Daily Archives: March 3, 2019


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)

અંબી દિવસે દિવસે મોટી થતી જતી હતી. મહાનામન વૈશાલીમાં અંબારા ગામેથી ફરી વૈશાલીમાં આવ્યા પછી તો જાણે હંમેશાં વિચારોમાં જ ખોવાયેલા રહેવા લાગ્યા. સુદેશા પણ અંબી સાથે જાણે અંબી જેવડી થઇ ગઈ હતી. હવે તેને કંટાળો આવતો નહોતો, હવે તેને પહેલાં જે થાક લાગતો હતો તે પણ લાગતો ન હતો. જાણે અંબીનાં સ્વરૂપે તેને નવજીવન મળ્યું હતું.