Monthly Archives: March 2020


જાંબલી સક્કરખોરો – મયુરિકા લેઉવા બેંકર 21

ત્રણેક વર્ષ અગાઉ જાંબલી સક્કરખોરાને તન્મયતાથી સરગવાના ફૂલોમાંથી રસ પીતો જોયો અને આ મુદ્રામાં તેનો ફોટો ખેંચ્યો ત્યારથી એને નજીકથી જોવાનો, તેની જીવનચર્યા નિહાળવાનું કૂતુહલ ઉપડ્યું હતું. જ્યારે પણ આ પંખી નજરે પડે ત્યારે એનું નિરીક્ષણ કરવાની ખૂબ મજા પડતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૯) 4

વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશા આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૨ (નવરાશનો સદઉપયોગ) 2

ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી અક્ષરનાદની આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં ઇ-પુસ્તકો પછી બીજા ક્રમે આવે છે. દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે..


એકાકી રહેવું – સ્વામી સચ્ચિદાનંદ 9

પહેલાં મેં કોઈ સ્થળે જણાવ્યું છે કે જીવન ભલે વાસ્તવિકતાથી ઊંચું કે નીચું થઈ જાય, પણ સમય જતાં અંતે તો વાસ્તવિકતાને સ્વીકારી લેતું હોય છે. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે. મેં આહાર સંબંધ અનેક પ્રયોગો કરીને શરીર વધુ દુર્બળ તથા આહારની નિશ્ચિત વાનગીઓ માટે લાચાર બનાવી દીધું હતું. બહુ સમય પછી ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી.


માત્રાથી વધારે લેવાથી અમૃત પણ ઝેર બની જાય છે.. – ચેતન ઠાકર 9

મનની આ સ્થિતિ સર્જાવાનું નું કારણ શું? ખાસ કરીને આજથી એકવીસ દિવસ આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે. સતત પ્રવૃત્ત રહેતા માણસ માટે ઘરનો દરવાજો લક્ષ્મણરેખા બની જાય ત્યારે આટલો બધો સમય મજબૂરીમાં અંદર રહેવું જરૂરી હોવા છતાં એ માનસિક અસર છોડી જ જવાનો. તો આ નિરાશા અને કંટાળાની લાગણીને નકારાત્મક બનતા કેમ અટકાવવી?


અંધારી રાતે – કેતન મુનશી 12

નચિકેત દ્રુપદલાલ મુનસિફ ઉર્ફે “કેતન મુનશી” ત્રણ દમદાર વાર્તા સંગ્રહો, ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને મરણોત્તર પ્રકાશિત ‘રક્તદાન’ આપ્યાં, એક સામાન્ય ઓપરેશન દરમ્યાન ડૉક્ટરની બેદરકારીને લીધે શ્વાસમાંં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન અપાઈ જતાં માત્ર ૨૬ વર્ષની ઉમરે અવસાન પામ્યા. વિષયવસ્તુની નવીનતા અને રચનાશૈલીના સફળ પ્રયોગોથી ધ્યાનપાત્ર બનેલા આ સર્જકની વાર્તા ‘અંધારી રાતે’ કુમાર માસિકમાં ૧૯૪૯ના વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કારને પાત્ર ઠરી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૮)

આમ્રપાલી અને દેવેન્દ્રનો પુત્ર ધીમે ધીમે મોટો થતો જતો હતો. તેને અભ્યાસ માટે નાલંદા મૂકવામાં આવ્યો. આમ્રપાલીએ હૃદયને કઠણ કરીને અભયને પોતાની આંખ સામેથી અળગો કર્યો. નાલંદા વિશ્વવિદ્યાલયની નામના ભારતવર્ષમાં ઘણી ઊંચી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૭)

કોશલ અને કાશી વચ્ચે વૈમનસ્ય વધતું રહે તે વૈશાલી માટે પણ જરૂરી હતું. બંને અંદરોઅંદર લડીને ખુવાર થતા જતા હતા. અને બંને નબળા પડ્યા હતા. આર્થિક નબળી હાલત, બેકારી, ભૂખમરો અને ગરીબીથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. હવે સમર્થ અને સશક્ત કહી શકાય તેવા માત્ર બે જ રાજ્યો રહ્યા હતા, વૈશાલી અને મગધ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૬)

વૈશાલીમાં આમ્રપાલી પોતાની અવનવી રીતે દરેક ક્ષેત્રમાં કાંઈને કાંઈ એવું દર્શાવતી હતી કે લિચ્છવીઓ ખુશ ખુશ થઇ જતાં. યુવકોને તેની દરેક વાતમાં બહુ રસ પડતો હતો કારણ કે તેની દરેકેદરેક વાતમાં તેનું પોતાનું ચિંતન જણાઈ આવતું હતું.


દત્તક (મા-બાપ) – જિજ્ઞેશ ભીમરાજ 9

આશાને ખબર નથી પડતી કે પોતાન પતિ પર ગર્વ લેવો કે તેને મૂર્ખ કહેવો. દુનિયા આખીથી જુદું કરવાની ટેવ છે એ વાત બરાબર પણ સાવ જ આવો અનોખો વિચાર તેના મગજમાં ફૂટ્યો ક્યાંથી? આશા વિચારવા લાગી..


પોન્ડીચેરી (પુડુચેરી) નો પ્રવાસ.. – હિરલ પંડ્યા 23

પોર્ટુગીઝ ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પોન્ડીચેરી આવ્યા, એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજપાઠ ચલાવતા રહ્યા. ૧૯૫૪ માં પોન્ડીચેરી યુનિયન ટેરીટરી બન્યું. ફ્રેન્ચ લોકો અહીંના સમુદ્રકિનારાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફ્રેન્ચ કોલોની બનાવી જ્યાંનું ફ્રેન્ચ સ્થાપત્ય આંખે વળગી આવે તેવું છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૫)

કોશલ રાજ્યની ઉત્તરે નેપાળ છે, દક્ષીણે સર્પિકા (સાઈ) નદી અને પૂર્વે ગંડક નદી આવેલી છે અને તેની પશ્ચિમે પાંચાલ પ્રદેશ છે. કોશલ અને કાશી નજીકના રાજ્યો વચ્ચે કુસંપ અને દુશ્મનાવટ રહેતી અને યુદ્ધો થતાં. પરંતુ વૈશાલીના અમાત્યોએ તેમની વચ્ચે સુલેહ કરાવી.