Monthly Archives: January 2015


પ્રેરણાદાયક પ્રસંગ-કથાઓ.. મહાત્મા ગાંધી વિશેષ 12

૩૦ જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિવસ, આજે તેમના મૃત્યુના સડસઠ વર્ષો પછી પણ તેમના વિચારો અને પદ્ધતિ આજના વિશ્વ માટે એટલી જ પ્રસ્તુત અને અસરકારક છે જેટલી ત્યારે હતી. ઓબામા હોય કે મંડેલા, મોદી હોય કે આંગ સૂ કી કે અન્ય કોઈ પણ વિશ્વનેતા, ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે આ દરેકે કદમતાલ મિલાવવાનો જ સંદેશ વિશ્વને આપ્યો છે. એક વર્ષ જૂનું, અત્યંત સુંદર અને વાંચનપ્રદ સાહિત્ય પીરસતું સામયિક ‘આનંદ ઉપવન’ જાન્યુઆરી અંકને ‘બાપુ વિશેષાંક’ તરીકે લઈને ઉપસ્થિત થયું છે અને તેની પ્રસ્તુતિ ખરેખર દાદ માંગી લે તેવી સુંદર છે. આજે તેમાંથી જ કેટલાક સંકલિત પ્રસંગો પ્રસ્તુત છે.


સાહેબ, મને ભૂત દેખાય છે.. (વાર્તા) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 20

હાર્દિકભાઈ સાથે ફોન પર ઘણાં સમય પહેલા સાંભળેલી આ સુંદર વાર્તા આજે વાચકો સાથે વહેંચવાની ઇચ્છા રોકી શક્યો નહીં. એ હાર્દિકભાઈની કલમની અને સર્જનાત્મકતાની જ કમાલ છે કે તેઓ આ વાર્તાને એક અનોખો વળાંક આપી શક્યા છે, અને એ અંતમાં આવતો વળાંક વાર્તાને અદ્રુત અને માણવાલાયક બનાવે છે. હાર્દિકભાઈના આભાર સાથે આજે પ્રસ્તુત છે તેમની આ અનોખી વાર્તા.. સાહેબ, મને ભૂત દેખાય છે!


વાચકમિત્રોની ત્રણ કાવ્યરચનાઓ.. – સંકલિત 7

આજે પ્રસ્તુત છે પ્રથમ વખત અક્ષરનાદ પર પોતાની રચનાઓ પ્રસ્તુત કરી રહેલા ત્રણ નવોદિત રચનાકાર મિત્રોની કાવ્યરચનાઓ. બે અછાંદસ અને એક ભક્તિરચના સાથેનું આજનું સંકલન જેમાં કાળના ડંખની પીડા છે, જેમાં શબ્દો અને તેની અભિવ્યક્તિની વાત છે અને તેમાં શામળિયાને વિનંતિ પણ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


નિસર્ગોપચાર : શ્રેષ્ઠ ઉપચાર – પ્રો. નિરંજના ભટ્ટ 6

નિસર્ગોપચાર – પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એક આધારભૂત ચિકિત્સા પદ્ધતિ છે. નિસર્ગ ઉપચાર કરનાર ચિકિત્સકોનું માનવું છે કે શરીરમાં જમા થયેલો નકામો કચરો જ બધા રોગોનું મૂળ કારણ છે. આપણાં શરીરમાં હંમેશા જાતજાતના નકામાં પદાર્થો અને વિષ (ઝેર) ઉત્પન્ન થાય છે. આ નકામા કચરાને, એ વિષને જો યોગ્ય સમયે બહાર કાઢવામાં ન આવે તો શરીરની અંદર રહી જાય છે અને શરીરને રોગગ્રસ્ત બનાવી દે છે. શરીરની અંદર ભેગા થયેલા નકામા પદાર્થો જ બધા રોગોનું મૂળ કારણ છે. જ્યારે આ બધા ઝેરી કચરાના ભારથી શરીર ત્રસ્ત થઈ જાય છે ત્યારે પ્રકૃતિ કોઈને કોઈ રીતે વધેલા પદાર્થોને બહાર કાઢવા પ્રયત્નો કરે છે. પ્રકૃતિ શરીરના વિષને બહાર કાઢીને આપણા શરીરને સ્વચ્થ અને તંદુરસ્ત રાખે છે. કોઈ પણ પ્રકારના રોગની સ્થિતિમાં શરીરના બધા માર્ગો શરીરને રોગમુક્ત કરતા રહે છે. આ પ્રકારાની ચિકિત્સાને પ્રાકૃતિક ચિકિત્સા અથવા નિસર્ગોપચાર કહે છે.


ત્રણ દિવસ અંધાપો જતો રહે તો… – હેલન કેલર, અનુ : જયંત મેઘાણી 9

હેલન કેલર આ લેખ માટે કહે છે, ‘મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઇ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઇ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઇ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઇ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું! અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઇ લેવા ઝંખું?


ફીનિક્સ (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – અશ્વિન ચંદારાણા 2

‘બહુમુખી પ્રતિભા ધરાવતા સૌમ્ય પ્રકૃતિના અલગારી જીવ એવા સ્વ. શિવકુમાર ભાઈએ પત્રકારત્વ ઉપરાંત લોકસાહિત્ય, નાટ્ય, ટૂંકી વાર્તા, તેમન ફિલ્મનિર્માણ ક્ષેત્રે પણ મહત્વનું કામ કર્યું છે.’ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો જે પુસ્તકના ચોથા પાને છે એ અનોખું સ્મૃતિગ્રંથ સમું પુસ્તક ‘અહીંથી ગયા એ રણ તરફ..’ – એક મલંગ શિવ આચાર્યનાં મરશિયાં’ જે શ્રી મીનાક્ષીબેન અને અશ્વિનભાઈ ચંદારાણાની બેલડી દ્વારા સંપાદિત થયેલું છે તેનો પ્રસ્તાવનાસમ શ્રી અશ્વિનભાઈનો આ લેખ પુસ્તક વિશેની અનેક બાબતો ઉઘાડી આપે છે. અક્ષરનાદને પુસ્તક ભેટ કરવા બદલ તેમનો આભાર.


ત્રણ બાળગીતો – જીતેન્દ્ર પ્રજાપતિ 6

કવિમિત્ર જિતેન્દ્ર પ્રજાપતિના ઘરે થોડા દિવસ પહેલા લક્ષ્મીજીનું આગમન થયું છે. એ નાનકડી ઢીંગલીને લઈને કવિહ્રદયમાં જાગેલા સંવેદનો આ બાળગીતોમાં અભિવ્યક્ત થયાં છે. સદાય ગઝલો સાથે વ્યસ્ત રહેતા એક કવિને તેમની દીકરીએ આ ગીતો લખવા પ્રેર્યા છે એ વાત કેટલી આહ્લાદક છે! જિતેન્દ્રભાઈને વધાઈ સાથે આ ગીતોનું પણ સ્વાગત. અક્ષરનાદને આ ગીત પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


મરઘો (વાર્તા) – જૉસેફ મૅકવાન 16

કેટલીક વાર્તાઓ સમગ્ર ચિત્તતંત્રને હચમચાવી મૂકે એવી રચાઈ હોય છે, સર્જકની કલમે જ્યારે જીવનને નજીકથી નિરખવામાં આવે ત્યારે માનવજીવનના અનેક વણઓળખ્યા વિશેષો ઝબકી જતાં હોય છે. શ્રી જૉસેફ મૅકવાનની ‘મરઘો’ આવી જ એક અનોખી વાર્તા છે. પોતાની માતા અને સાવકા બાપ વચ્ચે ગૂંચવાયેલા એ કિશોર બાળકનો મનોપ્રકોપ ઉભરી શક્તો નથી અને સહન પણ થઈ શક્તો નથી એવા સંજોગોની વાત સાથેની અને ધારદાર અંત સાથેની વાર્તા વાચકના મનોવિશ્વમાં વિચારની અનોખી ચિનગારી પ્રગટાવી જાય છે. પ્રસ્તુત લેખ ‘શબ્દસૃષ્ટિ’ દીપોત્સવી ગદ્યવિશેષાક, ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૮માંથી સાભાર લેવામાં આવ્યો છે.


દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ 2

મોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો.


સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ – કંદર્પ પટેલ 7

આજે તા. ૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આજનો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ છે, ૧૫૨ વર્ષ પહેલા આજના દિવસે જન્મેલા વિવેકાનંદજીના વિચારો અને માર્ગદર્શન, યુવાનોને તેમણે આપેલ આદર્શો અને ફિલસૂફી આજના સમયમાં પણ પ્રસ્તુત છે, ઉલટું તેની સર્વસ્વિકૃતિ અને પ્રસાર પ્રચાર વધ્યો છે. સ્વામી વિવેકાનંદને પ્રણામ સહ આજે કંદર્પ પટેલની કલમે પ્રસ્તુત છે તેમના વિશે આ સુંદર લેખ. અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ સુંદર કાવ્યરચનાઓ.. – પ્રતિમા પંડ્યા 11

પ્રતિમાબેન પંડ્યાના કાવ્યસંગ્રહ અને લઘુકાવ્યસંગ્રહ એક સાથે માણવાનો અવસર મળ્યો. તેમના લઘુકાવ્યો આ પહેલા આપણે અક્ષરનાદ પર માણ્યા છે, આજે પ્રસ્તુત છે તેમના કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસુ’ માંથી ત્રણ સુંદર, ભાવવહી, અર્થસભર અને અદ્રુત કાવ્યરચનાઓ. પ્રતિમાબેનની આ કવિતાઓ એ ભાવક હ્રદયમાં ગીતો રૂપે પડઘાય છે, એમાં કુદરત, જીવન અને માનવ સંવેદના સુંદર રીતે ઉભરીને આવે છે, ભાવક તેની સાથે ઓતપ્રોત થઈ શકે એવી સુંદર રચનાઓ ધરાવતો આ સંગ્રહ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. આજે માણીએ આ સંગ્રહની ત્રણ સુંદર કાવ્યરચનાઓ.


બાબા, બાવા ને બાપુઓની માયાજાળ! – ડૉ. સંતોષ દેવકર 12

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ ઢોંગી બાબાઓ, બાવાઓ અને બાપુઓ વિશે ઘણી વાતો કહી જાય છે. આવા લોકો અને તેમને માનતા અંધશ્રદ્ધાળુ મૂર્ખો એ સમજતા નથી કે માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત વિચારશીલ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના સર્જક અભિષેક જૈન સાથે મુલાકાત.. (Audiocast) 6

‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી સફળ ગુજરાતી ફિલ્મોના સર્જક અભિષેકભાઈ જૈનને ગત વર્ષે મળવાનું થયેલું, તેમના વિશે વધુ જાણવાનો અવસર પણ ત્યારે મળ્યો હતો, થોડા દિવસો પહેલા વડોદરામાં હાઉસફુલ જતી ‘બે યાર’ જોવાનો અવસર મળેલો ત્યારે એ મુલાકાત તાજી થઈ અને અભિષેકભાઈની માતૃભાષા ગુજરાતીમાં સર્વસ્વીકૃત થાય અને ઉત્સાહપૂર્વક જોવાય તેવી ફિલ્મો બનાવવાની ધગશને લઈને તેમનો ઇન્ટર્વ્યુ અક્ષરનાદ માટે કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની શરૂઆતથી લઈને ‘કેવી રીતે જઈશ’ને મળેલ અપાર લોકચાહના, ‘બે યાર’ ની સફળતા સાથે ગુજરાતી ફિલ્મો અને સિનેમાઘરો માટેના તેમના વિચાર અને આયોજન વિશે ખૂબ વિગતે વાત થઈ એ મુલાકાત ઑડીયો અને લેખિત સ્વરૂપે આજે પ્રસ્તુત કરી છે. આટલો લાંબો સમય ફાળવવા બદલ અને તેમના અભિપ્રાય તથા મંતવ્યો સ્પષ્ટપણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ અભિષેકભાઈનો ખૂબ આભાર, અનેક શુભકામનાઓ.


૧૦૧ ઝેન વિચારમોતીઓ.. – ટ્વિટર પરથી સંકલિત.. 11

છેલ્લા થોડા વખતથી ટ્વિટર મારે માટે ઝેન વિચારો અને એ રીતે જીવનપદ્ધતિને જાણવા અને સમજવાનું ખૂબ હાથવગું માધ્યમ થઈ રહ્યું છે. ૧૪૦ શબ્દોની મર્યાદામાં અનેક ઝેન ગુરુઓ અને ઉપદેશઓ તરફથી પ્રસ્તુત કરાતી વિચારકણિકાઓ મનને વિચારનું ભાથું પૂરું પાડે છે. થિચ ન્હાટ હાન્હ અને ડી. ટી. સુઝુકીના પુસ્તકો સાથે શરૂ થયેલી આ ઝેનયાત્રા ટ્વિટરના માધ્યમે અનેક નવીન વિચારો અને સરળ પરંતુ અનહદ વાતો આપે છે. આજે એ પ્રયાસમાંથી ૧૦૧ વિચારકણિકાઓ પ્રસ્તુત કરી છે.

black stackable stone decor at the body of water

ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ 7

આજે લાંબા સમય બાદ કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો પ્રસ્તુત છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને ખૂબ શુભકામનાઓ તો વળી તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. અક્ષરનાદને ગઝલરચનાઓ પાઠવવા બદલ તેમને શુભકામનાઓ.


પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે 6

ઓસ્કાર વાઈલ્ડની ૧૮૮૮ માં પ્રથમવાર પ્રકાશિત ‘ધ હેપી પ્રિન્સ’, સચોટ અને હૃદયસ્પર્શી ઉત્તમ વાર્તાને અમુક ફેરફાર સાથે અહીં રજૂ કરી છે. વાચકોને મૂળ વાર્તા વાંચવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

* * *

ઘણાં ઘણાં વર્ષો પહેલાં એક મોટો દેશ આખી દુનિયામાં એટલો બધો સમૃદ્ધ હતો કે એ ‘દૂધ અને મધના દેશ’ તરીકે જાણીતો હતો. એ દેશ તેનાં પ્રાકૃતિક સૌન્દર્ય માટે પણ બહુ પ્રખ્યાત હતો: હિમાચ્છાદિત પર્વતો તે દેશની મનોહર અજાયબીમાં ગણાતા હતા. આ પર્વતો બારે માસ વહેતી નદીઓનું જળસ્રોત હતા. તે નદીઓ ત્યાંની જમીનને ફળદ્રુપ અને ખેતીને લાયક બનાવતી હતી. આ દેશમાં લીલાછમ પર્વતો, વળાંકદાર ટેકરીઓ, સરોવરો, નિર્મળ સ્ફટિક જેવું નીર વહાવતાં ઝરણાં, ફૂલોથી લચી પડતી ખીણો અને વન્યજીવનથી ભરપૂર જંગલો કે જેમાં કેટલીક અસાધારણ ગણાતી જાતિનાં પક્ષીઓ પણ હતાં. ત્યાંના લોકો પ્રકૃતિની પૂજા કરતા અને ખૂબ જ શાંત અને સુખી જીવન જીવતા હતા. ત્યાં નાણાનું ચલણ ન હતું. તેઓ વસ્તુઓની અદલાબદલી કરતા હતા. ત્યાં સંપત્તિનો સંગ્રહ કરવાની હરીફાઈ ન હતી અને તેઓ એકબીજાને જરૂર પડ્યે સાથ આપતા હતા. તેમનામાં સૃષ્ટિના રહસ્યો જાણવાની ખૂબ જ ઉત્કંઠા હતી. તેઓ ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ મનોમંથન કરતા હતા, જેવા કે……


ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર 5

મારા મિત્ર ચમનલાલના લગ્નનું ઠેકાણું પડતું ન હતું. લગ્ન માટે તેમણે આકાશ-પાતાળ એક કર્યાં પણ ક્યાંય મેળ પડતો ન હતો. લગ્ન માટે તેમણે એક નવો દાવ અજમાવી જોયો હતો. તેમણે ‘મહિલા ઉત્કર્ષ મંડળ’ની સ્થાપના કરી અને તે તેના પ્રમુખ બન્યા. મહિલાઓની વારંવાર સભાઓ બોલાવતા થયા. તેમની આ પ્રવૃત્તિનું મેં કારણ પૂછ્યું તો તેમણે મને કહ્યું, ‘જો આમ કરવાથી કોઈ કુંવારી સ્ત્રી સાથે મારે આત્મિયતા, બંધાય તો પરણવાનો માર્ગ સરળ બને. લગ્ન માટે ચમનલાલની આ પ્રથમ યોજના નિષ્ફળ નીવડી. એક વખતે એક ઓળખીતાએ નિઃસંતાન અને લગ્નના પાંચેક મહિના પછી જ વિધવા બનેલી એક સ્ત્રીનાં લગ્ન ચમનલાલ સાથે ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે…