Monthly Archives: June 2017


દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ 11

દિલ્હીમાં જોવાલાયક અનેક સ્થળો છે, ઐતિહાસિક સ્મારકો, અદ્રુત સંગ્રહાલયો, દર્શનીય સ્થળો, ખરીદીના અને ઉજાણીના અનેક સ્થળો.. પણ એ બધામાં મારા જેવા પુસ્તકપ્રેમીને જો કોઈ જગ્યા સૌથી વધુ ગમી ગઈ હોય તો એ છે જૂની દિલ્હીના દરિયાગંજનું રવિવારી પુસ્તકબજાર.

દરિયાગંજ વિસ્તાર આઝાદી પહેલા અંગ્રેજોનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર હતો. લગભગ ૧૯૬૪માં શરૂ થયું હોવાનું મનાય છે તે દિલ્હીનું આ પુસ્તક બજાર અનેક રીતે અનોખું છે. નામ જ સૂચવે છે તેમ દર રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ ભરાતું આ પુસ્તક બજાર બપોર સુધીમાં તો મહદંશે ખાલી થઈ જાય છે. લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી, સામાન્યથી વધુ પહોળી એવી આ ફુટપાથ પર ફક્ત ચાલવા જેટલી જગ્યા છોડીને અનેક વિક્રેતાઓ તેમના પુસ્તકોની ચાદર પાથરી દે છે. અહીં તમને પીળી પડી ગયેલી વર્ષો જૂની એલિસ્ટર મેલ્કેઈનની નૉવેલથી લઈને મિર્ઝા ગાલિબની ગઝલો સુધીની, તસલીમા નસરીનની લજ્જાથી લઈને સઆદત હસન મન્ટોની વાર્તાઓ સુધીની, GRE, GMAT, Gate, TOEFL, SSC વગેરે જેવી અભ્યાસને લગતી..


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧) 13

“હે ડિયર, ખૂબ ખૂબ અભિનંદન“ વોટ્સએપ મેસેજ કર્યા બાદ ડૉ. આરાધનાએ બે ટીક થઇ ત્યાં સુધી એકીટશે મેસેજ જોયા કર્યો, પછી મોબાઈલ ટેબલ પર મૂકી, બાજુમાં પડેલું કાર્ડ ઉઠાવી બે ચાર વાર ફેરવી ફેરવીને જોયું અને વિચારમાં મગ્ન થઈને એ કાર્ડથી પોતાના મોં પર હવા વીંઝવા લાગ્યા. ‘નિલયની સગાઈ થઇ ગઈ!’ આનંદની સાથે જ આશ્ચર્યની બેવડી લાગણી થઈ આવી.

મોબાઈલમાં મેસેજનો ટોન સાંભળીને નિલયે કમને મેસેજ ખોલ્યો. આંખો સામે ઝબૂકી રહેલા મેસેજે એને જાણે નવેસરથી નીચોવી નાખ્યો. એક ઝનૂન સાથે જવાબ આપ્યા વગર એણે મોબાઈલ પાછો મૂકી દીધો. નજર સામે સતત આવા અનેક મેસેજ તરવર્યા કરતા હતા.


એક ડેટકથા – યામિની પટેલ 13

હું મારી નોટબુકમાં હોમવર્ક કરીએ રહી હતી કે અમારી અમસ્તાં શાંત રહેતી નાનકડી ગલીમાં હોર્ન વાગ્યો. મારાથી તરત બારી બહાર જોવાઈ ગયું. મૂવર્સ અને પેકર્સનો ટ્રક હતો. ઓહ! તો રસ્તાની પેલી બાજુ આવેલા બંધ પડેલા બંગલામાં કોઈ રહેવા આવતું લાગે છે.

કુતૂહલથી બધું છોડીને બારીએ આવી ઊભી રહી ગઈ. હવે ત્યાં ટ્રકની પાછળ એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બધા ઊતરી ગયા છે એમ માનીને હું એ લોકો વિષે અટકળો કરતી હતી ત્યાં તો ગાડીનું બારણું ખોલી એક છોકરો ઊતર્યો. જિન્સ, ટી શર્ટ, વાંકડિયા વાળ અને ભૂરી આંખો; જિન્સના ખિસ્સામાં હાથ નાખી અદાથી એ ઊભો હતો. લાગતું હતું કે આ બંગલો પહેલી વાર જોઈ રહ્યો છે. જાણે નજરથી એને માપી રહ્યો હોય એમ એ ઘર તેમજ આજુબાજુની લોન જોઈ રહ્યો હતો. પછી ડોક જરાક ગમ્યું હોય એમ હલાવી એ અંદર જવા લાગ્યો. હું એની પીઠ તાકી રહી. હવામાં એના વાળ ઊડી રહ્યા હતા. મને અચાનક થયું, એના આ વાંકડિયા વાળમાં આંગળા ફેરવ્યા હોય તો કેવું? મેં તરત જ માથું હલાવી એ વિચાર ખંખેરી નાખ્યો. ત્યાં તો મમ્મીની બૂમ સંભળાઈ.


પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી 20

શ્રી લતાબેન હિરાણીએ આલેખેલી પાંચ સુંદર પ્રસંગકથાઓ આજે પ્રસ્તુત કરી છે. આપણા સમાજજીવનમાંથી જ આવતી આ વાતો દરેકને સ્પર્શે એવી મનનીય અને અનુકરણીય છે. આસપાસના અનેક નકારાત્મક ઘટનાક્રમો વચ્ચે લતાબેનની આ હકારાત્મક કથાઓ આપણા માનસમાં આશાનો સંચાર કરશે એ ચોક્કસ. અક્ષરનાદને આ પ્રસંગકથાઓ પાઠવવા બદલ લતાબેન હિરાણીનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


કરણીનું ફળ – કનુ ભગદેવ 6

મનોજ આજકાલ કરતાં ઘણા સમયથી પૈસાદાર બનવાના સપનાં જોતો હતો. એનું ખટપટિયું મગજ સહેલાઈથી પરસેવો પડ્યા વગર ક્યાંથી ને કેવીરીતે પૈસા મેળવવા એના વિચારોમાં જ હંમેશા અટવાયેલું રહેતું હતું. તે મુંબઈમાં ફોર્ટ સ્થિત ડૉ. દાદાભાઈ નવરોજી રોડ પર આવેલ એક રેડીમેડ વસ્ત્રોનાં ભવ્ય અને આલીશાન શોરૂમમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. શોરૂમમાં પાંચ સેલ્સમેનો ઉપરાંત એક હેડ કેશિયર પણ નોકરી કરતાં હતાં. શોરૂમમાં પ્રવેશતાં જ જમણા હાથે આવેલા કાઉન્ટર પાછળ શોરૂમના માલિક જમનાદાસની ઓફિસ હતી.
શોરૂમનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિનાં ૮:૩૦ સુધીનો હતો.

હેડ કેશિયર પીતાંબર શોરૂમ બંધ થયા પછી રાત્રે નવ વાગ્યે હિસાબ કિતાબ લઈને માલિક જમનાદાસની ઓફિસમાં ચાલ્યો જતો. ત્યાં એ પંદર-વીસ મિનીટ રોકાતો. પછી નવ વાગ્યે એક નાની સુટકેસમાં તે આખા દિવસના વેપારની રકમ લઈને બહાર નીકળતો અને રાતના દસ વાગ્યા સુધી કામકાજ કરતી બેંકમાં જમા કરાવી આવતો. બેંકમાં પૈસા જમા કરાવ્યાની રસીદ તે બીજે દિવસે સવારે આવીને ફાઈલમાં મૂકી દેતો હતો. કેશિયરનો આ ક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ હતો.


કેટલીક ગઝલરચનાઓ.. – મુકેશ ધારૈયા 8

બિલખા રોડ, જૂનાગઢના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે સિેનીયર લેક્ચરરના પદ પર કાર્યરત મુકેશભાઈ ધારૈયાની અક્ષરનાદ પર આ પ્રથમ પોસ્ટ છે. તેમણે કેટલીક ગઝલરચનાઓ અક્ષરનાદને પાઠવી છે જે બધી જ આજે અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પરિવારમાં મુકેશભાઈનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર.


એકાંકી “હાલરડું” – બાબુભાઇ વ્યાસ 8

એકાંકી નાટક: “હાલરડું”, લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

આ નાટક દિર્ગ્દર્શક, ભજવનારાઓ અને સ્ટેજ પર ની પ્રકાશ અને અવાજની વ્યવસ્થા કરવાવાળી વ્યક્તિઓ માટે એક પડકાર રૂપ છે, સમય સર સંવાદ અને રેડીઓ પર થતી ઉદઘોષણાઓ પણ નાટકનું એક મહત્વ નું અંગ છે. ૧૬ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ,ભાવનગર ની એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખાંડમાં પહેલી વખત ભજવાયું.

સમય: સને ૧૯૦૦ થી ૧૯૫૨
સ્થળ: હિન્દની કોઈ પણ માંનો ઓરડો

પાત્રો: માં, માસ્તર, વેપારી, સમાજ સુધારક, છાપાવાળો, રેડીઓ એનાઉન્સર, મુસાફર અને માંભારતી

પડદો ખૂલેછે ત્યારે સ્ટેજ ના એક ભાગ પર સ્પોટ લાઈટ ના અજવાળે એક માં તેના બાળક ને પારણામાં ઝૂલાવતી નજરે પડે છે. સ્ટેજ ના બાકીના ભાગ માં અંધારું છે,
માં હાલરડું ગાતી હોઈ છે, “ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલ ન કીજીયે”

માં નું હાલરડું ધીમે ધીમે શાંત થતું જાય છે. માં પારણામાંના બાળકને જુવે છે, ફરી હાલારડું ગંગાને છે.. …માં ઝોકે ચડે છે…સ્ટેજના બીજા ભાગ માં અજવાળું થાય છે અને માં નું સ્વપ્નું શરૂથાય છે.


‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી 13

આ પાંચમા અંકમાં છે,
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ વિજેતા લિડીયા ડેવીસની વિશેષ મુલાકાત
રાજુલ ભાનુશાલીનો અફલાતૂન સંપાદકીય લેખ જેમાં સાથે સાથે ભળે છે ઉર્દુ સાહિત્યકાર જનાબ સલીમ બિન રઝાક સાથે વાર્તાસ્વરૂપ વિશે વિગતે પ્રશ્નોત્તરી અને હિન્દીના પત્રકાર અને કવિ શ્રી લોકમિત્ર ગૌતમ સાથે લઘુકાવ્ય અને માઈક્રોફિક્શન વચ્ચે સમાનતા વિશે વાર્તાલાપ.
ગોપાલ ખેતાણીની કલમે માઈક્રોફિક્શનના ટચૂકડા તોફાન વિશે મજેદાર લેખ
ટૂંકી વાર્તા, લઘુકથા અને માઈક્રોફિક્શન વિશે વાર્તાકાર શ્રી અજય ઓઝાની કલમપ્રસાદી
અને સાથે સાથે સર્જન ગ્રૂપના નવા-જૂના મિત્રોની ચૂંટેલી સ-રસ માઈક્રોફિક્શન્સ


પદ્યરચનાઓ.. – પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી, કિલ્લોલ પંડ્યા, 7

મારી અંગત વ્યસ્તતાઓ અને અનિશ્ચિત જીવનપદ્ધતિ વચ્ચે ઘણાં સમયથી અક્ષરનાદ પર મૂકવાની બાકી રહી ગયેલી અનેક મિત્રોની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી અને કિલ્લોલ પંડ્યાની પદ્યરચનાઓ આજની આ પોસ્ટમાં શામેલ છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક બદલ સૌ સર્જક મિત્રોનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


ગુજરાતનું કાશ્મીર : ડાંગ – મેહુલ સુતરીયા 13

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલો ડાંગ જિલ્લો . ચારેકોર પથરાયેલું કુદરતી સૌન્દર્ય. બારેમાસ વહેતી નદીઓ,ગીચ જંગલો,ઉંચા વૃક્ષો …. કુદરતે જાણે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું ન હોય !!…

ડાંગ સાથે મારે હ્રદયનો સંબધ રહ્યો છે તેનું એક મૂળભૂત કારણ એ કે મારા સસરા આ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે એટલે દર વેકેશનમાં મારી પત્ની નિલમ અને બે પુત્રો આર્યન અને યશ સાથે ત્યાં જવાનું થતું. ડાંગ જવાનું થાય એટલે ઓછામાં ઓછો ૧૦ થી ૧૨ દિવસનો કાર્યક્રમ હોય જ . અમદાવાદમાં જેમ હું બાઈક લઈને ફર્યો છું તેવું જ ભ્રમણ મેં ડાંગના એ ડુંગરાળ અને ઢોળાવો વાળા રસ્તાઓ પર કર્યું છે. સાચું કહું તો ડાંગના એ કુદરતી સૌન્દર્યને ખોબલે ખોબલે પીધું છે અને હજી પણ જાણે તૃષા રહી ગઈ હોય એમ દર વેકેશનમાં ત્યાં જવાનો જાણે કે અંતરમનમાંથી સાદ આવે છે. અને ડાંગના એ બે ગામોની યાદો જ્યાં મેં ઘણો સમય વિતાવ્યો છે એવા સુબીર અને પિંપરી જાણે મને બોલાવે છે.


પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ 2

વિકાસ શબ્દ આપણને સહુને મનપસંદ થઈ પડ્યો છે. કદાચ એ આપણી રહેણીકરણીના સારા-નરસાપણાનો માપદંડ બનવા લાગ્યો છે. વિકાસ જરૂરી ખરો, પણ તેને મેળવવા ખાતર જે ચૂકવણું હોવું જોઈએ એ લઘુત્તમ હોવું ઘટે. આજે જ્યારે આપણે સહુ કદમ મિલાવીને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવા તરફ આગળ વધ્યા છીએ ત્યારે પર્યાવરણને લગતી બાબતો આપણા ધ્યાનમાં ન આવે.. કદાચ વિકાસના ભારે લાભ સામે પર્યાવરણવાદી લોકોની દલીલો નગણ્ય જ લાગે. આ બધું સ્વાભાવિક પણ છે, નજીકના ફાયદાને ભોગે દૂરના નુકસાન થોડા જોવા બેસાય! કાર્બન ડાયોક્સાઇડ, એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે શબ્દોને સામાન્ય લોકોમાં વાત પૂરતા કે પછી વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કે ક્યાંક પર્યાવરણના લેખોમાં ધ્યાને આવે છે; બેશક જાણવા જ જોઈએ, પણ સામાન્ય ભારતીયને મન એમાં આપણે ગુમાવવાનું શું?


બિચ્ચારા દુખિયારા! – વલીભાઈ મુસા 8

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે :

“નામદાર ન્યાયાધીશ સાહેબ,

આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?