Monthly Archives: July 2018


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૩)

એ ઉનાળે પણ, હજુ સુધી લોકો એ વિચારને જ વળગી રહ્યા હતા, કે વસાહત ભલે નાની હોય, પરંતુ પોતાની કાયમી માલિકીની તો હશે! ૧૯૪૧ના વર્ષમાં આ વિચાર સાચો પણ લાગતો હતો. વસાહતમાં એક પોસ્ટઑફિસ હતી, અને વસાહતની પોતાની પોસ્ટેજ સ્ટેમ્પ પણ હતી. વસાહતનું આગવું સમાચારપત્ર પણ હતું, પછી ભલે તેમાં વેવેલ અને પોમોર્સ્કા સ્ટ્રીટના આદેશો સિવાય ખાસ કશું છપાતું ન હોય! લ્વોસ્કા સ્ટ્રીટમાં રેસ્ટોરન્ટ બનાવવાની છૂટ પણ મળી હતીઃ ફોર્સ્ટર રેસ્ટોરન્ટ! ગામડામાં રહેવાનાં જોખમો, અને ગ્રામજનોનાં બદલાતાં રહેતાં વલણથી બચવા માટે વસાહતમાં પાછા આવી ગયેલા રોસનર બંધુઓ એ રેસ્ટોરન્ટમાં વાયોલિન અને એકોર્ડિઅન વગાડતા હતા. થોડા સમય માટે તો એમ પણ લાગ્યું, કે શાળાઓમાં ઔપચારીક શિક્ષણ પણ શરૂ થઈ જશે, ઓર્કેસ્ટ્રા એકઠું થશે, સંગીતના કાર્યક્રમો નિયમિત યોજાશે, અને કોઈ ઉપયોગી જૈવિક સંરચનાની માફક જ યહૂદી જીવન પણ, એક કારીગરથી બીજા કારીગર સુધી અને એક વિદ્વાનથી બીજા વિદ્વાન સુધી, ફરી એક વખત શેરીઓમાં પનપવા લાગશે! પરંતુ આવો વિચાર કરવો એ એક તરંગી બાબત જ નહીં, પરંતુ ઇતિહાસના તર્કસંગત વહેણ માટે અપમાનજનક હોવાની જાહેરાત પોમોર્સ્કા સ્ટ્રીટના એસએસ અધિકારીઓ દ્વારા હજુ સુધી કરવામાં આવી ન હતી!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૨)

ગામડામાંથી આવેલું એ દંપતી આમ તો બહુ આબરૂદાર હતું. બાળકીને ગામડામાંથી ક્રેકોવની વસાહતમાં લઈ આવતાં એમને શરમ પણ આવતી હતી. બાળકી એમને ખૂબ જ વહાલી હતી અને એમની સાથે ભળી પણ ગઈ હતી! પરંતુ એક યહૂદી બાળકને હવે તેઓ પોતાની સાથે રાખી શકે તેમ ન હતાં. એસએસ તો શું, નગરપાલિકા પણ હવે તો એક યહૂદીની ભાળ આપવા બદલ પાંચસોથી વધારે ઝ્લોટીનું ઈનામ આપતી હતી. યહૂદીઓના પડોશીઓ જ તેમની માહિતી પોલીસને પહોંચાડી દેતા હતા, એટલે પડોશી પર પણ ભરોસો રાખી શકાય તેમ ન હતો. અને કોઈને ખબર પડી જાય તો એકલી બાળકી જ નહીં, તેઓ પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ હતું. હે ઇશ્વર, ગામડામાં તો એવા પણ વિસ્તારો હતા, જ્યાં ગ્રામજનો દાતરડાં લઈ-લઈને યહૂદીઓને શોધવા લાગી પડ્યા હતા!


એકાગ્રતા – સંત રાજિન્દરસિંહજી મહારાજ

કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે આપણું એકાગ્ર હોવું જરૂરી છે. એ પછી આપણે ડૉક્ટર બનવા ઈચ્છતા હોઈએ, સર્વોત્તમ એથલિટ, મહાન ગાયક કે કલાકાર બનવા ઈચ્છીએ કે પછી એક અમીર વેપારી બનવા ઈચ્છીએ. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી રીતે એકાગ્ર થવું પડશે. જે કોઈએ પણ પોતાના જીવનમાં એક પણ મોટી સિદ્ધિ મેળવી છે એના જીવનને જુઓ. એ જોતા આપણને જણાશે કે એનામાં એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની અનન્ય લગન હતી.

અધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ કંઈ જુદું નથી. એ મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણે અધ્યાત્મિકઆભ્યાસ કરીએ, પૂરી એકાગ્રતાથી કરીએ. પોતાની જાતને જાણવાના લક્ષ્ય ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.

મહાન સૂફી સંત બાયજીદ બુસ્તામીની જિંદગીનો એક કિસ્સો છે. એકવાર એ પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતાં. ગુરુએ તેમને બારી પાસે રાખેલું પુસ્તક લાવવા કહ્યું.


લોથલનો શિલ્પી – ગોપાલ ખેતાણી (કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૧૭માં છઠ્ઠા ક્રમે વિજેતા) 20

ઈ.સ. પૂર્વે ૨૨૦૦.
સ્થળ: ભારતવર્ષનું મહત્વપૂર્ણ બંદર લોથલ.

નગરી પીળી માટીથી બનેલા આવાસોથી શોભી રહી છે. ઘૂઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસી રોમાંચ અનુભવે છે. બળદની ઘૂઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ કરી; નીલા, આસમાની, કેસરી, પીળા રંગોવાળા વસ્ત્રો સજી નગરને દૈદીપ્યમાન બનાવી રહી છે, તો લોથલના પુરુષો રેશમી ધોતી અને લાલ, વાદળી કે પીળા અંગવસ્ત્રમાં સજીધજી ગૌરવપૂર્ણ ચાલથી નગરના રસ્તાઓને ડોલાવી રહ્યા છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૧)

લિપોવા સ્ટ્રીટથી થોડે દૂર એક સાંકડા માર્ગ પર, ‘જર્મન બોક્સ ફેક્ટરી’ આવેલી હતી, જેનો પાછળનો ભાગ શિન્ડલરના એનેમલ પ્લાંટ તરફ પડતો હતો. કંપનીઓનો ભૂખ્યો અજંપ શિન્ડલર ઘણી વખત એ તરફ ફરવા નીકળી પડતો, અને ફેક્ટરીના નિરીક્ષક અર્ન્સ્ટ કનપાસ્ટ સાથે, કે પછી કંપનીના જૂના માલિક અને અત્યારના બની બેઠેલા મેનેજર એવા સાઇમન જેરેથ સાથે ગપ્પા મારી લેતો હતો. જેરેથની બોક્સ ફેક્ટરી છેલ્લા બે વર્ષથી ‘જર્મન બોક્સ ફેક્ટરી’ બની ગઈ હતી, અને એ પણ, હંમેશની માફક કોઈ પણ જાતની રકમની લેવડદેવડ કે દસ્તાવેજ પર સહી કર્યા વગર જ!


પરિણામ – ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12

તો આજે અક્ષરનાદ આયોજીત ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌નું પરિણામ પ્રસ્તુત છે.

નિર્ણાયકો આદરણીય શ્રી હરીશ મહુવાકરજી અને શ્રી કામિની સંઘવીજીનો આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ખૂબ ચીવટથી તપાસીને, અત્યંત કાળજીપૂર્વક પરિણામ આપ્યુંં છે. દરેક માઈક્રોફિક્શન વાર્તાને નિર્ણાયકોએ દસમાંથી ગુણાંક આપ્યા છે. આટલી બધી માઈક્રોફિક્શન અને એને દરેકને નાણીને ગુણ આપવાની આ લાંબી પ્રક્રિયા છતાં અને તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ સમય ફાળવીને પરિણામ આપવા બદલ બંને નિર્ણાયકોનો હ્રદયપૂર્વક આભાર.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૦)

આર્થર રૂસનઝ્વાઇગના યહૂદી મંડળના સભ્યો હજુ પણ પોતાને વસાહતમાં રહેતા યહૂદીઓના ભરણપોષણ અને આરોગ્યના સંરક્ષક માનતા હતા, અને વસાહતની યહૂદી પોલીસ પાસે પોતે કોઈ સમાજસેવક હોય તેવી પાડતા હતા. યુવાન યહૂદીઓ પ્રત્યે દયા દાખવીને તેમને થોડું શિક્ષણ મળી જાય તેવો પ્રયત્ન પણ તેઓ કરતા હતા. જો કે એસએસ મુખ્યાલય માટે તો તેઓ એવા એક વધારાના પોલીસદળ જેવા જ હતા, જેમણે અન્ય પોલીસદળની માફક એસએસના હુકમનું માત્ર પાલન જ કરવાનું હોય! પરંતુ સન ૪૧ના ઉનાળા સુધી જીવતા રહેલા યહૂદી પોલીસદળના કોઈ સભ્યની સ્થિતિ એવી રહી ન હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૯)

વસંતના એ દિવસોમાં, એક દિવસ શિન્ડલર પોતાની ફેક્ટરીમાંથી નીકળીને પોતાની બીએમડબ્લ્યૂમાં સીમા પાર ઝ્વિતાઉની વાસંતી મોસમમાં મહોરી ઊઠેલાં જંગલોમાં હંકારી ગયો. રૂવાંટીદાર કોલરવાળો કોટ પહેરીને બેઠેલો ઓસ્કર, ખાસ બનાવટના વ્હીલને એક હાથે સરળતાથી ફેરવતો, બીજે હાથે સિગારેટ સળગાવી રહ્યો હતો. એમિલીની સાથે-સાથે આજે એ પોતાનાં કાકી અને બહેનને પણ મળવા જવાનો હતો. ઘરનાં બધાં જ સભ્યો શિન્ડલરના પિતાની વિરુદ્ધમાં એક થઈ ગયાં હતાં; શિન્ડલરની માતાએ આપેલા ભોગ પ્રત્યે બધાંને કુણી લાગણી હતી. મૃત માતા અને પત્ની વચ્ચે કોઈ સામ્ય હોય તો પણ ઓસ્કર એ જોઈ શકતો ન હતો! આવી બાબત સમજવી, એ કંઈ બચ્ચાંના ખેલ ન હતા! જેસેનિક્સ તરફ જતો ઠંડોગાર રસ્તો એક પછી એક સિગારેટના સહારે પૂરો થઈ રહ્યો હતો. તેના પિતા તો જાણે પોતાને ભગવાન જ માનતા હતા, એટલે એમની સાથે વધારે સખ્તાઈથી કામ લેવું પડે તેમ હતું.


મારો બાંધવગઢનો પ્રવાસ – હિરલ પંડ્યા 21

જ્યારે તમે માર્ચ-એપ્રિલમાં મારા વતનમાં પગ મૂકશો તો કેડીની બન્ને તરફ મઢેલા પલાશ ઉર્ફે ખાખરા (ખાવાના નહીં હોં!)ના વૃક્ષો પોતાના ઉગ્ર કેસરિયા રંગથી તમારું સ્વાગત કરશે. થોડો ઠંડીનો ચમકારો મહેસૂસ કરશો અને સાથે મહુડાનાં ફૂલોની માદક મહેક તમને તરબતર કરશે. જ્યાં જ્યાં તમારી નજર ફરશે, ત્યાં જંગલ દેખાશે. ક્યાંક “વાહન ધીમે હાંકો” લખેલા બોર્ડ હશે તો ક્યાંક “પહેલા વન્યપ્રાણીઓને માર્ગ ક્રોસ કરવા દો” લખેલા, કારણ તમે મારી કર્મભૂમિમાં છો. નામ છે બાંધવગઢ! મધ્યપ્રદેશનું એક ગામ જે પોતાના ટાઇગર રીઝર્વ માટે નામાંકિત છે.

અરે! પણ મેં તો મારો પરિચય તમને આપ્યો જ નહીં. હું, ટી ૭૧ ઉર્ફે પન્નાલાલ, ૬ વર્ષનો બંગાળ ટાઇગર. આમ તો પ્રવાસલેખ લખવા એ મારું કામ નથી પણ એ તો આ હિરલ નામનું મનુષ્ય મને મળવા મધ્યપ્રદેશ આવ્યું હતું તો મેં વિચાર્યું, હું જ મારા વતનની માહિતી તમને એના લેખ દ્વારા પહોંચાડું.


અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો 8

સ્વ. પ્રકાશ પંડ્યાના અવસાનના બરાબર એક અઠવાડીયા પહેલા, હું ઓરિસ્સા હતો ત્યારે રાત્રે લગભગ સાડા આઠે પ્રકાશભાઈનો ફોન આવેલો. મને કહે કે તમે ગાઈ શકો છો એ ખબર નહોતી. કદાચ શ્રી હર્ષદભાઈ દવેએ તેમને અક્ષરપર્વ-૧નો વિડીયો દેખાડ્યો હશે. મેં કહ્યું, શોખ તો વર્ષોથી પણ હિંમત નથી થઈ કદી, એક જ વખત અક્ષરનાદનું પર્વ યોજેલું એમાં ધ્રુવભાઈની રચનાને સ્વર આપવાનો પ્રયત્ન મેં કરેલો. મારા પોતાના ગાયેલા ગીતો મારા સિવાય અને ઘરના સભ્યો સિવાય ભાગ્યે જ કોઈએ સાંભળ્યા છે. તો એ કહે, અક્ષરપર્વનો એ કાર્યક્રમ સાત વર્ષ પહેલા કરેલો, ત્યાર પછી ફરી કદી કેમ કર્યો નહીં? મેં કહ્યું, એ વખતે એટલા ખરાબ અનુભવ થયેલા કે પછી હિંમત જ ન થઈ. કવિસંમેલનમાં દિગ્ગજ કવિઓ સ્ટેજ પર હતા, અને એટલા જ શ્રોતાઓ સામે હૉલમાં. આર્થિક રીતે પણ ઘણો ઘસાયેલો અને જ્યારે એ સિવાય પણ સાથ આપવાનો વારો આવ્યો ત્યારે એક ગૃપના મિત્રોએ હાથ ખેંચી લીધો હતો, એટલે હવે હિંમત નથી થતી.


આપણું પર્યાવરણ – વિમલા હીરપરા 3

પર્યાવરણ કે વાતાવરણ જે એક કામળો – આવરણ છે એ સમુદ્રની સપાટીથી લગભગ બસો માઇલ ઉપર સુધી વાયુના રુપમાં પૃથ્વીને વિંટળાયેલું છે; એ સૂર્યના પ્રખર કિરણો સામે આપણું રક્ષણ કરે છે. એ ઓઝોન, ઓક્સિજન (પ્રાણવાયુ જે આપણે શ્વાસમાં લઇએ છીએ), કાર્બન ડાયોકસાઇડ કે અંગાર વાયુ, હિલિયમ જેવા વિવિધ વાયુઓનું બનેલુ છે, એને લીધે પૃથ્વી પર માનવજીવન શક્ય બન્યું છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૮)

એ વર્ષની ક્રિસમસ જો કે એટલી બધી ખરાબ પણ ન રહી, પરંતુ વાતાવરણમાં ગમગીની જરૂર છવાયેલી રહી. પાર્કલેન્ડના શિન્ડલરના ઘરની સામે કોઈ યક્ષપ્રશ્નની માફક બરફ પથરાઈ ગયો હતો. વૉવેલની ટોચથી છેક રસ્તા સુધી અને કેનોનીઝા સ્ટ્રીટના પ્રાચીન દરવાજા સુધી, કોઈએ જાણી જોઈને ચોક્કસ પ્રયોજનથી, સાવધાનીપૂર્વક અને કાયમ માટે ગોઠવી દીધો ન હોય! નદીની આ પાર કે પેલે પાર, ન સૈનિકદળને, ન પોલેન્ડવાસીઓને કે ન યહૂદીઓને, કોઈને પણ હવે એવો ભરોસો રહ્યો નહોતો, કે આ સમસ્યાનું ઝડપી નિવારણ થઈ શકશે!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૭)

વસાહતની સ્થાપનાને કારણે વૉરસો અને લોડ્ઝ જેવા મોટા શહેરમાંથી, અને ગવર્નર ફ્રેંકે આપેલા યહૂદી-મુક્ત શહેરના વાયદાને કારણે ક્રેકોવમાંથી કેટલાયે યહૂદીઓ, ગ્રામવાસીઓ સાથે ભળી જવાના ઈરાદે ગામડાઓમાં ચાલ્યા ગયા હતા. આગળ જતાં ઓસ્કર સાથે જેમનો પરિચય ગાઢ થવાનો હતો એ ક્રેકોવિઅન સંગીતકાર રોસનર બંધુઓ ટીનિએક નામના એક પ્રાચીન ગામડામાં જઈને વસ્યા હતા. વિસ્તુલા નદીના એક સુંદર વળાંક પર આવેલા ટીનિએકની ઉપરવાસે ઝળુંબતી ચૂનાના પત્થરોની એક કરાડ ઉપર સંત બેનિડિક્ટના સંપ્રદાયનો મઠ આવેલો હતો. તો પણ, રોસનર બંધુઓ છુપાઈ શકે એ માટે અહીં પૂરતો અવકાશ હતો. ગામમાં કેટલાક યહૂદી દુકાનદારો અને રૂઢિચુસ્ત કારીગરો રહેતા હતા. નાઈટક્લબમાં વગાડતા આ સંગીતકારો માટે તેમની સાથે વાતચીત કરવાનું આમ તો ખાસ કોઈ કારણ ન હતું. પરંતુ રોસનર બંધુઓની ધારણા મુજબ, ખેતીકામમાં વ્યસ્ત ખેડુતોને તો આ સંગીતકારો તેમના ગામમાં આવીને વસ્યા એ ખુબ જ ગમ્યું હતું.


ચમકૌરનું યુદ્ધ – જલ્પા વ્યાસ 6

૨૨ ડીસેમ્બર ૧૭૦૪ ના રોજ સરસા નદીના કિનારે ચમકૌર નામની જગ્યા પર શિખો અને મુઘલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું જે ‘ચમકૌરના યુદ્ધ’ના નામથી પ્રસિદ્ધ છે. આ યુદ્ધ શિખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ અને મુઘલ સેનાના સેનાપતિ વઝીરખાન વચ્ચે થયું હતું. વઝીરખાન, ઔરંગઝેબ તરફથી કોઈ પણ હિસાબે ગુરુ ગોવિંદસિંહ ને જીવતા અથવા મરેલા પકડવા માંગતો હતો, કારણકે ગુરુ ગોવિંદસિંહ ઔરંગઝેબના હજારો પ્રયત્નો છતાં, મુઘલ સામ્રાજ્યની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતા. ગુરુ ગોવિંદસિંહ અને એમના ૪૦ સાથીઓને કચડવાનો મુઘલ સેનાએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ મુઘલ સેના તાબે થયું નહિ એની આ વીર ગાથા છે.. ‘ઝાફરનામાં’ માં આ યુદ્ધનો ઉલ્લેખ કરતાં ગુરુ ગોવિંદસિંહે લખ્યું છે,

‘ચિડીઓં સે મેં બાજ લડાઉં..
ગીધડો કો મેં શેર બનાઉં..
સવા લાખ સે એક લડાઉ..
તભી મેં ગુરુ ગોવિંદ કહાઉ..’


શ્રી મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન 3

ચોવીસમાં અને છેલ્લા જૈન તીર્થંકર મહાવીરનો જન્મ આજથી લગભગ ૨૫૪૦ વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૫૩૯માં તત્કાલીન વૈશાલી જનપદના કુંડપુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. એમના પિતા સિદ્ધાર્થ લીચ્છવી કુળનાં રાજા હતા. એમનાં માતાનું નામ ત્રિશલા હતું. મહાવીરના જન્મ પહેલાં, માતાએ ચૌદ અત્યંત શુભ સ્વપ્નો જોયાં હતાં.

ભગવાન મહાવીરના પાંચ અગત્યના પ્રસંગો ‘પાંચ કલ્યાણક’ કહેવાય છે. પ્રસંગ પહેલો તો તેઓ માતાની કૂખમાં આવ્યા એ, બીજો જન્મ પામ્યા એ, ત્રીજો તેમનો સંસાર છોડવાનો પ્રસંગ, ચોથો વિશિષ્ટ જ્ઞાન મેળવ્યાનો પ્રસંગ અને પાંચમો મોક્ષ પામ્યાનો પ્રસંગ. આ પાંચે પ્રસંગોએ આખુંયે જગત આનંદવિભોર બની જાય છે. એથી જ એણે ‘કલ્યાણક’ કહેવાય છે.


દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા 5

શ્વસુરજી મને માફ કરશો, મારા માટે તમે શ્વસુર છો. તમારા સૂરમાં મારો સૂર, અને રુક્ષ્મણી તરફ જોતાં બોલી, તમે મારા સાસુ છો, એટલે તમે મારા પ્રાણવાયુ છો. તમારા વગર હું અધૂરી, તમારા પુત્ર સાથે જ હું પૂર્ણ થાઉં. મારે પણ તમારા પુત્ર થકી ૧૦ પુત્ર-પુત્રી છે, મારે તેમને સંસ્કાર આપવાના છે, ઠેકાણે પાડવાના છે. કુળવાન બનાવવાના છે. સમાજમાં સ્થાપિત કરવાના છે. તમારા કુળમાં આવી માટે મારી ઓળખ ઢંકાઇ ગઇ. નહીં તો હું દુષ્ટ, અધર્મી, મિલ્કત પચાવી પાડનારની દીકરી તરીકે ખપી ગઇ હોત, ના પણ હું આજે ખુમારીથી કહું છું કે હું દુર્યોધનની પુત્રી છું. મને મારા પિતાશ્રી ઉપર ગૌરવ છે. માન છે. હું અબળા નથી, સબળા છું. તમારો પુત્ર મારું અપહરણ કરી લઇ આવ્યો, મને પણ તેના તોફાન ગમ્યા, મેં તેમને સ્વીકારી લીધા. જો તે મને ન ગમતા હોત તો હું પાછી જતી રહેત. પણ આ વંશે મને સન્માન આપ્યું. હવે આ જ વંશનો આશરો લઇ હું મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માગું છું


બે કાવ્યો – પ્રહલાદ પારેખ 2

એક છોરી

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી.
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.


ના – ધ્રુવ ભટ્ટ (હવે ‘ન ઇતી…!’) 22

ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત કર્યું છે. આશા છે સર્વે વાચકમિત્રોને ગમશે. ધ્રુવભાઈનો આભાર. આ આખી નવલકથાની રાહમાં મારી જેમ અનેક મિત્રો હશે જ..

* * *

લેબમાંથી સંદેશો આવ્યો કે, ‘એક બાળક, ઓ-ટેન જન્મ્યું છે.’

નિયમ મુજબ બાળક જન્મે કે તરત કાનની પાછળના ભાગે કમ્પ્યૂટરાઈઝ્ડ ચિપ લગાવી દેવી પડે; પરંતુ ઓ-ટેનને આવી ચિપ લગાડવા જતાં ખ્યાલ આવ્યો કે ચિપને જેની સાથે જોડાય છે તે જ્ઞાનતંતુઓ કાન પાછળ નથી, ખભાની નજીક છે અને થોડા અવ્યવસ્થિત છે. આ માહિતી તંત્રવાહકને અપાઈ.


તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? – જે. કૃષ્ણમૂર્તિ, અનુ. હર્ષદ દવે 8

જીવનની મઝા તેને જીવવામાં છે, જ્યારે જીવનમાં ભય, અનુકરણ કરવાની તાલીમ મળી હોય ત્યારે આપણે ખરેખર જીવન જીવતા નથી હોતા. કોઈનું દાસત્વ કે આધિપત્ય સ્વીકારી તેને અનુસરવું એ જીવન નથી. તમે જાતે નિરીક્ષણ કરશો તો જણાશે કે આપણે બીજાને અનુસરીએ છીએ અને તેને ‘જીવન’ કહીએ છીએ. મન શા માટે કોઈને અનુસરે છે? તે પ્રક્રિયાને સમજવામાં તેનાથી મુક્તિ મળે છે. કારણ કે આપણે ગૂંચવણમાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શું કરવું તે આપણને બીજું કોઈ કહે. તેથી જ આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક ગુરુઓ દ્વારા આપણું શોષણ થાય છે. સફળતાની પાછળ પડવું એ જીવન નથી. આપણે જીવનના મહત્વને જાણતા નથી. આપણે જાણીએ છીએ માત્ર ભયને અને સિદ્ધાંતોને.
જીવન અસાધારણ ચીજ છે. જીવનનો હેતુ શો છે તેની ચર્ચા કરતાં આપણે એ શોધવાનું છે કે આપણે જીવનનો શો અર્થ કરીએ છીએ. શબ્દકોશ પ્રમાણે નહીં. જીવનમાં રોજીંદી ક્રિયાઓ, રોજના વિચારો, લાગણી વગેરે છે. તેમાં સંઘર્ષ, પીડા, દુખો, છળ-કપટ, ચિંતા, ઓફિસનું કામ પણ છે. આ બધાનો સરવાળો એટલે જીવન. જીવન માત્ર ચેતનાનું પડ નથી. તે લોકો અને વિચારો સાથેનો આપણો સંબંધ છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૬) 1

ચોથી ડિસેમ્બરે લેવાયેલાં લશ્કરી પગલાં પછી સ્ટર્નને ખાતરી થઈ ગઈ હતી, કે ઓસ્કર શિન્ડલર એક વિરલ વ્યક્તિ હતો! બીનયહૂદીઓમાં એક યહૂદી! પ્રાચીન યહૂદી ધર્મગ્રંથ તાલમુદમાં વર્ણવેલી હસેદી ઊમ્મોટ હા-ઓલમની એક દંતકથા મુજબ સમગ્ર વિશ્વમાં, કોઈ પણ સમયે એક સાથે છત્રીસ પવિત્ર વ્યક્તિઓ વસતી હોય છે. સ્ટર્નને આ રહસ્યમયી આંકડામાં શબ્દશ: વિશ્વાસ તો ન હતો, પરંતુ આ દંતકથાને તો એ સંપૂર્ણ સત્ય માનતો હતો, અને શિન્ડલરમાં એ પવિત્ર જીવંત મુક્તિદાતાના દર્શન કરવાનો પ્રયત્ન કરવાને એ ઉચિત અને ડહાપણભર્યું માનતો હતો!