Monthly Archives: September 2012


૧૯૭૯ – દુનિયાનો ઇતિહાસ બદલનાર વર્ષ… – પી. કે. દાવડા 7

આમ તો ૧૯૭૯ વર્ષમા આંખોને દેખાયું હોય એવું કંઈપણ બન્યું હોવાનું સામાન્ય માણસને યાદ નહિં આવે, પણ આ વર્ષના ૭ બનાવો આજની પરિસ્થિતી માટે જવાબદાર છે. આપણે આ સાતે બનાવો ઉપર અછડતી નજર નાખીએ.


ત્રણ ચોટદાર અછાંદસ… – વિપિન પરીખ 6

અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં મૂકવા માટે લોકમિલાપ ટ્રસ્ટની પરવાનગીથી તેમના દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ ટાઈપ કરી રહ્યો છું. અને એમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. એમાંથી જ આજે ત્રણ અછાંદસ મૂક્યા છે. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આ અછાંદસ વિશે કહેવા માટે શબ્દો ખૂબ ઓછા પડે છે, એ તો અનુભવે જ કહી શક્શો.


શોધું છું ખુદને તારી આંખોમાં… (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી 30

ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. કૃતિ ટૂંકી વાર્તા છે, સમય અને સંજોગોને આધીન બે યુવાન હૈયાઓના પ્રેમની અને એકબીજાને મેળવવાની ઝંખનાઓની વાત છે જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. પ્રથમ કૃતિ બદલ ખૂબ અભિનંદન, અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા બદલ અભિનંદન અને તેમની કલમે આવી વધુ કૃતિઓ રચાતી રહે એ માટે શુભેચ્છાઓ.


પ્રેમ ઝંખના… – રીતેશ મોકાસણા 9

ઉત્તરાર્ધમાં મારી નજરો ઊંડે ઊંડે જાય છે પણ એ થોડી વાર માટે અટકી જાય છે. નિરીક્ષણ કરે છે ને વળી આગળ ધપે છે. લાંબી દોડાવેલી નજરોને પાછી વાળવા પ્રયત્ન કર્યો કારણ કે પછી સંકેલતા કંટાળો આવશે એમ માની એને સ્થિર કરી. દૂર દૂર ક્ષિતિજમાં કંઈ ને કંઈ ફેલાયેલું છે. એની પાછળ કુદરતનો જ હાથ છે પણ એમાં મારી નજરો વેરવિખેર કેમ? એને કોઈ સાંત્વન નથી. ઝંખના તો ઘણી છે પણ આશ્વાસન નથી, આકાંક્ષા ઘણી છે પણ તરફદારી નથી, કારણ નજરો લાચાર છે, ગરીબ છે, અસહાય છે. નજરોને મેં કેટલીયે વાર વિનવી છે કે બધી જીજ્ઞાસા છોડી દે, ફાની વિચારો મૂકી દે પણ એ તો માનતી જ નથી. બસ ઘૂરક્યા જ કરે છે.


કેટલાક સુંદર શે’ર.. – સંકલિત 9

આજે પ્રસ્તુત છે અનેકવિધ સર્જકોનું શેર સંકલન. વિવિધ વિષયો અને વિચારોને સાંકળીને અનેક રચનાકારોની પ્રસાદી રૂપે આ શેર નિપજ્યા હશે, એ શેર આજે આપ સૌની સાથે મમળાવવાની મજા લેવી છે.


ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો… – રજનીકાંત મહેતા 7

૧૯૯૨થી ૨૦૦૨ સુધીમાં રજનીકાંતભાઈના ચાર નિબંધસંગ્રહો પ્રકાશિત થયા છે. ડાયસ્પોરા લેખકોમાં તેમનું સ્થાન આગવું અને વિશિષ્ટ છે, તેમના નિબંધ સંગ્રહો ‘થેમ્સ નદીને કાંઠે’, ‘મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા’, ‘દરિયાપારની દાસ્તાન’ તથા ‘વણખેડ્યો પ્રદેશ દરિયાપારનો’ વાચકોના પ્રેમને પામ્યા છે. આ નિબંધ સંગ્રહોમાં તેમનું ડાયસ્પોરિક વ્યક્તિત્વ અને વિચારધારા ઝળકે છે. આ ચાર નિબંધસંગ્રહોમાંથી પસંદગીના નિબંધોનું આસ્વાદમૂલક મૂલ્યાંકન કરીને તેનુ સંપાદન શ્રી બળવંતભાઈ જાનીએ કર્યું છે. પ્રસ્તુત નિબંધ એ જ સંપાદનમાંથી લેવામાં આવ્યો છે જેમાં લેખક ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો વિશે વાત કરે છે, એ લેખકોની ક્ષમતાઓ અને તેમની પ્રસિદ્ધીની વાત તેઓ અહીં જણાવે છે. પ્રસ્તુત નિબંધ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી રજનીકાંતભાઈ તથા ડૉ. બળવંતભાઈનો આભાર.


ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય – વિનોદ માછી 6

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. શ્રી ગણેશના જન્મની કથા, તેમના શરીર તથા વાહન અને શસ્ત્રો વગેરે વિશેનું અધ્યાત્મિક રહસ્ય આજે વિનોદભાઈ આપણી સમક્ષ મૂકી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ગણેશજીના આ ઉત્સવને મન મૂકીને માણો, ભક્તિમાં રસતરબોળ થતા તેના સાચા અર્થને સમજી વધુ સમર્પણ અને શ્રદ્ધા અર્પી શકો એ જ અભ્યર્થના.


ચાર નિખાલસ ગીત.. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ 10

એક સર્જક, કવિ, ડ્રામા આર્ટિસ્ટ, આકાશવાણીના કૅઝ્યુઅલ એનાઉન્સર એમ બહુરંગી પ્રતિભા ધરાવતા શ્રી શૈલેષભાઈ પંડ્યા ‘ભીનાશ’ નો પદ્ય સંગ્રહ જૂન ૨૦૧૨માં પ્રસિદ્ધ થયો. ૬૬ ગઝલો, ૧૨ ગીતો, ટ્રાયોલેટ અને અછાંદસ ધરાવતો એક સુખદ અનુભવ એટલે શૈલેષભાઈનો પ્રસ્તુત સંગ્રહ ‘નિખાલસ’ જે સંગ્રહના નામની જેમ જ તેમની નિખાલસતાનો અને ભીનાશનો ખૂબ સુંદર સ્પર્શ કરાવી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત સંગ્રહ પાઠવવા બદલ શ્રી શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આપણને હજુ આવી જ સુંદર રચનાઓ પ્રાપ્ત થતી રહે એ માટે અનેકો શુભકામનાઓ. આજે માણીએ આ સંગ્રહના ગીતોમાંથી ચાર મને ગમતીલા સુંદર ગીત.


કોને કહું ? (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

નિમિષાબેનની રચનાઓ અક્ષરનાદ માટે નિયમિતરૂપે મળે છે, પ્રસ્તુત થાય છે અને વાચકોના પ્રેમને પામે છે એ આનંદની વાત છે. એક સંપાદક તરીકે તેમની બળુકી રચનાઓને પ્રસ્તુત કરવાનો અનેરો આનંદ પણ છે. સ્ત્રીકેન્દ્રી સાહિત્યરચનાઓ આપણે ત્યાં ઘણી છે, પરંતુ સ્ત્રીઓની વાતને વાચા આપતી પ્રસ્તુત રચના જેવી કૃતિઓ જૂન છે. પ્રસ્તુત વાર્તા બદલ નિમિષાબેનને અભિનંદન અને શુભેચ્છાઓ.


બક્ષીબાબુના વિચારવલોણાં… 19

ગત અઠવાડીયે એક અનોખું સંકલન હાથમાં આવ્યું, અમદાવાદના શ્રી નાથાલાલ ર. દેવાણી દ્વારા કરાયેલ આ સંકલન જાણે ડાયરીમાં જેમ ગમતી વસ્તુઓ નોંધીએ તે જ રીતે ધૂમકેતુ, ગુણવંત શાહ, સુરેશ દલાલ, કુન્દનિકા કાપડીયા, કાંતિ ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, શાહબુદ્દીન રાઠોડ અને વજુ કોટકના પુસ્તકોમાંથી ચૂંટીને પોતાના હસ્તાક્ષરોમાં મૂક્યું છે. તેમના હસ્તાક્ષરો કોઈ પ્રિન્ટને ટક્કર મારે એવા અનોખા અને મનમોહક છે. નાથાલાલભાઈના પ્રસ્તુત સંકલનમાંથી શ્રી ચંદ્રકાંત બક્ષીના ત્રણ પુસ્તકો, આદાન, પ્રદાન અને અન્ડરલાઈનમાંથી તેમણે ચૂંટેલા – પસંદ કરેલા વિચારવલોણાઓ પ્રસ્તુત છે.


૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ – હાર્દિક યાજ્ઞિક 35

હાર્દિકભાઈ યાજ્ઞિક રચિત ૨૦ માઈક્રો ફિક્શન લઘુવાર્તાઓ અત્રે પ્રસ્તુત છે. એકથી પાંચ લીટીની સીમારેખામાં આવતી આ પ્રત્યેક વાર્તા પોતાનામાં એક આગવું ભાવવિશ્વ ધરાવે છે અને છતાંય તેના કદની લઘુતા તેની અસરકારકતાને જરાય અસર કરતી નથી એ જ તેની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


આંસુ ન બહા … ફરિયાદ ન કર…! (પ્રેરણા કથા) – હર્ષદ દવે 8

પ્રેરણાદાયક વાતો કાલ્પનીક નથી હોતી, લોકોએ જીવનમાં કરેલા સંઘર્ષ અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની સત્યઘટનાઓ નકારાત્મક બાબતો કરતા ક્યાંય વધારે સંખ્યામાં મળી આવે છે, જરૂરત છે ફક્ત એવા લોકોની જીવન પ્રત્યેની સમજ અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમતને સાચા અર્થમાં સમજવાની. એક ઈ-મેલ પરથી શબ્દાંતરીત કરીને શ્રી હર્ષદભાઈ દવેએ પ્રસ્તુત સુંદર અને પ્રેરણાદાયક લેખ અક્ષરનાદને પાઠવ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ) 3

વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે. પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્‍યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 4

વાચકમિત્રોની સંકલિત રચનાઓમાં આજે પ્રસ્તુત છે શ્રી મનુભાઈ દેસાઈની કૃતિ ‘વિશ્વબંધુત્વ’, શ્રી પી. કે. દાવડાની હાસ્ય પદ્યરચના એવી ‘ઈન્ટરનેટને આંગણે શ્રી ગિરધારી’ અને શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયાની સચોટ ધારદાર રચના ‘ગુજરાત છે ભાઈ, અહીં રહો તો જ સમજાય…’ પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


માનવજીવનનું વાસ્‍તવિક લક્ષ્‍ય.. – વિનોદભાઈ માછી 2

અમારા ધર્મગ્રંથો તથા ધર્માચાર્યો ઉ૫દેશ આપે છે કેઃ આ માનવ જીવન દુર્લભ છે,એટલે તેનો સદ્ઉ૫યોગ ઘણી જ સજાગતાથી કરવો જોઇએ. માનવશરીરને અતિદુર્લભ એટલા માટે કહેવામાં આવ્‍યું છે કારણ કે આ માનવશરીર અમોને અનાયાસે જ મળ્યું નથી, ૫રંતુ અમારા અનંત પૂર્વજન્‍મોના પુણ્‍યકર્મો, સંસ્‍કારો તથા પરમાત્‍માની અહૈતુકી કૃપાના ફળસ્‍વરુ૫ પ્રાપ્‍ત થયું છે. સંતવાણી કહે છેઃ

કોટિ જન્‍મના પુણ્‍યથી મળ્યો મનુષ્‍ય અવતાર,
ભાવ ધરી જેને પ્રભુ ન ભજ્યા તેને લાખવાર ધિક્કાર…..


માનવસંબંધો… – હર્ષદ જોશી 13

હર્ષદભાઈ જોશીનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. સંબંધો વિશે ખૂબ વિગતવાર અને લંબાણપૂર્વક તેમણે લેખન કર્યું છે અને અક્ષરનાદને પાઠવ્યું છે, એ સમગ્ર રચનામાંથી શરૂઆતનો થોડોક ભાગ અત્રે અહીં પ્રસ્તુત કર્યો છે. ગઈ કાલે વૃદ્ધ અને બાળકના સંબંધ વિશે આપણે લેખ જોયો ત્યારે આજે સંબંધોને એક બૃહદ પરીપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીએ. શ્રી હર્ષદભાઈ જોશીનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ 11

બાળપણ અને વૃદ્ધત્વ, જીવનના બે એવા ભિન્ન સીમાચિહ્નો જે ખૂબ અલગ હોવા છતાં સમાન ભાસે છે, એકમેકને પૂરક હોય એમ અનુભવાય છે. આ જ બાળપણ અને વૃદ્ધત્વની વાત લઈને કલ્યાણીબેન વ્યાસ આજે આપણી સમક્ષ એ બંનેની સમરૂપતા વિશેના સુંદર ભાવનાત્મક વિચારો પ્રસ્તુત કરે છે. બાળકમાં એક વૃદ્ધની તન્મયતા અને આનંદ તથા એ જ વૃદ્ધ પ્રત્યેનો એક નાનકડા બાળકનો કાલોઘેલો સ્નેહ – એ બંને અનોખી વાતોના સંગમને લઈ તેઓ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ત્રણ પ્રેરક કાવ્યરચનાઓ.. – કરસનદાસ માણેક 5

કરસનદાસ માણેક કેવળ કવિ નહોતા, તેમણે અનેક નવલિકા અને નાટકો પણ લખ્યાં છે. આખ્યાન ને વ્યાખ્યાન એમને હાથવગાં. ‘સારથિ’ અને ‘નચિકેતા’ના તેઓ તંત્રી હતા. માણેક એટલે શબ્દોનો ધોધ. ગાંધીયુગના કવિ. આજે પ્રસ્તુત છે શ્રી કરસનદાસ માણેકની ત્રણ સુંદર પદ્યરચનાઓ. જાનારાને જાવા દેજે.., હે જીવનદાતા આવો, તથા ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો ! ત્રણેય રચનાઓ સુંદર અને મનનીય છે.


શકુની ની રોજનીશી (ભાગ ૭) – કોલસાનું કાળું કુરૂક્ષેત્ર 7

ગોટાળા, આંતરીક રાજકારણ અને સમય પારખીને પલટી જતા રાજકારણીઓ – ના આ ફક્ત આજના સમયની વાત નથી, મહાભારતકાળમાં પણ એવું જ કાંઈક હતું એ સ્પષ્ટ થાય છે શકુનીજીની ડાયરી પરથી. આજે તેમની ડાયરીનું ગતાંકથી આગળનું એક પૃષ્ઠ પ્રસ્તુત છે. કોલસાનું કાળુ રાજકારણ ત્યારે પણ ખેલાયું હતું. ખંધા રાજકારણીઓ તો સર્વવ્યાપક, સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૪ સપ્ટેમ્બર ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ).


નિત્ય વસંત… (એક અનોખો પ્રેમપત્ર) – હરિન્દ્ર દવે 9

આજની યુવાપેઢી માટે પ્રેમપત્રો હવે જાણે વીતેલા યુગની નિશાની હોય એવું વાતાવરણ સર્જાયું છે, મોબાઈલ, ઈન્ટરનેટ અને ઝડપી પરિવહનના આ યુગને કારણે પ્રેમીઓ વચ્ચેના અંતર સમૂગળુ મટી ગયું હોય એમ અનુભવાય છે, પરંતુ હજુ હમણાં જ વીતી ગયેલા સમયમાં પ્રેમપત્ર એક અગત્યની મૂડી હતી, એ લખીને પ્રિયપાત્રને પહોંચાડવાની સમગ્ર ઘટના હૈયાના ધબકારની ગતિને અનેકગણી વધારતી તો તેનો ઉત્તર અને પ્રત્યુત્તર પણ એવા જ વમળો હૈયામાં પ્રસરાવતાં. વિરહ થયો છે એવા પ્રિયપાત્રને વર્ષો પછી ફરી મળવાનું થયું ત્યારે તેમને પત્ર લખ્યો હોય એ પ્રકારની પ્રસ્તુતિમાં આ કૃતિ લખાઈ છે. શ્રી હરિન્દ્ર દવેની કલમની સુંદરતા તો એમાં પ્રગટે જ છે, એક પ્રેમી હ્રદયની વાત પણ અહીં સુપેરે કહેવાઈ છે. સમર્પણ સામયિકના ૧૭ નવેમ્બર ૧૯૬૩ના અંકમાંથી પ્રસ્તુત કૃતિ અહીં પ્રસ્તુત કરાઈ છે.


નડતર (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 5

શ્રી દુર્ગેશભાઈ ઓઝા આપણી ભાષાના જાણીતા લેખક છે. અનેક સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહે છે. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો સુપેરે પરિચય આપનારા દુર્ગેશભાઈ ટૂંકી વાર્તાઓના સિદ્ધહસ્ત સર્જક છે. મમતઆ સામયિકના ૨૦૧૨, જુલાઈ અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમની પ્રસ્તુત વાર્તા નડતર માનવસહજ સ્વભાવની અને સંબંધોની તદ્દન સરળ પરંતુ અસરકારક રજૂઆત છે. આંતરખોજ દ્વારા જ માણસ અન્યો સાથેના પોતાના સંબંધો ટકાવી શકે, સંબંધોને સૌથી વધુ નડતર માણસના પોતાના અહંનુ જ હોય છે એ વાત પ્રસ્તુત વાર્તામાં તેઓ સુપેરે કહી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દુર્ગેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.