Monthly Archives: June 2016


ચાર ગઝલરચનાઓ – પારસ એસ. હેમાણી 8

આજે પ્રસ્તુત છે જાણીતા ગઝલકાર પારસભાઈ હેમાણીની ચાર સુંદર ગઝલરચનાઓ.. અક્ષરનાદને આ ચારેય સુંદર ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ તેમનો આભાર.

શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે
મારી અંદર ક્યાંકતો ભીનાશ પણ છે

દૂર જાવા આમતો મથતો રહું છું
આમ તો તારા ઉપર વિશ્વાસ પણ છે


આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ટભુજા છે – મોરારિબાપુ 5

સમાજમાં શિક્ષકોને ભરપૂર આદર મળવો જોઈએ. જે સમાજ શિક્ષકને આદર આપવાનું ભૂલી જાય છે તે સમાજનું ભવિષ્ય જોખમાય છે. અને શિક્ષક આદરને બરાબર લાયક હોય તે પણ એટલું જ જરૂરી છે. સમાજના આદરમાટે લાયકાત સિદ્ધ કરવા માટે શિક્ષકે આઠ પ્રકારની વૃત્તિઓ કેળવવી પડશે. જે શિક્ષકમાં આ આઠ વૃત્તિઓ હશે તે અવશ્ય લોકાદર પામશે અને આદર્શ શિક્ષક બનશે તેમાં શંકા નથી.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૪ (૩૪ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૧૮-૧૯ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”


લાટા એર્વોડ – રજનીકુમાર પંડ્યા 2

“ઓહો!… ઘણા દિ’એ કાંઈ?”

“બે ચાર વરસ કાંઈ ઘણા દિ’ કે’વાય?” ગોલુભા બોલ્યા – “જિંદગીની સો વરસની હોય ત્યાં બે – ચાર વરસ તો બગાસમાં જાતા હોય એને ઘણા દિ’નો કે’વાય.”

“સાચું, સાચું” વિરોધનો જ્યારે વિરોધ થાય ત્યારે “સાચું, સાચું” એમ બે વાર ભણવાથી સામાનો વિરિધ મોળાઈ જાયએમ શાસ્ત્રમાં ભાલેખ છે.(બનતા સુધી)એ હું સમજું…એટલે મેં પૂછ્યુંઃ “ફરમાવો, કામ ફરમાવો,”

“નાનાના ચાંદલાની વાત હલવું છું.”

“મોટા કુંવરનું પતી ગયું?”


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૧) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


ઘનના ઢગલામાં ખોવાયેલું બાળક – રણછોડ શાહ 3

બાળઉછેર એ પ્રત્યેક મમ્મી – પપ્પાની ફરજ છે. બાળકના જન્મ બાદ તેનો વ્યવસ્થિત, યોગ્ય અને સંપૂર્ણ ઉછેર થાય તે જવાબદારી સ્વીકારવાની તૈયારી સાથે જ બાળકને જન્મ આપવો જોઈએ. આપણને આપણી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વધુ મહત્ત્વની અને અગત્યની લાગતી હોય તો સંતાનપ્રાપ્તિની આશા – અપેક્ષામાંથી દૂર રહેવું બધુ સલાહભર્યું તેનો અર્થ એવો નથી કે જીવનમાં સંતાનના આગમન બાદ વ્યક્તિએ પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું નહીં. પરંતુ સંતાનના વિકાસના ભોગે કારકિર્દી, પૈસા, પ્રતિષ્ઠા મળતાં હોય તો બેમાંથી કોને અગ્રતાક્રમે રાખવું તે મમ્મી – પપ્પાએ સાથે બેસીને નિરાંતે વિચારી નિર્ણય લેવો જોઈએ. નહીં તો અવિકસિત, અર્ધવિકસિત અથવા બળવાખોર સંતાનોના વડીલો તરીકે સમાજમાં ઓળખાવાની તૈયારી રાખવી જોઈએ.


મારો કેરીમાં “રસ” – ગોપાલ ખેતાણી 49

નાનો હતો ત્યારે મે મહિનાની રાહ ઉત્કટતાથી જોતો. પરીક્ષા પૂરી થાય એટલે મોજ. મારા પિતાજીને બુક – સ્ટેશનરીની દુકાન. એટલે વેકેશનમા કામ ઘણુ (જૂના ચોપડા ખરીદવાનું અને તેમનુ કાચુ બાઇન્ડીંગ કરવાનું). વેકેશનમા નાણાકીય ખેંચ રહે એટલે બહાર ફરવા જવાનુ પોષાય નહી, પરંતુ મિત્રો જોડે રમવાનુ, ચિત્રો દોરવા, નજીક આવેલા બાલભવનની મુલાકાત લેવી, એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર થતો. પરંતુ સૌથી વધારે મજા એટલે કેરી માણવાની. પહેલા મિક્ષર અથવા ઈલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર તો હતા નહી. મારા પિતાજી દુકાનેથી આવે ત્યારે કેરી લેતા આવે. એમાથી તે દિવસે ખવાય એવી કેરી શોધી મને આપે એટલે તુરંત એ કેરીઓને ધોઈ કાઢું…


છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૨ (૨૦૫ વાર્તાઓ) 4

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. આજુબાજુ, આગળપાછળ… બધે જ છોકરી. ….પેપર કેમ લખવું? ૨. “તારી વહુ તારી મા જેવી ભલી… ખાવાનું માંગુ તો જ આપે.” ૩. “કેવી સરસ ઠંડી લૂ છે નહી?” પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું. ૪. “તું બર્થડે કેમ નથી ઉજવતો?” “મારો જન્મ ને મારી મા…” ૫. “મારી સાસુ તો કાળના પેટની, ખાવાય નથી દેતી. તોય પેટભરીને….” ૬. “પહેલા ભાઈની દુકાન, પછી મારા લગ્ન.” બહેન બોલી. ૭. “તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.” બા હીંબકે ચઢ્યા. ૮. “દાદા આઘા બેસો, ગંધાવ છો.” ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી…. ૯. પોસ્ટ ગ્રેજ્યુએટ… “…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.” – દિવ્યેશ સોડવડીયા ૧. એણે હાથ પકડ્યો, ને એમ્બ્યુલન્સ પાછી ગઈ… ૨. એના લીધે તો આ કર્યું, ને એ… ૩. હસતો રહ્યો તો ખુશ ગણીને એણેય દુઃખ આપ્યે રાખ્યા.. ૪. ઝભલું, ઘોડીયું, નઝરીયા ને નઝરાઈ ગયેલ જિંદગી.. ૫. ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને દિકરો થયો.. ૬. શું થયું? કોમી.. તો વાંધો નહીં.. ૭. બાસુંદીએ કારેલાને પૂછ્યું.. કડવું એટલે કેવું? ૮. આજે છપ્પનભોગ ને ઈશ્વરને લૂઝ મોશન.. ૯. બાળમજૂર છોડાવવા નીકળેલા ઇન્સ્પેકટર બરાડ્યા. . “છોટુ, બે ચા..” ૧૦. જિંદગીએ પ્લેબોયમાંથી પે બોય બનાવી દીધો.. ૧૧. ખુદા શું કહે? આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા.. ૧૨. શબરી હટાણું કરવા નીકળી ને રામે હાટડી ઉઘાડી.. ૧૩. લોહી નીંગળતું ધારીયું, એક નવજાત છોકરી … અનાથઆશ્રમ ૧૪. સંજોગોએ પથ્થર ફેંક્યા, મનમાં કોમી રમખાણો.. ૧૫. મિલનું ભૂંગળુ વાગ્યું, મજૂરો – ‘હાશ’ મંદિરમાં શંખ ફૂંકાયો ભગવાન – ‘ઓફ્ફ’ ૧૬. એની યાદમાંં રડ્યો’તો યાદ કરીને હસવું […]


અંતિમ સમયની વાતો.. – રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ 1

આજે ૧૬ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭ ના રોજ આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું, કારણકે ૧૯ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭, સોમવારના રોજ સવારે ૬ વાગ્યે આ શરીરને ફાંસી પર લટકાવી દેવાની તારીખ નિયત થઈ છે. એટલે મારે આ લીલા નિયત સમયમાં જ પૂરી કરી દેવી પડશે. આ સર્વ શક્તિમાન પ્રભુની લીલા છે, બધાં કાર્યો એની ઈચ્છાનુસાર જ થાય છે. આ પરમપિતા પરમાત્માના નિયમોનું જ પરિણામ છે કે કેવી રીતે અને કોણે દેહ ત્યાગ કરવાનો છે. મૃત્યુના બધા જ કારણો નિમિત માત્ર છે. જ્યાં સુધી કર્મ પૂરું નથી થતું, ત્યાં સુધી આત્માએ જન્મ મરણના બંધનમાં પડવું જ પડે છે, આ જ શાસ્ત્ર નિશ્ચય છે. છતાં પણ આ વાત તે પરબ્રહ્મ જ જાણે છે કે કયાં કર્મોના પરિણામ સ્વરૂપ કયું રૂપ આ આત્માએ ગ્રહણ કરવું પડશે પરંતુ, સ્વયં માટે આ મારો દૃઢ નિશ્ચય છે કે હું ઉત્તમ શરીર ધારણ કરી નવીન શક્તિઓ સહિત જલ્દી પાછો ભારતવર્ષમાં જ કોઈ નજીકના સંબંધી કે કોઈ ઈષ્ટમિત્રના ઘરે જન્મ ગ્રહણ કરીશ


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૦)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૩ (૪૦ વાર્તાઓ) 10

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.. શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી, “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..”


૬ અનુદિત અસમિયા કવિતાઓ.. – અનુ. યોગેશ વૈદ્ય 3

યોગેશ વૈદ્ય સામે આસામના સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને સમજવાનો આ એક અનોખો અને દુર્લભ મોકો હતો અને તેને બન્ને હાથે વધાવી લેવાનો પ્રયાસ તેમણે કર્યો છે. હકીકતે આ કામે તેમને અંદરથી સમૃદ્ધ થવાની ઘણી તકો પણ આપી છે. કામ આગળ વધતું ગયું તેમ તેમ અનેક અસમિયા કવિઓની સાથે સંપર્ક સ્થપાયો.

અહીં થયેલા અનુવાદ મૂળ કવિતાના હિંદી કે અંગ્રેજી અનુવાદ પરથી થયા છે આથી મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચાયું છે કે કેમ તેની સતત મૂંઝવણ રહ્યા કરી છે. મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચવામાં ઘણી વખત અડચણો આવી છે. આ અનુવાદોને ત્રણ-ચાર વખત તપાસવામાં ખાસો સમય પણ વીત્યો છે. દરેક અનુવાદકે માધ્યમ દ્વારા ઊભા થતા આવા પડકારોનો સામનો કરવાનો હોય જ છે. યોગેશ વૈદ્યે પણ સુંદર કોશિશ કરી છે.


દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોનાલીસા.. – પ્રવીણ શાહ 1

મોના લીસાના પેઈન્ટીંગ (ચિત્ર) વિષે કોણે નહિ સાંભળ્યું હોય? ઘણાએ તો એ અસલી ચિત્ર જોયું પણ હશે. એ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. આ ચિત્ર એ એક સ્ત્રીનું પોર્ટ્રેઈટ છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. એના વિષે સૌથી વધુ સાહિત્ય લખાયેલું છે.

લીઓનાર્ડો દ વિન્ચી મહાન ચિત્રકાર હતો. એણે આ ચિત્ર ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોર્યું છે. એવું કહેવાય છે કે લીઓનાર્ડોએ લીસા ગેરારડીની નામની સ્ત્રીને સામે મોડેલ તરીકે બેસાડીને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ સ્ત્રી એક ગૃહિણી હતી.


ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ… – પરમ દેસાઈ 27

ઉપરનાં સંવાદો જરા.. પચતા નથી, નહીં ? બીલકુલ સાચી વાત છે. તમે આવા જ બીજા પણ ઘણા સંવાદો આધુનિક લેખકો – લેખિકાઓનાં પુસ્તકોમાં વાંચ્યા જ હશે. અલબત્ત, મારો હેતુ એ લેખકો – લેખિકાઓની કલમને ટોકવાનો નથી(!) પણ, મારી વાત તમારી સમક્ષ મૂકવાનો છે.

ઉપર મૂકેલા સંવાદોથી તમને એવું નથી લાગતું કે આ ‘આપણી’ ભાષા નથી? એનો લ્હાવો, એનો રંગ, એનો રોમાંચ એમાંથી લુપ્ત જણાય છે. હું તો એને ગુજરાતી ભાષાનું રીતસરનું ‘ખૂન’ કહું છું. તમે જે કહેતા હો, જે માનતા હો એ માનજો!


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૯)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૬} અંતિમ પ્રકરણ 20

આજે માણો વેર વિરાસત નવલકથાનો અંંતિમ ભાગ. લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર સતત ૪૫ પ્રકરણ ચાલ્યા પછી આજે તેનો અંતિમ ભાગ પ્રસ્તુત થઈ રહ્યો છે.. એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે અક્ષરનાદના વાચકોને આ સુંદર કૃતિ માણવાની તક આપવા બદલ પિન્કીબેનનો ખૂબ આભાર.. તેમની કલમને અનેકો શુભકામનાઓ..


જય સોમનાથ – કંદર્પ પટેલ 5

હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર બિરાજમાન શિવ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રનો પ્રભાસ ભાગ પાસે નૈઋત્ય દિશાથી અરબી સમૃદ્ર નમન કરી રહ્યો છે, ત્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજમાન છે. ‘સૌરાષ્ટ્રે સોમનાથ’નું આગવું મહત્વ છે. સૌથી વિશાળ શિવલિંગ – જેનું રક્ષણ અગાધ સમુદ્ર કરે છે. સીધા દક્ષિણ ધ્રુવ સુધી જઈ શકાય તેવા દિશાસૂચન સાથેનો બનસ્તંભ સમગ્ર પૃથ્વીને જોડીને રાખતો ન હોય ! સતયુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર નામે જાણીતા ભગવાન સોમનાથ.


છેલ્લા વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન – પી. કે. દાવડા 12

સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ  અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.


મારો લડાખનો પ્રવાસ.. – તુમુલ બુચ 24

લડાખ એટલે ભારતનાં દરેક રખડું પ્રકૃતિના પ્રવાસી માટેનું મક્કા – મદીના ગણાય એવું સ્થળ. ગૂગલ પર શોધવા બેસો તો નકશા, ફોટા અને માહીતીલેખોથી ભરેલી લાખો સાઈટ મળી આવે. કબુલ કે, એમાં ન હોય એવું તો કશું પણ મારી પાસે નથી. છતાં દરેક વ્યક્તિનો લડાખ પ્રવાસનો અનુભવ નોખો હોય છે. મેં લડાખ જવાનું નક્કી કર્યું એ દિવસથી ડગલે ને પગલે લેવાયેલા અનેક નાના મોટા નિર્ણયોની ફલશ્રુતિ રૂપે લગભગ પાંચ – છ મહિના પછી હું એ ઘટનાપ્રચુર રાતે લદાખમાં હતો. હું, અને મારા બે મિત્રો – અમે ત્રણ જણા લદાખના પાટનગર લેહમાં રાતના એક વાગ્યે, વરસાદથી બચવા એક દુકાનના છાપરા નીચે ઉભા હતા અને હવે ક્યાં જવું એમ વિચારતા હતા.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૨ (૨૩ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ સર્જનમાં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.. શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી, “હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૮) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૫} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૪}

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal