Monthly Archives: September 2019


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૦) 2

અમાત્ય રાક્ષસ વર્ષકાર પાસે આવ્યો. વાતચીત કર્યા બાદ વર્ષકારે સામે ચાલીને રાક્ષસને મગધ જઈને ત્યાની ગતિવિધિનું અવલોકન કરવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું કે તેનો એક ગુપ્તચર તેને જુદા જ રસ્તેથી મગધ લઇ જશે. તે તેને મગધના શસ્ત્રાગારમાં પણ લઇ જશે. આ બધી વ્યવસ્થા ગુપ્ત રીતે જ થશે. ત્યાં જઈને જોવું વધારે સારું છે.


ટ્રાફિકના નવા નિયમો, વિવાદો અને તેના ઉકેલ 11

આ ગરમાગરમ મુદ્દાને પણ પળવારમાં ભુલાવી દેતો સુપર હોટ મુદ્દો લોકજીભે ન કેવળ ચર્ચાય છે પરંતુ તેનો ઉગ્ર વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જો કોઈ આ મુદ્દે સરકાર તરફની જરા પણ વાત કરે તો તેની સામે અન્ય લોકોનો પુણ્યપ્રકોપ ફાટી નીકળે છે. આ મુદ્દો એટલે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને થનારા દંડની જોગવાઈમાં કરેલો અનેકગણો વધારો છે.


દિલ્હી ટુ દેવળિયા : ખમ્મા ગીરને! – ગોપાલ ખેતાણી 33

ગુજરાતમાં ગરમીએ “માઝા” મૂકી હતી (કેસર કેરી બહુ થયેલી ને!) પણ “વાયુ”ની કૃપાથી અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ સારું થઈ ગયેલું. રાજકોટમાં થોડા દિવસનો આનંદ માણી જૂનાગઢ તરફ રવાના થયા.

Lion in Devaliya

આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૯)

આ કથામાં અમાત્ય રાક્ષસનું પાત્ર કદાચ તમને થોડું ઉપેક્ષિત લાગે પરંતુ તેના જેવો કુટિલ, મુત્સદી અને રાજનીતિજ્ઞ બ્રાહ્મણ મળવો મુશ્કેલ હતો. તેની આદત હતી ઓછું બોલવું, કામ વધારે કરવું. તેની જવાબદારી ગુપ્તચર વિભાગ, શસ્ત્રાગાર અને નવા સંશોધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. વૈશાલી આજે પણ અભેદ્ય હતું તેનું શ્રેય કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે આ અમાત્ય રાક્ષસને આપી શકાય.


જેટલીજી, સુષ્માજીની વિદાય : કામ છોડી દેવું ખતરનાક હોય છે? – જિજ્ઞેશ ઠાકર 7

આમ તો મૃત્યુ એ તદ્દન કુદરતી વાત છે. તેમાં કોઈ વ્યક્તિનું કશું પણ ચાલે નહીં. કોઈ મૃત્યુને એક દોરાવાર પણ આઘુંપાછું કરી શકે નહીં. પરંતુ પ્રવૃત્તિને કારણે મન મજબૂત રહે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ માંદા પડ્યા ત્યારે એવું કહેવાતું હતું કે જો તેઓ ફરી વડાપ્રધાન બન્યા હોત તો કદાચ બચી ગયા હોત. એવું જ અત્યારે કહેવું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં પણ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ફરી મંત્રી બન્યા હોત તો મૃત્યુ એટલુ નજીક ન હોત.