Daily Archives: April 14, 2019


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)

પોતાના માર્ગદર્શન પ્રમાણે ગણપતિ અને રાક્ષસ ચાલે તે માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી હતો. વર્ષકારે પોતાની યોજનામાં નાના ફેરફારો કર્યા. તેણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનાં આધારે એક જડબેસલાક ષડ્યંત્ર રચ્યું. તેણે ગણપતિને કહ્યું કે, ‘અત્યારે મગધમાં ગડબડ ચાલે છે તેનો લાભ લઈને તેના પર આક્રમણ કરવું જોઈએ. હું બધાનું નેતૃત્વ કરીશ.’