Monthly Archives: February 2020


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૪) 2

ગૌતમ બુદ્ધ વિહારમાં (બિહારમાં) યાત્રા કરીને સર્વત્ર ઉપદેશ આપતા હતા. લોકો તેમને શાંતિપૂર્વક સાંભળતાં હતા. તેમના શિષ્યો પણ તેમની જેમ જ સંયમી અને શિસ્તબદ્ધ તથા ધર્મનું પાલન કરવાવાળા હતા. આથી બૌદ્ધ ધર્મનો ઝડપથી પ્રસાર થવા લાગ્યો હતો.


મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ : માણસ બની ગયેલા પ્રાણીની વાત : જિજ્ઞેશ અધ્યારૂ 2

કેટલીક ફિલ્મો એવી તો અસરકારક અને સજ્જ હોય કે એ શરૂ થાય ત્યારથી, એની પહેલી ફ્રેમથી પ્રેક્ષક તરીકે આપણને સતત એની સાથે જકડી રાખે અને આપણે એમાં ઊંડા ને ઉંડા ઊતરતા જઇએ, જાણે રીતસર ખૂંપી જઈએ. એ ફિલ્મની સફર પડદા પર ચાલી રહેલા દ્રશ્યો નહીં પણ જાણે આપણે ખરેખર જીવતા હોઈએ એવી રીતે એની સાથે તાદાત્મ્ય સધાઈ જાય. લીજો જોઝ પેલિસરી દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ આવી જ એક અસરકારક, દંગ કરી દેતી સિનેમેટિક સુંદરતાથી ભરેલી અદભુત ફિલ્મ છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૩)

સમયને માપી શકે તેવું કોઈ યંત્ર હજુ સુધી બન્યું નથી! માણસોએ પોતાનો વ્યહાર ચલાવવા ઘટિકા-યંત્ર ભલે શોધ્યું પરંતુ તે ઘડી અથવા પળ, પ્રહર, દીવસ અને રાતની તથા વધુમાં વધુ વર્ષોની ગણતરી કરી શકે. અગણિત સમય વહી ગયો અને વહેવાનો તે વિષે કયું યંત્ર ચોકસાઈથી કહી શકે કહો?