જિંદગીના ઝેર : જિત ચુડાસમાની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ 4
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
મહાગ્રંથોની અકથિત પરંતુ રસપ્રદ વાતો કહેતું પુસ્તક ‘અથશ્રી’ ધનતેરસના શુભ દિવસથી પ્રિ બુકિંગ કરાવનાર મિત્રોને મોકલવાનું શરૂ થયું અને એમને પુસ્તક મળ્યા પછીના અદ્રુત પ્રતિભાવોથી અમારી દિવાળી ખરેખર રળિયાત થઈ છે.
મીરા જોશી સંવેદનશીલ સર્જક – લેખક અને કવયિત્રી છે, એમની કવિતાઓ, એમના પ્રવાસ વર્ણનો, એમના નિબંધો એ બધું સતત લાગણીથી છલકતું જોવા મળે છે. અક્ષરનાદને એમણે પાઠવેલી આ સુંદર વરસાદી કવિતાઓમાંની ભીનાશ એ વાતની સાક્ષી પૂરે છે. સુંદર રચનાઓ બદલ મીરાને ખૂબ શુભકામનાઓ.
કેવો રૂડો છે અવસર, હું તું ને કોફીનો કપ,
વાદળ પણ વરસે ઝરમર, હું તું ને કોફીનો કપ.
ઉત્તરકાશી રામકથામાં ‘સર્જક યાત્રા’ ને લીધે અનેક સર્જકમિત્રોના સંગાથનો લાભ મળ્યો. મને પરિચિત સર્જકો સાથે મિત્રતા વધુ ઘનિષ્ઠ થઈ અને ઘણા સર્જક મિત્રોનો પહેલીવાર વિશેષ અંગત પરિચય થયો. આ યાદીમાં કવિ શ્રી પાર્ષદ પઢિયારને પણ મળવાનું થયું. તેમના તરફથી તેમનો ગીત અને ગઝલ સંગ્રહ ‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ તેમણે મને ભેટ આપ્યો અને વળતી મુસાફરી દરમ્યાન એમાંથી પસાર થવાનો અવસર મળ્યો.
હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા તેમના હાઈકુનો બીજો ભાગ આજે પ્રસ્તુત છે.
સ્નેહલ તન્ના રાજકોટ નાગરિક સહકારી બેંકના વાંચન પરબ કાર્યક્રમ શૃંખલાના સંચાલિકા છે, C.A છે, બેંકમાં અધિકારી છે અને રાજકોટના સમાચારપત્ર જયહિંદમાં કોલમ પણ લખે છે. તેમની આ તાજી કાવ્યરચના અક્ષરનાદમાં પ્રકાશન માટે ભરતભાઈ કાપડીઆએ પાઠવી છે. બંને મિત્રોનો આભાર અને ખૂબ શુભકામનાઓ..
પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે.
વરસાદની ૧૭૧ કવિતાનો સંગ્રહ દિનેશભાઈ કાનાણીએ ભેટ આપ્યો ત્યાર પહેલા જ એ વિશે ઘણી પ્રસંશા સાંભળી ચૂક્યો હતો, પણ એમાંથી પસાર થયો ત્યારે ખરેખર અનરાધાર ભીંજાવાની ખૂબ મજા આવી. આ પ્રકારનો મેઘધનુષી સંગ્રહ અદ્વિતિય સર્જન છે. વરસાદના વિવિધ ભાવ, અનેકવિધ લાગણીઓને રજૂ કરતા આ સંવેદનાસભર સંગ્રહમાંથી સપ્તરંગી મેઘધનુષરૂપી સાત કવિતા આજે અક્ષરનાદના વાચકો માટે પ્રસ્તુત કરી છે. દિનેશભાઈને આ સંગ્રહની બીજી આવૃત્તિ થવા બદલ અનેક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ પોસ્ટને અંતે આપી છે.
હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા હાઈકુ આજે પ્રસ્તુત છે.
‘વાદળાં વરસાદના રે’ સંગ્રહમાંથી આજે ત્રણ બાળગીતો, ‘પંખીડું મારું’, ‘એ તો આવે છે’ અને ‘બાર મહીના’, સાભાર અહીં પ્રસ્તુત કર્યા છે. બાળગીતો અને કાવ્યોનો આ સુંદર સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી જિતેન્દ્ર પ્રજાપતિનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.
નોખી નક્કર ભાત ઘસુું છું ઓરસિયા પર,
હું મારી ઓકાત ઘસું છુું ઓરસિયા પર.
સામા કાંંઠાનું ઈજન ને પગમાંં લંગર,
દરિયા સાતેસાત ઘસું છુું ઓરસિયા પર.
અનેકવિધ સર્જકો જેમ કે ઉશનસ, આશા વીરેન્દ્ર, પ્રા. મનોજ દરૂ, બકુલા ઘાસવાલા, પરિતોષ ભટ્ટ, અશ્વિન દેસાઈ, ડૉ. અરૂણિકા દરૂ અને રમેશ ચાંપાનેરીના કુલ કુલ ૩૨ હાઈકુનું સંકલન જે પુસ્તક ‘વલસાડી હાઇકુ – ૨’ ઓગસ્ટ ૨૦૧૫ અંક, ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક ‘મિલન’ નો હાઈકુ વિશેષાંકમાંથી સાભાર લીધા છે.
પ્રસ્તુત કાવ્યમાં સિંહ પોતાના પડઘાથી વ્યાકુળ થાય છે ત્યારે શાણું શિયાળ તેને પડઘાનો ભેદ સમજાવે છે. કવિ પડઘાની આ વાતનું ઓઠું લઈને સારા વચન કર્મનો સારો, તો ખરાબનો ખરાબ પડઘો પડતો હોય છે તે બતાવી વાણીનો સંયમ જાળવવાની શીખ દે છે. અહીં પ્રાસ અને વર્ણાનુપ્રાસ વાળા દોહરા છંદમાં કવિએ સરળ રીતે પોતાની વાત રજૂ કરી છે.
મૂળથી આ થડ સુધી પહોંચાય તોયે છે ઘણું,
પર્ણ-ફૂલો-ફળ સુધી વહેંચાય તોયે છે ઘણું.
* * *
મને લાગે તરસ તો હું સદા દરિયો ઉલેચું છું,
છતાંયે ના મળે સંતોષ તો વાદળને ખેંચું છું.
* * *
ગુજરાત સાહિત્ય પરિષદના ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના નવેમ્બર ૨૦૦૩ના દલિતસાહિત્ય વિશેષાંકમાંથી આ ચાર પદ્યરચનાઓ સાભાર લીધી છે. ગુજરાતીમાં છેલ્લા ત્રણેક દાયકાથી દલિત સાહિત્યનો ઉત્કર્ષ જોવા મળે છે, દલિત સાહિત્યની વિધવિધ પત્રિકાઓ અને સંચયો પ્રગટ થવા ઉપરાંત સાહિત્યિક ગુણે પણ ટકે એવી વાર્તાઓ, કવિતાઓ અને નવલકથાઓ ગુજરાતીમાં લખાઈ છે અને એ રીતે દલિત સાહિત્યે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.. જે ચાર કવિવર્યની પદ્યરચનાઓ એ વિશેષાંકમાંથી અહીં લીધી છે તેઓ છે શ્રી જયન્ત પરમાર, શ્રી કરસનદાસ લુહાર, શ્રી ચંદુ મહેસાનવી અને શ્રી રાજેશ મકવાણા.
આજે પ્રસ્તુત છે એક સુંદર કાવ્યરચના. ચાલવાની આપણને કોઈ નવાઈ નથી, પણ આ ઝડપથી દોડતા યુગમાં જ્યારે ખરેખર થોડાક ડગલાંથી વધારે ‘ચાલવું’ પડે ત્યારે સમજાય છે એ ક્રિયાનું સાર્થક્ય. કવિનું વાહન બગડ્યું છે, અને એટલે જે સડક પરથી પૈડાને પગે કંઈ કેટલીય વખત પસાર થઈ ચૂક્યા છે, એ જ રસ્તા પર ચાલવાથી એક આખું અનોખું વિશ્વ સજીવ થઈ ઉઠે છે, રસ્તો, વૃક્ષો, પક્ષીઓ, ઝાડીઓ, ખરેલા પાંદડા અને રસ્તા પરની ઝીણી કાંકરીનીય નોંધ લેવાઈ. ચાલવાને લીધે વાહનની બંધ કાચબારીઓમાંથી અછૂત રહી જતું એક આખુંય વિશ્વ જાણે નવા સ્વરૂપે પ્રસ્તુત થયું.
આજે પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના પ્રથમ અને દ્વિતિય વિજેતાઓની કૃતિઓ. પ્રસ્તુત છે દ્વિતિય ઈનામ વિજેતા મિત્તલબેન પટેલની ત્રણ માઈક્રોફિક્શન અને પ્રથમ ઈનામ વિજેતા ભારતીબેન ગોહિલની પાંચ માઈક્રોફિક્શન. બંને વિજેતાઓનો ખૂબ આભાર, તેમની કલમને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. સમગ્ર સ્પર્ધાની સફળતા માટે મહેનત કરનાર વોલન્ટિયર મિત્રો, ઉત્સાહભેર આટલી મોટી સંખ્યામાં ભાગ લેનાર સર્વે સ્પર્ધકો અને સમયાવધિમાં નિર્ણય આપનાર આદરણીય નિર્ણાયકો સહ સંકળાયેલા સૌનો ખૂબ આભાર.
અને આજથી પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના વિજેતાઓની કૃતિઓ. આજે પ્રસ્તુત છે પ્રોત્સાહન ઈનામ વિજેતા લીનાબેન વછરાજાની રચિત ત્રણ માઈક્રોફિક્શન અને તૃતિય ઈનામ વિજેતા પાર્થ ટોરોનીલની ચાર માઈક્રોફિક્શન. આવતીકાલે પ્રથમ અને દ્વિતિય ક્રમાંકે વિજેતા ભારતીબેન ગોહિલ અને મિતલબેન પટેલની માઈક્રોફિક્શન માણીશું.
શૌનકભાઈ જોષીની પાંચ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ તેમજ ફતેપુરા ગામની સરકારી શાળાના કર્મઠ આચાર્ય, ઉત્તમ વાસ્તુશાસ્ત્રી અને સંવેદનશીલ કવિ એવા શૌનકભાઈ ગઝલ અને ગીતરચનામાં વિશેષ રૂચિ રાખે છે. કળાના વિવિધ સ્વરૂપોને માણતા એક અદના અભિનેતા પણ છે અને અક્ષરનાદની ‘પાસવર્ડ’સહિત અનેક શોર્ટફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે એ માટે તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ..
‘અક્ષરપર્વ-૨’ ના દિવસે, શીતલબેન ગઢવીએ ફેસબુક ગૃપ ‘ગઝલ તો હું લખું’ નો ચોથો ગઝલસંગ્રહ ‘પગથાર’ ભેટ આપ્યો. કલકત્તાની મારી મુલાકાત દરમ્યાન આવતા-જતાં ફ્લાઈટની લાંબી મુસાફરીમાં એ સંગ્રહની ગઝલોમાંથી પસાર થવાનો અવસર મળ્યો. એમાંથી ઘણી ગઝલો ખૂબ ગમી ગઈ. આજે એ જ સંગ્રહની મને ગમતી થોડીક ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. આ પહેલા ‘લઈને અગિયારમી દિશા’ સંગ્રહની વાત પણ અક્ષરનાદ પર મૂકી હતી. આવો સરસ સંગ્રહ આપવા માટે શ્રી મગન મકવાણા ‘મંગલપંથી’ને અનેક શુભકામનાઓ.. અને સંગ્રહના સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક અભિનંદન. સોશિયલ મિડીયાના સાર્થક ઉપયોગની દિશામાં આ ગૃપ સદાય અગ્રસર રહ્યું છે, એ હજુ આગળ વધતું રહે એવી અભિલાષા.. સંગ્રહની પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.
‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને ‘હું હવે કાગળ ઉપર’ એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.
એક છોરી
એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી.
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. આજે એમની ત્રણ સુંદર રચનાઓ પ્રસ્તુત કરી છે. મેઘાણી માટે એ કહે છે,
‘અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!’
તો કવિ-ધર્મ વિશે વાત કરતા એ કહે છે,
ભેટ દુનિયાની રહી દુનિયા સુધી પહોંચાડવી
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!
આશા છે વાચકમિત્રોને શ્રી ગનીચાચાની આ ત્રણેય રચનાઓ રસતરબોળ કરી દેશે.
ઈસુની હત્યા તેમને ક્રોસ પર ચડાવી, શરીરમાં ખીલા જડીને કરવામાં આવી હતી. કવિ ઈસુની છબી દિવાલ પર ટિંગાડતી વખતે એ કરુણ ઘટના સાથે મનોમન તાદમ્ય અનુભવે છે. એમના મનુષ્ય તરીકેના અપરાધભાવની અનુભૂતિ આ રચનામાં છે. કવિનું સંવેદનશીલ હ્રદય એવો પ્રશ્ન પણ પૂછે છે કે મહાપુરુષોની આવી દુર્દશા કરતી માનવજાત કઈ રીતે અટકશે? આ ચોટદાર સોનેટ અદ્રુત અને અસરકારક રીતે વાચકને ચોટ આપી જતું બન્યું છે.
પરોઢના ઝાકળછાયા તડકાની આરપાર દેખાતી સૃષ્ટિ અદ્ભુત બની જાય છે. એમાં સ્થિર પદાર્થો ગતિશીલ ભાસે છે, કવિએ આ રચનામાં એનું ચંચળ પ્રવાહી રૂપ ઝીલ્યું છે. ઝાકળથી આચ્છાદિત તડકામાં કવિને સવારમાં લાંબા પડછાયાના પ્હાડ પીગળતા લાગે છે, થોરની કાંટાળી વાડ તરતી ડૂબતી સમીપ આવતી દેખાય છે, ઝાંખાપાંખા દેખાતા બટેરની પાંખનો અવાજ માત્ર જ સંભળાય છે. દ્રશ્યો ઝાંખા છે. પણ અવાજ સ્પષ્ટ છે. કવિ એ અવાજોને સહારે શૈશવના સંસ્મરણોમાં તલ્લીન બની જાય છે.
૩૨૮: ઓહ નો! એને નઈ ખબર હોય કે આપણા બધા જ મેઈલ્સ વંચાય છે.
૧૧૭ : આઈ ડોન્ટ નો! એમ્પ્લૉઇ કોડ નંબર ૩૪૦ એવું કહેતા હતા કે કોડ નંબર ૨૩૧નો એ પર્સનલ મેઈલ ઈમોશન-ડિટેકશન-સોફ્ટવેરમાં રન કરવામાં આવ્યો અને તરત જ સિસ્ટમે “યુ આર ફાયર્ડ” એવો ઓટો જનરેટેડ મેઈલ મોકલી દીધો.
શ્રી પરબતકુમાર નાયીની ત્રણ કાવ્યરચનાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની ત્રણ ગઝલરચનાઓ તેમણે અક્ષરનાદને પાઠવી છે એ બદલ તેમનો આભાર. તેઓ સરદારપુરા પ્રાથમિક શાળા, મુ. સરદારપુરા, પો. રવેલ, તા. દિયોદર, જિ. બનાસકાંઠાના આચાર્યશ્રી છે.
આપણા પ્રિય કવિમિત્ર શ્રી અનિલ ચાવડાનો આજે જન્મદિવસ છે. અક્ષરનાદ તરફથી અનિલભાઈને તેમની જ રચનાઓ દ્વારા શુભેચ્છાઓ. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને તેમની કલમને આમ જ કાયમ ઐશ્વર્ય બક્ષે જેથી આપણે તેમની રચનાઓથી અભિભૂત થતા રહીએ. આમ તો તેમની અસંખ્ય રચનાઓ ખૂબ ગમે છે, અને એટલી જ લોકપ્રિય છે, એમાંથી આજે થોડીક મનને નજીક એવી કૃતિઓ માણીએ.