Monthly Archives: November 2009


500મી પોસ્ટ… 13

અધ્યારૂ નું જગત બ્લોગથી અક્ષરનાદ સુધીની આ અઢી વર્ષ લાંબી સફરના એક સીમાચિહ્ન સ્વરૂપે 500 પોસ્ટ પૂર્ણ થયાના આનંદને આપ સૌ સાથે વહેચી રહ્યા છીએ. આ યાત્રા આમ જ સાહજીક રીતે, સુંદર રીતે ચાલતી રહે, વિકસતી રહે તેવી અપેક્ષા અને પ્રાર્થના સાથે આજની આ કૃતિ સમર્પિત છે ગુજરાતી બ્લોગ જગતના તમામ વાંચક મિત્રોને. આ તમારો જ પ્રેમ અને સથવારો છે કે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.


‘માં’ વિશે કણિકાઓ – સંકલિત 5

માતૃવંદના વિશેની કૃતિઓ પ્રસ્તુત કરતા આ આખા અઠવાડીયાના અંતિમ દિવસે સંકલિત કેટલીક સુંદર અને હ્રદયસ્પર્શી રચનાઓ. આ કણિકાઓમાંથી પુત્રનો તેની માતા પ્રત્યેનો પ્રેમ, લાગણી અને વહાલની ઝંખના અચૂક ઝળકી જાય છે.


યાદ તારી માં – દેવાંગ જોષી 30

માતાની ગેરહાજરીમાં તેની યાદ સંતાનોને ખૂબ સતાવે છે, કહે છે કે માં જ્યારે ન હોય ત્યારે જ તેની સાચી મહત્તા સમજાય છે. પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતાની માતાને યાદ કરે છે, માતાના વહાલ માટે તેમનો તલસાટ અદમ્ય રીતે વ્યક્ત થાય છે. ચાતકની જેમ તે પણ માતા માટે તરસે છે. તેમના પ્રેમનું ઋણ ચૂકવવા માંગે છે, પરંતુ હવે માં તેમની સાથે નથી એ વેદના અહીં ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે.


માં- મનોરમા ઠાર 4

દેશ-પરદેશમાં ભલે ફક્ત આખા વર્ષમાં એક જ દિવસ માંના સબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઇએ પણ જે માં સમગ્ર જીવનમાં વણાઇ ચૂકી હોય કે હરેક વિચારો માંના સંસ્કારોથી ભીંજાયેલા હોય તે માંને બાકીના દિવસો તો શું પણ જન્મો જન્મ ન ભૂલી શકાય. આપણી સંસ્કૃતિ, માં ને मातृदेवो:भव થી નવાજે છે અને તેથી જ આ કાવ્યમાં માતૃપ્રેમની સંજીવની છે. આ છે ગુજરાતી ભાષાનું એકાક્ષરી મહાકાવ્ય એટલે ‘માં’…


માતૃવંદના – જીગ્નેશ ચાવડા 9

“માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. તેને સાચવવાની, જાળવવાની આપણી ફરજ વિશે આપણે કેટલા સભાન છીએ? માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.


‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ 13

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. માં વિશેની તેમની રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.


દીકરો દેશાવર… (બે અછાંદસ) – જીગ્નેશ અધ્યારૂ 7

દૂર પરદેશમાં વસતા એક દીકરા માટે માંની અપાર લાગણી, એ દીકરાને જવા દેવા અને ન જવા દેવા વચ્ચેની ખચકાટભરી પરવાનગી એક બે વખત જોઇ છે. દીકરો પૈસા કમાવાની, પોતાની કારકીર્દી બનાવવાની, આખાય ઘરના જીવન સ્તરને ઉંચી લાવવાની કામના સાથે મનને કઠણ કરીને વિદેશ પ્રયાણ કરે છે, પણ માં ક્યારેય પોતાના મનને કઠણ કરી શકે? એ દીકરાને પ્રેમ કરતા એક ક્ષણ પણ તે રહી શકે ખરી? પ્રસ્તુત છે બે ભિન્ન દ્રષ્ટીકોણ અછાંદસ સ્વરૂપે.


શ્રધ્ધા – મહેન્દ્ર જોશી 2

‘શ્રધ્ધા’ એક સુંદર અભિવ્યક્તિ ધરાવતું પદ્ય છે. કવિની કરોડરજ્જુ અશક્ત થઇ ગઇ છે, તેમાં ચેતનાનો સંચાર નથી અને તેમની માતા અનેકો ઇલાજ અજમાવે છે, પોતાના પુત્રને ફરીથી સ્વસ્થ કરવા તેઓ આશાનો સંચાર કરવા માંગે છે, કવિને આ દવા, આ ઇલાજોમાં શ્રધ્ધા નથી, તેમને ફક્ત તેમની માતા પર શ્રધ્ધા છે. કવિ અંતે માંને વિનંતિ કરે છે કે પોતાને ફરીથી નાનો બનાવી દે, પયપાન કરાવે, બીજા બધાં ઇલાજો કરતા તેમને આ ઇલાજ જીવી જવા માટેની આશારૂપ લાગે છે.


પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ 7

મમ્મી અને બા વચ્ચેના ફરકની એક પાતળી ભેદરેખાની વાત કરતા કવિ શ્રી વિપિન પરીખ સાવ સહજ રીતે માતૃવંદના કરી શક્યા છે. બા સાવ સરળ અને સીધી છે, તે પોસ્ટકાર્ડ ન લખી શક્તે કે સર્વિસ કરવા ક્યારેય નથી ગઇ છતાં તેના હાથનો સ્પર્શ પામવાથી તે જે ભોજન આપતાં તે અમૃત બની જતું એવી સુંદર યાદ સાથે મને મારી બા ગમે છે એમ તેઓ સહજતાથી કહી જાય છે. અને એ સાથે આ કાવ્યનું અનોખું શીર્ષક પણ આગવી છાપ છોડી જાય છે.


માં – જયન્ત પાઠક 4

બાળકના નાના થી મોટા થવાની પ્રક્રિયામાં એ તેની માતાથી જાણ્યે અજાણ્યે થોડો થોડો દૂર થતો જાય છે. જેમ જીવનમાં નવી ક્ષિતિજો ખૂલતી જાય તેમ તે ક્યારેક બીજા શહેરમાં, ક્યારેક વિદેશમાં એમ વિસ્તરે છે અને એની સાથે સાથે માતાથી તેનું અંતર પણ. આવાજ ભાવોને અભિવ્યક્તિનું સુંદર સ્વરૂપ આપતી શ્રી જયન્ત પાઠકની આ રચના મનમાં એક આગવી છાપ ઉભી કરે છે.


માતા – બરકત વીરાણી ‘બેફામ’ 8

પોતાની સ્વર્ગસ્થ માંને યાદ કરીને કવિ શ્રી બરકત વીરાણી તેમને ઉદ્દેશીને માતાની મહત્તાનું ખૂબ ભાવનાસભર વર્ણન કરે છે. માતા એક બાળકને જન્મ આપે છે, પણ બાળકની પાછળ નામ તેના પિતાનું લાગે છે, આમ પ્રભુ જેમ તેના સર્જનની પાછળ પોતાનું નામ લખતો નથી તેટલી જ મહાનતા માતા પણ બતાવે છે. માતાની સામે પોતે સદાય નાનાં, સદાય વામણા છે તેમ કહેતા ખૂબ હ્રદયસ્પર્શી રીતે કવિ માતાને આ સુંદર કાવ્યમય ભાવાંજલી આપે છે.


સદગત માંને… – અશોકપુરી ગોસ્વામી 4

માતાના મૃત્યુ પછી તેમને, તેમના વહાલને અને સ્નેહભર્યા આલિંગનને યાદ કરતા, માની એક પુત્ર તરફની લાગણીઓને ખોબે ખોબે પીવાની તરસ જાગે ત્યારે કાંઇક આવી સુંદર રચના થતી હશે.. માં મૃત્યુ પામી છે, પણ હજી જીવનની વાટમાં આવતા વિઘ્નોથી માતા બચાવતી એવી યાદ અને માતાના અવસાનના અસહ્ય દુ:ખ વચ્ચે કવિને સતત માતાનું સ્મરણ થાય છે. વહાલને એક માણસની જેમ આળસ મરડીને બેઠું થતું બતાવાયું છે એ તેમના કવિત્વની અને માતા પ્રત્યેના તેમના અપાર સ્નેહની પરાકાષ્ઠા દર્શાવે છે.


માની યાદ – ઝવેરચંદ મેઘાણી 2

કવિએ કદી માતાને પ્રત્યક્ષ નિહાળી નથી, પરંતુ રોજબરોજનાં કાર્યોમાં, રમતો રમતાં, વહેલી સવારમાં ફૂલોની મહેક સાથે, આકાશની વિશાળતામાં એમ અત્ર તત્ર સર્વત્ર કવિને માં જ સાંભરે છે. માતાના વહાલથી, તેના નિર્મળ સ્નેહથી દૂર રહેલું કવિ હ્રદય સતત પ્રકૃતિમાં અને તેના વિવિધ સ્વરૂપોમાં, દરેક કાર્યમાં માતાને ઝંખે છે એમ વર્ણવતી આ સુંદર કવિતા માતાની મહત્તાને ખૂબ વિશદ રીતે વર્ણવી જાય છે.


‘માં’, હજી યાદ છે મને… – ડીમ્પલ આશાપુરી 2

અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. માંની આ બધી વાતો, તેનું વહાલ સતત યાદ આવે છે. નાનકડા બાળકના ગાલ પરનું કાળું ટપકું માતાની ચિંતા, કાળજીનું પ્રતીક છે. શ્રી ડીમ્પલ આશાપુરી, ‘પગલી’ એ ઉપનામથી કાવ્ય લખે છે, પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી રીતે પ્રયોજેલો છે.


જ્યોતિધામ – કરસનદાસ માણેક

જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન મેળવવા, અંધારામાં આશાનું એકાદ કિરણ પામવા, પોતાની ઓળખાણ મેળવવા કવિએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ બધું કર્યા છતાં તેમનો હેતુ સિધ્ધ ન થયો. તેમને અંતે સમજ આવી કે માતાથી વધુ મહાન માર્ગદર્શક કે ગુરૂ અન્ય કોઇ હોઇ શકે નહીં, માતાના હૈયે સદાય પોતાના સંતાનને સનાતન માર્ગદર્શક જ્યોતિ મળે અને જીવનપથ પર તે સફળતાથી ચાલી શકે તેથી વધુ કોઇ મહેચ્છા હોતી નથી તે વર્ણવતી શ્રી કરસનદાસ માણેકની આ સુંદર રચના ખૂબ હ્રદયસ્પર્શી છે.


આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ 1

દાન જો જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડવી જોઇએ એ મતલબની કહેવત આપણે ત્યાં ખૂબ સંભળાય છે. દાનનો મહીમા ખૂબ ગવાયો છે, સોરઠી પરંપરામાં દાનની મહિમા અને તેના લીધે મળતા સંતોષ, નમૂનેદાર કિસ્સાઓ અને એવી અનેક મહાન દાનવીર હસ્તિઓ વિશે કહેવાયું છે, પરંતુ પ્રસ્તુત સમયમાં, જ્યારે તેની ખૂબ જરૂરત છે ત્યારે જ લોકો આવું કરતા ખચકાય છે. સહાય કરવામાં, પ્રભુએ આપણને જે આપ્યું છે તે જરૂરતમંદ સુધી પહોંચાડવામાં જે અનેરો આનંદ મળે છે, તે અવર્ણનીય છે. આવી જ કાંઇક વાત કહેવાનો અહીં પ્રયત્ન છે.


સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર 1

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં ક્યારેક સારા, ક્યારેક નરસા અનુભવો થતાં જ રહેવાનાં, પણ એ દરેક સંજોગોમાં આપણે આપણા ‘સ્વત્વ’ ને જાળવી રાખવું એવો સુંદર બોધ આપતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.


પુસ્તકીયું જ્ઞાન – નિલેશ હિંગુ 29

અક્ષરનાદના વાચકમિત્ર શ્રી નિલેશભાઇ કે હિંગુની ઉપરોક્ત રચના પુસ્તકના જ્ઞાનને જ્યાં સુધી જીવનમાં ઉતારવામાં ન આવે ત્યાં સુધી એ તદન નકામું છે એમ સમજાવતી સુંદર અભિવ્યક્તિ છે. તેમની આવી વધુ રચનાઓ આપણને માણવા મળતી રહે તેવી અપેક્ષા સાથે અક્ષરનાદને ઉપરોક્ત રચના મોકલવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


મનની ઝંખના – ડિમ્પલ આશાપુરી 4

શ્રી ડિમ્પલ આશાપુરીની સુંદર અભિવ્યક્તિની છડી પોકારતી રચનાઓને આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે. પરંતુ આજની આ કૃતિ કાંઇક વિશેષ છે, કારણકે આ રચના તેમની પ્રથમ રચના છે. કોઇપણ રચનાકારના, કલાકારના જીવનમાં ‘પ્રથમ’નું મહત્વ અદકેરું હોય છે. પ્રથમ રચના હૈયાની વધુ નજીક હોય છે. શ્રીમતી ડિમ્પલ આશાપુરીની આ પ્રથમ રચનાનું ભાવભર્યું સ્વાગત છે. અક્ષરનાદ તરફથી આ વિશેષ રચના સૌ સાથે વહેંચવા બદલ તથા અક્ષરનાદને તે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.


આપણી કહેવતો – કણિકાઓ = સંકલિત 15

ખૂબ નાના હતા ત્યારથી અમારા દાદી અમને વાત વાતમાં કહેવતો અને રૂઢીપ્રયોગો ટાંકતા. ક્યારેક તેમના અર્થ ખબર પડતા, ક્યારેક નહીં. પરંતુ એ સાંભળવાની મજા આવતી. હવે તેઓ મારાથી લગભગ પાંચસો કિલોમીટર દૂર બેઠાં છે. અસ્સલ ગામઠી સોરઠી ભાષામાં એ જ લહેકાથી વાત વાતમાં કહેવતો ટાંકવાની ટેવ મારા સહકાર્યકર અને મિત્ર શ્રી શૈલેષ પાંડવને છે. આ સંકલન તેમને આભારી છે. આપણી કહેવતો અને રૂઢીપ્રયોગો આપણી મૂડી છે. આપણામાંથી કેટલાને આ સંકલનમાંથી અડધાથી વધુ કહેવતો ખબર છે? આપણી ભાષાના મૂળ સમાન, બીજ સમાજ આ વાક્યો ફક્ત એકાદ વાક્ય નથી, કેટલીય પેઢીઓના માનસમાં વિવિધ સમયે ઉદભવેલી એ વિચારવીથીકાઓ છે.


ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક’ 3

શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલું અને લોકમિલાપ ટ્રસ્ટ, શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા ખિસ્સાપોથી તરીકે પ્રસિધ્ધ કરાયેલું પુસ્તક “ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી” ખૂબ સુંદર રીતે આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને અંજલી અર્પતું સર્જન છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા તે સન્માનને બિરદાવતો આ લેખ ખૂબ ચોટદાર છે. આ સાથે આ સુંદર પુસ્તિકામાં કેટલાક પ્રસંગો આલેખાયા છે જે આપણા સોરઠી ગ્રામજીવનની, આપણે જેને લોક તરીકે ઓળખીએ છીએ તેવા સામાન્ય માણસોની આગવી પ્રતિભા અને ખુમારીનું દર્શન કરાવી જાય છે.


મોરલો મરતલોકમાં આવ્યો – દાસી જીવણ 3

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો; મોરલો મરતલોકમાં આવ્યો લાલ ને પીળો મોરલો અજબ રંગીલો, વર થકી આવે વેલો; સતી રે સુહાગણ સુંદરી રે, સૂતો તારો શે’ર જગાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો… મોર, તું તો.. ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે; હજી રે નાથજી કેમ ના’વ્યો; કાં તો શામળીયે છેતર્યો ને કાં તો ઘર રે ધંધામાં ઘેરાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો… મોર, તું તો.. રાજકોટ જીલ્લાના ગોંડલ પાસે આવેલ ઘોઘાવદર ગામે થઇ ગયેલા રવિભાણ સંપ્રદાયના ભક્તકવિ, જીવણદાસને તેમની અથાગ કૃષ્ણભક્તિના લીધે દાસી જીવણ તરીકે ઓળખાય છે, તેમના પદો તથા ભજનો આજે પણ લોકજીભે તથા જનમાનસમાં પ્રચલિત છે. ગુજરાતના મીરાંબાઈ ગણાતા જીવણદાસ પ્રસ્તુત ભજનમાં તેઓ આત્માને એક મોરની સાથે સરખાવી તેને મૃત્યુલોકમાઁ આવ્યાના કારણો તથા ઉપાયો વિશે ચિંતન કરે છે.


વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે 1

લગ્નની વિધિમાં સપ્તપદી એ અતિ મહત્વનું અંગ છે. વેદકાળની સપ્તપદીમાં સાત શ્લોકો છે, જેમાં વર કન્યાને ઉદ્દેશીને બોલે છે કે વિષ્ણુ તને દોરે અને તારા થકી આપણને ઐશ્વર્ય પુત્ર આદિની સંપ્રાપ્તિ થાય. આદેશ આપનારા અધિપતિ તરીકે પુરુષને સ્થાપતા હજારો વર્ષો પૂર્વેના આ વચનો આજના યુગમાં અસ્વિકાર્ય તો છે જ, અનુપયોગી પણ છે. બને જોડાજોડ ચાલનારા સહયોગી બની રહે એવાં આશિર્વચન ઉચ્ચારતા શ્લોકોની નવી સપ્તપદી રચાવી જોઇએ, અથવા તો વેદકાળની સપ્તપદીનું નવા સંદર્ભમાં નવેસરથી અર્થઘટન કરાવું જોઇએ. આવું એક અર્થઘટન અહીં આપ્યું છે.


? – જ્યોતિન્દ્ર દવે 2

(અંગત નિબંધ પ્રકારના હાસ્યનિબંધમાં સમાજની કુપ્રથાઓ કે કુરિવાજો પર ધારદાર કટાક્ષ હોય છે, કે પછી અમુક વ્યક્તિવિશેષની આદતો, વિલક્ષણ-વિચિત્ર બાજુ કે ટેવો પર હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન હોય છે. જ્યોતીન્દ્ર દવેના નિબંધોમાં આ પ્રકારના સૂક્ષ્મ હાસ્યના તરંગો બધેજ વહેતા નજરે ચડવાનાં. તેમની કૃતિ “ખોટી બે આની” હાસ્યનિબંધો માટે સીમાચિહ્ન મનાય છે. પ્રસ્તુત નિબંધમાં માણસની વ્યર્થ પ્રશ્નો પૂછ્યા કરવાની આદતની સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરવા માટે ઝાટકણી કરવામાં આવી છે. વિશેષ વર્ણન, વાર્તાલાપ અને પ્રસંગોના યથોચિત ઉલ્લેખથી હાસ્યલેખક નિબંધના સ્તરને પરાકાષ્ઠાએ લઇ જાય છે.


બાબો કે બેબી? – પ્રતિભા અધ્યારૂ 9

21મી સદીમાં પણ હજી એવા ઘણાં મુદ્દાઓ છે જે 18મી સદીમાં સ્થિર થઇ ગયા છે. દીકરી કે દીકરો એ ચર્ચા અને એ વિશેની વાતો ખૂબ થાય છે પણ એ વિષય પર હજી સમાજમાં સુધારાનું પ્રમાણ ખૂબ ઓછું છે. લોકોની વિચારસરણીને બદલાંતા વર્ષો લાગ્યાં છે, સદીઓ લાગી છે, અને છતાંય હજી એ જ જરીપુરાણી માન્યતાઓ, એ જ જડ રૂઢીઓ ચાલી રહી છે. પ્રસ્તુત છે દીકરો કે દીકરી એ વિષય પર મારા થોડાક વિચારો – મંતવ્યો.


ચાર કવિતાઓ – ચિરાગ શાહ 16

અમદાવાદના રહેવાસી અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી ચિરાગ શાહની ચાર કવિતાઓ, તેમના ખૂબ જૂજ સર્જનમાંથી કલમની થોડીક પ્રસાદી છે. ચારેય કવિતાઓમાં વિષયની વિવિધતા અને તેમની અભિવ્યક્તિની નિપુણતા સુપેરે વ્યક્ત થાય છે. ક્યાંક તેઓ પોતાની વાસ્તવિકતા ‘સ્વ’ને સમજાવી રહ્યા છે, ક્યાંક તેઓ મનમાં ઉઠતા વિચારોના વંટોળની વાત કરે છે, ક્યાંક પ્રિયતમાને નિહાળવાની તો ક્યાંક તેઓ અશક્યને શક્ય કરવાની ઇચ્છા વ્યક્ત કરતા જોવા મળે છે. અક્ષરનાદને આ લેખ પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમની સર્જનક્ષમતા બતાવતી આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


વંદે માતરમ ગાવું નહીં, અનુભવવું – જીગ્નેશ ચાવડા 6

“વંદે માતરમ” આપણી આઝાદીનો મહામંત્ર છે. દેશની સ્વતંત્રતા માટે એ મંત્ર પર કેટલાયે પોતાના ધર્મને વચ્ચે લાવ્યા વગર બલિદાન આપ્યા છે, પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ કે ઇસાઇ. વંદે માતરમ ગાઓ કે ન ગાઓ, કોઇ ફરક પડતો નથી, કારણકે એ ગાવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, મનમાં સંઘરવાની ને સતત ઉચ્ચારવાની વસ્તુ છે. સાંપ્રત આ જ વિષય પર શ્રી જીગ્નેશ ચાવડાના કેટલાક વિચારો. અક્ષરનાદને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું – કવિ દાદ 5

પથ્થરની મૂર્તીને કંડારીને તેમાંથી પ્રભુની પ્રતિકૃતિ તૈયાર કરી રહેલા ઘડવૈયાને પથ્થર કહે છે કે મારે પ્રભુ નથી થાવું, એના કરતાં તો માતૃભૂમી માટે સમરાંગણમાં મોતને ભેટેલા કોઇક વીરના પાળીયા થઇને ખોડાવું છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની આ રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે.


સ્મિત એટલે… – જીગ્નેશ અધ્યારૂ 4

મુકુલ ચોકસી સાહેબની રચના પ્રેમ એટલે કે…. ખૂબ ગમે છે. તેની શીર્ષ પંક્તિની મદદથી આ કાવ્યની શીર્ષ પંક્તિ ઉપસી છે. સ્મિતના વિવિધ રૂપો, સ્મિતની પાછળના વિવિધ મનોભાવોને આલેખવાનો આ એક પ્રયાસ છે. સુખ કે દુ:ખ, બંનેમાં સ્મિતનો ઉદભવ કોઇકને કોઇક રીતે થાય જ છે. સ્મિતના વિવિધ કારણો અને પાસાઓને ઉજાગર કરતી આ કાવ્યરચના પર પ્રતિભાવો હાર્દિક આવકાર્ય છે.