય છે. શિશુ જીવનના માર્ગ પર ભાખોડિયા ભરે છે; યુવાનીમાં માણસ જીવનના રસ્તા પર દોટ મૂકે છે, પણ જીવનના રસ્તા પર પ્રસન્ન્તાથી ટહેલવાનો અવકાશ જીવન પરિતૃપ્તિથી જીવી ગયેલા વૃદ્ઘોને જ સાંપડે છે.


મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા (પુસ્તક ડાઉનલોડ) 3

ભાલના મરવા પડેલા માણસો અને નપાણીયા ધરતી પર પગલાં માંડ્યાં અને તે અમૃતા થઈ ગહી. તેની કાંઈક વાર્તા આ નાનકડા પુસ્તકમાં કાશીબહેને, શિયાળ ગામનાં કાશીબાએ કરી છે. આ ‘અભિનવ દીક્ષા’ તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે. સંકોચાતાં સંકોચાતાં લખેલ છે એટલે વસ્તુસંકોચ થયો છે. છતાં તવારીખી કડીઓ છે. એક નાની, સરલ, કાંઈક અબોધ બાલિકા, ધર્મ સંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત ગુજરાતને મળે છે. અક્ષરનાદના પુસ્તક ડાઊનલોડ વિભાગની શરૂઆત આ સુંદર પુસ્તક સાથે કરતાં ખૂબ આનંદ થાય છે. કેટલાક પુસ્તકો ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકની ઉપલબ્ધિ સાથે આળસ મરડીને બેઠી થાય છે. સમયાંતરે આવા સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકાશે એવી આશા સાથે વીરમું છું.


બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ 20

અક્ષરનાદ આજે ૨,૦૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ કરી રહ્યું છે. હમણાં ઘણાં વેબ મિત્રોએ સંપર્ક કરતાં પૂછ્યું કે “મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?” તેઓ કહે છે કે જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઈટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જો કે એ બધાં મિત્ર ઓનલાઈન મિત્રો હતાં, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હ્રદય ધબકે છે એ સત્તત તેમના ઈ-મેલ અને પ્રતિભાવોથી પ્રતીત થયાં કરે, પણ “શું લખું?” એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે. ઘણાં દિવસથી આ વિષય પર લખવાની ઈચ્છા હતી, પરંતુ આ વિષય પર સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્નાર્થ હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું. પરંતુ એવા મિત્રો જેમણે મને કે બીજા અનેક બ્લોગર મિત્રોને આ સવાલ પૂછેલો, “શું લખું?” તેમને જવાબ આપવો પણ જરૂરી લાગ્યો, એટલે આ લખ્યું.


સરદાર પટેલની વીરહાક – મુકુલભાઈ કલાર્થી 2

સ્વતંત્રતા મેળવવા લડતી ગરીબ નિર્ધન પ્રજાને રોજેરોજ પ્રમાણસર વીરરસ અને જોમ પૂરું પાડતી એક સાચા સેનાપતિને છાજે એવી વાણીથી સરદાર વલ્લભભાઈ પટેલે લડવાની, સ્વમાનથી જીવવાની અને પોતાના હક મેળવવા મહેનત કરવાની એક અનોખી રીત શીખવી. એમણે લોકોને હિંમત અને પ્રેરણા પૂરી પાડી. એમની કટાક્ષવાણી, વિનોદ, પ્રોત્સાહન, બધુંજ સચોટ અને સ્પષ્ટ છે. તેમણે બારડોલીને પ્રેરણા અને જોશનો નવો સ્તોત્ર બનાવી દીધેલો. આજે પણ તેમની વાણી એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતના આ પનોતા પુત્રએ પોતાના કામથી જગતને એ બતાવી આપ્યું કે લોકો માટે, લોકો નો અને લોકો દ્વારા ચૂંટાયેલો એક સાચો નેતા કેવો હોય.


ઢાળી દે છે – પ્રવિણ શાહ 12

અક્ષરનાદના વાંચકમિત્ર શ્રી પ્રવીણભાઈ શાહ વડોદરા રહે છે અને પદ્ય રચનાઓ તેમનો પ્રિય વિષય રહ્યો છે. પ્રસ્તુત રચનામાં તેઓ એક વિદ્યાર્થીની વેદના અને તેના ભવિષ્ય વિશેની આપણી જડ મનોવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા જણાય છે. ડોક્ટર, ઈન્જીનીયર વગેરે ઢાળોમાં, બીબાઓમાં તેને ઢાળવાનો પ્રયત્ન તેના પ્રથમ ડગલાથી જ શરૂ થઈ જાય છે. તેની વિકસવાની શક્યતાઓ પર કાતર ફેરવી દેવામાં આવે છે, તેની ક્ષિતિજ ખૂબ સંકુચિત થઈ જાય છે. અને તેના સપનાઓ સપના રહે છે અને તે બીજાઓના સ્વપ્ન માટે, તેમની આકાંક્ષાઓ માટે મંડ્યો રહે છે. ચીલાચાલુ વિષયથી સહેજ હટીને એક સચોટ વાત કહેતો આ ગઝલરચના નો પ્રયત્ન ખૂબ જ સુંદર છે. પ્રવીણભાઈને એ માટે ખૂબ શુભેચ્છાઓ.


( દિકરીઓ વિશે ) સમાજને એક પત્ર – કવિત પંડ્યા 4

પ્રસ્તુત કૃતિ દિકરીઓ વિશે સમાજને એક ખુલ્લો પત્ર છે, અહીં સ્ત્રીઓને લગતાં પ્રશ્નો વિશે તેમની ચિંતા સ્પષ્ટપણે ઝળકે છે, ખાસ કરીને તેઓ સમાજને સ્ત્રીભ્રૂણ હત્યા અને તેમને મળતા અસમાન અધિકારો અને તેમના સામાજિક દરજ્જાની સમાનતા વિશેની ચિંતાઓ સમાજને ઉદ્દેશીને લખે છે. વિકાસ અને પરિવર્તનની સદીમાં આજે સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે. તેઓ આ પત્ર મારફત સમાજને આ વિષય પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા કટીબદ્ધ થવાની વાત કરે છે.


કવિ છું હું – બરકત વીરાણી ‘બેફામ’ 6

ખૂબ ભાવવહી અને અર્થસભર આ ગઝલમાં શાયર શ્રી બરકત વીરાણી મત્લાના શે’રમાં કવિની ફરજ બતાવે છે, પોતાની ફરજ બધાંને કાજ જીવવાની એ, બીજાના દુખને પોતાના કરી એક કવિએ જીવવાનું હોય છે મારી અત્યંત પ્રિય ગઝલોમાંની એક એવી આ ગઝલ શ્રી બેફામની રચનાત્મકતા અને અભિવ્યક્તિનો પરિચય ખૂબ સુંદર રીતે આપી જાય છે. એક ગઝલના એકે એક શે’ર ખૂબ ચોટદાર હોય એવી સંપૂર્ણ ગઝલો ખૂબ જ ઓછી મળે છે. પ્રસ્તુત ગઝલ તેવી જ એક રચના છે.


સાબરના શિંગડા – ઈસપની બોધકથાઓ 11

ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયો હોવાનું મનાય છે, ખરેખર તો તે એક ખરીદેલો ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તેણે આ બધી વાર્તાઓની રચના કરી હતી. વાર્તાના પાત્રો રૂપે તેણે લીધેલા જંગલના પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, શિયાળ, કાગડો, રીંછ, હરણ, ઉંદર, દેડકો જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓના ઉદાહરણ સાથે સમજાવાયેલી આ વાર્તાઓ નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઈ પડી છે. સાથે સાથે આ વાર્તાઓ વ્યવહારીક જ્ઞાન અને નીતીબોધ પણ સરળ પ્રવાહી ભાષામાં સુપેરે આપી જાય છે. આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસપની આ બોધકથાઓનું છે. આજે પ્રસ્તુત છે તેમાંની એક સરસ વાર્તા.


છે ઘણા એવા કે જેઓ ….. – સૈફ પાલનપુરી 7

યુગને પલટાવવો, જમાનાની તાસીર બદલવી કે સમય પર પોતાની છાપ છોડવી કદાચ ઘણાં લોકો કરી શક્તા હશે, પણ પ્રેમમાં ફાવી જનારા, પૂર્ણપણે સફળ થનારા શોધવા અઘરા છે એમ સરખામણી કરતા સૈફ પાલનપુરી કહે છે કે દુર્દશા તો હતી જ પરંતુ દોસ્તોએ સંજોગોનું ભાન કરાવ્યું. વીતેલા દિવસો યાદ કરતા આંસુઓ સિવાય બીજુ કાંઈ પણ યાદ આવ્યું નહીં, કદાચ પ્રસંગો એવા નહીં હોય કે યાદ કરવા જોઈએ, એ ફક્ત આંસુઓ જ આપી શકે. પ્રેમપત્રો પાછા આવ્યા, આવેલા પાછા અપાઈ ગયા, છતાં એ સંબંધ છે કે પત્રોની સાથે સ્નેહના એ સંબંધોની પણ અદલાબદલી કરાઈ છે એ બાબતે હજી શાયર મૂંઝવણમાં છે. દુનિયા ઉતાવળમાં આપણી કબરમાં બીજા કોઈને દફનાવી ગયા છે એમ સૂચક દ્રષ્ટાંતથી તેઓ કહે છે કે દુનિયામાં કોઈની કોઈને પડી નથી, સ્વાર્થ વગરના સંબંધને શોધવો જીવનનું સૌથી અઘરું કાર્ય છે.


હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ – જીજ્ઞેશ અધ્યારૂ 11

હિન્દીના બ્લોગ જગતમાં એક લટાર મારવાનો અવસર મળ્યો. હિન્દી ભાષાનું બ્લોગ અને ઈન્ટરનેટ વિશ્વમાં યોગદાન ખૂબ વધી રહ્યું છે અને આપણા સૌ માટે એ પણ આનંદની વાત જ કહેવાય. એ મિત્રએ પાઠવેલી કેટલીક વેબસાઈટ માંથી થોડીકનો આજે પરિચય. આ શ્રેણી કદાચ બે ત્રણ ભાગમાં વહેંચવી પડે એટલી બધી વેબસાઈટ અને બ્લોગ મળ્યા છે. બ્લોગવૈવિધ્ય એટલું તો વિશાળ છે, વિષયોની પસંદગી અને છણાવટ પણ એટલી સરસ છે કે વાંચવાની ખરેખર મજા આવી જાય.  તો ચાલો હવે જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ ….


અ પ્રિન્સિપલ ટુ ફોલો – જીજ્ઞેશ અધ્યારૂ 11

પ્રસંગ સાવ સામાન્ય છે, અને મારી સાથે ફક્ત પાંચ વર્ષ ઉપર થયેલો, હું તેનો સાક્ષી છું, પણ એ દિવસે મને મારા જીવનમાં પાળવા માટે એક જરૂરી સિધ્ધાંત આપ્યો, ગમે તેટલી વાતો કહ્યા કરીએ, બગણાં ફૂંકીએ પણ જો વ્યવહારમાં ન ઉતરે તો એ અર્થ વિહીન છે. એ ફક્ત સંજોગો હોઈ શકે કે ત્યારે એ પ્રસંગના હિસ્સા રૂપે એક અંગ્રેજ સાહેબ અને ભારતીય ઈજનેરો – ઈજારાદાર હતા, એનાથી ઉલટું પણ હોઈ શકે, પણ વાત સિધ્ધાંતની છે, વાત છે એક માણસના દ્રઢ નિશ્ચયની.


અલબેલો અંધાર હતો – વેણીભાઈ પુરોહિત 2

પ્રસ્તુત નાનકડા કાવ્યમાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિત વરસાદ પછીના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરે છે. વરસાદ પડી ચૂક્યો છે, ધરતી પર અંધકાર ઉતરી ગયો છે. આવા સમયે એક અજબની અકળાવનારી ખામોશી ઇશે તેઓ વાત કરે છે. ગગન તેમને જળ વરસાવવાના કાર્યના પરિણામે સુસ્ત થઈ ગયેલું લાગે છે, તમરાંની વાણી પાયલના ઝંકાર સમી ભાસે છે તો હવાના મિસરાઓમાં તેમને ઉદાસીની એંધાણી વર્તાય છે. છેલ્લી કડીમાં તેઓ ઉર્મિના કબૂતરની આંખોમાં સ્વપ્ન અને પાંખોમાં ભાર દર્શાવીને કમાલ કરી દે છે. અંતિમ પંક્તિઓમાં આખીય કવિતાનું હાર્દ છતું થાય છે.


મુક્તકો – જીજ્ઞેશ ચાવડા 10

મિત્ર જીજ્ઞેશ ચાવડાની રચનાઓ એવા કેટલાક મુક્તકો આજે પ્રસ્તુત કર્યા છે. મુખ્યત્વે પ્રેમની અને વિરહની વાતો કરતા આ મુક્તકો હજી શરૂઆત છે. અમે હજી આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યા હોઈ જે જગ્યાઓ પર વિસ્તારને અથવા વિચાર સુધારાને અવકાશ હોય ત્યાં મુક્તપણે સૂચવશો તો આનંદ થશે. વિચારને, કલ્પનાને યોગ્ય ક્ષેત્ર, યોગ્ય રસ્તો અને પ્રસ્તુતિની કળા સાંપડે એ ઈચ્છવાયોગ્ય જ હોય.


દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હોળીના, રંગોના આ પવિત્ર તહેવારમાં જીવનમાં સંબંધોના અનેકવિધ રંગોની વચ્ચે એક અનોખો, સુંદર રંગ એટલે મિત્રતા. રંગોનો તહેવાર ઉજવાય છે હૈયાની નજીક રહેલી વ્યક્તિઓ સાથે, એવા લોકો સાથે જેમના સુખ દુઃખના રંગો આપણા જીવનમાં પણ ભળે છે. ઘણા સંબંધોના રંગો હોય છે, ઘણાં બિનહાનીકારક કુદરતી રંગો પણ હોય છે, મિત્રતા કદાચ આવો જ રંગ છે. મિત્રતા એક રંગ નથી, એ એક ઈન્દ્રધનુષ છે. તેમાં સુખમાં મહાલવાનો રંગ છે, તો એક મિત્રના દુઃખમાં સાથ આપવાનો, આધાર આપવાનો રંગ પણ છે, તેનાથી દૂર રહીને તેને સતત યાદ રાખવાનો રંગ છે તો તેની સાથે જીવનને એક અવસર બનાવીને ઉજવવાનો રંગ પણ છે. કઈ એવી ધુળેટી તમે ઉજવી છે જે મિત્રો વગર સંપૂર્ણ હોય?