Monthly Archives: June 2019


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)

વર્ષકારે પોતે જ કરેલી ગોઠવણ મુજબ તેની યોજના આગળ વધે છે. બિંબિસારને અને વર્ષકારને પોતાની યોજના આગળ વધતી જોઈ આનંદ થાય છે. તે માટે હવે તેમણે ખાસ મુશ્કેલ પ્રયત્નો કરવા પડતા નથી. યોજનાનો અમલ કરવામાં તો બે-ત્રણ વર્ષ થઈ જાય તેમ લાગે છે. બ્રાહ્મણ અને રાજા બંને આ વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવા નહોતા ઈચ્છતા.


ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર 19

ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.


ટેબલ – ઉષા પંડ્યા 9

ઘણીવાર ઋતાને લાગતું કે આ ઘરમાં જો સહુથી નજીકનો સબંધ તેને કોઈ સાથે હોય તો તે છે – આ ઘરનું મલ્ટી પર્પઝ ટેબલ! તેની કલ્પનાના ડીઝાઇનર ડાઈનીંગ ટેબલથી ક્યાંય અલગ, એક સીધું સાદું લાકડાનું ખોખું જે બંને બાજુથી ફોલ્ડ થઇ જઈને ઘરના કોઈ પણ ખૂણે ગોઠવાઈ જતું, તેના કમનીય વ્યક્તિત્વની જેમ જ!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩) 1

પ્રકરણ ૧૩. આમ્રપાલી વૈશાલીના વિશાળ અતિથિ ભવનમાં હમણાથી ભારે ભીડ રહેવા લાગી હતી. વૈશાલી બહારથી જે લોકો આવતા તેઓ ત્યાં જ ઉતરતા. મોટાભાગના સંથાગારની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા જ આવતા હતા. એ વખતે એવી પ્રથા હતી. બહારથી આવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગણનાયકો જ નહીં અમાત્યો પણ ત્યાં આવતા હતા. જે લોકો આવતા તેઓ ગણરાજ્યની વાતો કરતા અને વિદેશ જઈને તેના વખાણ કરતા.


ચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી.. 4

૨૬ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પછી રિએક્ટર નંબર ચારના કન્ટ્રોલ રૂમમાં હાજર હતા અને આ દુર્ઘટનાના સાક્ષી બનેલા એવા એ વખતના ચર્નોબિલ પ્લાન્ટના એન્જિનીઅર ઓલેક્સિ બેરુસ એચ.બી.ઓ – સ્કાય ટીવીની મિનિ વેબસીરીઝ ચર્નોબિલ વિશે પ્રતિભાવ આપતાં કહે છે, “એક વૈશ્વિક દુર્ઘટના જેણે હજારો લોકોનો જીવ લીધો અને લાખો લોકોના જીવનને અસર કરી એને – ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટની દુર્ઘટનાને એ લોકોએ ખૂબ સશક્ત રીતે દર્શાવી છે, અને સાથે સાથે એ દુર્ઘટના વખતની લાગણીઓ, અનુભવો અને માનસિકતાને પણ સરસ રીતે તાદ્દશ કરાઈ છે. જો કે તેના અમુક ટેકનિકલ પાસા વિવાદાસ્પદ છે, ભલે એ સંપૂર્ણપણે ખોટાં નથી, પણ ઘણા અંશે કાલ્પનિક જરૂર છે.”


તું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા 5

તું ક્યાં? શોધની ચરમસીમાએ ઊઠતો આ સવાલ કેટલો પીડાકારક હોય છે એ શી રીતે સમજાવું? ખાસ કરીને એવા સવાલો કે જેનો જવાબ આપણે જાણતાં જ હોઈએ ! ..તું ક્યાં ? હા, તારી શોધ.. તારી તલાશ. !