Monthly Archives: December 2018


Reality Distortion Field (RDF) – હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ – પી. કે. દાવડા 5

Reality Distortion Field નો સાદો અર્થ છે કે માણસની એવી શક્તિ, જે બીજા લોકોને પ્રથમ દૃષ્ટીએ અશક્ય લાગતા કામને એ શક્ય છે અને સહેલું છે એ સમજાવી શકે, અને એમની પાસેથી સફળતાપૂર્વક એ કામ કરાવી શકે. આના માટે હકીકતોને વળાંક આપી એની અણદેખી કરવી પડે તોય વાંધો નહીં.


પચાસ કલાકમાં શોર્ટફિલ્મ બનાવવાનો અનુભવ – જીજ્ઞેશ અધ્યારૂ 8

૨૭ સપ્ટેમ્બરને ગુરુવારે સવારે સાડા દસની આસપાસ ઓફિસમાં ચા પીતા પીતા ફેસબુક જોતો હતો ત્યાં ઈન્ડિઆ ફિલ્મ પ્રોજેક્ટ્સનો મેસેજ ઝબક્યો, પચાસ કલાકમાં ફિલ્મ બનાવવાનો પડકાર હતો. પહેલા થયું કે કોણ સતત પચાસ કલાક આ કરી શકે? એને માટે એક પ્રોફેશનલ ટીમ જોઈએ, આયોજન જોઈએ, જરૂરી સાધનો જોઈએ. પછી થયું સર્જનના મિત્રો આવા પડકાર લેવા તો કાયમ તૈયાર હોય છે જ! ગૃપમાં વાત તો કરી જોઉં. એટલે સર્જનના અમદાવાદ ગૃપમાં એ અંગેનો મેસેજ મૂક્યો. બાર વાગતા સુધીમાં ચાર મિત્રોની ઉત્સાહસભર હા આવી ગઈ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩) 2

જમદગ્નિઋષિ અને રેણુકાને પાંચ પુત્રો હતા. રેણુકાના માનસિક સ્ખલનથી ક્રોધિત થઈને તેમણેપોતાના પ્રથમ ચાર પુત્રોને રેણુકાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી હતી પરંતુ એક યા બીજા બહાને ચારેયે એમ કરવાની ના પાડી. એટલે ઋષીએ તેમને શાપ આપીને વ્યંઢળ (નપુંસક) બનાવી દીધા. અને પછી જમદગ્નિ ઋષિએ પરશુરામને તેની માતાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી ત્યારે પરશુરામે પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને તે જમીન પર પડતાં જ તેનાં અસંખ્ય મસ્તકો બનીને સંસારમાં ફેલાઈ ગયાં! અને તે માતા યેલમ્માનાં નામથી પૂજાવા લાગ્યા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) 2

કેવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઇ હતી! ત્રણેય નિર્દોષ માણસોથી ભૂલ થઇ હતી. એ પણ જ્ઞાની હતા તેવા માણસોથી. માટે જ કહ્યું છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. આપણે તો એ પણ જાણીએ છીએ કે સાચ ને નહીં આંચ. પરંતુ રેણુકાએ ખોટો વિચાર કર્યો અને સાચું બોલી. એ સાંભળી ઋષિ જમદગ્નિએ ક્રોધિત થઈને અનુચિત આદેશ આપ્યો. રેણુકાને સજીવન કરીને પરશુરામે પિતાશ્રીના આદેશનો ભંગ કર્યો. ખરેખર, સંજોગો સામે માનવી લાચાર હોય છે.