Monthly Archives: April 2013


‘જીવા’ રદીફ સાથેની ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 10

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. ‘જીવા રદીફ ધરાવતી લગભગ સાત રચનાઓમાંથી ચાર અહીં પ્રસ્તુત છે. ‘જીવ’ને અને એ રીતે સ્વને સંબોધીને લખાયેલ આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ પહેલી પ્રસ્તુતિ છે એ માટે તેમનું હાર્દિક સ્વાગત તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આખ્યાનનું હાર્દ – ઈશ્વર પેટલીકર 3

પ્રહલાદનું આખ્યાન નાનપણમાં સાંભળતાં મને એ સંસ્કાર પડેલા કે હિરણ્યકશિપુ પાપી છે અને પ્રહલાદ પુણ્યશાળી છે. આજે એ આખ્યાન ફરી વાંચતાં પ્રહલાદની ભક્તિનો મહિમા એટલો જ રહ્યો, પણ હિરણ્યકશિપુ પ્રત્યે જે ધિક્કાર હતો તે ચાલ્યો ગયો. એણે પુત્ર ઉપર આટલો બધો અત્યાચાર કેમ કર્યો, તેનો વિચાર કરતાં નને નવું દર્શન થયું. પ્રહલાદનું આખ્યાન પ્રથમ તો એ શીખવી જાય છે કે પિતાના ઇષ્ટધર્મ કરતાં પુત્રનો ઇષ્ટધર્મ જુદો હોઇ શકે. એ પાળવાનો પુત્રને સંપૂર્ણ હક છે, પિતાને એ અંગે વિરોધ કરવાનો હક નથી. એવી પ્રામાણિક માન્યતાને કારણે પુત્ર પિતાની આજ્ઞાનો અનાદર કરે, તો તે પુત્રધર્મ ચૂકે છે તેવું ન માનવું જોઇએ. કોઇપણ માન્યતા અંગે પિતાપુત્ર વચ્ચે પ્રામાણિક મતભેદ ઊભો થાય, તો પુત્રને પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ છે. તે માટે પિતાનો ખોફ વહોરવો પડે, તો વહોરવા તૈયાર રહેવું જોઇએ.


ફૂલ જેમ ફોરમતી ધરીએ… – મકરન્દ દવે 6

સુખ અને આનંદ વચ્ચેની એક ખૂબ પાતળી ભેદરેખાને ઓળંગવી એ આપણા સૌ માટે એક પ્રાણપ્રશ્ન છે. ભૌતિક કે અન્ય સુખોને આનંદ સમજી લેનારાને એની પાછળ જીવનના અમૂલ્ય વર્ષો ખર્ચ્યા પછી, એને પ્રાપ્ત કરવા આકરી કિંમત ચૂકવનારને આખરે એમાંથી આનંદની પ્રાપ્તિ નથી થતી ત્યારે જીવન એવા વળાંક પર આવીને ઉભું હોય છે કે જ્યાંથી પાછું વળીને જોતા આનંદની અનેક ક્ષણ સુખ માટેના સાધનોની પ્રાપ્તિમાં રોળાઈ ગયેલી દેખાય છે, આનંદની એ જથ્થાબંધ ક્ષણોને માણવા સુખ માટેના સાધનોને જતા કરવાનું સૂચવતું આ ગીત સાંઈ મકરન્દની આપણી ભાષાને અનોખી ભેટ છે.


જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

સત્વશીલ, ભાવસભર, મર્મભેદી અને સાત્વિક સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે નિ:શુલ્ક ‘જાહેરાત મુક્ત’ ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશન યોજના હેઠળ જ્યાં અત્યાર સુધી 42 ઈ-પુસ્તકો પ્રસ્તુત થઈ ચૂક્યા છે એવી અક્ષરનાદની ઈ-પુસ્તક યોજનાને બહોળો આવકાર મળ્યો છે. કાવ્ય આસ્વાદ ખૂબ વાંચન, ચીવટ અને વિચારપ્રવૃત્તિ માંગી લેતું ક્ષેત્ર છે. મનપસંદ કાવ્યો અને તેમનો સુંદર આસ્વાદ – એવા અનેક કાવ્યોના રસાસ્વાદની જુગલબંધીને ઉદયનભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં બખૂબી પ્રસ્તુત કરી છે. એક બેઠકે વાંચવુ અને પૂર્ણ કરવું ગમે તેવું આ પુસ્તક અક્ષરનાદને ઈ-સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની તક અને પરવાનગી આપવા બદલ ઉદયનભાઈનો ખૂબ ખૂબ આભાર.


ચુગલીખોર (બાળવાર્તા) – એનિડ બ્લાયટન, અનુ. હર્ષદ દવે 10

એનિડ બ્લાયટન રચિત અને શ્રી હર્ષદભાઈ દવે દ્વારા અનુવાદિત આ સુંદર બાળવાર્તા ‘ચુગલીખોર’ બાળમનમાં ચાડી-ચુગલી જેવા દુર્ગુણો પ્રત્યે એક તિરસ્કાર ઉત્પન્ન કરી શકે છે. બાળકોને નર્યો ઉપદેશ આપવાને બદલે તેમને આવી વાર્તાઓ અને સરળ પાત્રો દ્વારા સંદેશ આપવામાં આવે તો એ તરત ગ્રહણ કરી શકે છે. એ પાત્રો દ્વારા અપાયેલ પરોક્ષ ઉપદેશ તથા એ દ્વારા જરૂરી સારી આદતો સરળતાથી બાળકમાં કેળવી શકાય છે. પ્રસ્તુત સુંદર વાર્તા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


Talking Book

બોલતી વાર્તાઓ.. – હાર્દિક યાજ્ઞિક કૃત વાર્તાઓની ઑડીયો સી.ડી. (Audiocast) 4

>ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઘરેડથી બહાર નીકળીને કાંઈક નવું કરવાનો પ્રયત્ન ખૂબ જવલ્લે જ જોવા મળે છે. ઈ-પુસ્તકોનું ક્ષેત્ર પણ જ્યાં હજુ ખૂબ જૂજ પ્રકાશકો – લેખકો ખેડવા તૈયાર થાય છે એવામાં અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા હાર્દિકભાઈ યાજ્ઞિક તેમના અદભુત અવાજ અને તેમની જ કલમે આકાર પામેલી, વાચકો દ્વારા ખૂબ વખણાયેલી – વંચાયેલી તેમની વીસ વાર્તાઓની ઑડીયોબુક (ઑડીયો સી.ડી) લઈને આવી રહ્યા છે. અક્ષરનાદ પર આજે તેમાંની એક વાર્તાનો થોડોક ભાગ ઑડીયો સ્વરૂપે મૂકાઈ રહ્યો છે જેથી વાચકમિત્રોને તથા ટૂંકી વાર્તાઓના ચાહકોને એ રેકોર્ડીંગ તથા વાર્તાઓની હ્રદયસ્પર્શી અસરની એક ઝલક મળી રહે, આજે પ્રસ્તુત છે તેમાંની એક વાર્તા, ‘ઝૂંપડાનું વાસ્તુ’ નો કેટલોક ભાગ.


ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ 7

ઉકરડો એ આપણી એક સનાતન લોકસંસ્થા છે. લોકગીતની પેઠે એની ઉત્પત્તિ અને વિકાસ પણ અનેક અજ્ઞાત માણસોને હાથે થાય છે. શેરીની બાજુમાં કે ગામને છેડે આવેલી એકાદ ખુલ્લી જગ્યા પર કોઈક આવી રાખની ઢગલી કરી જાય. કલાક બે કલાકે બીજું કોઈ જણ આવી દૂધીનાં છોતરાં કે ડુંગળીનાં ફોતરાં ત્યાં ફેંકી જાય. વળી થોડી વારે ત્રીજું કોઈ આવી તૂટેલી તાવડી કે ફાટેલો જોડો નાખી જાય. આમ ઉકરડાનો પાયો નંખાય, પછી તો વાર્તામાંની રાજકુમારીની પેઠે તે દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે અને એમ કરીને જોતજોતામાં ભારે ઝડપી વિકાસ સાધે. આજે નાની સરખી ઉકરડી હોય તે આવતી કાલે વધીને મોટા મહાકાવ્ય જેવો ઉકરડો બની જાય. તે ક્યારે વધે તે આપણને ખબર પણ ન પડે તેથી જ આપણે તારુણ્યમાં પ્રવેશતી કન્યાની વૃદ્ધિને ઉકરડાના વિકાસ સાથે સરખાવીએ છીએ.


ત્રણ બાળગીતો… – ઝવેરચંદ મેઘાણી 7

બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ‘શિવાજીનું હાલરડું’ હોય, ‘તલવારનો વારસદાર’ કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું ‘ચારણ-કન્યા’, મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાતેહ લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગુંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે ત્રણ બાળગીતો અહીં મૂક્યા છે.


પુસ્તક સમીક્ષા : ‘અર્થના આકાશમાં’ – તરૂણ મહેતા 2

સંવેદનનો સૂરીલો તાર જ્યારે રણઝણે ત્યારે હદય કોઇ ભાવપ્રદેશનું સહયાત્રી થતું હોય છે, ત્યારે માણસ વિશેષણમુક્ત વિહાર કરી શકે. આ સંવેદનાની પ્રબળતા માણસને એક જ ચમત્કારે જાતિ, વય અને ભૌતિક આવરણોથી અનાવૃત કરે છે ભાવનગર ગઝલકારોની ભૂમિ છે અહીં અનેક ગઝલકારો – ગુજરાતી સાહિત્યમાં જેમનું આદરથી નામ લેવાય તેવાં કેટ્લાંક અસ્તિત્વ થયાં છે. આ સુવર્ણરેખા આજે પણ તેટલી જ પ્રબળતાથી આગળ વધી રહી છે. લગભગ 2010 – 2011ના ગાળામાં એક એવું જ નામ આપણી સમક્ષ આવે છે.. શ્રી જીજ્ઞા ત્રિવેદી…!

વ્યવસાયે શિક્ષક એવાં જીજ્ઞાબેન ત્રિવેદી એ 2010 થી સર્જનયાત્રાનો આરંભ કર્યો અને ત્યારબાદ ગઝલના પરીક્ષણ માટે ભાવનગર સ્થિત એકમાત્ર ગઝલ સ્કુલમાં સંવેદનતંત્રને ઘાટીલું બનાવવાનો પ્રયત્ન કર્યો. વરિષ્ઠ અધ્યાપકો અને સર્જક ચેતનાની વચ્ચે આ કવયિત્રીનું સર્જન વધુ ખીલતું ગયું, એના પરિપાક રૂપે ભાવકપક્ષે એક ગઝલસંગ્રહ મળ્યો છે :’અર્થના આકાશમાં’ આજે માણીએ શ્રી તરૂણ મહેતા દ્વારા આ સંગ્રહનો રસલક્ષી અભ્યાસ.


નંદનવન (બાળનાટક) – રમેશ ચાંપાનેરી 3

‘પર્યાવરણ અને તેની જાળવણી’ ના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ બાળનાટક સરળ પરંતુ સબળ છે, સ્પષ્ટ સંદેશ અને છતાંય નાટકના કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને લખાયેલ સંવાદો – વિચારો સાથેની આ કૃતિ આજના સમય માટે એક આદર્શ બાળનાટક છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈ ચાંપાનેરીનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ વિવિધરંગી પદ્યરચનાઓ.. – મનોજ શુક્લ 8

રાજકોટ જીલ્લામાં ન્યાયાધીશશ્રીના અંગત મદદનીશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ શ્રી મનોજભાઈ શુક્લની ભાવઉર્મિઓ તેમના વ્યવસાય ક્ષેત્રથી અલગ સાહિત્યગંગામાં તેમના પદ્યસંગ્રહ ‘લઈ ખિસ્સામાં તડકો’ દ્વારા ગીત, અછાંદસ અને ગઝલ જેવા વિવિધરંગી કાવ્યપ્રકારોમાં અભિવ્યક્ત થાય છે. રાજકોટની સાહિત્યિક અભિગમની સંસ્થા ‘વ્યંજના’ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, ‘સાહિત્યમાં સમાયેલ સહિત કે જેનો વ્યાપ અણુ પરમાણુથી બ્રહ્માંડ અને વ્યક્તિ, વ્યક્તિથી સમષ્ટિ સુધી અનેક તત્વો, ભાવો, તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિના સ્થિત્યંતરો અનેકવિધ રીતે અભિવ્યક્ત થયા કરતાં હોય તે મેં મારા હોવાપણાની ક્ષુલ્લકતા સાથે ચાલતી સતત પ્રક્રિયામાં જે મન, હ્રદયને સ્પર્શી અને વ્યક્ત થવા મથ્યું અને જે થયું તે આ, અહીં થયું.’ આ પહેલા પણ તેમની ત્રણ રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત કરી હતી, આજે આ સંગ્રહમાંથી વધુ એક વખત ત્રણ વિવિધરંગી રચનાઓ પ્રસ્તુત કરી છે.


સ્નેહાંજલી (ટૂંકી વાર્તા) – કલ્યાણી વ્યાસ 7

શ્રી કલ્યાણીબેન વ્યાસની ફેબ્રુઆરી ૨૦૧૩માં ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રસ્તુત થયેલી વાર્તા ‘સ્નેહાંજલી’ અહીં પ્રસ્તુત કરી છે. અખંડ આનંદ સામયિકમાં આવતી કૃતિઓ સત્વસભર અને સુંદર ઉપદેશની સાથે આવે છે એવો સામાન્ય અનુભવ છે, એ જ માર્ગ પર કલ્યાણીબેનની પ્રસ્તુત કૃતિ પણ ઘટનાક્રમની સાથે સાથે સુંદર સંદેશ લઈને આવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર.


વિલક્ષણ ‘વોલી’ની પસંદગી…! – કેન બ્લન્ચાર્ડ અને બાર્બરા ગ્લેન્ઝ, અનુ. હર્ષદ દવે. 7

શ્રી હર્ષદભાઈ દવેને તેમના એક મિત્ર પાસેથી મળેલા અલગ અને વિચારતંત્રને વેગ આપે એવા ઇ-મેલનો અનુવાદ તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે, તે અહીં પ્રસ્તુત કર્યો છે. મુદ્દાની વાત એ છે કે એક ‘સર્વિસ પ્રોવાઈડર’ એટલે કે ‘સેવાઓ ઉપલબ્ધ કરાવતા વ્યક્તિ’ તરીકે તમને ગમે તો જ તમે ગ્રાહકોને સારી સેવા આપી શકો, તે માટે કોઈ તમને પરાણે રાજી કરી ન શકે. કારણ કે ઉત્કૃષ્ટ સેવા આપવી એ આપણી પસંદગીની વાત છે. અહીં ‘વોલી’ નામના એક વિલક્ષણ ડ્રાઈવરની અને તેણે કરેલ આગવી પહેલની વાત મૂકાઈ છે. નાનકડો ફેરફાર પણ સફળતામાં કેવડું મોટું યોગદાન આપી શકે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


Between the Assassinations (પુસ્તક સમીક્ષા) – અશોક વૈષ્ણવ 1

Between the Assassinations ‘બે હત્યાઓ વચ્ચે’ જેવું આકર્ષક શિર્ષક અને અરવિંદ અડીગા જેવું જાણીતા લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને તેનાં આગળ પાછળનાં પાનાં વચ્ચે પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.
હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. – “શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે.”- હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોવા અને કાલીકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં “કિટ્ટુર”ની.


ત્રણ ગઝલ.. – સંકલિત 5

મને ખૂબ ગમતી એવી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. શ્રી નટવર વ્યાસ, શ્રી આદિલ મન્સૂરી અને શ્રી સુધીર પટેલની એવી આ ત્રણેય રચનાઓ અપ્રતિમ છે, સુંદર છે. પ્રથમ રચના સ્વપ્નની સૃષ્ટી છે. સાતેય શેર એક જ વિષય – સ્વપ્ન – ને આવરીને વણાયા છે. બીજી ગઝલ આદિલ મન્સૂરી સાહેબની ‘હજી બેઠો થઉં છું ઉંઘમાં જ્યાં આંખ ચોળીને’ અને ત્રીજી કર્મનો સિદ્ધાંત તથા ધ્યેયની પ્રાપ્તિ માટેની સરળતમ રીત બતાવતી શ્રી સુધીર પટેલની કૃતિ છે, અને આજનું બિલિપત્ર પણ મને એટલું જ પ્રિય છે.


તક.. (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી 20

ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર આ બીજી કૃતિ છે, સત્વસભર અને અનેકવિધ સમાજોપયોગી મુદ્દાઓને સાંકળી લઈને હકારાત્મક સંદેશ આપતી પ્રસ્તુત કૃતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય. આજના બે વિદ્યાર્થીઓની પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવાની ધગશ અને એ માટે ખપ પૂરતા બધાજ પ્રયત્ન કરી છૂટવાની વાત છે જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શુભેચ્છાઓ.


પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ – ઝવેરચંદ મેઘાણી 3

પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાંમોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે. આવી દલિલો કરનારા ભૂલી જાય છેકે નર્યા સાહિત્યકારોમાંના ઘણાનાં, સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલા હોય છે. શ્રી ક. મા. મુનશી જેવા કેટલાય સાહિત્યકારોનાં પોતાના ખૂબ પ્રશંસા પામેલા પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી લખેલા હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી. શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકોમાંના દરેક પાંચ પાંચ દસ-દસ વર્ષની હળવી ધીમી વિચારણા કે હલવા ધીમાં લેખનમાંથી નથી જનમ્યાં.


જીવનનો સૌથી ખરાબ અકસ્માત…

ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ. આજે મારા બ્લોગ ‘અધ્યારૂનું જગત’ પર મૂક્યો છે થોડાક દિવસ પહેલા જ થયેલ દુર્ઘટના વિશેનો ઘટનાક્રમ – જીવનનો સૌથી ખરાબ અકસ્માત…


આચમન.. (કેટલાક વિચારપ્રેરક લખાણો) – સંકલિત 12

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે, પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શક્તાં. છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતિ વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ. આવા જ કેટલાક નાના પરંતુ વિચારપ્રેરક લખાણોનું એક નાનકડું સંકલન આજે પ્રસ્તુત છે.