અનબૉક્સિંગ પ્રેમ! – આરઝૂ ભુરાણી 14
અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે..
અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે..
પ્રેમને તમે સુષુપ્ત જવાળામુખી સાથે સરખાવી શકો. સમય પ્રેમ ઉપર ગમે તેટલા માટીના થર ચડાવે, અંદરના ઊંડાણમાં રહેલો લાવા ગરમ જ રહે. પ્રેમ પદારથ એકવાર ચાખી લીધા પછી આજીવન એનો નશો રહે. ઊંડે ઊંડે સતત પ્રજ્વલિત એ આગ દુઃખ કારણ પણ હોય અને સુખનું પણ. પ્રેમની અનુભૂતિનું સુખ અને વિરહનું દુઃખ. પ્રેમ પામનાર સુખી અને ન પામનાર આ મીઠી આગમાં બળતા રહેતા આજીવન કેદીઓ. અસ્તિત્વને સતત બાળતી આ પ્રેમ અગન હંમેશા કશુંક આપતી જ રહે.
ફ્લોરથી સીલીંગ સુધીના અરીસા સામે પ્રતિમા ફેલાઈને બેઠી હતી. વૉક-ઇન વોર્ડરોબની બંને બાજુએ ઠાંસીઠાંસીને ભરેલા વોર્ડરોબને જોઈ એનું મોઢું થોડુંક વંકાયું. સામે અરીસામાં જોયું. “જલસા છે ને તારે તો! આટલો વૈભવ! સવારે માનસી સાથેની વાત યાદ આવી.”બ્રાન્ડેડ ડિઝાઈનર કપડાં., આટલા ફૂટવેર, પર્ફ્યુમ, બેગ્સ… શું નથી તારી પાસે?”
જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ. અધ્યાત્મનો સંધિ વિચ્છેદ કરીએ તો મળે બે શબ્દો. અધિ + આત્મન્. અધિનો એક અર્થ થાય સંબંધી. આત્મન એટલે આત્મા, અંત:કરણ, અંતરમન, માંહ્યલો.
ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.
હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો. મારે મારે નવી નવી ચકલીઓ શોધવી છે.
શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
ત્રીજા પુરુષમાં લખાયેલી ‘ખારાં આંસુ’ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે વાર્તાનો પરિવેશ.
“હા, પણ હવે ઈ તારુય નીં માને કે મારુય નીં માને.” આખરે રામજીના કસાયેલા કંઠમાંથી થાકેલો અવાજ સરી પડ્યો. સહેજ લૂખું હાસ્ય એના મોં પર ક્ષણિક ફરક્યું. ત્યાં વળી હૈયામાં ઊઠેલા શબ્દો છેક મોં સુધી આવીને ઊભા રહ્યા: ‘ગમે એમ તોય પણ ઈની રગમાં તો દરિયાનો જ રંગ ભર્યોશને. ઈ ખારું પાણી થોડું ઈને જંપીને રે’વા દીયે!’ વલોવાતી નજરે સામી તાકી રહેલી પત્નીને જોતા શબ્દો જોકે હોઠમાં જ કેદ રહી ગયા.
બાળકો આપણી મૂલ્યવાન ધરોહર છે. ભાવિ સમાજના એ ઘડવૈયા છે અને આપણી પરંપરાના વાહક છે. બાળકો મૂલ્યોની દૃષ્ટિએ જેટલાં સમૃદ્ધ હશે એટલી જ આપણી ભાવિ પેઢી મજબૂત થશે.દેશની પ્રગતિના માર્ગમાં અનેક અડચણો આવતી હોય છે..જો આપણી ભાવિ પેઢી સમૃદ્ધ હશે તો એ અડચણોને સરળતાથી પાર કરી મુશ્કેલીમાંથી પણ માર્ગ કરી લેશે.
દરેક સમયે આપણે આજની જેમ મજબૂત કે અડીખમ નથી રહેવાનાં. આપણી લાગણીઓની આ ગુલ્લક, પીગી બેંકને કોઈક સાથે તો શેર કરવી જ રહી! હવે પછીનાં દરેક સફરમાં આપણે કોઈ એક લાગણી કે ભાવ ને આપણાં મનનાં આ ગુલ્લકમાંથી બહાર કાઢીને આ કૉલમના માધ્યમથી મમળાવીશું, પ્રયત્ન કરી એને ફરી જીવીશું! બેંગ ઓન લાઈફ!
બની જાય છે એવું ઘણી વખત. જ્યારે સવારની ચહલપહલમાં મારી આસપાસ એકાંતનું કૂંડાળું દોરાઈ જાય છે અનાયાસ… અને સૂર્યના તેજની જેમ પ્રકટી ઊઠે છે અંતરનો ઉલ્લાસ. ફુદકવા લાગે છે મનમાં ક્યાંક ઊંડે છુપાઈને બેઠેલી મનગમતી અનુભૂતિની ફડકફુત્કી. એકાંત જેમ જેમ ઘેરું બનવા લાગે છે તેમ તેમ એની ફુદક વધવા લાગે છે. અને ઘડીકમાં આ વિચારથી પેલા વિચારની ડાળ પર મારવા લાગે છે ઠેકડા.
દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરિહંતનો હાથ જોરથી પકડ્યો હતો, આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી.
આમ્રપાલીએ જેટલી સહજતાથી વૈશાલીનું જનપદકલ્યાણીનું પદ સ્વીકાર્યું હતું એટલી જ સહજતાથી કેવળ તે પદ જ નહીં સઘળું ત્યાગી દીધું. બિંબિસાર ગયો તે પછી માયા મહેલમાં દેખાયો જ નહીં. આમ્રપાલીએ માયા મહેલ છોડતા પહેલાં ઘણી વ્યવસ્થા કરી. વિશાખા અને ધનિકાએ આમ્રપાલી સાથે જ રહેવાનો નિશ્ચય કર્યો હતો અને તેઓ પણ બુદ્ધનાં સંઘમાં જોડાઈને ભિક્ષુણી બની ગઈ.
આમ્રપાલીએ ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’ ઘોષ સાંભળીને આંખો ખોલી. તેને સમગ્ર વિશ્વ બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. હકીકતમાં તેની ભીતર કોઈ જબરદસ્ત પરિવર્તન થયું હતું. તેણે દૂર નજર નાખી. તેણે એક મોહક વ્યક્તિત્વ ધરાવતો યુવક ભિક્ષુ વેશમાં ભિક્ષુ-સંઘની પાછળ પાછળ જતો જોયો. આમ્રપાલીને તે ભિક્ષુનો ચહેરો પરિચિત લાગ્યો. તે તેની પાછળ પાછળ ચાલવા લાગી…
પ્રેમજીભાઈ પટેલનું નામ લઘુકથાના રસિકો માટે અજાણ્યું નથી જ! તલોદ પાસેનું નાનકડું ગામ ખેરોલ એમનૂં વતન, તલોદની કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે કાર્યરત રહી હમણાં થોડા વર્ષ પહેલા જ નિવૃત્ત થયા છે. આજે પ્રસ્તુત છે તેમની પાંચ શૃંગારરસમાં તરબોળ રતિરાગની અદ્રુત લઘુકથાઓ..
મહાગ્રંથોની અકથિત પરંતુ રસપ્રદ વાતો કહેતું પુસ્તક ‘અથશ્રી’ ધનતેરસના શુભ દિવસથી પ્રિ બુકિંગ કરાવનાર મિત્રોને મોકલવાનું શરૂ થયું અને એમને પુસ્તક મળ્યા પછીના અદ્રુત પ્રતિભાવોથી અમારી દિવાળી ખરેખર રળિયાત થઈ છે.
તહેવાર – માનવ જીવનને તાજગી બક્ષતા દિવસો! આપ જ્યારે ભણતા હશો ત્યારે તહેવાર પર નિબંધ લખ્યો જ હશે. છતાં પણ તહેવાર, ઉત્સવની વાત આવે એટલે મન મંદ મંદ મુસ્કાન વિખેરવાં લાગે. આસપાસનું વાતાવરણ સકારાત્મક થતું જાય અને તેની અસર આપણા તન – મન પર થવા લાગે; તો કોઈક વાર ધન પર પણ, ખરું ને?
તહેવારો સજાવે છે સંબંધોને. મમ્મી-પપ્પા, દાદા-દાદી, મામા-મામી, ફોઈ-ફુઆ, બહેન-બનેવી, સાળા-સાળી, કોઈપણ સંબંધની પોતાની આગવી સુવાસ હોય છે, અનોખી મહેક હોય છે. દિવાળી સગાંવહાલાં, મિત્રોને મળવાની તક આપે છે.
સૌરાષ્ટ્રધરા પર જ જીવન જીવું છું તે છતાંય મારું વહાલું ગામડું હદયમાં ધબકે છે. જ્યારે જ્યારે રજાઓ ગાળીને ગામડેથી સોરઠ ભણી જાઉં છું ત્યારે ત્યારે ગામડું જાણે મને વાંંહેથી સાદ દેતું હોય તેમ ભાસે છે! મારા સઘળા સંસ્મરણો ગામડા સાથે જોડાયેલા છે. અતીતમાં મારું મનડું ફરી પાછું ચાલ્યું જાય ત્યારે મારા બધા જ સંસ્મરણો મારી નયન સામે તરવરે છે, સંસ્મરણો આંખો સામેથી ખસતાંં નથી.
અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.
મીરા જોશી સંવેદનશીલ સર્જક – લેખક અને કવયિત્રી છે, એમની કવિતાઓ, એમના પ્રવાસ વર્ણનો, એમના નિબંધો એ બધું સતત લાગણીથી છલકતું જોવા મળે છે. અક્ષરનાદને એમણે પાઠવેલી આ સુંદર વરસાદી કવિતાઓમાંની ભીનાશ એ વાતની સાક્ષી પૂરે છે. સુંદર રચનાઓ બદલ મીરાને ખૂબ શુભકામનાઓ.
બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.
સર્જનના નવા પુસ્તક ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ નું વિમોચન આવતીકાલે તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ સાંજે પાંચ વાગ્યાથી સર્જનના ફેસબુક પેજ પર લાઇવ..
મિતેશભાઈના પરિવારે શક્ય તેટલી સાવધાની રાખી હતી જેથી વાત બહાર ન જાય કે કોઈને તકલીફ ન થાય. જો કે એનો હેતુ સારો હતો. પણ વા લઇ જાય વાત. સોનલ આવી એના બીજા જ દિવસે અમુક પડોશીઓ એના ઘરે જવાનું નક્કી કરી રહ્યા. શેરીમાં એક ઘર ભીમાનું પણ ખરું, પણ તેને કોઈ ન વતાવે. એ ભીમા ભારાડી તરીકે કુખ્યાત. બોલવે કડવો. ગમે તેનું મોઢું તોડી લે ને ક્યારેક હાથ પગ પણ..!
આપણે આ અગાઉ જોયું કે માણસના મગજના સાત અગત્યના ન્યુરોટ્રાન્સમીટર્સ / કેમિકલ્સ પૈકી ડોપામીન આપણા તન અને મનની તંદુરસ્તી પર કેવી રીતે અસર કરે છે. આજે આપણે બીજા એક અગત્યના ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઇન કેમિકલ સેરોટોનિન વિશે જાણીએ.
માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ…માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?
કદાચ કોઈક અમારા રામાયણ ધારાવાહિકને જોવાનું મોડું શીખ્યા હોય કે મોડું શરૂ કર્યું હોય પણ આરામ કોને કહેવાય અને કેટલી વિધવિધ રીતે થાય એ લોકડાઉનમાં તરત શીખી ગયાં. ત્યાં સુધી કે હવે તો આરામના પણ ઉબકા આવે સાલા..! એમાં લોકડાઉન અઠવાડિયાઓ લંબાયા કરે પાછું..!
ગણપતિનો પત્ર વાંચી પાષાણહૃદયી વર્ષકારની આંખો સજળ થઇ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. થોડીવારે સ્વસ્થ થઇ સૂમસામ, કરુણ શાંતિનો ભંગ કરતાં તેણે સેનાપતિને સૂચના આપી: ‘ભલે બીજા કોઈનું નહીં પણ આ ગણપતિ અને તેમના કુટુંબીજનોનો અગ્નિસંસ્કાર અવશ્ય કરશો.’ અને તે ખિન્ન હૃદયે બહાર નીકળી ગયો.
બન્યું એવુું કે જેલમાં રહેલા એક એંસી વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી ક્રરેલી. એંસી વર્ષનો બાપ અને ત્રીસ વર્ષનો પુત્ર, હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે, આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું, જીતુભાઈ, જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો, હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી.
We use cookies to improve your experience on our site. By using our site, you consent to cookies.
Manage your cookie preferences below:
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
These cookies are needed for adding comments on this website.
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Service URL: policies.google.com (opens in a new window)
Marketing cookies are used to follow visitors to websites. The intention is to show ads that are relevant and engaging to the individual user.
Pinterest Tag is a web analytics service that tracks and reports website traffic.
Service URL: policy.pinterest.com (opens in a new window)
X Pixel enables businesses to track user interactions and optimize ad performance on the X platform effectively.
Service URL: x.com (opens in a new window)