Yearly Archives: 2017


ખીચડી (વ્યંગ્ય લેખ) – સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે 5

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, ગાય રાષ્ટ્રીય પશુ બનતાં બનતાં રહી ગઈ. રાષ્ટ્રીય ફૂલ ગુલાબ માની શકાય. રાષ્ટ્રીય સ્વર તો લતા મંગેશકર બધાને માન્ય છે જ. પણ ભારતની રાષ્ટ્રીય વાનગી કઈ હોવી જોઈએ એ વિષય પર હજુ સુધી કોઈ ચર્ચા નથી થઇ. ભારત સરકાર પણ બહુ જ અવઢવમાં છે. ક્યાંકથી એક સલાહ એવી મળી કે ‘ખીચડી’ ને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવી જોઈએ. આમ ખીચડીને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવા માટે ખીચડી રંધાવા લાગી. પછી તો બસ, પૂછવું જ શું, ખીચડીની તરફેણમાં અને વિરુદ્ધમાં ગરમા ગરમ ચર્ચા અને તર્ક-વિતર્ક થવા લાગ્યા. વાત એટલે સુધી પહોંચી ગઈ કે ખીચડી મુકાઈ ગઈ અને તે ચડવા પણ લાગી! કેન્દ્રીય પ્રોસેસિંગ મિનિસ્ટરે છેવટે જાહેર કરવું પડ્યું કે ‘કૃપા કરીને શાંતિ જાળવો, ખીચડીને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર કરવામાં નથી…ઈ…ઈ… આવી રહી.


ખીંટીપુરાણ : મરણ કરતાં સ્મરણ મહાન.. – રમેશ ચાંપાનેરી 2

આજની પેઢી દીવાલોમાં ખીંટીઓ લગાવતી નથી. આજનું ફરજંદ જો તલવાર લઈને ખીંટીની કત્લેઆમ કરવા નીકળે તો કહેવાનું કે ‘ડોન્ટ ડુ લાઈક ધીસ!’ ખીંટી તો વડવાઓનું સ્થાપત્ય છે. પણ એના કપાળમાં કાંદા ફોડું, ખીંટી તો ઠીક, દાદા-દાદી પણ ખૂણામાં પડ્યા હોય, ને ખીંટા પણ ક્યાંયના ક્યાં અટવાતાં હોય. પૂછીએ તો કહે, ‘ઘરનું ડેકોરમ પણ જોવાનું ને..‘ એ ડેકોરમમાં દાદા-દાદીના ફોટા સ્વાહા થઇ ગયા, તો ખીંટી કયા ખેતરની મૂળી? જો કે ઘણાં ઘરમાં વડવાઓ રામાયણ અને મહાભારતના ધર્મગ્રંથની જેમ પૂજાય છે. બાકી પહેલાં તો દાદા-દાદીના ફોટા હતા, તો એની પાછળ ચકલા-ચકલી પણ માળો બાંધતાં, આજે તો ચકલીએ પણ આવાસ માટે સરકારને અરજી કરવી પડે એ હાલત છે મામૂ! દીકરાઓ દાદા દાદીને શોધે કે ન શોધે, પણ પેલાં ચકલાઓ ડ્રોઈંગરૂમમાં દાદા-દાદીના ફોટાને શોધે છે.. પણ તેમને જડતા નથી. વળી ચકલા પણ એવાં કે સલમાનખાનના ફોટા પાછળ હેતથી માળા નથી બાંધતાં…


શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે? – મોહમ્મદ સઈદ શેખ 8

ઔદ્યોગિક ઉત્પાદનમાં એ.આઈનું પ્રમાણ વધી રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાન, તાઈવાન, ચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.


13 Reasons why આ ટી.વી. શ્રેણી જોવાલાયક નથી.. – જીજ્ઞેશ અધ્યારૂ 7

મગજ, સમય અને પૈસાનો બગાડ એવી ૨૦૦૭ની જય અશૅરની આ જ નામવાળી નવલકથા પરથી બનેલી નેટફ્લિક્સની અમેરીકન ટેલીવિઝન શ્રેણી 13 Reasons why આત્મહત્યાને યથાર્થ ઠેરવી એ માટેના ક્ષુલ્લક કારણો વિશે વિગતે વાત કરતી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજીક જીવન, મિત્રતા, સ્વાર્થ, અભિમાન અને ઘેલછાઓને દર્શાવવાનો ભયાનક નિષ્ફળ પ્રયત્ન છે.

વાતના મૂળમાં છે ૧૭ વર્ષની હેન્ના બેકર નામની એક છોકરી જે હાઈસ્કૂલમાં ભણે છે, પહેલા જ હપ્તામાં દેખાડાયું છે કે હેન્નાએ આત્મહત્યા કરી છે, તેના વર્ગમાં જ ભણતો ક્લે જેન્સન હેન્નાનો મિત્ર હતો, તેને ઘરે એક પાર્સલ મળે છે, જેમાં કુલ ૭ કેસેટ્સ છે. ક્લે એ કેસેટને સાંભળવાનું શરૂ કરે એટલે એ ચોંકી જાય છે, કારણકે તેમાં હેન્નાનો અવાજ છે. હેન્ના કહે છે કે તેણે આત્મહત્યા કરવી પડી એના ૧૩ કારણો છે, એના વર્ગના કે શાળાના એવા ૧૩ જણની વાત આ કેસેટ્સમાં એણે કરી છે, અને એ ૧૩માં ક્યાંક ક્લે પોતે પણ છે. હેન્ના પહેલા વ્યક્તિ વિશે વાત કરે એની સાથે સાથે ક્લેને એ સ્થળો જ્યાં હેન્નાને નાસીપાસ કરે એવી ઘટનાઓ બની ત્યાં જવાનું પણ કહે છે…


ત્રણ ગઝલ – ડૉ. મુકેશ જોષી 2

સોંપ્યું તને, હે રામ! હવે થાય તે ખરું,
તારે હજારો કામ, હવે થાય તે ખરું.

* * *

ઈર્શાદ કહે તો બોલવું, એવી પરંપરા છે,
ચાબૂક પડે તો દોડવું, એવી પરંપરા છે.

* * *

હાથ ઊંચા બે કરી ખંખેરવા જેવા હતા,
એમ મોટા’ભાના મ્હોરા પહેરવા જેવા હતા.


‘લવની ભવાઈ’ – મજેદાર, સરળ, સબળ ગુજરાતી ફિલ્મ 4

ફિલ્મની ચર્ચા નીકળે ત્યારે ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મો છે જે હું ગર્વથી મારા પંજાબી કે સાઉથ ઈન્ડિયન મિત્રોને સૂચવું, અને ટી.વી પર આવે ત્યારે સમજાવતો પણ હોઉં છું. ‘લવની ભવાઈ’ ચૂકવા જેવી નથી. આપણે ભાષાને, આપણી ફિલ્મોને આપણે આંખો પર નહીં બેસાડીએ તો કોણ કરશે? આવી સરસ ફિલ્મ બનાવવા બદલ ‘લવની ભવાઈ’ની આખી ટીમનો આભાર, તમારી મહેનતને અને ધગશને ખરેખર દાદ છે.. મોજ પડી ગઈ.. પૈસા વસૂલ ફિલ્મ.. ખૂબ સફળ થાય એવી શુભેચ્છાઓ


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૩) 4

અનુષાએ સીમાને કહ્યું “થોડા બિસ્કીટ લો ને..”

અનુષા-મંદારના ઘરે સાંજે બંને જણા ચા-નાસ્તો કરતાં હતાં. સીમાએ કહ્યું “અનુષાબેન, તમારી સગાઈના દિવસે હું બોલાવ્યા વિના આવી અને પછી જે તમને કહ્યું…”
અનુષાએ વાત અટકાવીને કહ્યું “એ તમારી નિલય પ્રત્યેની લાગણી હતી તે હું સમજી શકું છું. મારે નિલય સાથે જોડાવું નહોતું. એમાં ફક્ત એણે મારા ઉપર બળજબરી કરી તે નહોતું. અમારા વિચારોમાં પણ બહુ મેળ નહોતો. મંદાર ફરીવાર મળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું મન મંદાર સાથે જ જોડાયેલું હતું. મને આનંદ છે કે અંતે તમે મારી વાત સમજ્યાં અને લગ્નમાં હાજર રહ્યાં.”

હવે તો એ બધું એક સિનેમા જેવું લાગે છે! મને આનંદ છે કે નિલય અને આરાધના નિલ્યાના ઉપચાર માટે અમેરિકા ગયા છે.”


“ટીડા જોશી” યંગક્લબનું એકાંકી; લેખક – બાબુભાઇ વ્યાસ 2

“ટીડા જોશી”
યંગક્લબ  ભજવાયેલું એકાંકી
લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

૧૯૪૦ કે ૫૦ના દાયકાના સમયનું ગુજરાતનું એક ગામડું, જ્યાં બધા પોતાના હુન્નરથી ઓળખાય અને એ બધાની વચ્ચે એક અઠંગ જોષી મહારાજ, બધાને ઊંઠાં ભણાવી પોતાનું પેટીયું રળે. એવા એક ટીડાજોશીની આ વાત, યંગક્લબે પહેલી વખત ૧૯૫૦ના નવેમ્બરની ૨૦મી તારીખે ભાવનગરની એ. વી. સ્કૂલના ખંડમાં ભજવ્યું…

આ નાટક વિષે: એક આઇરિશ નાટક પરથી આ નાટકને અસ્સલ કાઠિયાવાડી રંગમાં બાબુભાઈએ લખ્યું છે. ૧૯૫૦ની સાલમાં પહેલી વખત યંગક્લબે ભજવ્યું ત્યારે પ્રેક્ષકોને ઘણું પસંદ પડેલું, તેમાં પણ “ટીડા જોશી” ની ભૂમિકામાં શ્રી નરહરિભાઈ ગુલાબરાય ભટ્ટ અને નિર્મળા તરીકે ડો. નિર્મળાબેન મહેતાનો અભિનય લાજવાબ હતો. જો કે આખી ટીમે સરસ કામ કરેલું. કલાકારોની આવડત અને અભિનય શક્તિ – જાણે એમ જ લાગે કે તેઓ આ ભૂમિકા માટે જ સર્જાયેલાં છે. પછી તો ઘણી વખત ભજવાયું. શામળદાસ કોલેજ અને ત્યાર બાદ ભોગીલાલ કોમર્સ કોલેજે પણ વાર્ષિક ઉત્સવોમાં મંચસ્થ કરેલું.


રાત રાતના ઓછાયા – પરમ દેસાઈ 1

હું અને સુમિત એ મનહૂસ સાંજે શહેરની હદે આવેલા એક પબ્લિક ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા હતા. એ વખતે તો સંધ્યા પૂરબહારમાં ખીલી હતી. થોડા જ વખત પહેલાં વરસી ચૂકેલા વરસાદનાં બૂંદો હજુ પણ વૃક્ષોનાં પાંદડાં પરથી ધીરે-ધીરે સરકી રહ્યાં હતાં. વાદળાઓની ગોઠવણ પછી કેસરિયું આકાશ ગાર્ડનમાં આછો પ્રકાશ રેલાવી રહ્યું હતું. પણ… આટલી આહલાદક સંધ્યા જ કાળ બનીને સુમિત પર તૂટી પડવાની હતી એ બિચારો સુમિત ક્યાં જાણતો હતો !

“યાર લેકચર બંક કર્યું એનો અત્યારે અફસોસ થાય છે હોં. તું શું કહે છે ?” ચાલતાં-ચાલતાં જ સુમિત બોલ્યો. મેં એના કેસરી થઈ ગયેલા ચહેરા સામે જોયું અને હસ્યો:
“તને તો દરેક વખતે ટેન્શન જ હોય, નહીં ? તું કોઈ દિવસ લાઈફને એન્જોય જ નથી કરતો.”
“પણ લેક્ચર બંક માર્યું એમાં શું એન્જોયમેન્ટ ? અને તેં પણ તો કર્યું છે બંક. એકલા મેં થોડું કર્યું છે ?”
“હા તો એમાં કયું આભ ફાટી પડ્યું કે આટલો ઉદાસ થઈ ગયો. અરે, આ સ્કૂલ થોડી છે ? અહીં તો મસ્તમૌલાની જેમ જ રહેવાનું હોય. જસ્ટ કામ ડાઉન યાર, કોઈક કોઈક વાર બંક કરવામાં ય મજા છે યાર. જો તને એવું જ લાગતું હોય તો સાંભળ, ગુરુવારે એ જ લેક્ચર મેડમ એફ-૧૩માં લેવાના છે. ભરી લેજે.”


સોશિયલ મિડીયા, સર્જકો અને સાહિત્ય.. – જીજ્ઞેશ અધ્યારૂ 3

સાહિત્ય અને સોશિયલ મિડીયાનું જોડાણ હવે લગભગ અવિભાજ્ય બની રહ્યું છે. વધુ ને વધુ લેખકો ફેસબુક, ટ્વિટર અને બ્લોગ વગેરે દ્વારા વાચકો સાથે સતત જોડાઈ રહ્યા છે અને એથી સાહિત્ય પ્રત્યેનો સોશિયલ મિડીયામાં સક્રિય લોકોનો અભિગમ પણ બદલાયો છે. તો હકીકતે સોશિયલ મિડીયાએ સાહિત્યના ક્ષેત્રમાં ખરેખર કયા બદલાવ કર્યા છે? હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે સોશિયલ મિડીયા સાહિત્યને, સર્જકોને અને વાચકોને સ્પર્શ્યું છે.

ઈન્ટરનેટ આપણી જીવનપદ્ધતિને બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સોશિયલ મિડીયા દ્વારા આપણે માહિતીનું આદાનપ્રદાન કરીએ છીએ, સમાચાર જાણીએ છીએ, વસ્તુઓની લે-વેચ માટે પણ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીએ છીએ, ફોટો અને વિડીયો ક્લિપ્સ જોઈએ છીએ, નવા લોકોની સાથે સંવાદ કરીએ છીએ અને આપણી જે-તે વિષય કે ઘટના વિશેની વિચાર પણ મૂકીએ છીએ. સંવાદ સાધવો એ સોશિયલ મિડીયાનો સૌથી મોટો હેતુ છે. સાહિત્યના ક્ષેત્રમાં સોશિયલ મિડીયા વાચકને તેના મનગમતા લેખક સાથે સીધી રીતે જોડી આપે છે, તો સામે પક્ષે એક લેખક માટે પણ વાચકના મનોભાવને, તેના ગમા અને અણગમાને, તેની અપેક્ષાઓને જાણવાનો સોનેરી અવસર પૂરું પાડે છે. અહીં લોકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા જ આવે છે, એટલે જેમને સાહિત્ય ગમે છે એવા લોકો સર્જકો સાથે જોડાવાના એ ચોક્કસ, અને એ રીતે સર્જક માટે પોતાના પુસ્તકો કે કળાની કોઈ પણ વસ્તુ વેચવા કે વહેંચવા માટે સોશિયલ મિડીયા હાથવગું સાધન છે. તેનો ઉપયોગ કરવાની રીત અને ક્ષમતા પર જે તે લેખકની અહીંની સફળતા નિર્ભર કરે છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૧-૧૨) 2

ફોનની રીંગ સાંભળી સરિતા બેન રિસીવર તરફ ગયાં. આજે એમણે ઘણા દિવસથી ગુમસુમ રહેતા વ્હાલસોયા પુત્ર નિલયની ભાવતી રસોઈ બનાવી હતી. ફોન ઉપાડી પોતાના લાક્ષણિક લહેકામાં હલ્લો બોલ્યાં. ફોન પર થયેલી વાતથી જાણે એમના પગ તળેથી જમીન ખસી ગઈ. અનુષાએ સગાઈ ફોક કરી હતી!

અનુષાએ વારંવાર વિચાર્યું હતું, એક તો નિલય દ્વારા થયેલ બળજબરી, ત્યારબાદ નિલય માટે એનો બદલાયેલો અભિગમ અને બીજું પોતાની સંપૂર્ણ સ્વસ્થ હોવાની તબીબી ખાતરી પછી એ કદાચ નિલયને પરણે તો ભવિષ્યમાં એની દયા ખાઈ પરણી હોય એવું લાગે. જે કદાચ નિલયને પણ ન ગમે. આવા માનસિક દ્વંદ્વ બાદ એણે નિર્ણય કર્યો. અસમંજસમા કેટલીય રાતો ગઈ અને ત્યાં અચાનક વાસંતી વાયરાની જેમ મંદારનું આગમન થયું. એને મનોમન રંજ હતો નિલયની પરિસ્થિતિ માટે, પણ એ માટે એ ખુદ જવાબદાર નહોતી.


‘સર્જન’ સામયિકના બીજો દિપોત્સવી અંક – જીજ્ઞેશ અધ્યારૂ 4

‘સર્જન’ ગ્રૂપ આજે તેના અસ્તિત્વના બીજા દિપોત્સવીને આંગણે આવીને ઉભું છે ત્યારે માઇક્રોફિક્શનના કારણે એકબીજા સાથે જોડાયેલા અને આજે અંગત ઉપલબ્ધિઓ, તકલીફો, આશા – નિરાશા, મંતવ્યો અને વિચારોને અભિવ્યક્ત કરતા, એકબીજાના મતને પૂરેપૂરું સન્માન આપતા અને તંદુરસ્ત ચર્ચા કરતા મિત્રોનો મેળાવડો બની રહ્યો છે એ વાતનો અતિશય આનંદ છે. દર અઠવાડીયે આવતી નવી થીમ, નવા પ્રોમ્પ્ટ, સમયાંતરે થતા મેળાવડાઓ અને એક પછી એક ઉપલબ્ધિઓની સફરમાં સતત સર્જનાત્મક અભિગમ રાખી, નકામા વિવાદોથી દૂર રહી, એકબીજાને સુધારતા, મઠારતા રહીને લેખનરત રહેતા આ મિત્રો દોઢ વર્ષ પહેલા એકબીજાનું નામ પણ ભાગ્યે જ જાણતા હતા એ કોણ માની શકે? સાહિત્યનો એક તદ્દન નવો પ્રકાર આટલા બધા સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં વ્યવસાયરત લોકોને વોટ્સએપ જેવા આજના ટેકલોનોજીના આશિર્વાદે સર્જનનો અનેરો અવસર આપે છે.


લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ 4

ખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા..

હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૦) 1

“સીટ નંબર એક ક્યાં હશે?” ઓહ! આ અવાજ સાથે વીંટળાયેલી આ સુગંધને હું કેમ ભૂલી શકું ?

“હે ભગવાન મારી સાથે આ શું થવા માંડ્યુ છે?”

આ થોડા દિવસોમાં તો જાણે આખી પૃથ્વીનો આંટો મારી લીધો હોય એવા એવા બનાવો મારી જિંદગીમાં સ્થાન લઈ રહ્યા છે ! આ બધુ અત્યારે જ કેમ? અત્યાર સુધી ક્યાં હતો મંદાર અને ક્યાં હતો નિલય? ક્યાં હતા મને નકામી સાબિત કરનાર ડોકટર અને ક્યાં હતા મને નવું જીવન આપનાર ડોક્ટર?


જિંદગીની આશ.. ઉત્સવ! દીપોત્સવ! – ગોપાલ ખેતાણી 7

દેશના દરેક તહેવારોનું પર્યાવરણ અને સામાજિક મહત્વ તો છે જ પણ આર્થિક મહત્વ પણ ઘણું છે.

દિવાળી, દેશના લગભગ દરેક ખૂણે ઉજવાતો તહેવાર. આ તહેવાર જુઓ કઈ રીતે દરેક વર્ગના લોકોને આર્થિક રીતે અને વ્યક્તીગત રીતે સ્પર્શે છે!

નવરાત્રીની આસપાસથી જ ઘરોમાં સફાઈ અભિયાન ચાલું થઈ જાય અને કેટલાંક ઘરોમાં રંગરોગાન પણ કરાવવાનું હોય. તો સૌ પ્રથમ તો રદ્દી, પસ્તી અને ભંગારવાળાની રોજી રોટી શરૂ થઈ જાય. વળી લારી કે મોપેડ પર સાવરણી, સાવરણા, ફિનાઈલ, પ્લસ્ટીકના ઝાડૂ, એસીડ બોટલ, બ્રશ વગેરે લઈને ફરતાં ફેરીયાઓની નજર પણ દરેક સોસાયટીમાં ફરી વળતી હોય. ઘરે કામ કરવા જો બાઈ આવતી હોય તો તેમના ‘મનામણાં’ પણ શરૂ થઈ ગયા હોય. અને એ માટે તમારે બોનસ તો ત્યારે કન્ફર્મ કરી જ દેવું પડે ભલે તમને તમારી કંપની આપે કે ન આપે! તમને સાફ-સફાઈ કરતાં કેટલોક અનમોલ ખજાનો હાથ લાગવાની શક્યતા પણ ખરી. પ્રિયતમ કે પ્રિયતમાની યાદગીરી, તમારાં કે ઘરના સભ્યોના જૂનાં સંસ્મરણો, ભૂલે-બીસરે સબૂત અને નસીબ જો વધું પડતાં સારા હોય તો ૫૦૦-૧૦૦૦ની નોટ પણ મળી આવવાની સંભાવના! સાફસફાઈ બાદ રંગરોગાનવાળાની દિવાળી શરૂ થાય. ક્લર જાયન્ટ્સ કંપનીઓથી માંડીને રોજમદાર મજૂર કમરપટ્ટો બાંધીને રોકડાં કરવાની વેતરણમાં પડી ગયા હોય.


મને હું મળી ગયાંની ક્ષણ… ચીમેર ટ્રેકિંગ – મીરા જોશી 14

જંગલનું પંખી ક્યારેય પીંજરામાં રહેવા ન ઈચ્છે.. એ જ રીતે હું, તમે, આપણે બધા જ મૂળથી તો જંગલી જ..! આપણને શહેરના પીંજરામાં બંધાઈ રહેવાનું કઈ રીતે ગમે? અને શહેરમાં રહીને ટૂંટીયું વળી ગયેલા જંગલી મનને જયારે જંગલનો ખોળો મળી જાય તો પછી પૂછવું જ શું?

ગુજરાતના તાપી જીલ્લા, સોનગઢ તાલુકાથી ઘેરાયેલા જંગલમાં અમને પણ કુદરતનો ખોળો મળી જ ગયો. વ્યારા વન વિભાગના ટ્રેકિંગના આયોજન થકી અમારું શારીરિક માનસિક અને આંતરિક મેડીટેશન કરવા અમે પણ શનિવારની ઉંઘ અને રવિવારની મોજને ગોળી મારી નીકળી પડ્યા વનચર્યા કરવા.


રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય.. આપણી ભૂલાઈ રહેલી મિરાંત 2

એડવર્ડ હોપરનું એક વિધાન છે, ‘જો હું શબ્દોમાં કહી શક્તો હોત તો ચિત્ર બનાવવાનું કોઈ કારણ જ નહોતું.’ અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપે ઢાળવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે, શબ્દનું માધ્યમ તો હાથવગું છે જ, પણ સદીઓથી એવું જ એક માધ્યમ જે આપણા દેશમાં પણ ખૂબ અસરકારક રીતે ઉપયોગી બન્યું છે એ છે ચિત્રકળા. ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ ખૂબ જૂનો અને વિશદ છે. પ્રાગઐતિહાસિક સમયમાં ગુફાઓમાં અને પથ્થર પર દોરાયેલા ચિત્રો તેની શરૂઆતનો સમય ગણાય છે, મધ્યપ્રદેશના રાયસન જીલ્લામાં આવેલ ભીમબેટકાની ગુફાઓના આશરે ત્રીસહજાર વર્ષ જૂના પથ્થર પરના ચિત્રો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો અજંતાની ગુફાઓના ચિત્રો પણ જગવિખ્યાત છે. ભારતીય ચિત્રો મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાય છે. ભીંતચિત્રો અને અન્ય માધ્યમ જેવા કે કાગળ, કેન્વાસ વગેરે પરના ચિત્રો. ધાર્મિક ચિત્રો પરથી ઉતરી આવેલી ભારતીય ચિત્રકલા આજે ભાતીગળ સંસ્કૃતિ અને જીવનપદ્ધતિને દર્શાવતી કલા તરીકે જગવિખ્યાત થઈ છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૯) 1

આરાધના કન્સલ્ટીંગ રૂમની બારી બહાર જોતાં જોતાં વિચારી રહી હતી. એણે નિલયનું ગુલાબ પગ નીચે કચડી નાખેલું, તોય પોતાનો રોષ છુપાવવા અસમર્થ રહી હતી. નિલયને શું ખબર કે આ પ્રેમ શબ્દ આરાધનાને કેટલો દઝાડે છે. નિલય એનો બાળપણનો દોસ્ત એટલે એણે હસતા મોઢે વાત વાળી લીધેલી. નિલય પોતાના ભગ્ન હ્રદયના કારણે આરાધનાથી ખૂબ નારાજ હતો. આરાધનાએ એને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યાં પણ વ્યર્થ. આરાધનાને જ્યારે નિલય અને અનુષા વચ્ચેની તકરારની ખબર પડી ત્યારે એ અનુષાને મનાવવા પહોંચી ગયેલી. બધું યાદ કરતી એ પોતાના કન્સલ્ટીંગ રૂમની બારી પાસે ઊભી હતી. આરાધનાની નજર બારી બહાર ગઈ. બહાર વરસાદ હજી હમણાં જ અટક્યો હતો. એક યુવતી પોતાના એક્ટિવાને કીક મારી રહી હતી. એ જોઈ આરાધના પોતાના ભૂતકાળમાં સરી પડી.


નમનીય નોરતા – હર્ષદ દવે 1

નોરતાની નવરાત્રીઓ શરુ થઇ ગઈ છે. આ શારદીય તહેવાર ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય છે. તેમાં આપણી ધાર્મિક ભાવના અને હિંદુ સંસ્કૃતિ વણાયેલી છે. તેમાં શક્તિને પ્રણામ કરવામાં આવે છે. એના જ એક ભાગ રૂપે ગર્ભદીપ શબ્દ ‘ગરબે’ ઘૂમતો થયો. તેમાં ભાળ્યો રાસ જેમાં લહેકાવીને લાસ્ય સાથે અંગમરોડનું લચકદાર લાલિત્ય પ્રકટતું હોય છે. સ્ત્રીપ્રધાન ગરબામાં લાસ્ય-લચક અને સૌન્દર્ય વધારે હોય છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૮) 2

ચા નો અધુરો કપ છોડીને ગયેલી અનુરાધાના અધૂરા કપ સામે જોઈ અનુષા વિચારતી રહી… ‘મારી જિંદગી આમ જ આ કપ જેમ અધૂરી રહેશે કે શું! શા માટે, શા માટે મારી સાથે જ આવું થયું, ડોક્ટરે પહેલા મને એબનોર્મલ કહી અને હવે નોર્મલ, જીવન શું આવું અસમંજસમાં જ જીવવાનું! મને મારી ખોડ ખબર હતી એટલે મેં નિલયને સ્વીકાર્યો. મારી ઉમરની કોઈપણ છોકરીને શમણાંમાં એક સુંદર રાજકુમાર જ હોય તો પણ મેં નિલય પર પસંદગીની મહોર મારી.. તો ય એનો મેલ ઈગો તો જો.. મેં એક વાક્ય શું કહ્યું મારી પર ચડી જ બેઠો… મારી ખોડ અને એમની દેખીતી ખોડ.. એ બંને છે તો શરીરમાં રહેલી એક કમી જ. પરંતુ હું જો કોઈને કહું જ નહિ તો મારી કમી ખબર પડત? એ તો ‘નબળો ધણી બૈરી પર શૂરો’ જેવું વર્તન કરી બેઠો. છોકરી એટલે શું સહન જ કરવાનું! માફી પણ જો એની મિત્ર અનુરાધા દ્વારા માંગી. મેં મેસેજના જવાબ ન આપ્યા તો પોતાનાથી મારી પાસે નહોતું અવાતું?’


રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ 3

નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.


ડાઉનલોડ માટે આઠ નવા ઈ-પુસ્તકો 7

આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં આઠ નવા ઈ-પુસ્તકો ઉમેર્યા છે, આ સાથે લાંબા સમયથી અધૂરો એવો ડાઉનલોડ વિભાગ પણ પૂરો કર્યો છે અને કેટલાક પહેલા મૂકેલા અને ઈ-પુસ્તકોની આ નવી વ્યવસ્થામાં બાકી રહેલા પુસ્તકો પણ ફરી મૂકી દીધા છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭) 1

બીજા દિવસે સવારે અનુષા ઉઠી ત્યારે પણ એના હોઠમાં ગઈકાલવાળો મનગમતો ચચરાટ રહી ગયો હતો… અને એ યાદ આવતાં એકલામાં ય શરમથી શરબત-શરબત થઇ ગઇ. પણ જેવી પથારીમાંથી ઊભી થઈ ત્યારે.. ગ્રીષ્મ ઋતુમાં આવતા માવઠા આમ પણ ગભરાવી મૂકે એવા જ હોય છે ને એ એટલી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત. પાંચ મિનીટ તો એને શું કરવું એ જ ખબર ન પડી.. ’હે ભગવાન… એવું તો કંઈ હતું નહિ ને… શું કરું? મમ્મીને વાત કરું? મમ્મી શું વિચારશે?’ મમ્મી સિવાય અનુષા બીજા કોની નજીક હતી? એની કોઈ ખાસ સહેલી પણ નહોતી. જે હતી એ કોમન ગ્રુપને લીધે એમનામાં ભળી ગઈ હતી… નીલિમા સાથે એને સારું બનતું પણ એની મિત્રતા પણ એક હદ સુધી હતી. એ ઔપચારીકતાથી આગળ નહોતી વધી. અને બેય ભાઈઓ અમન-મિહિરની એ લાડકી.. પણ આવી વાત એને થોડી કહેવાય? તકલીફ ઝાઝી નહોતી.પણ મમ્મીને કહેવું કેમ? આખરે મમ્મીને ડરતાં ડરતાં વાત કરી. મમ્મી એને રગરગથી ઓળખતી હતી. એની હાલત એમને બરાબર ખબર હતી. એમણે ‘ક્યારેક થાય એવું.’ કહી સધિયારો આપ્યો છતાં અનુષાનો અજંપો ઓછો ન કરી શક્યાં. અંતે કલાકેક પછી મમ્મીએ કહ્યું કે તારા મનનું સમાધાન થઇ જાય. ચાલ આપણે ડોક્ટરને બતાવી દઈએ. ડૉ.વિપુલ શહેરમાં નવા જ આવેલા ગાયનેકોલોજીસ્ટ હતા. અનેક ઈન્ટરનેશનલ જર્નલોમાં એમના અભ્યાસલેખ છપાયેલા. મીરાબેનની મોટી બહેનની સારવાર એમને ત્યાં કરાવેલી.


શ્રી શ્રી ફોન રોમિયો – યશવંત મહેતા 4

‘હવે તો હદ થઈ ગઈ, કુમાર!’ સુનીલે બળાપો કર્યો. કુમાર પણ બરાબર સમજતો હતો. કોઈ પણ નવજુવાન છોકરી ગંદા ટેલિફોન લાંબો સમય સહન કરી શકે નહિ. એણે કહ્યું, ‘તારી મુશ્કેલી સમજી શકું છું સુનીલ, પણ પોલીસ આ મામલામાં જવલ્લે જ જલદી કશું કરી શકે છે. ગુનેગારની ઓળખ માટે ફોન ટૅપિંગ કરવું પડે અને એ માટેની મંજૂરી મેળવી અઘરી છે. ફોન ટૅપિંગની રજા રાજદ્રોહ કે આતંકવાદની શંકાવાળા મામલામાં જ મળે છે. એટલે લેન્ડલાઈન ટેલિફોન પર ગંદી વાતો કરવાનો રોગ અનેક યુવકોને લાગુ પડી ગયો છે. આપણા પૉશ એરિયા એલિસબ્રિજ પર તો એ ગીધડા સતત ચકારાવા લેતા રહે છે. પોલીસથી બચવા માટે એમની આંખો પણ ગીધ જેવી જ ચપળ હોય છે.’


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૬) 4

ટપ… ટપ… ટપ વરસી ગયેલા વરસાદના ફોરા એકધારા આસોપાલવની ડાળીએથી પાંદડે…પાંદડે લસરતા ધરતીમાં ગોપાઇ જતા હતા. ક્ષિતિજે વાદળોના રેશમાઈ પડદા પાછળથી કસુંબલ સંધ્યાનો પાલવ પકડી સુરજ મહારાજ ડોકીયું કરતા હતા. નીલયના મનમાં વિચારોનું ભયાનક દ્વંદ ચાલી રહ્યું હતું. કુદરતે વેરેલા અફાટ સૌંદર્ય પર તેનું ધ્યાન જ ક્યાં હતું! નહીંતર તો આમ બાલ્કનીમાં બેસીને ક્ષિતિજ સામે તાકી રહેવું એની આદત હતી. ફરી પાછું ગોરંભાયેલું આકાશ તૂટી પડ્યું. જાણે આજ ને આજ આકાશે વાદળોનો ભાર હળવો કરવો હશે, ને નિલયનો પણ.


કર્ણાટકનું કાશ્મીર : કારવાર – જીજ્ઞેશ અધ્યારૂ 6

હુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાતું, અહીંની નાળીયેરીના વૃક્ષો સાથેની લખલૂટ હરીયાળી અને એને લીધે રહેતી ઠંડક, માલણનું મનોહર વહેણ વગેરેને લીધે આવું નામ પડ્યું હશે. જો કે એ હવે લાગુ પડે કે કેમ એ પ્રશ્ન છે! બધા રાજ્યોમાં આવા સ્થળો હશે જેને જે તે રાજ્યનું કાશ્મીર કહેવાતું હોય? ખેર, વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા ‘કારવાર’ની.

ગોવા એરપોર્ટથી લગભગ ૧૦૦ કિલોમીટર, મડગાંવ રેલ્વે સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને ગોવા કર્ણાટક બોર્ડરથી ૧૫ કિલોમીટરના અંતરે, ઉત્તર કન્નડા જીલ્લાનું, પહાડોના ખોળામાં વસેલું, ત્રણ તરફ હરિયાળી અને એક તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલું ખૂબ સુંદર અને નાનકડું ગામ એટલે કારવાર. રેલમાર્ગે એ કોંકણ રેલ્વેથી જોડાયેલું છે.


અધ્યાત્મનું સ્વરૂપ – ભાણદેવજી 3

જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાથતા સુખપ્રાપ્તિમાં નથી,સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણે અજાણ્યે માનવીમાત્ર મરે! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુઃખ પ્રાપ્તિમાં જ પરિણમે છે. કારનકે સુખની ઇચ્છા જ દુઃખનું કારણ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં ચે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં છે. સુખપ્રાપ્તિની દોડ અભાવગ્રંથિમાંથી શરૂ થાય ચે. અભાવગ્રંથિ સ્વરૂપ ચ્યુતિનું પરીણામ છે. તેથી સ્વરૂપપ્રાપ્તિ વિના જીવનની યથાર્થ કૃતાર્થને પામી શકાય નહિ. સુખપ્રાપ્તિ દ્રારા સત્યપ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે અને સ્વરૂપપ્રાપ્તિ-સત્યપ્રાપ્તિ દ્રારા આનંદપ્રાપ્તિ એ સાચી દિશાનો પ્રયત્ન છે. પ્રથમ દિશાનો પ્રયત્ન ભોગ છે, બીજી દિશાનો પ્રયત્ન અધ્યાત્મ છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૫) 3

આજે અનુષા એના ઘરે આવવાની હતી. નિલયને સખત ચીડ ચડી રહી હતી… એક તો આજે બેન્કમાં રજા હતી. ઘરેથી નીકળી જવાનું કોઈ બહાનું પણ નહોતું. સીમાએ ધકેલીને એને રૂમમાં તૈયાર થવા મોકલ્યો હતો. એ બડબડ કરતો કરતો વોર્ડરોબમાંથી એની ગમતી ટીશર્ટ-જીન્સની જોડી કાઢતો હતો… દોઢડાહી સીમાડી, શું જરૂર હતી અનુષાને ઘરે બોલાવવાની? શું વાત કરીશ એની સાથે? એ શું કરશે અહીં આવીને? હુહ… વેવલાઈ નહીંતર તો..”


શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? – જીજ્ઞેશ અધ્યારૂ 11

‘ગેમ ઑફ થ્રોન્સ’ આજકાલ સમાચાર માધ્યમમાં અને સોશિયલ મિડીયામાં સતત આટલું બધું કેમ ચમક્યા કરે છે. મહીનાઓ પહેલા વિકિપીડિયા પર ગેમ ઑફ થ્રોન્સનો અનુદિત ગુજરાતી લેખ લખવાનું શરૂ કર્યું ત્યારે ઘણુંય મૂકવાની ઈચ્છા હતી, પણ વિકિપીડિયાના બંધારણમાં એ શક્ય નથી. એ અધૂરા લેખને પાછો પૂરો કરવાનું શરૂ કર્યું અને આ લેખની ઈચ્છા જોર કરી ગઈ. શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? કદાચ શ્રેણી વિશે બધુંય અને પૂરતું ન કહી શકું પણ જેટલું ગમ્યું, સમજાયું એ લખવાનો પ્રયત્ન કર્યો છે.


ગલબો ગલબાખાન બને છે – રમણલાલ સોની 3

સિંહ સરકારના ગુસ્સાનો પાર નહોતો.

તેણે ભયંકર ગર્જના કરી કહ્યું, ‘બોલો, હવે કોણ બીડું ઝડપે છે?’

ટાબરો નામે ઉંદરડો એક ખૂણામાં બેઠો હતો. સાહસનો એ શોખીન હતો. કોઈ ઊઠતું નથી એ જોઈ એણે આગળ આવી બીડું ઝડપ્યું.

સિંહે કહ્યું, ‘અલ્યા તું? તું શું કરશે?’

ટાબરાએ કહ્યું, ‘હું શું કરું છું તે આપ જોજોને, મહારાજ! હું રીંછ અને વાંદરા જેવો મૂર્ખ નથી. હું એ દુષ્ટ ગલબાને જીવતો નહીં, તો મરેલો આપની કચેરીમાં હાજર કરીશ.’

સિંહે કહ્યું; ‘વાહ, તો દેખાડ તારું પરાક્રમ!’