Monthly Archives: March 2009


બે ગઝલ – અમૃત ‘ઘાયલ’ 7

1. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી … ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાની માં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી … મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી ! કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી … 2. ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું “કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું. તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું, મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું. સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’ ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું  – અમૃત ‘ઘાયલ’


માં અંબા તે રમવા નીસર્યા – ગરબો 3

ચૈત્રી નોરતાં શરૂ થઇ ગયા છે, અને આ ચૈત્ર નવરાત્રી ભક્તિ અને સાધના કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જગતજનની માતાને યાદ કરતાં આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતાનો આ ગરબો …….  માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા, મા શો લીધો શણગાર રે … દેવી. મા પાવાની પટરાણી રે … દેવી. મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી. મા લીલાવટ દીવડી શોભતી .. દેવી. મા દામણી રત્નજડાવ રે .. દેવી. મા કાને કનક ફૂલ શોભતા .. દેવી. મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી. મા કોટે તે પાટિયાં હેમના .. દેવી. મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી. મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી. માને દશે આંગળીએ વેઢ રે .. દેવી. મા લીલા તે ગજનું કાપડું .. દેવી. મા છાયલ રાતી કોર રે .. દેવી. મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી. મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી. મા પગે તે કડલાં શોભતા .. દેવી. મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી. મા ગાય અને જે સાંભળે .. દેવી. તેની અંબા પૂરે આશ રે .. દેવી. ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી. મા જન્મોજનમનો દાસ રે .. દેવી.


એક ઓંકાર ગુરૂબાની : પંજાબી પ્રાર્થના (ભાષાંતર સાથે) – જીગ્નેશ અધ્યારૂ 9

વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]


ખરી પડવું – રાજેન્દ્ર પટેલ 1

તમે એમ કહો છો  – કે આ બધું બરાબર નથી, પણ, મારે મન એનો કશોય અર્થ નથી. તમે માનો છો અને સતત મનાવવા મથો છો તમને જ પણ કોઇને કશી પરવા નથી તમે આક્રોશ કરો છો, બધું બદલવાં, તમને બદલ્યાં વગર પણ કશું જ થતું નથી તમે નિરાશ થાઓ છો, કશુંય સમજ્યા વગર સમજો છો, પણ બધુંય દોડ્યા કરે છે, તમે છેક આશા છોડો છો, ક્યાંય કશુંય કર્યા વગર પણ બધું વધ્યા કરે છે, રાબેતા મુજબ જ, મને કહેવાનું મન થાય છે, (જો કે તેનો અર્થ તમને કશો નથી) કે સાચું છે ઝાડ, ફળ, ફૂલની જેમ ચૂપ રહેવું અથવા ખરી પડવું, પર્ણની જેમ ફરી ફૂટવા. – કવિ શ્રી રાજેન્દ્ર પટેલ (કવિલોક સામયિક, જાન્યુઆરી – ફેબ્રુઆરી 2002, વર્ષ 45, અંક 1 માંથી સાભાર)


દુ:ખ એટલે ખુમારી બતાવવાનું ચોઘડીયું – જીગ્નેશ અધ્યારૂ 9

સિવિલ – જીયોટેકનીકલ એંન્જીનીયરીંગમાઁ એક શબ્દ આવે છે, “Bearing capacity”, જમીન પર વજન વધારતા જાઓ અને જો તે કોઇક એક ક્ષણે જમીનમાં ઉતરવાનું શરૂ કરી દે તો એ વજનને કહેવાય એ જમીનની ધારણ ક્ષમતા. પહેલા કોઇ ચોક્કસ જમીનનો તેની ધારણ ક્ષમતા ચકાસવા માટે પ્રયોગ કરવામાં આવે અને જો તે સફળ થાય તો જ તેના પર કોઇ બાંધકામ થાય નહીંતો તેને એ વજન સહન કરી શકવા માટેની ક્ષમતા લઇ શકે તે માટે તેને જરૂરી સારવાર, કહો કે સહાયતા કે સાથ આપવામાં આવે અને પછીજ તેને જરૂરી વજન મૂકીને, તેના પર બાંધકામ કરીને ઉપયોગમાં લઈ શકાય. આ વાત અહીં લખવાનું પ્રયોજન એટલું જ છે કારણકે મને લાગે છે કે ભગવાને માનવજીવન માટે પણ આવા જ કાંઇક માપદંડો બનાવ્યા હશે. દુ:ખના સમયમાં પ્રભુ આપણી ક્ષમતાની, આપણી હિંમતની અને તેના પરની શ્રધ્ધાની કસોટી કરતા હોય, જાણે તે ચકાસતા હોય કે આપણી દુ:ખ પચાવવાની કેપેસીટી કેટલી. માણસ દુ:ખના સમયમાજં તૂટી પડે છે, પ્રભુ કે ઇષ્ટ પરની તેની શ્રધ્ધા ડગી જાય છે, જીવન અકારૂ લાગે છે અને થોડુંક દુ:ખ, થોડીક તકલીફ પણ આપણને પહાડ જેટલી મોટી લાગે છે. હિંમત જવાબ આપી જાય છે, પણ આવા સમયે મારા મતે આપણો ટેસ્ટ થઇ રહ્યો હોય છે, પ્રભુ આપણને કોઇક મોટા કામ માટે, કોઇ મોટી જવાબદારી માટે ચકાસી રહ્યા હોય તેમ ન બને? જો પ્રયોગમાંજ આપણે નાપાસ થઇ જઇશું તો જવાબદારીનું વહન કેમ કરી શકીશું? જીવનમાં દુ:ખ અને તકલીફો સહન કરવા ધીરજ જોઇએ, શ્રધ્ધા જોઇએ અને પોતાના પર વિશ્વાસ જોઇએ, મધ દરીયે તોફાન જોઇ નાવિકો હોડીને મૂકીને કૂદી પડતા નથી, કે હિંમત હારીને, હાથ જોડીને બેસી જતા નથી, પણ સઢને કઇ […]


મારો પ્રિય શે’ર – દિલેર બાબૂ 10

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં. તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે. – દિલેર બાબૂ મને બરાબર યાદ છે 1973ની દિવાળીની એ રાત હતી. ઊચા પર્વતની ટોચ પર આવેલા વાંકાનેર પેલેસથી હું એકલો મારા ઘર તરફ જઇ રહ્યો હતો. ચારેબાજુ ગાઢ અંઘકાર હતો. અતીતના આગિયા મારી આંખોમાંથી બહાર આવીને ઓગળી જતા હતા. ત્યાં અચાનક પર્વતની તળેટીમાં વસેલું તિમિરથી ઘેરાયેલું નગર મને ઝ્ળહળતું દેખાયું અને ઉપરોક્ત સ્ફૂરી ગયો. હું પ્રસન્ન પ્રસન્ન થઇ ગયો. આ શે’ર ગુનગુનાવતો હું ક્યારે ઘેર પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ના રહ્યો. ત્યારબાદ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં પણ આ શે’ર પછી ગઝલ આગળ ન વઘી. પરંતુ જેણે જેણે આ શે’ર સાંભળ્યો તેને સ્પર્શી ગયો. કવિમિલનમાં, મુશાયરામાં આ શે’ર દ્રારા મારો પરિચય અપાતો રહ્યો. એ પછી પાંચ શે’ર પણ સ્ફૂર્યા એટલે ઘરમાં જઇ કાગળ પર ગઝલ ઉતારી લીઘી ત્યારે વાંકાનેર જન્મેલા શે’રનું સ્મરણ થયું પણ કાગળ પર સાતમો શે’ર લખવાની જગ્યા ન હતી એટલે એ શે’ર હાંસિયામાં લખ્યો. હસ્તાક્ષરમાં છપાયેલી ગઝ્લ વાંચી વાંચકોએ પૂછ્યું, હાંસિયામાં શે’ર લખવાનું પ્રયોજન શું? જેના પ્રત્યુતર અંગે આજ પર્યંત અનુત્તર રહ્યો છું. આ ગઝલમાંથી ઘણા સ્વરકારોએ ચાર અથવા પાંચ શે’ર સ્વરબઘ્ઘ કર્યા છે; આકાશવાણી-દૂરદર્શન પર પ્રસ્તુત કર્યા છે. શ્રોતાજનોને આ શે’ર ખૂબ ગમ્યો છે. હવે ના પૂછશો કે આ શે’ર મને શા માટે પ્રિય છે!  – દિલેર બાબૂ ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


વરદાન પાછું લઈ લો – ચક્રવર્તી રાજગોપાલાચારી (અનુ. મુકુલ કલાર્થી) 3

એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રઘ્ઘાથી ભક્તિ કરતો હતો. એની નિર્મળ ભક્તિ જોઇ ભગવાન પ્રસન્ન થયા. એક દિવસ તેની આગળ પ્રગટ થઇને ભગવાને કહ્યું, “વત્સ, તને જે ગમે તે વરદાન માગ.” ભગવાને આમ એકાએક પોતાની સામે ઊભેલા જોઇ ખેડૂત અચંબો પામી ગયો. શું માગવું એ તેને સૂઝ્યું નહીં. આથી ભગવાન હસીને બોલ્યા,”તું સંકોચ રાખીશ નહીં. તારી જે ઇચ્છા થાય તે માગ. પણ એટલું ઘ્યાનમાં રાખજે કે તને હું જે આપીશ તે તારા પાડોશીઓને પણ માગ્યા વિના મળશે.” ખેડૂતે કહ્યું,: “:બરાબર છે, બાપજી. પણ શું માગવું એનીમને અત્યારે સૂઝ પડતી નથી. ઘરવાળીને પૂછીને કાલે તમને જણાવીશ.” બીજે દિવસે ખેડૂતે ભગવાનનું ઘ્યાન ઘર્યું, ત્યારે તેમણે પ્રગટ થઇને પૂછ્યું, “કેમ ભાઇ, શો વિચાર કર્યો?” ”હે કરુણાસાગર, મારામાં બુઘ્ઘિ ઓછી છે. મારી સ્ત્રી સાથે મસલત કરીને એમ નક્કી કર્યું છે કે મારી પેટી રૂપિયાથી ભરાઇ જાય અને તેમાંથી ગમે તેટલા રૂપિયા કાઢું તોયે તે ખાલી ન થાય, એવું વરદાન તમારી પાસે માગવું” ”એ તને જરૂર આપીશ. પણ મારી શરત યાદ છે ને? જે વસ્તુ તને મળશે એ તારા ગામના બઘા લોકોને પણ મળશે .” ”દયાનિઘિ! બઘું બરાબર યાદ છે. મને જે મળે તે મારા પાડોશીઓને પણ મળે, એ તો વધારે આનંદની વાત છે.” ”તસ્થાતુ!” કહીને ભગવાન અંતરઘ્યાન થયા. ખેડૂતે ઘેર જઇને પેટી જોઇ તો રૂપિયાથી ખીચોખીચ ભરેલી હતી! બીજે દિવસે ખીસામાં ખૂબ રૂપિયા ભરીને પોતાની સ્ત્રી માટે સાડીઓ ખરીદવા તે નીકળ્યો. રસ્તામાં એને જેટલા લોકો મળ્યા તે બઘાના મોં પર આનંદ આનંદ જ હતો. ખેડૂતને ભગવાનની શરત યાદ આવી. વરદાન કાંઇ તેને એકલાને જ થોડું મળ્યું હતું? બીજાની ખુશી જોઇને તે પણ ખૂબ રાજી થયો. […]


સુખ અને દુ:ખ- અમૃતબિંદુ 2

સાંસારિક વસ્તુઓને માટે થનાર દુ:ખની પરવા ભગવાન કરતા નથી અને ભગવાન માટે થતા (સાચા) દુ:ખને ભગવાન સહી શકતા નથી. ભગવાનના મંગલમય વિઘાનથી જ અનુકૂળ (સુખદાયી) યા પ્રતિકૂળ (દુ:ખદાયી) પરિસ્થિતિ આવે છે. તે આપણા હિતને માટે જ હોય છે. સુખી-દુ:ખી થવું એ પ્રારબ્ઘનું ફળ નથી. પણ મૂર્ખતાનું ફળ છે. તે મૂર્ખતા સત્સંગથી જાય છે. સાઘકે સદા લોભી વ્યક્તિની માફક બીજાના સુખને માટે તૈયાર રહેવું જોઇએ. આવું થવાથી તે સુખ-દુ:ખથી ઊંચે ઊઠી જશે. સુખ પામવા ચાહતા હો તો બીજાઓને સુખ આપો. જેવું બીજ રોપશો તેવીજ ખેતી થશે. સર્વ કાંઇ પરમાત્મા જ છે- ‘વાસુદેવ: સર્વમ’, પરંતું તેઓ ભોગ્ય નથી. જે ભોગ્ય માનીને સુખ લેવા ચાહે છે, તે દુ:ખ પામતો રહે છે. ગૃહસ્થમાં જો બઘાનો એવો ભાવ રહે કે મને સુખ કેવી રીતે મળી જાય તો બઘા દુ:ખી થઇ જશે , અને એવો ભાવ રહે કે બીજાને સુખ કેવી રીતે મળે તો બઘા સુખી થઇ જશે. સુખ સારું  લાગે છે પણ તેનું પરિણામ સારું હોતું નથી. દુ:ખ ખરાબ લાગે પણ તેનું પરિણામ સારું હોય છે. પરિસ્થિતિથી અલગ થવામાં મનુષ્ય સ્વતંત્ર નથી, પણ તેનો ભોગ ન કરવામાં અર્થાત તેનાથી સુખી-દુ:ખી ન થવામાં મનુષ્ય સર્વથા સ્વતંત્ર, સમર્થ અને સબળ છે. સુખ નિર્વિકલ્પતામાં છે. ભોગોમાં નહીં. વસ્તુંઓથી દુ:ખ જતું નથી. કારણકે દુ:ખ વિચારના અભાવથી પેદા થાય છે, વસ્તુના અભાવથી નહીં. તેથી વિચારથી દુ:ખ જતું રહે છે. (અમૃતબિંદુ માંથી)


દાદાજીનો ડંગોરો – ત્રિભુવન વ્યાસ 13

દાદાનો ડંગોરો લીઘો, એનો તો’મેં ઘોડો કીઘો. ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમઘમ, ઘરતી ઘ્રુજે ઘમ ઘમ, ઘમઘમ ઘરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઇ રહ્યો. ઝવેરીએ તો હીરો દીઘો, હીરો મેં રાજાને દીઘો. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. રાજ મેં રૈયતને દીઘું, મોજ કરી ખાઘું પીઘું. – ત્રિભુવન વ્યાસ


દિકરી વિદાય – એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત ) 43

દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું, વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું, કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય , તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું, દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું, સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું, પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ, ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું, ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું, હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું, પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી, આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું, સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું, દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું, પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે , લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું, ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ, કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ. –  એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )


કલ્ચર મોતી – હરિશ્ચંદ્ર 2

‘કેમ, બહેનને સ્ટેશન પર તેડવા ન ગયાં?’ ‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને! નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’ ‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને! તમારી બહેનને સારું ઘર ન મળ્યું ?’ ‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ! ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું?’ એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી?’ ‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે? હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે?’ વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં?’ ‘દૂબળી ? ના રે ના. આખો દિ’ ફળોનો રસ પીઉં છું. ટૉનિક લઉં છું.’ વસંત બોલી. બહેનને ઓરડે ઓરડે ફેરવી હજારો રૂપિયાનું ફર્નિચર, કારપેટ્સ, પડદા વગેરે બતાવી રહી હતી. ‘તું તો મારે ત્યાં પહેલી જ વાર આવી, નહીં? અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’ ‘મને તો બઘું જ પસંદ છે.’ ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં? પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’ ‘એ તો બચપણની વાતો. હવે શું?’ વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને!’ કોણ જાણે કેમ એના મનમાં થોડી કડવાશ આવી ગઈ. એ ઇચ્છતી હતી કે ઇન્દુ એનો બંગલો જુએ, બગીચો જુએ, […]


સાચો જવાબ જિંદગી – સ્લમડોગ કરોડપતિ 13

Slumdog Millionaire ના હિન્દી ડબિંગ પામેલા ચલચિત્રનું નામ છે સ્લમડોગ કરોડપતિ. મુંબઇની ગરીબ વસ્તીમાં ઉછરેલ એક છોકરો વસ્તીના તેના જીવન દરમ્યાનના અનુભવો અને જીવને તેને આપેલા વિવિધ બોધપાઠોને લઈને, કૌન બનેગા કરોડપતિ રમત દરમ્યાન એકે એક પ્રશ્નોના જવાબ કઇ રીતે આપે છે તેનું તેના અનુભવો સાથેનું ખૂબ સહજ અને તાદ્શ ચિત્રણ આ ચલચિત્રમાં છે. ફિલ્મ પૂરી થાય ત્યારે દિગ્દર્શકના અને અન્ય કસબીઓના નામ જુઓ ત્યારે ખબર પડે કે આ વિદેશી લોકોએ બનાવેલ ચલચિત્ર છે. બાકી મુંબઈની ધારાવીની ગંદી વસ્તીનું એ અદ્દલ સ્વરૂપ છે. વસ્તીઓનું જીવન, તેની કાળી બાજુઓ, ભારતીય સમાજવ્યવસ્થાના આ જોવા ન ગમે તેવા પાસાઓને ફિલ્માંકિત કર્યા છે. ફિલ્મ જોતા હોવ ત્યારે લાગે કે જાણે ૧૯૮૦-૮૫ના સમયની સલીમ – જાવેદની જોડીએ લખેલી બે ભાઈઓના ઝઘડા અને તેવી મસાલા બોલીવુડ કથાવસ્તુ વાળી કોઈ ફિલ્મ જોઈએ છીએ. વિકાસ સ્વરૂપની નવલકથા ક્વેશ્ચન એન્ડ આન્સર ની પ્રેરણા લઈને બનેલી આ ફિલ્મ નું પ્રથમ દ્રશ્ય છે એક સવાલથી શરૂઆત થતી વાર્તા, કૌન બનેગા કરોડપતિનો એક સવાલ જેમાં પૂછાય છે કે જમાલ મલિક (વસ્તીનો એક નાનકડો છોકરો જે હવે યુવાન થઈ ગયો છે) બે કરોડ રૂપીયા જીતવાથી એક સવાલ જ દૂર છે, આ તે કઈ રીતે કરી શક્યો?” A). તેણે છેતર્યા, B). તે નસીબદાર હતો,  C). તે મહાન જાણકાર હતો કે D). એવું તેના નસીબમાં લખેલું હતું….. ફિલ્મની વાર્તા રોચક છે, અમિતાભ બચ્ચનની સહી મેળવવા માટેના જમાલ ના ધમપછાડા, હીંદુ મુસ્લિમ રમખાણો, લત્તિકા, તેમનું એક ગુંડાના હાથમાં પકડાવું….છટકવું, છૂટા પડવું, મળવું, દુશ્મની, અંડરવર્લ્ડ, અને છેલ્લે જમાલને મળતો તેનો સાચો પ્રેમ અને સાથે બે કરોડ રૂપિયા …. આ સમગ્ર ઘટનાક્રમ આપણને બાંધી રાખે છે અને સાથે એ વિચાર કરવા પણ પ્રેરે છે […]


શું તમે આ જોક સાંભળ્યો છે? (7) – સંકલિત 13

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા બોબ હોયને એક વખત પત્રકારોએ પૂછ્યું કે આપની બાલ્યાવસ્થા વિશે કોઇ નોંધપાત્ર બાબત છે? “એક બાબત ખાસ રહી ગઇ છે, મારા પિતા મને રોજ એટલા જોરથી લાફો મારતા કે મારા ગાલ ઉપર પડેલી તેમના હાથની છાપ જોઇને જ્યોતિષિઓ તેમનું ભવિષ્ય ભાખતા” બોબે જવાબ આપ્યો. Do not copy please ***** “એના એકાએક મૃત્યુનું કાંઇ કારણ? Do not copy please હા, એ ભૂલકણો હતો, સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…. **** Do not copy please પોલિસચોકીમાં એક દારૂડીયો ગુસ્સે થઇને બૂમો પાડતો હતો “મને સમજાતું નથી કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” ” દારૂ પીવા માટે ?” પોલિસે કહ્યું, એમ? તો પછી આપણે શરૂ કેમ નથી કરતા?” ભોળા દારૂડીયાએ કહ્યું. ***** do not copy please સામે ઉભા છે એ સજ્જન કોણ છે? એ સજ્જન નથી, નેતા છે. ***** do not copy please બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા, ખમીસ પરના ભાવની કાપલી જોઇ એક ચોરે બીજાને કહ્યું, “જો તો ખરો, માળા લૂંટવા જ બેઠા છે.” ***** do not copy please એક યુવતી બીજીને, “હું ચાર બાળક વાળા કરોડપતિને પરણવાની છું,” બીજી : “બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા આ એસ્ટાબ્લિશ્ડ ફર્મ ટેકઓવર કરવી શું ખોટી” ***** do not copy please એક યાત્રી ટિકીટચેકરને : “ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઇમટેબલ શા કામના?” ટિકીટચેકર : “જો ગાડીઓ સમયસર આવશે તો તમે કહેશો કે આ વેઇટીંગ રૂમ શા કામના?” ***** do not copy please માણસને ઉંટ ઉપર સવારી કરવી હતી પણ જુઓ ઉંટે કેવી યુક્તિ કરી? *****do not copy please નવા ઇજનેરની ભરતી વખતે એચ આર […]


ગમતાંનો કરીએ ગુલાલ – મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોચીયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ ગાંઠે ગરથ બાંધી, ખાટી શું જિંદગી? સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી, મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ …. ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ   – મકરન્દ દવે


આવો… સરકારી મદદ હાજર છે – ભુપેન્દ્ર ઝેડ. અને ગોવીન્દ મારુ 5

  ગોપો એય ભોપા… ચાલને.. ભૈ ખુબ જ મોડું થઈ ગયું છે ? આજે આપણે ગ્રામ્ય વીસ્તારમાં ચુંટણી પ્રચાર માટે જવાનું છે.   ભોપો (શર્ટના બટન મારતાં દાદરા ઉતરીને આવતાં) લ્યે-  આ આવ્યો. શર્ટ પહેરવા દેતો ય નથી. ચાલ ત્યારે કયા ગામે જવું છે ? ગોપો કાંઠા વીસ્તારના ગામડે જઈએ છીએ. સીધો બેસી જા. ગાડી ચાલુ કરું છું. (બંને દરીયા કાંઠાના એક ગામમાં દાખલ થાય છે. જ્યાં ગ્રામ્યજનો સભામાં બેઠા છે અને ગોપો – ભોપો સ્ટેજ પર ચઢી પ્રવચન શરુ કરે છે.)    ગોપો ગામના વાસીઓ ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ બાળ-ગોપાળોને પ્રણામ… તો ગ્રામજનો અમો તમને આજે એ સમજાવવા આવ્યા છીએ કે…        ગંગુકાકા       (ચાલુ સભાએ લાકડીના ટેકે ઉભા થઈ) મહાશયો, અમો આ સભામાં કાંઈ અમસ્તા નથી આવ્યા ? અમને શું મળશે ? ગોપો  રામ… રામ… ગંગુકાકા, આપ ક્યાંથી આવો છો ? અને બોલો તમને શું મુશ્કેલી છે ? ગંગુકાકા       આ ગામના પાદરે ડોબાં ચરાવવા ગયો તો અને ભેંસે મને એક અડબોથ મેલી. હું સમય પારખીને ખસી તો ગયો પણ બાપડી ભેંસને વાગી ગયું. લોહી લુહાણ થઈ ગઈ છે. કાંઈ મળશે કે ?    ગોપો  હાં, હાં ચોક્કસ કેમ નહીં. અરે ભોપા, લાવ જોઉં ફોર્મ નં. X.Y.Z. 114 જુઓ ગંગુકાકા આ ફોર્મ અમે ભરી દીધું છે. આપ અહીં અંગુઠો અથવા સહી લગાવો !       ગંગુકાકા કયો અંગુઠો લગાવું ? ગોપો  ડાબો અંગુઠો લગાવો. ચાલો જલ્દી કરો.       ગંગુકાકા હાથનો કે પગનઓ અંગુઠો લગાડું ?  ગોપો  અરે ! ઓ !! ગંગુકાકા સરકારી કામકાજમાં હાથનો જ અંગુઠો લગાડાય. અને તે પણ ડાબા હાથનો. લાવો જલદી લાવો અંગુઠો.     ગંગુકાકા       મારા રયડાઓ. એટલે શું મારે એકલ્વ્યની જેમ તમને […]


જાણવા જેવી વાતો – જીગ્નેશ અધ્યારૂ 14

વિશ્વનુ સૌથી સામાન્ય નામ છે મહમ્મદ કોકાકોલા પહેલા લીલા રંગની હતી. દરેક ખંડના અંગ્રેજી નામો જે મૂળાક્ષરથી શરૂ થાય છે તે જ મૂળાક્ષરથી પૂરા થાય છે. શરીરનું સૌથી મજબૂત સ્નાયુ છે જીભ તમે છીંક ખાઓ ત્યારે લોકો તમને ‘જીવન’ કે ‘ગોડ બ્લેસ’ કહે છે કારણકે છીંક ખાઓ ત્યારે તમારું હ્રદય એક મિલિસેકન્ડ જેટલું ધબકાર ગુમાવી દે છે. કોણીએ કદી જીભ પહોંચાડી શકાતી નથી. 111,111,111 x 111,111,111 =  12,345,678,987,654,321 મોટા ભાગની લિપસ્ટીકમાં માછલીના હાડકાં હોય છે. સ્ત્રિઓની આંખ પુરૂષો કરતા બમણી વખત ફરકે છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનો પોતાનો રેકોર્ડ છે પબ્લિક લાઈબ્રેરીમાંથી સૌથી વધુ વખત ચોરાઈ જવાનો. વાલની દાળ અવકાશયાત્રીઓને ખવડાવાતી નથી કારણકે ચાલુ મુસાફરીએ હવા છોડવી તેમના પોષાકને યોગ્ય નથી. મૂર્તિ માં યોધ્ધાનો ઘોડો જો બંને પગ ઉંચા રાખેલ દર્શાવેલ હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મૃત્યુ પામ્યો હશે, જો ઘોડાનો એક પગ અધ્ધર હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મળેલા ઘા ના લીધે મૃત્યુ પામ્યો હશે, અને જો ઘોડાના ચારેય પગ જમીન પર હોય તો તે કુદરતી રીતે મૃત્યુ પામ્યો હશે. ફર્સ્ટ ક્લાસના યાત્રીઓના ગ્રીન સલાડમાંથી એક સલાડમાંથી એક ઓલિવ કાઢીને અમેરીકન એરલાઈન્સે ૧૯૮૭ માં ૪૦,૦૦૦ ડોલર બચાવ્યા. Stewardesses ડાબા હાથે ટાઈપ કરી શકાતો લાંબામાં લાંબો શબ્દ છે. ઈંગ્લેન્ડમાં હાઉસના સ્પીકરને બોલવાની સત્તા નથી હોતી અમેરીકનો રોજીંદી રીતે ૧૮ એકર જેટલા પીઝા ખાઈ જાય છે. મહત્વની બધી બાસ્કેટબોલ લીગ મેચમાં અમ્પાયરોએ કાળા અંતઃવસ્ત્રો પહેરવા જરૂરી છે. અબ્રાહમ લીંકન ના કૂતરા ફીડોની પણ હત્યા કરવામાં આવી હતી. કેલીફોર્નિયા ડીપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હિકલ “જીસસ ક્રાઈસ્ટ” ના નામે છ ડ્રાઈવીંગ લાઈસન્સ ઈશ્યુ કરી ચૂક્યું છે. દર સેકન્ડે ઈ-બે પર લગભગ ૬૮૦ ડોલરની લેવડદેવડ થાય છે. દુખાવાને […]


કોથળો ભરી રૂપિયા – જિગ્નેશ અધ્યારૂ 8

મેં સાંભળ્યુ છે કે જો વિશ્વ અર્થતંત્ર આમ જ ખાડે જતુ રહ્યું અને ભાવો આમ જ વધતા રહ્યા તો એ દિવસ દૂર નથી કે સામાન્ય લોકો અને સગવડો એક બીજાથી એવા દૂર થઈ જશે જેવા અત્યારે સલમાન અને ઐશ્વર્યા છે. રૂપિયાનું અવમૂલ્યન ફરી શરૂ થઈ ગયું છે, ડોલર ની સરખામણીએ રૂપિયો ફરી ગગડવા માંડ્યો છે.   જો આમ જ સતત ચાલતુ રહ્યુ તો એક દિવસ એવો આવશે કે ભાવો ખૂબ વધી જશે, રૂપિયાનું અવમૂલ્યન પણ પાર વગરનું હશે….એક ડોલર ના પાંચસો થી છસ્સો રૂપિયા થશે…..અને ત્યારનું ચિત્ર વિચારો તો ખરા ! !   સૌ પ્રથમ તો સરકાર ને નવી ચલણી નોટો બહાર પાડવી પડશે…પાંચ લાખ ની, દસ લાખ ની, પચાસ લાખની કે એક કરોડ ની. પણ આ જેટલા મોટા આંકડા અત્યારે લાગે છે એટલા ત્યારે નહીં હોય….ત્યારે ભાવ વધારો પણ તો ભયંકર હશે…   જેમ કે તેલનો ડબ્બો હશે પંચોતેર હજાર રૂપિયા, ઘઊં નો ભાવ હશે નવ – દસ હજાર રૂપિયા કિલો, તો એક ગુણ ધઊં લેવા તમારે એક ગુણ પૈસા આપવા પડશે. તમારો છોકરો પૈસા માંગશે, ખીસ્સા ખર્ચી માટે, પણ તમે જે આપશો તે એના ખીસ્સા માં નહીં સમાય, તે બેગ કે થેલી માં પૈસા લઈ જશે…તમારી વાઈફ રોજ સવારે શાકભાજી લેશે તો રોજ ના ચાર પાંચ હજાર ખર્ચી નાખશે, કચરો વાળવા વાળો કહેશે સાહેબ, આ મહીનાના પંદર હજાર થયા, તો દૂધ વાળાના હશે કાંઈક ત્રણ ચાર લાખ, મહીને,   તમારા પગારના દિવસે તમે ઘરે રીક્ષા કરી કોથળામાં પગાર લાવશો, અને પગારના દિવસ થી બે દિવસ તમારે ત્યાં નોટ્સ અલગ કરવાનું કામ ચાલશે કારણ કે બેંક તમને નોટો સ્ટેપલ […]


હોળી એટલે ? – જીગ્નેશ અધ્યારૂ 6

હમણાં હોળીના દિવસે મહુવા થી વડોદરા આવવાનું થયું. બસમાં બેઠા બેઠા વિવિધ જગ્યાઓ પર થતી ચહલ પહલ જોઈ. મહુવામાં હોળીકા દહન માટે કરાયેલા રસ્તા વચ્ચેના ખાડાઓ જોયા તો સોસાયટીના કોમન પ્લોટમાં જાત મહેનતનો પહેલો પાઠ ભણતા નાના ભૂલકાં પણ જોયા જે હોળીકા દહનમાં મેં પણ કાંઈક કર્યું છે તેવી ભાવનાથી ખાડો ખોદવા ને લાકડા ગોઠવવા મચી પડ્યા હતાં. હોળી આ નાનકડા ભૂલકાઓ માટે કેટકેટલા પાઠ શીખવે છે??? કદી વિચાર્યું નહોતું પણ જેમ જેમ વિચારતો ગયો, વિચાર વલોણું ફરતું ગયું તેમ તેમ માખણ નીકળતું ગયું. હોળી એટલે અશ્રધ્ધા પર શ્રધ્ધાના વિજયનો ઉત્સવ, એક બાળકની અખંડ શ્રધ્ધાનો, ગમે તેવા વિઘ્નો વચ્ચે અડીખમ રહેવાનો, ગમે તેવી મુશ્કેલીમાંય ધીરજ નહીં ખોવાનો ઉત્સવ. ગંગા સતી કહે છે તેમ “મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભાંગી રે પડે ભરમાંડ રે……” આમ જુઓ તો આ આખુંય ભજન પ્રહલાદ માટે કેટલું બંધબેસતું આવે? એ હિસાબે તો પ્રહલાદ પણ હરિજન કહેવાય.  ગાંધીજીએ એક વખત સરસ વાત કહી હતી કે હરીજન એટલે હરીની નજીકના, હરીના “ખાસ” માણસો અને ખાસ માણસો પાસે “આમ” ન ફરકે…… જો કે આ આડવાત થઈ ગઈ. વાત નીકળી હતી કે હોળીનો ઉત્સવ શું શીખવે છે….. મને થાય છે કે આપણા ઉત્સવો કેટલા સાયન્સ ઓથેન્ટીકેટેડ છે, ગીરના વનમાંથી લીધેલા કેસૂડાના ફૂલ હજીય મારા ઘરમાં છે અને તેનો રંગ અમે આ વખતે જાતે બનાવ્યો છે, ભલે બધાને ફક્ત ચાંદલો જ થાય, પણ એની મજા અલગ જ હશે. કેરોસીનની ગંધ વાળા ગુલાલ કે ઓઈલ પેઈન્ટથી ખેલાતી ધૂળેટી અને કેસૂડાના ફૂલોની ધૂળેટી ….. કેમ સરખામણી થાય? પણ આ ઉજવણીનો ઉત્સવ ફક્ત રંગો સાથેની રમત પૂરતો સીમીત ન હોઈ શકે. તાજા પરણેલા યુગલો માટે કે/અને પ્રેમીઓ માટે […]


આપણા ખીસ્સાના પાકીટમાં – વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા 4

આપણા ખીસાના પાકીટમાં શું હોય? જેમ કે પૂરો થવા આવેલો રેલ્વેપાસ કામનાં અને નકામાં વિઝિટીંગ પાસ, રેવન્યુ સ્ટેમ્પસ રબર બેન્ડસ બેંકનો હપ્તો ભર્યાની રસીદ સાંઈબાબાના ફોટા વાળુ ચાલુ વર્ષનું કેલેંડર કાલાતીત થયેલ પાચ પૈસાનો સિક્કો બસ ટીકીટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલ દોસ્તનો ફોન નંબર અને ઈ મેલ એડ્રેસ બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતની પડીકી લોકલની ગીરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ કોલેજનાં જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો પીળો પડી ગયેલ ફોટો અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતાં વિતાવેલું સડકછાપ આયખું નવા કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું  – વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા


વારિસ શાહને – અમૃતા પ્રીતમ 6

અમૃતા પ્રીતમને ભાગ્યેજ કોઈ સાહિત્યરસિક વાચક ન ઓળખે. તેમની ઘણી કવિતાઓ મેં હિન્દીમાં અનુવાદિત થયેલી વાંચી છે. મને ખ્યાલ નથી કે ગુજરાતીમાં તેનો અનુવાદ થયો હોય. હમણાં તેમની જીવનકથા રેવન્યુ સ્ટેમ્પ વાંચવાનો અવસર મળ્યો. એક લેખિકા અને એક કવિયત્રી જેમને ફક્ત “પીંજર” (તેમની નવલકથા પરથી બનેલી ફિલ્મ ) ને લીધે ઓળખતો હતો તેમની ઘણી રચનાઓ વિશે, જીવનના વિવિધ પડાવો વિશે અને તેમના જીવનનાં પ્રેરકબળો વિશે વાંચવા મળ્યું. તેમની જીવનકથામાં તેમની અનેક રચનાઓ માંથી વારિસ શાહને સંબોધીને લખાયેલી એક કવિતાનો ખાસ ઉલ્લેખ આવે છે. પંજાબી જાણતા એક મિત્ર મારફત એ કવિતાનો હિન્દી ભાવ મેળવ્યો અને તેનો અનુવાદ કરવાનો નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે. એક થી બીજી ભાષામાં સમજતા તેનો ભાવ “વાયા” થઈને આવ્યો છે એટલે કદાચ શરતચૂક હોય પણ ખરી,  તેનો હેતુ વૈશ્વિક જાગૃતિનો છે, એક એવી તકલીફનો એમાં નિર્દેશ છે જે બધાને ક્યાંકને ક્યાંક અડે છે, પૂરી હોય કે અછડતી….. આશા છે આપને ગમશે… અમૃતા પ્રીતમ તેમની જીવનકથામાં કહે છે, ” પ્રાચીન ઈતિહાસમાં ભીષણ અત્યાચારી કાંડ આપણે ભલે વાંચ્યા હોય, પણ તોયે આપણા દેશના ભાગલા વખતે જે થયું એના જેવો ખૂની, બર્બર કાંડ કોની કલ્પનામાં આવે? દુઃખની વાતો કહી કહીને લોકો થાકી ગયા હતા, પણ આ વાતો જિંદગીની પહેલા પૂરી થાય એવી નહોતી. લાશ જેવા લોકો જોયા હતા, અને જ્યારે લાહોરથી આવીને દેહરાદૂનમાં આશરો લીધો, ત્યારે નોકરીની અને દિલ્હીમાં રહેવા માટેની જગા શોધવા ત્યાં આવી અને પાછી ફરી રહી હતી, ચાલતી ગાડીમાં ઉંઘ આંખની પાસે પણ ફરકતી નહોતી. ગાડીની બહારનું ઘોર અંધારૂ સમયના ઈતિહાસના જેવુ હતું. હવા એ રીતે સૂસવાતી હતી કે જાણે ઈતિહાસની લગોલગ બેસીને રડી રહી હોય. બહાર ઉંચા […]


ઉસ્તાદ શું કહો છો? – જિતુ પુરોહિત 7

વાતાવરણ સરસ છે, ઉસ્તાદ શું કહો છો? કેવો ટપકતો રસ છે, ઉસ્તાદ શું કહો છો? છોતું પડ્યું છે ફળીયે, કીડી વડે ચુસાતુ; એમાં હજીયે રસ છે, ઉસ્તાદ શું કહો છો? આંખોમાં આશ કેરા ફૂલો લચી પડ્યા છે, એ સોળમું વરસ છે, ઉસ્તાદ શું કહો છો? અસ્તિત્વને અહીં મેં ખોડી દીધું છે એવું, થોડું ન ટસ થી મસ છે, ઉસ્તાદ શું કહો છો? મિલ્કત અમારી અહીંયા બે ચાર ઝંખના ને, સપનાઓ પાંચ દસ છે, ઉસ્તાદ શું કહો છો? હું ચૂકવું છું એને, એ ચૂકવે છે મુજને; દેવું અરસ પરસ છે, ઉસ્તાદ શું કહો છો?  – જિતુ પુરોહિત


અગમ્ય અનુભવ – દામુભાઈ શુક્લ 5

વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીમાં એક જ ફેર છે. બુઘ્ઘી મર્યાદા પૂરી થયા પછી જે કાંઈ બને છે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટી ‘અનુકૂળ કે પ્રતિકૂળ અકસ્માત’ કહે છે. ધાર્મિક દ્રષ્ટી કહે છે કે એ મર્યાદા પછી શ્રધ્ધાનું અમર્યાદિત ક્ષેત્ર શરૂ થાય છે; અને બુધ્ધિથી ન સમજાય એવી બાબતોને, જે અગમ્ય અને અકલ્પ શક્તિ જગતનું નિયંત્રણ અને સંચાલન કરી રહી છે તેના પ્રત્યક્ષ આવિર્ભાવરૂપે એ શ્રધ્ધા ઓળખાવે છે. દ્રષ્ટિ ભેદે ભલે જુદાં નામ અપાય, સત્યને એથી કંઈ આંચ આવતી નથી. જેનો મર્મ બુધ્ધિની મદદથી હું હજુ પામી શક્યો નથી એવી નીચેની સત્યઘટના-જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કદાચ ‘અનુકૂળ અકસ્માત’ કહેશે -રજૂ કરું છું. લગભગ ૬૫ વર્ષ પહેલાંની વાત છે. અમે ત્રણ કુટુંબો આબુ ગયાં હતાં. એક સાંજે, જેમ અનેક માણસો જાય છે તેમ, અમે પણ ‘સનસેટ પોઈન્ટ’ જોવા ગયાં હતાં ધરાઈને સૂર્યાસ્તનું દર્શન કર્યું અને આડાંઅવળાં ગપ્પાં માર્યા. એટલામાં તો અંધારું થઈ ગયું હતું. ચાલવા માંડ્યાં ત્યાં અમારામાંથી એકે દરખાસ્ત મૂકીઃ ‘બધા જાય છે એ રસ્તે નહિ, પાછળની કેડીને રસ્તે થઈને જઈએ.’ બીજા સભ્યોએ આનાકાની કરી, એટલે અમારી મંડળીમાંથી એક સભ્ય, જેઓ વારંવાર આબુ આવતા હતા તે, બોલી ઊઠ્યાઃ ‘આ રસ્તો મેં ખૂંદી નાખ્યો છે. સડકના રસ્તા કરતાં એ ટૂંકો છે. આ બધા મુકામે પહોંચશે તે પહેલાં પહોંચી જઈશું.’ બીજા ભાઈએ ઉમેર્યું  ‘ આપણે આટલા બધા છીએ, એટલે વાઘ આવશે તો એ પણ ગભરાઈને ભાગી જશે.’ સૂર્યાસ્ત જોવાના આનંદનો ઉન્માદ તો હતો જ. સાંજનો  સુંદર સમય હતો, સમૂહ હતો; એટલે લાંબો વિચાર કર્યા વિના બઘા એ રસ્તે ચાલવા માંડ્યા. થોડું થોડું અજવાળું રહ્યું અને કેડી દેખાઈ ત્યાં સુઘી તો કંઈ મુશ્કેલી ના પડી. રસ્તો પૂરો થયો અને નખી ઉપરની […]


કાળો ફુગ્ગો આકાશમાં ઉડે? 8

એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો હતો. તેને જોઈને બાળકો કિકિયારીઓ કરતા અને ફુગ્ગો ખરીદવા આકર્ષાતા. આ પ્રમાણે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઈ તેનો ઝભ્ભો ખેંચી રહ્યો છે તેવું જણાયું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આદિવાસી બાળક હતો. નજર મળતા જ આદિવાસી છોકરાએ તેને પૂછ્યું, “તમે કાળા રંગનો ફુગ્ગો આકાશમાં છોડશો તો તે પણ આકાશમાં ઉડશે ….. ?” ફુગ્ગાવાળો ક્ષણભર વિચારમાં પડી ગયો. આ છોકરો આમ કેમ પૂછે છે તેની નજર છોકરાની શ્યામ ત્વચા પર ગઈ, અને તેના મગજમાં ઝબકારો થયો. ફુગ્ગાવાળાએ વાત્સલ્ય પૂર્વક આદિવાસી છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો, “બેટા ફુગ્ગાઓ તેમનો રંગ લઈને નહીં પણ તેમની ભીતરમાં જે હોય તેના બળે જ ઉપર જતા હોય છે, રંગ ભલે કોઈ પણ હોય, કોઈ ફરક પડતો નથી…” ચારિત્ર્ય અને સફળતા મનુષ્યના હ્રદયમાંથી પ્રગટે છે. ******************** એક વૃધ્ધો શાણો મનુષ્ય પોતાના ગામની ભાગોળે બેઠો હતો. એક પ્રવાસીએ આવીને તેને પૂછ્યું, ” આ ગામમાં માણસો કેવા છે? હું અત્યારે જે ગામમાં જાઉં છું તે છોડીને મારે બીજે ગામ રહેવા જવું છે” વૃધ્ધ મનુષ્યે સામે પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું, “લુચ્ચા, જડ અને સ્વાર્થી”, શાણા માણસે કહ્યું “અહીં પણ લુચ્ચા, જડ અને સ્વાર્થી માણસો જ રહે છે.” થોડા વખત પછી બીજા પ્રવાસી એ આવીને પેલા વૃધ્ધને એજ પ્રશ્ન પૂછ્યો, વૃધ્ધે તેને સામું પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું “અમારા ગામના માણસો તો ખૂબ […]


એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ 20

આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને કદાચ એક ૧૧ વર્ષની છોકરી આ કહેવતને આપણાથી વધુ સારી રીતે ચરિતાર્થ કરી શકે છે. તમારા શોખ માટે તમે શું કરી શકો? વાત શોખને પ્રોફેશન બનાવવાની નથી, કે વાત શોખ માટે પોતાના રોજીંદા જીવનને ખલેલ પહોંચાડવાની પણ નથી. શોખ માટે માણસ શું કરી શકે તેનું જીવતું જાગતું પ્રેરણાદાયક ઉદાહરણ મહુવાની આ દીકરી સુપેરે પૂરું પાડે છે. નામ : રિધ્ધિ અશ્વિનભાઈ જોશી, ઉં વર્ષ ૧૧, અભ્યાસ ધોરણ ૬ માં, મહુવાની રાધેશ્યામ શાળા, અંગ્રેજી માધ્યમમાં. રિધ્ધિએ ઘોરણ ચાર સુધીનો અભ્યાસ CBSE માં કર્યો છે. સેન્ટ્રલ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ઘોરણ ચાર સુધી ભણ્યા પછી તેણે રાધેશ્યામ શાંળામાં પ્રવેશ લીધો. ગાયનમાં અને ગુજરાતી સંગીતમાં તેને અનેરો રસ છે, અને કુદરતની તેના પર જાણે મહેર હોય તેમ તેને સુંદર કંઠ મળ્યો છે. રિધ્ધિ તેના ગુરૂ પ્રકાશભાઈ સિધ્ધપુરા પાસેથી હાર્મોનિયમ અને તબલાની તાલીમ લઈ રહી છે, અને પોતાની મેળે તથા માતાપિતાની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી તે ગુજરાતી ગીતોના ગાયન પ્રભુત્વ મેળવી રહી છે. તેની આ સુંદર ગાયન વાદન કળાનો લાભ અમને પણ થોડા દિવસ પહેલા મળ્યો. તેના પિતા શ્રી અશ્વિનભાઈ જેઓ દાતરડી ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે, અને માતા શ્રીમતી ઈલાબેન જોશી જેઓ માનસ પ્રાથમિક શાળા, મહુવાના સંચાલક છે, તેમણે પોતાની પુત્રીને આ શોખને આગળ વધારવા બધી સગવડ કરી આપી છે. સાથે સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ ન બગડે કે આ શોખને પૂરો કરવા તેનું ધ્યાન તેની બાળ સહજ રમતોમાંથી હટી જાય. તે પોતાના વર્ગમાં કાયમ અગ્રસ્થાને રહે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતરને લીધે ગુજરાતી ગીતો તેને સર્વપ્રથમ સમજવા પડે છે, તે દરેક ગીતનો મતલબ સમજવાનો પ્રયત્ન કરે છે, […]


હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે – અબ્રાહમ લિંકન 16

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો. પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે. આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે. એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે. એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે. એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે. ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે […]