Monthly Archives: March 2019


ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય 11

ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય તો ખરું જ, પરંતુ જેમને મારી જેમ વાંચન નામનો હરિરસ પીવાની આદત પડી ગઈ છે તેમના માટે તો ગ્રંથાલય કેવળ વિશ્વવિદ્યાલય નહીં, વૃંદાવન પણ છે એટલે જ હિન્દુ શાસ્ત્રોના આચાર્યોએ દેવો જ્યાં વાસ કરે છે તેને દેવાલય કહ્યા અને પુસ્તકો જ્યાં હોય તેને પુસ્તકાલય, ગ્રંથોના નિવાસની જગ્યાને ગ્રંથાલય નામ આપીને તેને મંદિર જેવો ઊંચો અને પવિત્ર દરજ્જો આપ્યો છે. જે રીતે એક ભક્ત દેવાલયમાં પ્રવેશ કરતા જ તેના તન, મનમાં એક શાંતિ અને સુખનો અનુભવ કરે છે તેવી અનુભૂતિ એક સાચો વાચક જ્યારે પુસ્તકાલય / ગ્રંથાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મન-મસ્તિષ્કમાં થાય છે. ત્યાં હાજર તેના જેવા અન્ય વાચકોની હાજરીથી સમગ્ર ગ્રંથાલયનુંં વાતાવરણ અલૌકિક બની જાય છે, વાંચકને વાંચવા માટે આમંત્રણ આપતા વિવિધ વિષયના અસંખ્ય પુસ્તકોની હારમાળા વાચકના તન અને મનને એક અલગ પ્રકારની શાતા / ઠંડક આપી જાય.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦) 2

અંબીને લીધે વૈશાલી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ગણપતિ અને અમાત્ય રાક્ષસ અંબીને આંગણે આવીને ઊભા. તેઓ ઘરનું દિવ્ય વાતાવરણ જોઇને આભા બની ગયા હતા. અને… અંબીને જોઇને છક થઇ ગયા. રાક્ષસ વિચારવા લાગ્યો કે આટલું રૂપ તો તેણે આજસુધીમાં ક્યારેય જોયું નથી. કોઈ આટલું રૂપાળું હોઈ શકે તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે? વૈશાલીના યુવાનો જો આની પાછળ પાગલ ન થાય તો તેઓ યુવાન કેવી રીતે કહેવાય! અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ઠ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી આંખો, સપ્રમાણ નિતંબ, નાભિ પ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!


વાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2

‘વાદળાં વરસાદના રે’ સંગ્રહમાંથી આજે ત્રણ બાળગીતો, ‘પંખીડું મારું’, ‘એ તો આવે છે’ અને ‘બાર મહીના’, સાભાર અહીં પ્રસ્તુત કર્યા છે. બાળગીતો અને કાવ્યોનો આ સુંદર સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી જિતેન્દ્ર પ્રજાપતિનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.


‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ 11

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી શ્રેણી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ જોયા પછી મન અફસોસથી ભરાઈ ગયું. ઓશો જીવતા હતા ત્યારે તેમની સાથે અમેરિકામાં જે થયું એ તો ભારોભાર પૂર્વગ્રહયુક્ત હતું જ પણ આ ડોક્યુમેન્ટરી એ જ બીમાર માનસિકતાને એક દેખાવડા સજાવેલા માળખા સાથે સાચી ઠેરવવાનો સુનિયોજીત પ્રયત્ન છે. હું ઓશોનો અનુયાયી નથી અને એમના એકાદ બે પુસ્તકો બાદ કરતા કે ઓનલાઈન અમુક વિડીઓ જોવા સિવાય એમનો ખાસ ચાહક પણ નથી, પણ આ ડોક્યુમેન્ટરી જોયા પછી એમના વિશે અને આનંદશીલા વિશે ઘણું વાંચ્યુ. અને આખરે ઘણાં વખતે આ રિવ્યૂ પૂરો કરી શક્યો છું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)

આપણાં વેદોમાં ખાસ કરીને અથર્વ વેદમાં, પુરાણોમાં, રામાયણમાં, મહાભારતમાં અને જૈન તથા બુદ્ધ ધર્મમાં મગધ જેવા મહા રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડીસા વિસ્તારનો એ પ્રાંત રાજગૃહ (રાજગીર) તરીકે ઓળખાતો હતો. જે પછીથી મગધની રાજધાની પાટલીપુત્ર બન્યું અને આજે તે પટણા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એ બે હજાર સાતસોથી વધારે વર્ષોનો ઈતિહાસ ધરાવે છે. મગધમાં જ મૌર્યસામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યનાં મૂળ મળી આવે છે.


ફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ 2

આજકાલ ફેમિનિઝમનો વાયરો વાય છે, ઘણી રીતે એ યથાર્થ પણ છે. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કદાચ હવે આઉટડેટેડ છે, પોતાના અલગ અસ્તિત્વને ઝંખતી – પામતી સ્ત્રીઓની વાત કહેતી ઘણી ફિલ્મો – ટી.વી અને વેબ શ્રેણીઓ આવી રહી છે, એમાંથી ઘણી એ વાતને યોગ્ય રીતે મૂકી શકવામાં સફળ રહી છે, અમુક એવી પણ છે જે ફેમિનિઝમના પેકેટમાં એ જ ચવાઈને ડુચ્ચો થઈ ગયેલી વાતો ભયાનક રીતે ડ્રામેટાઈઝ કરીને મૂકે છે..


શિવત્વ – ચિરાગ ડાભી 3

શિવ સમાન કોઈ સાંસારિક નથી અને શિવ સમાન કોઈ વૈરાગી પણ નથી. આ બંને વચ્ચેનો ભેદ પાડી, તેવું આચરણ તો આ શિવ જ કરી શકે. તેઓ મોટાભાગનો સમય તો તપ અને સાધનામાં જ વિતાવે છે, પરંતુ સાથેસાથે પોતાના કુટુંબનું પાલન-પોષણ તેમજ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન પણ કરે છે. પણ આ શિવ કોનું તપ કરે છે? કોનું ધ્યાન ધરે છે? તેઓ કહે છે, ‘આ હરિ મારો ઈશ્વર અને હું તેમનો દાસ.’ જ્યારે હરિ કહે છે, ’હું હરનો દાસ અને હર મારા ઈશ્વર.’ આમ જ આ હરિહર, આ બ્રહ્માંડના પાલનકર્તાઓ દાસત્વની ભાવનામાં પોતાનું ‘હું’ પણું ઓગાળી દે છે. એટલે જ તો તેઓ અહંકાર વિના આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)

અંબી દિવસે દિવસે મોટી થતી જતી હતી. મહાનામન વૈશાલીમાં અંબારા ગામેથી ફરી વૈશાલીમાં આવ્યા પછી તો જાણે હંમેશાં વિચારોમાં જ ખોવાયેલા રહેવા લાગ્યા. સુદેશા પણ અંબી સાથે જાણે અંબી જેવડી થઇ ગઈ હતી. હવે તેને કંટાળો આવતો નહોતો, હવે તેને પહેલાં જે થાક લાગતો હતો તે પણ લાગતો ન હતો. જાણે અંબીનાં સ્વરૂપે તેને નવજીવન મળ્યું હતું.