Monthly Archives: February 2010


પુરાની જીન્સ ઔર ગિટાર – અલી હૈદર 5

એક આખી પેઢીને રજુ કરતું આ ગીત એક એવા યુવાનના સ્પંદનો અને યાદોને દર્શાવે છે જે પોતાના મિત્રોની સાથે વિતાવેલી પળો, સુંદર યાદોને ફરીથી જીવવા માંગે છે.અત્યારે લગભગ બૂલાઈ ગયેલું આ ગીતે ભારતીય પોપ સંગીત વિશ્વમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતું. શ્રી અલી હૈદર કરાંચીમાં જન્મેલા અને અભ્યાસે એક સિવિલ એન્જીનીયર છે. તેમના ત્રણ આલ્બમની થોડીઘણી સફળતા પછી આ પાકિસ્તાની ગાયકનું ૧૯૯૩માં આવેલું આલ્બમ “સંદેશા” ખૂબ પ્રસિધ્ધ થયું. પુરાની જીન્સ આ જ આલ્બમનું મુખ્ય ગીત હતું. આ ગીતના શબ્દો સાથે કોલેજમાં ભણતા અને કોલેજ છોડીને ગયેલા યુવાનોએ યુવતિઓએ ખૂબ પ્રેમથી તાદમ્ય સાધ્યું અને તેના પ્રસંગો કે ઘટનાઓ સાથે પોતાની જાતને જોડીને જોઈ છે.


તમારે કેવી પત્ની જોઈએ? – વિનોદ જાની 9

સ્વ. શ્રી વિનોદભાઈ જાની ગુજરાતી ભાષાના ઉત્તમ નાટ્યલેખક, હાસ્યલેખક અને શિક્ષક. તેમના હાસ્યલેખોમાં ખૂબ સામાન્ય પ્રસંગોમાંથી તારવેલું અસામાન્ય હાસ્યતત્વ જોવા અચૂક મળે છે. પ્રસ્તુત હાસ્યલેખ પણ તેમની આ હથોટીનો પુરાવો છે. પરણેલાઓને જો બીજી વખત પત્નિ પસંદ કરવાનો અવસર આપવામાં આવે તો તમારે કેવી પત્ની જોઈએ એવા વિષય પર તેમણે ખૂબ હાસ્યસભર લેખ આપ્યો છે.


બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ 2

આપણે એમ માનીએ કે બાળક વાંચતા લખતા શીખે તો જ તેનું ભણતર શક્ય બને. પણ લેખક કાંઈક જુદું જ કહેવા માંગે છે. પાટી-પેન, નોટ-પુસ્તક એ સિવાય પણ શિક્ષણના અનેક માધ્યમો છે, એ સિવાય પણ બાળકો ભણતાં જ હોય છે. બાળક પોતાના પર્યાવરણમાંથી ભાષા શીખે છે, સમજતા, બોલતા અને સાંભળતા શીખે છે. જીવન વિકાસ માટેનું આ ખરું ભણતર રીતસર ભણ્યા વિના પણ સહજ સાધ્ય બને છે. નૂતન બાલ વિકાસ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા પ્રકાશિત બાલમૂર્તિ સામયિકમાં પ્રકાશિત લેખોનો સંચય છે પુસ્તક “ભણ્યા વગરનું ભણતર”. તેમાંથી બાળ નાટકોની ક્ષમતા અને ઉપયોગીતા વિશે સમજાવતો શ્રી જયંત શુક્લનો આ લેખ ખરેખર ખૂબ સરળ અને સમજવાયોગ્ય છે. પુસ્તક ખરેખર ભણ્યા વગર બાળકની ભણવાની, શીખવાની શક્તિઓ ખીલવવાની અનેક રીતો, પધ્ધતિઓ વિશે ચર્ચા કરે છે.


Dula Bhaya Kaag

હીરાના વેપારીને – દુલા ભાયા કાગ 3

પદ્મશી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ, ‘ભગતબાપુ’ ની તેંત્રીસમી પુણ્યતિથિ કાગધામ ખાતે ગત તા. ૧૮-૦૨-૨૦૧૦ ના રોજ ઉજવાઈ. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ દ્વારા સ્વ. શ્રી ગગુભાઈ લીલા, શ્રી મહેશદાન મીસણ, શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી દોલત ભટ્ટને કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. ભગતબાપુ પ્રસ્તુત રચનામાં હીરાના વેપારીનું ઉદાહરણ લઈને ખૂબ મર્મસભર વાણીમાં સમજાવે છે કે હૈયાની હાટડીએ જ્યારે તમને ઓળખનાર ઝવેરી મળી જશે ત્યારે તમારો બેડો પાર થશે, પરંતુ ત્યાં સુધી કઈ કઈ વાતોથી, લોકોથી તેણે સાવચેત રહેવાનું છે એ અહીં તેમણે સમજાવ્યું છે.


વર્તન વાતો કરે……. – જીજ્ઞેશ ચાવડા 10

આપણું વર્તન આપણા ચારિત્ર્યનું દર્પણ છે. જેવું વર્તન તેવું સમ્માન. નાના પ્રસંગો પણ માણસની છાપ એવી સજ્જડ બેસાડી શકે છે જે લાંબી વાતો કરી શક્તી નથી. દુર્ગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ એમ સુંદર ઉદાહરણોના માધ્યમથી સૂચવતો શ્રી જીજ્ઞેશ ચાવડાનો ઉપરોક્ત લેખ ખૂબ સમયાનુચિત છે.


માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી – ‘અફાટ’ પોરબંદરી 5

મહેરબાની કરી ઉપરના શીર્ષકનો અર્થ એમ ન કરવો કે લેખકની ડિગ્રી માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી છે. એ ફક્ત એટલું સૂચવે છે કે આ શીર્ષકની કવિતા ‘અફાટ’ પોરબંદરી એ લખી છે. લેખક મારા ખૂબ સારા મિત્ર છે અને તેમની પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતિએ તેમને આ નવું તખલ્લુસ અપાવ્યું છે. તેઓ સૂરતમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને આ કવિતા તેમના અનુભવની રજૂઆત છે, જો કે બધાંયને આ પોતાનો અનુભવ લાગે તો નવાઈ નહીં. પ્રતિભાવો તેમને આ નવા ક્ષેત્રમાં ડિગ્રી ન લેવાની પ્રેરણા અવશ્ય આપશે…


તમે ટહૂક્યાં ને….. – ભીખુ કપોડિયા 4

શ્રી કૃષ્ણની વાંસળીના સૂર વહેતા થયા અને જાણે આખુંય આકાશ તેના સૂરમાં ગુલતાન થઈને ઝોલે ચઢ્યું એમ વર્ણવતું આ સુંદર ભાવગીત એક ગોપીની મનોભાવના પર આધારીત છે. લીલી કુંજમાંથી સારસની જોડ જેવા વેણ વહે અને આંખો કા’નને જોવા અધીર થઈ રહે છે. ઝરણાંને જોઈને જેમ તરસ્યું હરણું દોટ મૂકે તેમ વાંસળીના સૂર સાંભળી કૃષ્ણને જોવા મન દોટ મૂકે છે એમ ગોપીના મનોભાવ કહે છે. મોરના પીંછાની મધ્યે આલેખાયેલા ર્ંગોને આંખ તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે. તેઓ કહે છે કે એ આંખે આખુંય વન નીરખ્યા કરવાનું મન થાય છે. આમ કૃષ્ણની વાંસળીના એક જ ટહુકારે આખુંય આભ પણ પ્રેમભર્યા મનને ઉડવા માટે ઓછું પડે છે. “શાંત તોમાર છંદ” માંથી સાભાર લેવાયેલું આ ભાવગીત ખૂબ ઉર્મિસભર અને પ્રેમભર્યું છે.


(સંકલિત શે’ર) તું બરફની મીણબત્તી – વિજય રાજ્યગુરુ 20

વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩), “અવઢવ” (૨૦૦૫) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. “તું બરફની મીણબત્તી” એ શ્રી વિજયભાઈ રાજ્યગુરુની ગઝલોનો સુંદર સંગ્રહ છે. ૧૯૭૭ થી ૧૯૯૦ દરમ્યાન લખાયેલી આ ગઝલો અર્થસભર છે, મનહર છે, છંદબધ્ધ છે અને ભાવકો – ચાહકો દ્વારા ખૂબ પ્રશંશાપ્રાપ્ત છે. ૨૦૦૩ માં પ્રકાશિત આ ગઝલસંગ્રહની ગઝલોના કેટલાક સંકલિત શે’ર આજે પ્રસ્તુત છે.


પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ 2

જીવનના જ્ઞાનને, ગુરૂએ આપેલા પ્રેમરસને ભક્તકવિ અમૃત સાથે સરખાવતાં કહે છે કે તેમણે અમૃતનો પ્યાલો ભરપૂર પીધો છે. શરીરની માયા છૂટી ગઈ છે અને પ્રભુભક્તિનો રંગ લાગતાંજ તેમને રોમેરોમ નૂર પ્રગટ્યાં છે, સતગુરૂ તો બધાંયને સાનમાં જીવનનો સાચો મર્મ સમજાવતાં જ હોય છે, પરંતુ જે એ અર્થને પામી જાય છે, તેમની કૃપાથી, સાક્ષાત્કારથી સદાય જીવનમાં ભરપૂર રહે છે એમ અહીં કવિ વર્ણવે છે. શ્રી હેમંત ચૌહાણના કંઠે ઉપરોક્ત ભજન પ્રથમ વખત સાંભળ્યું હતું.


“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ 6

નવલકથા “તત્વમસિ” નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની “પર” થી “સ્વ” સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે. નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે. તો પ્રસ્તુત છે શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન “તત્વમસિ” વિશે મારી વિચારયાત્રા


સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા 8

વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે.


અંધકાર – હરિન્દ્ર દવે 3

શ્રી હરિન્દ્ર દવે આપણી ભાષાના રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમણે કેટલીક ખૂબ સુંદર અને મરમી રચનાઓ ગુજરાતી સાહિત્યજગતને આપી છે. અંધકાર વિશેની આ રચના પણ એવીજ એક ખૂબ સુંદર કૃતિ છે. અંધકારને વિવિધ સ્વરૂપોમાં, વિવિધ સમયોના દર્પણમાં, અનેકવિધ કલ્પનાઓ રૂપે તેમણે આભાસ આપ્યો છે. અને છેલ્લે અંધકારને દાદાની વાર્તામાં આવતા દરિયા તરીકે કલ્પીને તેમણે કમાલ કરી દીધી છે.


હોસ્ટેલનો ટેલીફોન – જીજ્ઞેશ અધ્યારૂ 13

અમારી હોસ્ટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક નાનકડી ગોખલા જેવી જગ્યામાં એક ટેલીફોન રહેતો. એ ટેલીફોન પણ અન્ય વસ્તુઓની જેમ એક જડ પદાર્થ જ હતો, પણ તેનું મહત્વ અન્ય વસ્તુઓથી થોડુંક વધારે હતું, કારણકે એક નિર્જીવ પદાર્થ બે સજીવોને સાંકળતો, તેમના મનોભાવો, લાગણીઓ એક બીજા સુધી પહોંચાડતો, અને પ્રેમીઓ માટે તો એ એક આશિર્વાદ હતો, જો કે એ ફોન પર કલાકો ચોંટી રહેનાર બીજા માટે તો એ ચોંટડુકને મનમાં ગાળો આપ્યા સિવાય કોઈ ઉપાય ન રહેતો. આવી જ એ ફોન વિશેની ઘણી ખાટી મીઠી યાદો અને વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે.


બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી 2

આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે. બાળક મૂળશંકર એટલે કે શ્રી દયાનંદ સરસ્વતિને શિવરાત્રીના દિવસે થયેલા અનુભવની વાત અત્રે પ્રસ્તુત કરી છે. શિવરાત્રીનો સાચો અર્થ કદાચ અહીં ઈશારામાં કહેવાયો છે.


“તેમ છતાં ….” – હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો 8

ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.


હઝારોં ખ્વાહિશેં ઐસી – મિર્ઝા ગાલિબ 3

મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન ઉર્ફ મિર્ઝા ગાલિબની પર્શિયન અને મુખ્યત્વે ઉર્દુ ગઝલો સાહિત્યના ક્ષેત્રમાં, ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. જો કે એમ મનાય છે કે ગાલિબની મોટાભાગની પ્રખ્યાત ગઝલો તેમની ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં લખાયેલી છે. ગાલિબનો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ. ઉર્દુ ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરોમાં, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે. પ્રસ્તુત ગઝલ પણ ગાલિબની ઘણી રચનાઓમાંથી અગ્રગણ્ય અને ખૂબ જ પ્રખ્યાત છે. પ્રેમીજન વિશેની હજારો ઈચ્છાઓમાંની દરેક ઈચ્છા પર શાયરનો દમ નીકળે છે એવા શરૂઆત વાળી આ ગઝલના દરેક શે’ર બેનમૂન છે.


શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત 15

તમે છેલ્લે ક્યારે હસ્યા છો? જ્યારે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ ચાલતો ત્યારે શું તમે આ જોક વાંચ્યો છે ના શિર્ષક હેઠળ ઘણી પોસ્ટ કરી, એક લીટીના ચતુર વાક્યો અને નવા જોક શોધીને મૂકવાની મજા અલગ જ છે, બની શકે કે આજના સંકલનમાંથી ઘણાં જોક તમે સાંભળેલા હશે, કારણકે આ પોસ્ટ યાદશક્તિને આધારે બનાવી છે, પરંતુ આમાંથી કોઈ એક પણ જો તમારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થાય તો તેની પાછળ લેવાયેલી મહેનત સફળ થઈ ગણાશે.


તોતો ચાન

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા 4

મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને એ પુસ્તક વિશે, તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે. આ સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે.


બોધ – બાળાશંકર કંથારિયા 3

કવિ શ્રી બાલશંકર કંથારીયા ફારસી, હિન્દી, અરબી, સંસ્કૃત અને વ્રજ ભાષાના ઉપરાંત સંગીત પુરાતત્વ વગેરેના જાણકાર કવિ, અનુવાદક અને ગઝલકાર તરીકે ખૂબ જાણીતા છે. પ્રસ્તુત ગઝલમાં કવિ જીવનને ઉત્તમ રીતે જીવવાની ગુરૂચાવી આપે છે. સંસારને સ્વીકારવાની રીત સમજાવતી આ ગઝલ ઉપદેશાત્મક છે પણ એ ઉપદેશ ક્યાંય કઠતો નથી. સ્વ-આનંદમાં, પોતાનામાં રહેવામાં જ સાચું સુખ છે એમ સમજાવતી આ રચના ખૂબ સરળ અને ખૂબ સુંદર રચના છે.


સલામ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 10

ગત વર્ષે મહુવા ખાતે યોજાયેલા સંસ્કૃત સત્રના એક દિવસે રાત્રે જોયું નાટક “મહોરું”. નાટક ખૂબ સ્પર્શી ગયું, પરંતુ તેથીય વધુ સ્પર્શી ગઈ એક અછાંદસ, સીધી મરમ પર ઘા કરતી, અદભુત રચના…. એ રચના માટે ખૂબ શોધ ચલાવી અને અંતે શ્રી મંગેશ પાડગાંવકરની મૂળ મરાઠી કવિતાનો શ્રી સુરેશ દલાલ દ્વારા થયેલો અનુવાદ મળી આવ્યો. 10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


મારી લેખન યાત્રા – પ્રફુલ ઠાર 5

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠારની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આ લેખમાં તેઓ પોતાની લેખનયાત્રાની અને કલમની સાથેના સંબંધની વાત કહે છે. દરેક લેખક્ને ક્યારેકને ક્યારેક પોતાના લેખન અને એ સંબંધે પોતાના રચનાત્મક પાસાના ઉજાગર થવાની વાત કહે ત્યારે એ સાથે તેમની અનેક યાદો અને પ્રસંગો સંકળાયેલા હોય છે. પ્રફુલભાઈના આ લેખ સાથે તેઓ આવી જ કેટલીક યાદો આપણી સાથે વહેંચી રહ્યા છે.


પરિવર્તિત દિવાળી – જીગ્નેશ દેખતાવાલા 3

અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી જીગ્નેશ દેખતાવાલા વ્યવસાયે કોમ્પ્યુટર ઈજનેર છે અને મુંબઈ ખાતે ઓરેકલ ફાઈનાન્સીયલ સર્વિસિસમાં પ્રોસેસ કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. પ્રસ્તુત વાર્તા તેમની અક્ષરનાદ પર પ્રથમ રચના છે. જીવનના વિવિધ સંજોગોમાં પણ પોતાની ઉપકાર કરવાની સ્વભાવગત ખાસીયતો ન છોડનાર ગૌરીબેનનું ખૂબ સુંદર પાત્રાલેખન તેમણે આ વાર્તામાં કર્યું છે. આવી વધુ રચનાઓ તેમની કલમ થકી આપણને મળતી રહે તેવી શુભકામનાઓ સાથે અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા 19

લગભગ ચોક્કસ સમયાંતરે મળતી રહેતી શ્રી જીજ્ઞેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર આપણે પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે, તેમના સૂક્ષ્મ ભેદ વિશેની થોડીક વાત. આ મહત્વપૂર્ણ પરંતુ અછૂતા વિષય પર સામયિકોમાં – બ્લોગજગતમાં સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તફાવત અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં તેમણે વિશદ છણાવટ કરી છે. તેમના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર વિષયને રસમય બનાવી દે છે.


મા કેમ મરી ગઈ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો) 12

વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.