Monthly Archives: July 2012


સદાશિવ માગો તે આપનાર છે.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2

અહીં ચોથા શ્લોકમાં ઈશ્વરના અસ્તિત્વને ન માનનારા – નાસ્તિકોની ચર્ચા કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં પહેલાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભાઈ ! તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય? આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી? ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો? અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ? ભગવાન આપણું આટલું પણ ધ્યાન રાખતો ન હોય તો પછી તેની સ્તુતિ શા માટે કરવી?


બે ગઝલો… – અમૃત ઘાયલ 1

અમૃત ઘાયલ સાહેબની બે અપ્રતિમ ગઝલ – ઈશારો ય કેવો મભમ થઈ ગયો છે, અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે – અને – ચાહ કરે છે, લાડ કરે છે, પ્રેમ નહીં, એ પાડ કરે છે….. આપ સૌ માટે ઉપલબ્ધ છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડીયાં સંપાદનમાંથી આ રચનાઓ સાભાર લેવામાં આવી છે.


અસ્થિ વિસર્જન (ટૂંકી વાર્તા) .. – નિમિષા દલાલ 7

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા આજના સમાજની વરવી બાજુ દર્શાવે છે. આવી ઘટનાઓ તો આપણા સમાજની નબળી અને ગુનાહિત માનસીકતા રજૂ કરે છે. નિમિષાબેનની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે. તેમની વાર્તાઓની આગવી માવજતને લીધે વાંચવી ગમે તેવી હોય છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક) 1

બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે. આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર.


આપણામાંથી કોક તો જાગે… – વેણીભાઈ પુરોહિત 2

આજનો સમય અનેક વિટંબણાઓ અને તકલીફો વચ્ચે જીવનને એક માર્ગ કરી આપવાની સતત ચાલતી મહેનતનો છે. ભ્રષ્ટાચાર એ સૌથી મોટો રાક્ષસ છે જે અનેકોના મુખમાંથી અન્ન લઈને કોઈ એકને મોતીઓ ભરી આપે છે, સર્વત્ર વ્યાપક ભ્રષ્ટાચાર આપણી પદ્ધતિ થઈ ગઈ છે અને એ જ મુદ્દાને લઈને લડત લડી રહેલા અન્ના હજારેના આંદોલનને આપણૉ ટેકો એ હેતુસર પણ હોવો ઘટે.આપણામાંથી કોઈક તો જાગે એવા વિધાન સાથે શરૂ થઈ રહેલ શ્રી વેણીભાઈ પુરોહિતનું આ સુંદર અને ગર્ભશ્રીમંત કાવ્ય અંતે તો આપણામાંથી તું જ જા આગે… જેવી સ્વ-ઓળખની વાતને જ સૂચવે છે. આજે પ્રસ્તુત છે આ સુંદર અને અર્થસભર કાવ્ય.


ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


વાણીની શુદ્ધિ હરીકથાથી જ થાય – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

વિચક્ષણ પુરુઓનો એ સ્વભાવ હોય છે કે જે ન કહીને પણ ઘણું બધું કહી જાય છે તે જ રીતે પુષ્પદંત મહારાજે પહેલા બે શ્લોકમાં પરમાત્માની સ્તુતિ થઈ શકે તેમ નથી એમ કહીને જ ભગવદમહિમાની સ્તુતિ કરવાની શરૂઆત કરી.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાનની સ્તુતિ રૂપ ભક્તિ શા માટે કરવી? તેનાથી આપણને શું ફાયદો? આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે? આમ પણ આપણે જોઈએ તો દરેક માનવીને આવો પ્રશ્ન જાણે કે તેની ગળથૂથીમાંથી જ મળેલો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘લાલો લાભ વગર ન લોટે’ એટલે કે કર્મફળનું ચિંતન કર્મ શરૂ કરતા પહેલાં જ કરતાં હોઈએ છીએ. આ કર્મફળ જ આપણા કર્મની ક્વોલિટી નક્કી કરતા હોય છે.


Mamta magazine July 2012 issue

નવનિર્માણ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ (મમતા સામયિક જુલાઈ 2012) 18

અમારા સહ-પ્રવાસીઓના અનુભવ રૂપ પ્રવાસવર્ણનો અને અન્ય લેખ તો ઘણા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે જ, પરંતુ મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. શ્રી મધુ રાય દ્વારા શરૂ કરાયેલ વાર્તાઓ માટેના વિશેષ સામયિક ‘મમતા’ ના જુલાઈ 2012ના અંકમાં મારી વાર્તા ‘નવનિર્માણ’ પ્રસિદ્ધ થઈ છે એ મારા માટે આનંદનો અનેરો અવસર છે. ભૂકંપ અમારા – સિવિલ ઈજનેરોના માંદલા પડેલ પ્રૉફેશનમાં ઑક્સિજનની જેમ આવેલો, જેને જુઓ એ બધા તેનો ફાયદો લેવામાં મચી પડ્યા હતા એવો મારો અંગત અનુભવ છે. હું તો ત્યારે હજુ બેચલર ડિગ્રી મેળવીને નવો સવો બહાર પડેલો. પછી ભૂજ ગયો અને નોકરીમાં જોડાયો તેના દસ દિવસમાં ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. મનમાં સંગ્રહાઈ રહેલો એ જ ઘટનાક્રમ વાર્તા સ્વરૂપે બહાર નીકળ્યો છે આજે બાર વર્ષ પછી અને શ્રી મધુ રાયનો આભાર એટલે વિશેષ માનવો જોઈએ કે તેમણે એ અનુભવને સાચા માર્ગદર્શન વડે પ્રસ્તુત કરવાની આ સુંદર તક મને આપી અને મમતા જેવા વાર્તાકારો માટેના વિશેષ સામયિકમાં તેને સ્થાન આપ્યું. મહદંશે સત્યઘટના અને વાર્તા માટે જરૂરી નાનકડા ફેરફારો આ વાતનું મૂળ છે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે.


ભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

પ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજે બધા જ પ્રકારની મર્યાદાઓથી પર રહેલા પરમાત્માની સ્તુતિનો મંગલ પ્રારંભ કર્યા બાદ બીજા શ્લોકમાં તે જ વિષયને અલગ રીતે જુદા શબ્દોમાં વર્ણવતા જણાવે છે કે શાસ્ત્રના શબ્દો પણ ઈશ્વરની મહિમાનું ગાન કરવામાં અસમર્થ છે. શાસ્ત્રમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા શબ્દો શાસ્ત્ર પ્રયોજે છે. અહીં પ્રશ્ન એવો થાય કે શું ખરેખર આવા બે બ્રહ્મ કે બે ઈશ્વરો છે કે જેની વચ્ચે આપણે એકની પસંદગી કરવાની છે? ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? બે ઈશ્વરના અર્થ થાય છે કે બન્ને ઈશ્વર એક બીજાને મર્યાદીત કરે છે અને જે મર્યાદીત હોય તેને ઈશ્વર કહી જ ન શકાય. વાસ્તવમાં એક જ ઈશ્વર છે જેને બે સ્વરૂપે જોવામાં આવે છે.


બે ગઝલ… – ભાવિન ગોપાણી 11

અમદાવાદના શ્રી ભાવિનભાઈ ગોપાણીની અક્ષરનાદ પર આ પ્રથમ બે રચનાઓ છે. તેમની ગઝલો આજે આપના પ્રતિભાવો માટે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ શ્રી ભાવિનભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


જનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા 7

આ વિષય આજે પણ પ્રાસંગિક છે. આપણે આસરે અર્ધી સદી થી જનરેશન ગેપની વાતો કરતા આવ્યા છીએ પણ તેની ખરી અસર અત્યારે જોવા મળે છે. ગેપ વધે છે અને વધારે ઝડપથી વધતો જાય છે. એના અનેક કારણો છે, માનવ જાતીની ઝડપી પ્રગતિ આમાનું એક મુખ્ય કારણ છે. દરેક પેઢી તે સમયમા વર્તમાન સમાજની નકલ કરે છે, થોડી દલીલો અને થોડી તાણ અનુભવ્યા પછી તેમના જીવન દરમ્યાન થયેલા સામાજીક ફેરફારોને અપનાવી લઈ અને તે આવતી પેઢીને વારસામા આપે છે. આ વિષય પર લખવાનું કારણ એક જ છે અને તે કે આ વિષય આપણા બધાને લાગુ પડે છે. આનું નિરાકરણ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે, a common problem needs a common solution.


શ્રાવણસુધા

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન : મહિમ્ન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય છે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી. કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ! તમારી મહિમાને કોણ પામી શકે? એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે? ક્યારેય નહીં. તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે?


શિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી 11

ફિલોસોફી અને દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા સ્વામી પ્રદીપ્તાનંદજી પૂર્વાશ્રમે જામનગરની ડી. કે. વી. કોલેજમાં નિમંત્રિત પ્રાદ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન સમાજમાં મૂલ્યોના હ્રાસ જોઈ વ્યથિત બનીને સંન્યસ્ત માર્ગ અપનાવ્યો. તેમણે વેદાંત, બ્રહ્મસૂત્ર, ગીતાની પ્રસ્થાનત્રયી ગુરુ દયાનંદજીના સાંન્નિધ્યમાં આત્મસાત કરી છે. તેઓ ભુજમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા અને ઉપનિષદો પર વ્યાખ્યાન આપે છે અને સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપન માટે શિબિરો યોજે છે, પાવનકારી શ્રાવણ માસમાં તેમની અનુભવી વાણીથી શિવભક્તિ અને શિવસ્તવનોનું રસદર્શન કરાવશે. શ્રાવણ માસમાં તેમના લેખનનો લાભ આપણને મળવાનો છે એ માટે અક્ષરનાદ વાચક પરિવાર તરફથી સ્વામીજી તથા શ્રી ઓશોભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણી ભક્તિ – જ્ઞાન અને શ્રદ્ધાની ત્રિવેણી બની રહેશે એવા શુભ સંકલ્પ સાથે આજે માણીએ આ શ્રેણીનો પ્રથમ લેખ, શિવમહિમ્ન સ્તોત્ર વિશેનો પરિચયાત્મક લેખ.

શ્રાવણસુધા

વન્સ અગેઈન…(ટૂંકી વાર્તા) – અજય ઓઝા 7

અમુક સ્વાર્થપરાયણ લોકો દ્વારા આધુનિક યુગમાં દરેક લાગણીની કિંમત અંકાઈ રહી છે, પ્રેમ હોય કે મિત્રતા, બધા સંબંધોમાં સ્વાર્થની છાંટ દેખાવા લાગી છે, આવા જ એક પ્રસંગની કહાણી પ્રસ્તુત વાર્તા રજૂ કરે છે. ખૂબ સુંદર રીતે ગૂંથાયેલી વાર્તામાં વાચક સતત ગૂંથાયેલો રહે છે. અખંડ આનંદ સામયિકના જુલાઈ 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રસ્તુત સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભાવનગરના શ્રી અજયભાઈ ઓઝાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સુંદર રચનાઓ દ્વારા આપણું મનોરંજન કરતી રહે તેવી શુભકામનાઓ.


આઈ ઝંઝીરકી ઝનકાર, ખુદા ખૈર કરે… – જાંનિસાર અખ્તર, સ્વર : કબ્બાન મિર્ઝા 7

દિલ્હીના પહેલા અને એકમાત્ર સામ્રાજ્ઞી રઝિયા સુલતાન (1205-1240)ને તેમના જ એક ગુલામ જમલ-ઉદ્-દીન યાકૂત સાથે પ્રેમ હતો એમ માનવામાં આવે છે. રઝિયા સુલતાનના જ પાત્રને લઈને શ્રી કમાલ અમરોહીએ ૧૯૮૩માં હિન્દી ફિલ્મ બનાવી જેમાં ધર્મેન્દ્ર અને હેમાજી મુખ્ય ભૂમિકાઓમાં હતા. ફિલ્મ પ્રચલિત થઈ તેના બે ગીત માટે જેના શબ્દો આપ્યા હતા જાંનિસાર અખ્તરે, સંગીત આપ્યું ખય્યામે અને ગાયક હતા કબ્બાન મિર્ઝા. નિષ્ફળ અથવા અશક્ય પ્રેમની વાતને લઈને જે ગીત મને ખૂબ ગમે છે તેમાં આ સર્વપ્રથમ છે – અને એકમાત્ર છે. ગુલામના અવાજ માટે પસંદ કરાયેલ મિર્ઝા સાહેબના અવાજમાં એક અનોખી ચોખ્ખાઈ, એક ગજબની કશિશ છે, ભારોભાર દર્દ છે અને છતાંય તેમણે પ્રેમની ખુમારી સહેજભર પણ ઓછી થવા દીધી નથી. તેમનો અવાજ રહી રહીને મનમાં ગૂંજે છે. આજે પ્રસ્તુત છે આ જ ગીત… સાંભળીએ, અનુભવીએ, માણીએ.


જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમ દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

જન્મદિવસની ઉજાણી” એ નામનો શ્રીમતી નીલમબેન હરેશભાઈ દોશીનો પ્રસ્તુત બાળનાટ્યસંગ્રહ પ્રસ્તુત કરતા અનેરો હર્ષ થાય છે. બાળસાહિત્ય એ આપણી ભાષામાં ઈંટરનેટ પર ખૂબ ઓછું ખેડાયેલુ ક્ષેત્ર છે અને તેમાંય સત્વશીલ રચનાઓ જૂજ છે ત્યારે જેને પુરસ્કાર મળેલો છે તેવો આ બાળનાટ્યસંગ્રહ વાચકોને અનેરો આનંદ અપાવશે તે ચોક્કસ છે. પ્રસ્તુત કૃતિઓ અક્ષરનાદને ઉપલબ્ધ કરાવી ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તથા નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપવા બદલ શ્રી નીલમબેનનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે અને તેઓ ફરી એક વખત લેખનકાર્યમાં ધમધોકાર રીતે પ્રવૃત્ત થાય તેવી સૌ વાચકો વતી શુભકામનાઓ.


ઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 5

રીતેશભાઈની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકમિત્રોને પસંદ પણ આવે છે. આજે એક ખૂબ સાદી પૃષ્ઠભૂમીમાં ઉભી કરેલી આ વાર્તા સાચા પ્રેમની – વિશુદ્ધ પ્રેમની એક સરસ વાત લઈને આવે છે. આજના સમયમાં જ્યાં પ્રેમને સાવ તકલાદી, ચીલાચાલુ અને ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે ત્યારે આવી વાર્તાઓ એક સરળ અને સહજ માર્ગ તરફ આંગળી ચીંધે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી 6

અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દેખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે. મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.


(આમ જુઓ તો…) દુર્યોધન સત્ય છે…. – હાર્દિક યાજ્ઞિક 31

વાર્તા હોય, પદ્યરચના હોય કે ચિંતનલેખ – દર વખતે કાંઈક નવું પીરસવાની ટેવવાળા હાર્દિકભાઈ આ વખતે દુર્યોધનનો પક્ષ આપણી સમક્ષ મૂકે છે અને એક નકારાત્મક પ્રતિભા સ્વરૂપે ચીતરાયેલા માણસમાં ભંડારાયેલી હકારાત્મકતાને અને તેની સાથે થયેલ અન્યાનને આલેખવાનો સહજ પ્રયત્ન તેઓ કરે છે. આ પ્રયત્ન આજના વકીલો જેવો – ફક્ત દલીલ કરવા કે કેસ જીતવા પૂરતો નથી, પરંતુ લેખની સાથે સાથે એ વાતો ગળે ઉતરે એ રીતે સમજાવવાનો તેમનો યત્ન પણ અનોખો થઈ રહે છે. આવા સુંદર વૃતાંત અને વિચાર બદલ હાર્દિકભાઈને અભિનંદન.


મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ 19

હિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ… આજે પ્રસ્તુત છે એક સદાબહાર હિન્દી ગીત વિશે તેમના હટ’કે વિચારો, અને સાથે ગીત તો ખરું જ.


તસ્મૈ શ્રી ગુરવે નમ: – હર્ષદ અને હરેશ દવે 8

શ્રી હર્ષદભાઈ દવે અને તેમના મોટાભાઈ હરેશભાઈ દવે રાજકોટમાં હતાં ત્યારે શ્રી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા, જેનું તેમને આજે પણ ગૌરવ છે. તે હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી જયંત આચાર્ય. થોડાક દિવસો પૂર્વે જ ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ ગયો, એ નિમિત્તે તેમને એક ભાવાંજલિ આપવાનો અહીં હર્ષદભાઈ અને હરેશભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કારણ કે શ્રી જયંતભાઈ આચાર્ય વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા, અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર એવા શ્રી આચાર્યને આ લેખ ગુરુપૂર્ણિમા પર ભાવાંજલિ રૂપે પ્રસ્તુત કર્યો છે. શ્રી હર્ષદભાઈ દવેને અનુવાદક, કવિ તથા લેખક તરીકે અક્ષરનાદના વાચકો ઓળખે જ છે, તેમના મોટાભાઈ શ્રી હરેશ દવે પત્રકાર છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર.


ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ 13

નવનીત સમર્પણ સામયિકના જુલાઈ ૨૦૧૨ના અંકમાં મારો ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન અંગેનો લેખ પ્રસિદ્ધ થયો છે. એ લેખ આપ સૌના વાંચન માટે ઉપલબ્ધ છે. વૈશ્વિક પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશનના આંકડાઓ તથા ભારતીય અને અંતે ગુજરાતી પ્રકાશન ઉદ્યોગની ઈ-પ્રકાશન તરફની નિરસતાને આલેખવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. જે ઉદ્દેશથી આ લેખ પ્રસ્તુત થયો છે એ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે એ જ તેની સાર્થકતા.


જૅન બાપ્ટિસ્ટ તાલેઉને શોધવા માટે એક ટહેલ…

આજની પોસ્ટ કોઈ સાહિત્યિક કૃતિ નથી, પરંતુ એક માતાપિતાને તેમના પુત્રને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી લખાઈ છે. વિશ્વભરના અનેક દેશોના સાયકલ પ્રવાસે નીકળેલા શ્રી જૅન બાપ્ટિસ્ટ તાલેઉ ફ્રેન્ચ સાયકલસવાર હતા, અને ૨૦૦૭માં તેઓ એ સાયકલસવારી દરમ્યાન જ ભારતમાં ગુમ થઈ ગયા. આ પોસ્ટ ફક્ત તેને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી મૂકી છે. આ પોસ્ટનો મૂળભૂત આધાર ડોમિનિક હોલ્ટજેનનો ઈ-મેલ છે.


ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ…. 5

ઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.


ખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 14

અક્ષરનાદ પર નિમિષાબેનની આ સતત છઠ્ઠી ટૂંકી વાર્તા છે અને એક ગૃહિણી સર્જક તરીકે, સમાજજીવનની સામાન્યતમ બાબતોને પાત્રો અને કહાનીઓમાં વણી લઈને પ્રતિબિંબ બતાવવાની તેમની આગવી વિશેષતા તેમની સહજ પ્રસંગો ધરાવતી વાર્તાને સુંદરતા અને વિશેષતા બક્ષે છે. બાળમજૂરી વિશે આપણામાંથી કોણ અજાણ છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે આસપાસ મજૂરી કરતા ભૂલકાંઓ નહીં જોયા હોય. સંવેદનશીલ નિમિષાબેને એક નાનકડા છોકરાની ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઈચ્છાની વાતને પ્રસ્તુત વાર્તામાં ધ્યેય સહ તેમણે વણી છે અને એ દ્વારા તેઓ સુંદર સંદેશ પણ આપી શકે છે. આવા સુંદર અને ઉપયોગી વિષયને અપનાવવા બદલ તેમનો ખૂબ આભાર.