ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ (ભાગ ૨) – અમી દોશી 2
ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ માં ધોળાવીરાનો વિનાશ થયો હશે, જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.
ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ માં ધોળાવીરાનો વિનાશ થયો હશે, જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.
ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે ‘કોટડા ટિંબા’. ધોળાવીરાનો અર્થ થાય છે ‘સફેદ કૂવો’
પુસ્તકમાં ૭૫ જેટલા વિવિધ સ્થળો વિશેની પ્રાથમિક માહિતી અપાઈ છે. એમાંથી ત્રણ સ્થળો વિશેની માહિતી અહીં લીધી છે.
મરાઠી શબ્દ સાતારાનો અર્થ સાત તારા (ડુંગર) થાય છે. સાત ડુંગરોની મધ્યમાં ધબકતું આ શહેર અજિંક્યતારા ગઢની તળેટીમાં વસેલું છે. ૧૭મી સદીમાં આ શહેર મરાઠા સામ્રાજ્યની રાજધાની હતું. પ્રસ્તુત છે એ અદ્વિતિય પ્રવાસની ડાયરી..
કશુંક પણ જોવું હોય તો અટકી જજો. જોઈ લેજો. પછી આગળ ચાલજો. ચાલતા રહીને જોવાની લાલચ ન કરતા. આગળ વધવાનું કદાચ થોડું મોડું થશે..
સોનેરી લાઇટમાં એ ખૂબ જ સુંદર લાગતું હતું. સોનાનું મંદિર અને એના ચોગાનમાં માર્બલની કારીગરી- જાણે કોઈ સુવર્ણ નગરી
ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય
અમે જાંખુ મંદિરના દર્શને ગયા. વાયકા એવી છે કે હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જતાં હતાં ત્યારે તેઓ આ ટેકરી ઉપર આરામ કરવા બેઠા હતા.
આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો.
એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. થાક એવો હતો કે લાઈટ-પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા.
ટ્રેકિંગ કથાનો આરંભ થાય છે એક ફોન કોલથી. મારી દીકરી શૈલીને ટ્રેકિંગના બેઝકેમ્પ પર મુકવા જવાની ઇન્ક્વાયરી માટે મેં કરેલો એક કોલ..
જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી.
બ્રહ્મપુત્રના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે.
ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.
અહીંયાના ઘણાં લોકો માને છેકે જસવંતસિંહનો આત્મા હજુ આ વિસ્તારમાં ભમે છે. એમના સમાજના લોકો પત્ર પણ લખે છે અને ખાસ તો જો પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો પહેલી આમંત્રણ પત્રિકા આ જગ્યાએ મુકી શુકન કરે છે.
દરેક પ્રવાસીએ અરુણાચલ પ્રદેશમાં જવા જરુરી ઓળખપત્ર અને ફોટો આપી મંજૂરી પત્ર લેવાનો હોય છે. આસામની હદ પતે એટલે ચેકપોસ્ટ પર આ મંજૂરી પત્ર લેવાની વિધિ પતાવી અમે આગળ અરુણાચલ પ્રદેશમાં વધ્યા. લગભગ દોઢ વાગે જમવા ઉભા રહ્યા. ખાવાનું ઘણું તીખું હતું એટલે ઘરના થેપલા ખાઈ કામ ચલાવ્યું.
ગુજરાતમાં આવેલું ચાંપાનેર ગામનું નામ તો ઘણાં બધાંએ સાંભળ્યું હશે અને જોયેલું પણ હશે. મારા આ પ્રવાસની વાત કંઇક અનેરી છે. ચાંપાનેરનો ઈતિહાસ વગેરે તો બધે મળી રહેશે એટલેજ મને થયું કે આજે તમને મારી રીતે સફર કરાવું.
પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,
આજે સૌ મિત્રોને આપણાં શીર્ષ જમ્મુ કાશ્મીરના લદ્દાખની મુલાકાતે લઈ જઉં. ભગવાને લદ્દાખમાં ભરપૂર કુદરતી સૌન્દર્ય ઠાલવ્યું છે. સામાન્ય રીતે બધાં લેહ લદ્દાખ બોલતાં હોય છે પરંતુ લેહ એ લદ્દાખની રાજધાની છે. બાકી અહીં લદ્દાખ આખામાં જોવાલાયક ઘણું બધું છે. ચાલો મારી સાથે તમે પણ સફર કરી લો આ અદ્રુત પ્રદેશની.
મુખ્ય મંડપમાં છપ્પન સ્તંભ એવાં છે કે જેને થપથાપવતા તેમાંથી જુદાજુદા વાજિંત્રોના અવાજ ખૂબ સરસ નીકળી અને સંગીતની કર્ણપ્રિય લહેરો ઉત્પન્ન થાય છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિધ્ધ શિલા-રથ છે.
ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.
અંદાજે ૧૫ એકરમાં ફેલાયેલા આ મુઘલ ગાર્ડનનો વિચાર આર્કિટેક્ટ સર એડવર્ડ લુટિયેન્સને ૧૯૧૭માં આવેલો પણ ગાર્ડન બન્યું ૧૯૨૮-૨૯માં.
પોર્ટુગીઝ ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પોન્ડીચેરી આવ્યા, એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજપાઠ ચલાવતા રહ્યા. ૧૯૫૪ માં પોન્ડીચેરી યુનિયન ટેરીટરી બન્યું. ફ્રેન્ચ લોકો અહીંના સમુદ્રકિનારાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફ્રેન્ચ કોલોની બનાવી જ્યાંનું ફ્રેન્ચ સ્થાપત્ય આંખે વળગી આવે તેવું છે.
સને ૧૫૩૫ માં પોર્ટુગીઝો દીવ અને દમણ આવેલા અને ૧૫૩૭માં તેને વસાહત તરીકે સ્થાપેલું. આઝાદી બાદ ભારતમાં કુલ ૯ શહેર જે રાજ્ય બનવાની ક્ષમતા ધરાવતા નહોતા તેઓને અલગ જીલ્લા તરીકે યુનિયન ટેરેટરીમાં સમાવિષ્ટ કરાયા. જેમાં દીવ-દમણ અને ગોઆ ૧૯૮૭ સુધી યુનિયન ટેરેટરીમાં સમાવિષ્ટ હતું, ત્યારબાદ ગોઆ અલગ રાજ્ય બન્યું અને ગુજરાતના અરેબીયન કિનારે વસેલા દીવ અને દમણ યુનિયન ટેરેટરીમાં સામેલ થયા. તાજેતરમાં જ દાદરા એન્ડ નગર હવેલી સાથે દીવ અને દમણનો એક જ યુનિયન ટેરેટરીમાં સમાવેશ થયો છે.
પ્રવાસ એટલે એવી સફર જેમાં મુસાફરીને અંતે કંઈક પામ્યાનો સંતોષ થાય, એ કુદરતનું સામિપ્ય અને સાન્નિધ્ય હોય, જાણકારી હોય, મિત્રો સાથે સરસ જગ્યાઓએ સમય વીતાવ્યાનો આનંદ હોય કે પછી કુદરતની કારીગરી સમા અદ્રુત યાદગાર રચનાઓની વણઝાર જોવાની ઉત્સુકતા હોય. અમારો અમેરિકાનો પ્રવાસ નક્કી કરતી વખતે મનમાં હતું કે કોન્ક્રીટના જંગલમાં તો કાયમ ફરીએ છીએ – રહીએ છીએ એટલે એ નથી જોવું, અમારાં બહેન બનેવીને અમે વિનંતી કરી કે આપણે કુદરતના આશિર્વાદ જેવા, માણસના ચંચુપાતથી દૂર રહેલા નેશનલ પાર્ક જોવા છે. મારાં મનમાં નાનપણથી યેલોસ્ટોન નેશનલ પાર્કનું એક વિશેષ આકર્ષણ અથવા તો કહું કે તેને જોવાનું કુતુહલ હતું. મારાં ફોઈનાં મોઢે એના વિશે ઘણું સાંભળ્યું હતું અને ત્યારથી ત્યાં જવા મન તલપાપડ થયા કરતું. લગભગ છ મહિના અગાઉથી આયોજન શરુ કરી દીધું હતું કારણ એક જ કે અમારે પાર્કની અંદર રહી કુદરતના આ મબલખ આશિર્વાદને પૂર્ણપણે અનુભવવા હતા, માણવા હતા.
ગુજરાતમાં ગરમીએ “માઝા” મૂકી હતી (કેસર કેરી બહુ થયેલી ને!) પણ “વાયુ”ની કૃપાથી અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ સારું થઈ ગયેલું. રાજકોટમાં થોડા દિવસનો આનંદ માણી જૂનાગઢ તરફ રવાના થયા.
જેમ લાગણીનું સ્થાન હ્રદય મનાય છે, બુદ્ધિનું સ્થાન મસ્તિષ્ક ગણાય છે તેમ માનવજાતિના આત્માનું સ્થાન હિમાલય છે. માનવ સંસ્કૃતિનો પ્રાણ જો કોઈ ચોક્કસ ઠેકાણે વિશેષરૂપે સ્ફૂરતો હોય તો તે હિમાલયમાં છે. – આજે પણ કાકા કાલેલકરના આ શબ્દો હિમાલયના અદ્ભુત મહત્વની સાક્ષી પૂરે છે.
‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’ અમે ડ્રાઇવરને કહ્યું. શ્રીલંકા દેશના નુવારા એલિયા (nuwara eliya) હિલસ્ટેશનમાં અમે પ્રવેશી રહ્યા હતા. અંગ્રેજોએ વિકસાવેલું હિલસ્ટેશન હતું. આમ તો એ નાનકડું શહેર હતું પણ લગભગ આખા શ્રીલંકામાં આપણને તો ખાસ કરીને ગુજરાત જેવા લીલોતરી વંચિત પ્રદેશમાંથી જનારાઓને તો બધે જાણે જંગલો, ખેતરો અને બગીચાઓ જ છે એવું લાગે. એમાં આ તો હિલસ્ટેશન હતું. પર્યટનનું સ્થળ હતું. શહેર શરૂ ક્યારે થયું તે ખબર ન પડી પણ જ્યારે એ સમજાયું ત્યારે અમે ડ્રાઇવરને કહ્યું, ‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’
શું ક્યારેય તમારા સપનામાં સફરજન આવ્યા છે? સફરજન! આવતા હશે કાંઈ? કેરીની સીઝનમાં રસની મહેફિલ જામતા સપના જોયા છે, પણ સફરજનના સપના? ન આવ્યા હોય, તો આવી જાવ હિમાચલના કિન્નોર જિલ્લામાં!
રણમાં આવેલું અને ફિલ્મોથી વખણાયેલું જેસલમેર નગર કેવું હશે? એ જાણવા માટે અમે મિત્રો એ રજવાડી નગરની સફરે નીકળી પડયા. સોનાર કિલ્લો અને રણની સુવર્ણરેત દુનિયાભરના પ્રવાસીઓને જેસલમેર આવવા મજબૂર કરે છે.