Monthly Archives: November 2018


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧) 16

નદી બે કાંઠે વહેતી હતી. નદીનાં શીતળ વહેતાં જળને જોઈ ઋષિના મનમાં અજબ આંદોલનો ઉઠતાં હતાં. તેમના મનમાં પણ હળવે હળવે વિચારોનો પ્રવાહ વહેતો હતો. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં, આલ્હાદક સૂર્યોદય સમયે તેમનો આશ્રમ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

એ સરસ્વતી નદીના કિનારે આશ્રમમાં ઋષિ જમદગ્નિ, ઋષિપત્ની રેણુકા અને ઋષિપુત્રો રહેતાં હતાં. ઋષિ પરંપરા પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને મધ્યાન્હ સમયે, ત્રિકાળ સંધ્યા કરવાથી મનની શક્તિમાં તથા સ્મૃતિમાં વધારો થતો એટલું જ નહીં પરંતુ તેમનું આયુષ્ય પણ તેથી જ વધતું હતું. એટલે જ તેઓ વર્ષો સુધી જપ-તપ કરી શકતા હતા. પ્રદૂષણમુક્ત, બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગી, પ્રાતઃ કાર્ય આટોપી સૂર્યોદય થતા તેના પહેલા કિરણ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતા હતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રસ્તાવના) 9

ગુજરાતી નવલકથાનો આરંભ જ ઐતિહાસિક નવલકથાથી થયો છે. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ ગુજરાતીની સૌ પ્રથમ નવલકથા ગણાવાઈ છે. એ પછીનાં દોઢસો વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલી સાહસ્રાધિક નવલકથાઓએ એમનાં અવનવાં રૂપો બતાવ્યાં છે. ક.મા.મુનશી અને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાને શિખર પર બેસાડી છે. આજે અનુઆધુનિક યુગમાં પણ કથાસર્જકોનું ઐતિહાસિક વિષયવસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી જેનું દૃષ્ટાંત તાજેતરમાં જ પ્રગટ થનાર પ્રકાશ પંડ્યા અને હર્ષદ દવે લિખિત નવલકથા ‘આમ્રપાલી’ છે.


વલસાડી હાઇકુ – સંકલિત 4

અનેકવિધ સર્જકો જેમ કે ઉશનસ, આશા વીરેન્દ્ર, પ્રા. મનોજ દરૂ, બકુલા ઘાસવાલા, પરિતોષ ભટ્ટ, અશ્વિન દેસાઈ, ડૉ. અરૂણિકા દરૂ અને રમેશ ચાંપાનેરીના કુલ કુલ ૩૨ હાઈકુનું સંકલન જે પુસ્તક ‘વલસાડી હાઇકુ – ૨’ ઓગસ્ટ ૨૦૧૫ અંક, ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક ‘મિલન’ નો હાઈકુ વિશેષાંકમાંથી સાભાર લીધા છે.


પિત્ઝાબોય – અજય ઓઝા 5

બોસની રીંગ આવી, ‘અર્ણવ તારે અત્યારે જ શર્મા એન્ડ શર્મા કમ્પનીની ઑફીસ પહોંચવું પડશે.’

‘અત્યારે જ?’ મેં પૂછ્યું, ‘ડે ટાઈમ?’

‘હા, બહુ નાઈટ શિફ્ટ કરી, કોઈવાર ડે ટાઈમ જોબ કરવાની પણ મજા લે ને ડિયર? જલદી પતી જશે. પાર્ટીનું નામ મિસિસ મિત્તલ શર્મા છે, આપણા માટે ન્યુ કસ્ટમર છે, એટલે સાચવી લેવા જરૂરી છે. એની પ્રોબ્લેમ? તને વાંધો હોય તો કોઈ બીજાને મોકલું?’

‘નોટ એટઓલ, બોસ. પણ ભરબપોરે કોઈની ઓફિસે આ પ્રકારની ‘મીટીંગ’? ઈઝ ઈટ પોસીબલ?’

‘આઈ ડોન્ટ નો અર્ણવ, એ આપણો પ્રોબ્લેમ પણ નથી ને? આપણે તો કસ્ટમરનો કોલ આવે એટલે ફોલો કરવાનું જ કામ, ઓકે?


નૂતન વર્ષના પ્રભાતે.. – સંપાદકીય 7

અક્ષરનાદ સર્વે સર્જકમિત્રોને, વાચકમિત્રો, સહયોગીઓ અને સર્વે સ્નેહીજનોને નવા વર્ષના સાલમુબારક.. વિક્રમ સંવત ૨૦૭૫નું આ નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સંતોષપ્રદ, ઉલ્લાસસભર અને સફળ નીવડે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના. ગત વર્ષે ઈશ્વરકૃપા અને મિત્રોના ઉત્સાહસભર સહકારથી અક્ષરનાદ સરસ ચાલી શક્યું, ધારણાથી વધુ સારી રીતે.. અશ્વિનભાઈ અનુદિત નવલકથા શિન્ડલર્સ લિસ્ટ અને ધ્રુવભાઈની તત્વમસિ અક્ષરનાદ પર ખૂબ વંચાઈ. એ સાથે અનેક કૃતિઓને વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને આવકાર મળ્યો. સર્જકમિત્રોનો અક્ષરનાદની ક્ષમતા અને પદ્ધતિમાં વિશ્વાસ અને સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે એથીય વધુ સત્વશીલ વાંચન વાચકો સુધી પહોંચાડી શકીએ અને નવા સર્જકોનો ઉત્સાહ વધારતો આ મંચ સહજતાથી આપી શકીએ એ જ પ્રયાસ સતત રહેશે..


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (ઉપસંહાર) 2

ઓસ્કરની ચડતીના દિવસો હવે પૂરા થઈ ચૂક્યા હતા. યુદ્ધે તેને ચડતીના દિવસો દેખાડ્યા હતા એ રીતે શાંતિનો સમય તેને ક્યારેય ચડતી આપવાનો ન હતો! ઓસ્કર અને એમિલિ હવે જર્મનીના મ્યુનિકમાં પહોંચી ગયા હતા. થોડો સમય તેઓ રોસનર બંધુની સાથે રહ્યા હતા, કારણે કે હેનરી અને તેનો ભાઈ મ્યુનિકના એક રેસ્ટોરન્ટમાં સંગીત પીરસવા માટે જોડાઈ ગયા હતા, અને ઠીક-ઠીક સમૃદ્ધ પણ થઈ ગયા હતા! રોસનરના સાંકડા અને ખીચોખીચ એપાર્ટમેન્ટમાં એક જૂનો કેદી ઓસ્કરને મળ્યો ત્યારે તેનો ફાટેલો કોટ જોઈને એ આઘાત પામી ગયો હતો! ક્રેકોવ અને મોરાવિયાની તેની સંપત્તિ તો રશિયનોએ કબજે લઈ લીધી હતી અને બચેલું ઝવેરાત ખાવા-પીવામાં વપરાઈ ગયું હતું. ફિજનબમ કુટુંબ મ્યુનિકમાં આવ્યું ત્યારે તેઓ ઓસ્કરની નવીનતમ પ્રેમિકાને મળ્યા હતા! એ યહૂદી છોકરી બ્રિનલિટ્ઝમાંના બચી ગયેલાઓમાંની કોઈ ન હતી, પરંતુ તેના કરતાં પણ ખરાબ છાવણીમાં રહીને આવી હતી! ઓસ્કરને મળવા આવનારા લોકો, ઓસ્કરની આવી નબળાઈઓને કારણે એમિલિ માટે શરમ અનુભવતા હતા.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૮) 1

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૭)

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


સજ્જનોનો દુકાળ નથી પડ્યો – ગોવિંદ શાહ 6

એક મોટા શહેરના છેવાડાના ગરીબ વિસ્તારમાં હું એક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ઊભો હતો. ત્યાં મારી નજર એક મેલાંઘેલાં કપડાંમાં સજ્જ ગરીબ છોકરા પર પડી. તે સ્ટોરમાં ફરી બધી વસ્તુઓ ધ્યાનથી જોતો હતો. સ્ટોરમાં શાકભાજી પણ હતા. મેં મારી ચીજો ખરીદી પેક કરાવી તે દરમ્યાન દુકાનદાર – શ્રીમાન જ્હોનની નજર તે છોકરા પર પડી. તેણે છોકરાને પૂછ્યું, “દીકરા! કેમ છે? કેમ આવ્યો છે?”

છોકરો – “સાહેબ! આજે તમારી પાસે આવેલા આ ટામેટાં ખૂબ જ સારા છે. બહુ સુંદર છે.”

દુકાનદાર – “તારી મમ્મી માંદી થઈ ગયેલી. હવે તેની તબિયત કેવી છે? શું હું તને કંઇ મદદ કરી શકું?”