Yearly Archives: 2013


જીવનનું સત્વ-તત્વ.. – જગદીશ પાણેરી 5

જીવનનું સરવૈયું કાઢવા બેસીએ તો જમા ઉધારના ખાતાઓમાં શું આવે? કરેલા સત્કાર્યો, ઉપકારો, આદર, સન્માન, સહકાર અને એવું ઘણું આપણા જમા ખાતામાં આવે અને એ બધુંય આપણી સુવાસ રૂપે આપણા ગયા પછી પણ આપણા નામે જ રહે. એક નિકટતમ સહકર્મી મિત્રના અણધાર્યા અવસાનના આઘાતે, તેમના પરિવારને પ્રભુ કપરા સંજોગોનો મક્કમતાથી અને હિંમતપૂર્વક સામનો કરવાની તક આપે એવી અભ્યર્થના સહ આજની પ્રસ્તુતિ…


સોનાનું પિંજરૂ (વાર્તા) – ગીતા શુક્લ 21

સૂરતના પાલનપુર પાટીયા પાસે રહેતા શ્રી ગીતાબેન દેવદત્તભાઈ શુક્લની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, પ્રથમ પ્રસ્તુતિ છે. વાર્તા આર્થિક રીતે સંપન્ન પરિવારના ખોટે રસ્તે જઈ રહેલા પુત્રની પોતાના જીવનને સાચી દિશા આપવાના પ્રયત્નની વાત આલેખાઈ છે. કુટુંબના સ્ટેટસને બદલે પોતાના જીવનની દિશા વિશે વિચારનાર સાગરની વાત સરળ રીતે અહીં મૂકાઈ છે અને પ્રથમ કૃતિ હોવાને લીધે ગીતાબેન પોતાની વાતને સુંદર રીતે મૂકી શક્યા છે એ બદલ તેમને શુભકામનાઓ – અભિનંદન તથા અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


જય સોમનાથ ! – હરેશ દવે, પ્રસ્તુતિ : હર્ષદ દવે 8

સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું પુરણ-પ્રસિદ્ધ શિવલિંગ મહાદેવના બાર જ્યોતિર્લીંગોમાનું ‘સોમનાથ’ મહાદેવનું શિવલિંગ પ્રથમ શિવલિંગ છે. ગુજરાતના વેરાવળના સાગરતટે પ્રતિષ્ઠિત સોમનાથનું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં સહુથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે અને તેનું પૌરાણિક, ઐતિહાસિક, સામજિક તથા ધાર્મિક મહત્વ આગવું અને અનેરું છે. પ્રસ્તુત છે સોમનાથ અંગે શ્રી હરેશ દવેનું આલેખન, પ્રસ્તુતિ હર્ષદભાઈ દવે દ્વારા કરાઈ છે.


અક્ષરનાદને મળ્યો ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity 2012-13’ 56

અક્ષરનાદને ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity ૨૦૧૨-૧૩’ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને પણ આ પુરસ્કાર મળ્યો.


આદર, સ્વમાન અને અણગમતા લોકો માટે માન.. – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 11

માનલ ઘોંસેનના બ્લોગ વનવિથનાવ નો હું નિયમિત વાચક છું, અને તેમના લેખના સ્તર તથા ઉપયોગિતાને જોતાં તેનો વધુ પ્રચાર અને ફેલાવો થાય એવી અપેક્ષા છે. ગુજરાતીમાં આ પહેલા પણ તેમના એક લેખનો અનુવાદ કરી ચૂક્યો છું, માનલ અક્ષરનાદ પરના આ અનુવાદો અંગે ઈ-મેલ દ્વારા કહે છે, “This is the best way to spread empowering thoughts and ideas to the world.” આજે તેમના બે લેખના મૂળ સત્વને લઈને એક વિચારમંથનનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ લેખ આદર વિશેનો છે અને બીજો લેખ છે સ્વકેન્દ્રી, નિર્દય, ખીજ કે ઉશ્કેરણી કરે તેવા લોકો માટે પણ અણગમો વ્યક્ત થવા ન દઈને આદર જાળવી રાખવા વિશે. બંને લેખોનું આ શબ્દશઃ ભાષાંતર નથી, પણ તેના વિચારોનો પડઘો પાડવાનો પ્રયત્ન છે. આશા છે વાચકમિત્રોને ગમશે.


માને એમ કે… – વિનોદ ગાંધી, આસ્વાદ : ઉર્વશી પારેખ 12

એક માતાની તેના બાળક માટેની ઝંખનાનું આ કાવ્ય છે. બાળકો મોટા થઇ જાય પછી માતા અને મોટા થયેલા સંતાનો વચ્ચેનો સંબંધ મૂળ અને ફૂલ વચ્ચેનાં સંબંધ જેવો હોય છે. માતા પરદેશ ગયેલા પુત્ર માટે અલગ પ્રયત્નો-ઘટનાઓ વડે પુત્રનાં પાછા આવવાની આશા રાખે છે, રાહ જુએ છે માનું હ્રદય છે ને તેથી આજે નહીં તો કાલે, આ કારણે નહિ તો બીજા કારણે પણ એ ચોક્કસ પાછો આવશે. નહીં આવે તેવો તો વિચાર પણ નથી કરી શકતી. કવિશ્રીએ આ કવિતામાં આશાભરી, રાહ જોતી માતાનું મન સરસ રીતે તાદ્શ્ય કર્યુ છે. પ્રસ્તુત રચના ઉર્વશીબેન પારેખના કાવ્યાસ્વાદના સુંદર પુસ્તક ‘કાવ્યાનુભૂતિ’ માંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ ઉર્વશીબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.


સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા 7

રીતેશભાઈની આ વાર્તા ઘણા સમય બાદ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. ગામડામાં જન્મીને ઊછરેલી સંસ્કૃતિને શહેરી જીવનનો લાગેલો ચસકો તેને અને તેના પરિવારને કઈ રીતે પરેશાન કરે છે, અને તેમાંથી તેઓ કઈ રીતે મુક્ત થઈ શકે છે એ જ આ વાર્તાનો મુખ્ય સાર છે. રીતેશભાઈ તેમની આ કૃતિઓ દ્વારા સર્જનના નવા પાઠ સતત શીખતા રહે, વાચકોના પ્રતિભાવો તેમને વધુ સરસ અને ઉપર્યુક્ત સર્જન કરવા પ્રેરતા રહે એ જ આશા સાથે આજે આ કૃતિ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા બદક રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


મૂળુભાની પુત્રવિદાય (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ 42

અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક, વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવની અક્ષરનાદ પર એક સર્જક તરીકે આ ત્રીજી વખત પ્રસ્તુતિ છે. માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈ આજે અનોખી હ્રદયસ્પર્શી ટૂંકી વાર્તા સાથે ઉપસ્થિત થયા છે જેને માણીને ધૂમકેતુની હ્રદયસ્પર્શી ‘જુમો ભિસ્તી’ યાદ આવી જ જાય, સુંદર કૃતિ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


‘દેશવિદેશ’ : રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓનો સંગ્રહ – નિમિષા દલાલ 7

નિમિષાબેનની વાર્તાઓ આ પહેલા અસંખ્ય વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે અને વાચકોના સ્નેહને મેળવતી રહી છે. આજે તેમણે અહીં શ્રી રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓના સંગ્રહ ‘દેશવિદેશ’નો પરિચય આપવાનો યત્ન કર્યો છે. આ સંગ્રહમાં જુદા-જુદા લેખકોની અલગ-અલગ ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર પારેખે કર્યો છે. તેમાં કુલ દસ વાર્તાઓ છે. ત્રણ હિન્દી ચાર ઉર્દૂ એક મરાઠી એક રશિયન વાર્તાના અંગ્રેજી અનુવાદ પરથી તો એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ છે. પુસ્તક પરિચય વાચકોમાં કેટલાક સુંદર અને માણવાલાયક પુસ્તકો પ્રત્યે એક આંગળીચીંધણ પુરવાર થાય છે, અને એ રીતે પુસ્તક વાંચનનો પ્રચાર અને પ્રસાર થાય છે. પ્રસ્તુત પુસ્તક પરિચય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો આભાર.


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૪ 4

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવી અન્ય ઉપયોગી છ એપ્લિકેશન્સ વિશે જાણીએ.


જાપાની કવિતા : એક વિહંગાવલોકન – નંદિતા મુનિ 7

‘અસ્તિત્વદર્શન’ ના નવેમ્બરના પરિચય અંકમાંથી આજે નંદિતા મુનિની કલમે કરીએ એક ઉડતી જાપાની કાવ્યયાત્રા. જાપાની સંસ્કૃતિમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલ્કે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોથી યથાતથ ઉતરી આવ્યા છે. જાપાનની પાર્ટીઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોના પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના તમામ વ્યવસાયના લોકો ત્યાં નિઃસંકોચ કાવ્યસર્જન કરે છે. ‘અસ્તિત્વદર્શન’ નો પરિચય અંક અક્ષરનાદને પાઠવવા અને તેમાંથી લેખ પ્રસ્તુત કરવાના સદ્ભાવસભર સૂચન બદલ કર્દમાચાર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટનો આભાર તથા નવી શરૂઆત બદલ શુભકામનાઓ.


ત્રણ બહુરંગી ગઝલો.. – રાકેશ હાંસલિયા 14

રાકેશભાઈ હાંસલિયાનું નામ અક્ષરનાદી વાચકો માટે નવું નથી, મંજાયેલી કલમનો બહુરંગી સ્વાદ આપણે અહીં આ પહેલા પણ માણ્યો છે. પણ આજે તેમણે પાઠવેલી ગઝલો, તેઓ કહે છે તેમ, ‘નવી નક્કોર’ છે અને છતાંય એ બાળસહજ અનુભૂતિનો એક અનોખો અર્થ લઈને આવે છે. સામાન્ય રીતે ગઝલો મોટેરાંઓ માટે જ લખાતી હોય એવું અનુભવાયું છે, પણ અહીંની પહેલી ગઝલ ‘બાળગઝલ’ છે, બીજી ગઝલનો વિસ્તાર મા સુધી પહોંચે છે અને ત્રીજી ગઝલ માંથી ઠાકોર સુધી લઈ જાય છે. ગઝલોને તેના જ શેરમાંથી શીર્ષક આપવાનો યત્ન મેં કર્યો છે. અક્ષરનાદને તેમની કૃતિઓથી સતત તરબતર કરવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


હું શીખ્યો છું… – એન્ડી રૂની, અનુ. હર્ષદ દવે 6

આમ તો પ્રસ્તુત પોસ્ટ કેટલીક સૌમ્ય પણ જીવનમાં ઉપયોગી એવી પ્રેરણાદાયક વાતો, નિયમો કે રીતો વિશે કહે છે, પરંતુ ‘હું શીખ્યો છું કે…’ હેઠળ હર્ષદભાઈ એ બધાંયને એકછત્રે કરે છે. લેખકની સૌમ્ય મનોવૃત્તિના દ્યોતક એવા આ આચરણસૂત્રો સાચે જ પ્રેરક અને પ્રાયોગિક બની રહે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ.. (ભાગ ૪) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 12

હાર્દિકભાઈની આજની આ દસ માઈક્રોફિક્શન સાથે તેમણે અક્ષરનાદ પર કુલ સિત્તેર માઈક્રોફિક્શન આપી છે. આજની આ દસ અતિલઘુકથાઓ, દરેક પોતાનામાં એક અનોખી કહાની લઈને આવે છે. માઈક્રોફિક્શન વાર્તા ફોર્મેટને વધુ વ્યાપ આપવાના પ્રયત્નરૂપે અક્ષરનાદ ટૂંક સમયમાં એક અગત્યની જાહેરાત કરવાનું છે, ત્યાં સુધી માણીએ હાર્દિકભાઈની કલમની આ દસ માનસકૃતિઓ.


ગુજરાતી ભાષાનું ભવિષ્ય.. એક ચિંતન – દિદાર હેમાણી 33

શ્રી દિદારભાઈ હેમાણી મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં આવેલ પ્રખ્યાત એવા પંચગનિમાં આવેલ ન્યૂ એરા હાઈસ્કુલમાં શિક્ષક છે. વર્ષ ૨૦૦૮માં બૃહદ મુબઈ ગુજરાતી સમાજ અને મુંબઈ સમાચારના ઉપક્રમે યોજાયેલી વિશ્વસ્તરીય નિબંધ હરીફાઈમાં આયોજકોને લગભગ આઠસોથી વધુ કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી ઉપરોક્ત કૃતિ પાંચમા સ્થાને આવી હતી અને તેને પ્રશસ્તિપત્ર સાથે રૂ. ૧૦૦૦નું રોકડ ઈનામ અપાયું હતું. ઉપરોક્ત લેખમાં લેખક ભાષાની આજની પરિસ્થિતિ વિશે પોતાનું મનોમંથન મૂકે છે અને તેને લક્ષ્યમાં રાખીને ભાષાના ભવિષ્ય વિશે વિચાર કરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ દિદારભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ : ચાંચુડા મહાદેવ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ગુજરાતના અફાટ સમુદ્રકિનારે કેટલાંય એવા સ્થળો આવેલાં છે જે પ્રસિદ્ધિ અને પ્રવાસીઓની જાણકારીથી દૂર છે અને કદાચ સાધારણ લોકપહોંચથી દૂર હોવાને લીધે જ તેમની સુંદરતા અને ઈતિહાસ જળવાઈ રહે છે, ત્યાં સુધી જ ગંદકી અને પ્રદૂષણથી બચીને સંસ્કૃતિની ધરોહરને જાળવીને એ સ્થળો આવતી પેઢીઓ સુધી ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ પહોંચાડતા અડીખમ ઉભાં છે. આવું જ એક મંદિર ‘ચાંચુડેશ્વર મહાદેવ’ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામની નજીક, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ પાસે ધાતરવડી નદીના અરબ સાગર સાથેના સંગમસ્થળે ટેકરી પર આવેલું છે. પક્ષીની ચાંચ જેવો ભૌગોલિક આકાર હોવાને લીધે ચાંચુડા નામ પડ્યું હશે એમ માનવામાં આવે છે.


શાંતિ (વાર્તા) – નિમિષા દલાલ 18

શ્રી નિમિષાબેન દલાલની પ્રસ્તુત ટૂંકી વાર્તા ‘શાંતિ’ મમતા સામયિકમાં પ્રસિદ્ધ થયેલી છે, જેને અમેરિકા સ્થિત જાણીતા લેખકશ્રી હરનિશભાઈ જાનીએ વખાણતાં કહ્યું હતું કે કોઇ મહિલાએ આતંકવાદ પર વાર્તા લખી હોવાનું મારા ધ્યાનમાં નથી.. વાચકોના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 17

અક્ષરનાદ પર જે મૂકવા માટે હું સતત અવસર શોધતો હોઉં છું અને જેને પ્રસ્તુત કરવાની સૌથી વધુ મજા આવતી હોય એ છે વાચકોની પદ્યરચનાઓ. આ એવા મિત્રો છે જે વ્યવસાયિક કવિઓ નથી, જેમના કાવ્યસંગ્રહો બહાર પડ્યા નથી, જેમણે મુશાયરાઓ ગજવ્યા નથી કે સામયિકોમાં તેમની કવિતાઓ છપાઈ નથી, પણ તેમની લાગણી અને દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવા માટે તેમણે પદ્યરચના કરવાનું બીડુ ઝડપ્યું છે. પ્રસ્થાપિત કવિઓની સરખામણીમાં તેમની કલમ કદાચ એટલી મંજાયેલી, શાસ્ત્રીય કે અન્ય ભૂલો વગરની ન હોય પરંતુ તેના વિષયો અને અભિવ્યક્તિ પ્રસ્થાપિત કવિઓથી સદાય અગ્ર રહે છે. આજે પ્રસ્તુત રચનાઓના વિષયો જુઓ… ઘાટકોપર, મુંબઈના પિયુષભાઈની વોટ્સએપની કવિતા, નસીબ – મંગળ શનિમાં ખોવાયેલ ભાગ્યને શોધવાની ક્ષુલ્લક કોશિશને અરવિંદભાઈ સોની વાચા આપે છે તો ડૉ. પ્રવીણ સેદાની માદા ભૃણહત્યા જેવા વિષયને વાચા આપે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર.


મેકરણ વાણી – સંત મેકરણ 8

કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ મેકરણ અથવા મેકણ કાપડી સાધુ હતાં. ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ કચ્છમાં, વચ્ચે હિમાલય, સૌરાષ્ટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો તેમનો મુકામ. હિન્દુ મુસ્લિમ હરિજનો, સર્વેનો તેમના સમાધિ સ્થાને મેળો ભરાય છે. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની કેટલીક સાખીઓ / દોહા અને તેની ટૂંકી સમજણ.


દાપું.. (વાર્તા) – ભગવતીકુમાર શર્મા 6

‘જ્યોતિર્ધર’ સામયિકના દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભગવતિભાઈની પ્રસ્તુત વાર્તા ચંદુલાલ માસ્તરના જીવનની એક અનોખી ઘટનાને વર્ણવે છે. તદ્દન નવો જ વિષય, અનોખો પરિવેશ અને વિષયવિશેષની પ્રસ્તુતિની ખાસીયતને લીધે આ વાર્તા અલગ તરી આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ નિમિષાબેન દલાલનો અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આદરણીય શ્રી ભગવતિકુમાર શર્માનો ખૂબ ખૂબ આભાર.


માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ 8

આખાય ભારત દેશમાં અને વિદેશોમાં વસતા ભારતીય કુટુંબો એક એવા પૂર્વગ્રહથી ખાસ પીડિત છે કે દરેક દંપતિને કમસે કમ એક પુરુષ સંતાન (દીકરો) હોવું જ જોઈએ. એક બાબો અને એક બેબી હોય તે સૌની સામાન્ય પસંદગી હોય છે. વળી તેમાં કેટલાક દંપતિઓ એક બાબો તો હોવો જ જોઈએ તેવી દૃઢ માન્યતામાં રૂઢ થયેલા હોય છે. આ ધાર્મિક માન્યતા છે, અહીં ગરીબ – તવગંર – શિક્ષિત – અભણ નો કોઈ ભેદ નથી. વળી આમાં પ્રાચીન અર્વાચીન વલણો મિશ્રિત થયા છે. એક તો મોટો પૂર્વગ્રહ પોતાનો વંશવારસ જાળવી રાખવા માટે એક પુત્ર અનિવાર્ય પણે જરૂરી છે, જે પિંડદાન કરે અને કુળના વારસાઈ ગુણો જાળવી રાખે. અર્વાચીન વલણ પ્રમાણે નાનું કુટુંબ હોય તો આર્થિક વિકાસ ઝડપી બને છે, અને વળી પાછા તમે જ્યારે બિઝનેસ મેનેજમેન્ટના ખર્ચાળ પાસાંઓનો અભ્યાસ કર્યો હોય ત્યારે તો દીકરી ઉછેરી મોટી કરવી, ભણાવી, ગણાવી, દહેજ આપી, લગ્ન કરાવી પારકે ઘરે મોકલી દેવાની અને જીવનભર ભેટ સોગાદો આપ્યા કરવાનો ‘આર્થિક બોજ’ ખૂબ વસમો ન લાગે. આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો અને અમાનવીય વલણો વિષે ઐતિહાસિક સંદર્ભ તપાસવાનો એક પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ભૂતકાળની વાતોમાં કલ્પના અને તર્ક લડાવ્યો છે. પુરાવા શોધવાનું કામ સમાજ પર છોડી દીધું છે. અક્ષરનાદને આ મહત્વના સામાજિક મુદ્દા વિશે પોતાનો દ્રષ્ટિકોણ અને મંતવ્યો આપવા અને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ ભવસુખભાઈ શિલુનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ગિરનારની પરિક્રમા… – હરેશ દવે 6

આવતીકાલ, તા ૧૩ નવેમ્બર થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે. ગીરનાર પર્વતના જંગલ માં ૩૬ કી.મી. ની આ પરિક્રમા તા ૧૭ નવેમ્બરના રોજ પૂરી થશે. આ ચાર દિવસો દરમ્યાન જંગલનું શાંત વાતાવરણ માનવીઓના પદરવ અને કોલાહલથી ગૂંજી ઉઠશે. ગીરનારનું જંગલ, જુનાગઢના સીમાડે આવેલું છે. ગત ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાથી, જંગલની રમણીયતા ખીલી ઉઠી છે. શ્રી હરેશભાઈ દવેની કલમે આજે પ્રસ્તુત છે પરિક્રમા વિશેની અનેકવિધ વાતો અને માહિતી. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હરેશભાઈ અને શ્રી હર્ષદભાઈનો આભાર.


વાંસળી.. (વાર્તા) – ડૉ. જયંત ખત્રી 9

આપણી ભાષાના અગ્રણી અને અનોખા વાર્તાકાર એવા ડૉ. જયંત ખત્રીની અનેક પ્રસિદ્ધ વાર્તાઓ જેવી કે ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘યાદ અને હું’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, વગેરે વાર્તાઓ વધુ જાણીતી છે. ‘વાંસળી’ તેમની ઓછી જાણીતી પરંતુ ભાવનાત્મક્તાની અનોખી અભિવ્યક્તિ છે. કલાકારની મૂલતઃ શોધ કલાની ઉત્કૃષ્ટતા અને પોતાની પ્રસિદ્ધિ કરતાં પોતાના આંતરીક સૌંદર્યને, અનુભૂતિને અને અભિવ્યક્તિને પામવાની હોય છે, પીરમહમ્મદ, ગોધુ અને વાદકના એમ ત્રણ પાત્રોની વચ્ચે આ અભિવ્યક્તિની સચ્ચાઈનો રણકો વાચકને સ્પષ્ટ સંભળાય છે એમાં જ ડૉ. ખત્રીની અભિવ્યક્તિનો નમૂનો છે. ‘મમતા’ સામયિકના ઓક્ટૉબર-નવેમ્બર ૨૦૧૩, દિવાળી અંકમાથી પ્રસ્તુત વાર્તા સાભાર લીધી છે.


રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ – અવિનાશ મણિયાર 5

સ્વામી વિવેકાનંદ ભારતીય તત્વજ્ઞાન, આધ્યાત્મિક વિચારસરણી અને ધર્મ વિશેની સાચી તાર્કિક સમજણના વિશ્વભરમાં એક અનોખા વાહક અને સીમાસ્તંભ હતા. ધર્મની કૂપમંડુકતા અને અંધશ્રદ્ધાને નિર્મૂળ કરવાનો તેમનો યત્ન આગ્વો અને અનોખો હતો. તેમના વિચારો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોરથી લઈને કાકા કાલેલકર, ડૉ. અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવો તેમના વિચારોથી પ્રભાવિત થયાં છે. તેમની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના પત્રો, પ્રવચનો અને વિચારોની પ્રસ્તુતિ તથા પ્રસાર થવો આવશ્યક છે. ફીલિંગ્સ સામયિકના સ્વામી વિવેકાનંદ વિશેષાંક (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩) માંથી ઉપરોક્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સંપાદક શ્રી વિજયભાઈ રોહિતનો આ માટેની પરવાનગી બદલ અને સુંદર સંગ્રહ કરવા લાયક અંક પાઠવવા બદલ આભાર.


ફીલિંગ્સમાં લેખ : ગીરનું અનોખું તીર્થ – જંગવડ 8

ગીરનું વન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. સિંહની વસ્તી ધરાવતો ગાઢ વનરાજી અને જૂજ માનવવસ્તીવાળો સંરક્ષિત વિસ્તાર એટલે ગીરનું અભયારણ્ય જેમાં પ્રવેશ નિષેધ છે. આ આરક્ષિત વિસ્તાર સિવાય અભયારણ્યની સરહદની આસપાસની જગ્યાઓ કે જ્યાં સરળતાપૂર્વક પહોંચી શકાય છે, તેમાં પણ અનેક અનોખાં, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને છતાંય લોકપહોંચથી દૂર અનેક સ્થાનો આવેલા છે. અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ વન્ય જીવસૃષ્ટિ, તદ્દન નિઃશબ્દ એકાંત, અવિસ્મરણીય અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધાંની સાથે આસ્થા અને શ્રદ્ધાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલું જંગવડ.


સંવત ૨૦૭૦, નૂતન વર્ષે શુભેચ્છાઓ… – સંપાદકીય 15

વધુ એક વર્ષ, જીવનના ખાટાં મીઠાં સંભારણાઓ સાથેનો સમયનો એક ગાળો પસાર થઈ ગયો. ગત વર્ષે જે નફા-નુકસાન થયા એ બધાંયને ભૂલીને આજે દિવાળીના સપરમા દિવસે અને આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા વર્ષે સર્વેને શુભેચ્છાઓ, ઈશ્વર આપ સર્વેને આપની ઈચ્છાઓ પૂર્ણ કરવાની ક્ષમતા, શક્તિ અને ધીરજ બક્ષે એ જ અભ્યર્થના.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 16

માઈક્રોફિક્શન લખવાનો હેમલભાઈનો આ બીજો પ્રયત્ન છે, આ પહેલા ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાના અક્ષરનાદ પર તેમના પ્રથમ પ્રયત્નને અનેક પ્રોત્સાહક અને માર્ગદર્શક પ્રતિભાવ મળ્યા હતાં, એથી પ્રેરાઈને આજે દિવાળીના સપરમા દિવસે તેઓ પાંચ માઈક્રોફિક્શન સાથે અક્ષરનાદ પર ઉપસ્થિત થયા છે. વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


ઉગમણી સાંજ – નિમિષા દલાલ 12

નિમિષાબેનની પ્રસ્તુત વાર્તા મને બે દિવસ પહેલા જ મળી, પરંતુ તેના સત્વ, વિષયવસ્તુ તથા પ્રસ્તુત કરવાની રીતને લઈને આ કૃતિ ઉતાવળે મૂકી છે. નાકનું ટીચકું ચડાવી, મોં મચકોડીને હકીકતથી મોઢું ફેરવવાથી તે બદલાઈ જતી નથી, વાર્તાના પ્રથમ ભાગને જોઈને કદાચ કોઈક ઉતાવળીયો અભિપ્રાય બાંધી બેસે તો પણ એ કહેવુ ઉચિત છે કે આ વાર્તા આખી વાંચ્યા પછી જ પ્રતિભાવ આપવો યોગ્ય રહેશે. સમાજમાં પ્રસરી રહેલ બદીઓ અને એઈડ્સ જેવા રોગના દર્દીઓની માનસિક વ્યથાને અને તેમની સ્થિતિને નિમિષાબેનની આ વાર્તા એક નોખા પરિપ્રેક્ષ્યથી જુએ છે. વધુ મહત્વની વાત એ છે કે આવી વાત સમાજને કહેવાનું સાહસ એક મહિલા કરી રહ્યાં છે. ‘જ્યોતિર્ધર’ નામના સામયિકના દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર. આવા સબળ કલમધારીઓની કૃતિઓ સાથે અક્ષરનાદ પણ સબળ થઈ રહ્યું છે.


સાસુ તારા વહેતા પાણી… – રમેશભાઈ ચાંપાનેરી 11

કંપનીવાળાઓ તો હમણાં હમણાં ઊંઘમાંથી ઉઠ્યા, કે અમારે ત્યાંથી અમૂક વસ્તુ ખરીદો તો ફલાણી વસ્તુ ફ્રી. બાકી આ આઈડિયા એમણે આપણી લગ્ન વ્યવસ્થામાંથી જ તફડાવેલો છે. લગ્ન કરીએ એટલે એમાં પણ એક પર એક નહિ, ઢગલાબંધ ફ્રી ની સ્કીમ છે. સાસુ – સસરા – દિયર – જેઠ – જેઠાણી વગેરે વહુને ફ્રી માં જ મળે છે ને? પણ એક વાત છે કે લગ્ન વખતે બંને ઘરે એનો સ્ટોક હોવો જોઈએ. નાટકની માફક લગનના આ આખા મામલામાં પણ અનેક પાત્રો આવે છે. એમાં જે નાયક છે એ લગન પછી ખલનાયક લાગે. તેમાં નણંદ અને સાસુ એટલે તો જાણે ભીંત ઉપર ઉગેલો પીપળો. નહિ તો એનું વટવૃક્ષ થાય કે નહિ એની છોડવામાં ગણતરી થાય. હકીકતમાં સાસુ ક્યારેય ખરાબ નથી હોતી. અરે ફળ સારું હતું, એટલે તો ભવ ભવના બંધને બંધાયા. તો એનું ઝાડ તો ક્યાંથી ખરાબ હોય ? પણ આ ‘સાસુ’ શબ્દ જ ખતરનાક છે. ‘સાસુ’ વિશેની કેટલીક વિશેષ વાત લઈને રમેશભાઈ ચાંપાનેરી આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બે પદ્યરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

ડૉ. મુકેશભાઈ જોષીની બે સુંદર અને અર્થસભર પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.