Monthly Archives: August 2014


શશાંકને ઠોઠ કહી શકાય? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૩) 7

૧૪ વર્ષનાં શશાંકના મમ્મી શ્રદ્ધાબેન પોતાનાં દિકરાના બુદ્ધિ આંક પ્રત્યે ચિંતિત હતાં. શ્રદ્ધાબેનનાં કહેવા પ્રમાણે શશાંકની યાદશક્તિ, સમજશક્તિ તથા ગ્રહણશક્તિ ઓછી થઈ ગઈ હતી. આઠમાં ધોરણમાં ભણતો શશાંક છઠ્ઠા ધોરણ સુધી વગર ટ્યુશને ક્લાસમાં પ્રથમ કે દ્વિતીય આવતો હતો અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવતા. સાતમા ધોરણમાં એનો નંબર થોડો પાછળ ગયો અને આઠમાની છ માસિક પરીક્ષામાં શશાંક એક વિષયમાં નાપાસ થયો. શ્રદ્ધાબેનને સમજાતું જ ન્હોતુ કે પહેલા કરતા ઘણી વધારે મહેનત કરતો હોવા છતાં શશાંક ભણવામાં દિવસે ને દિવસે કેમ પાછળ પડતો જાય છે?


ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ 28

અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્રદ વિગતો રજૂ કરે છે. પૂર્વીબેનની રચનાઓ તેમના સંશોધન અને અભ્યાસપૂર્ણ તારણોથી સમૃદ્ધ હોય છે, એમ આજનો તેમનો લેખ પણ માહિતીપ્રચૂર થયો છે. આવી સુંદર અને ઉપયોગી કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ પૂર્વીબેનનો આભાર.


પરથમ પરણામ મારા લાડુજીને કહેજો… – અરુણા જાડેજા 10

આજે ગણેશજીના આગમનનો દિવસ, કહેવાય છે કે પાર્વતીજીએ ગુફાની બહાર બેસાડેલા ગણેશજીએ શિવજીને અંદર જતા રોક્યા, ગુસ્સે થયેલ શિવજીએ તેમનું મસ્તક કાપ્યું, પાર્વતીજીના વિલાપ અને સ્પષ્ટતાએ ગણેશજીને હાથીનું મસ્તક મળ્યું, આમ ગણેશજીનો પુનર્જન્મ થયો એ ઘટના ભાદરવા સુદ ચતુર્થીના દિવસે થઈ હોવાનું મનાય છે. ઈ.સ ૧૮૯૩થી આ દિવસને લોકમાન્ય ટિળકે સાર્વજનિક ઉત્સવના સ્વરૂપે મૂક્યો. ગણેશજીનું પ્રિય ભોજન એટલે લાડુ, તો બામણભાઈનો લાડુ સાથેનો જન્મોજન્મનો નાતો એવું કહેવાય છે, એ જ લાડુ વિશે વિગતે વાત આજે અરુણાબેન જાડેજાના પ્રસ્તુત લેખમાં મૂકાઈ છે. નવનીત સમર્પણના જુલાઈ ૧૪ના અંકમાં પ્રસ્તુત થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અરુણાબેનનો ખૂબ આભાર.


બે અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 6

દિનેશભાઈ જગાણીના સર્જન સ્વરૂપ અનેક અછાંદસ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજના તેમના બે અછાંદસ આજકાલના વરસાદી ‘ફ્રેન્ડશીપ ડે’ ના વાતાવરણને અનુરૂપ રચનાઓ છે. ફ્રેન્ડશીપ ડે ની નિરર્થકતા અને વરસાદી સાંજે એકલતાના ઓછાયામાં પ્રિયતમની યાદમાં ખોવાયેલ કવિ તેમની વ્યથા આ રીતે વ્યક્ત કરે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ આભાર, શુભકામનાઓ.


ત્રણ માઈક્રો ફિક્શન વાર્તાઓ – સમીરા આસિફ 15

બોરીવલી ઈસ્ટ, મુંબઈ ખાતે રહેતા સમીરાબેનની અક્ષરનાદ પર આ પ્રથમ રજૂઆત છે અને મને આનંદ છે કે તેમની પ્રથમ કૃતિઓ માઈક્રો ફિક્શન છે. તેઓ લઘુકથાઓ અને ગઝલ પણ લખે છે. માઈક્રોફિક્શન લખવાનો આ તેમનો પ્રત્યમ પ્રયાસ છે એ બદલ અને અક્ષરનાદને આ ત્રણ સુંદર કૃતિઓ મોકલવા બદલ સમીરાબેનનો આભાર અને શુભકામનાઓ.


વિદેશની અટારીએથી.. વેબજગતનું વાંચન – જિતેન્દ્ર પાઢ 9

મૂળે અમદાવાદમાં જન્મેલા, નવી મુંબઈ – વાશીમાં રહેતા અને હાલ પૉર્ટલેન્ડ, અમેરિકા સ્થિત જિતેન્દ્રભાઈ પાઢ પત્રકારત્વ અને સાહિત્યના જીવ છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકો સાથે કામ કર્યા બાદ ૨૦૦૫માં તેમણે નવી મુંબઈમાં માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી જેવી અનેકવિધ જવાબદારીઓ સાથે અખબાર કર્યું. અત્યારે તેમના પુત્ર સાથે તેઓ પૉર્ટલેન્ડ છે. આજના લેખમાં એક અમેરિકન એન.આર.આઈ વાચકની નજરે તેઓ ઇન્ટરનેટ અને આપણી ભાષાના ઓનલાઈન સાહિત્યની વાત લઈને આવ્યા છે. અક્ષરનાદને લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ જિતેન્દ્રભાઈનો આભાર.


અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 6

લિઓનો બ્લોગ મારા વ્યવસાયિક જીવનમાં અનેક વખત ઉપયોગી થયો છે, અને ઉપરોક્ત અનુવાદ કર્યો છે એ લેખને હું લગભગ નિયમિતપણે વાંચતો રહું છું, આવા અનેક લેખ જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. ઝેનહેબિટ્સની હેબિટ ઘણીવાર નાની બાબતો પર મોટી વાત કહી જાય છે. આ સુંદર લેખ બદલ લિઓનો આભાર, આશા છે મારી જેમ અન્ય વાચકોને પણ આ બાબતો ઉપયોગી થશે.


ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર 1

કાકાસાહેબ દૈનંદિની વાસરી ઘણાં વર્ષો લખતાં રહેલા, તેમને થતું કે જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ચિંતન કરીએ અને એ વાટે પોતાના પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ. આવા રોજીંદા ચિંતનને તેમણે ડાયરીના પાનાંની મર્યાદામાં બાંધીને લખવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૬૮માં તેમણે બસો સત્તાવીસ દિવસ માટે આવું ચિંતન નોંધ્યું છે, તેમાંથી ત્રણ મોતી આજે પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખ ‘પ્રાસંગિક પ્રતિસાદ’ જે તે દિવસનું ચિંતન – પુસ્તકમાંથી સાભાર લેવાયા છે. અત્રે પ્રસ્તુત ત્રણ મણકા વિવિધ વિષય જેમ કે, રિવાજી દુઃખ વિશે, ધર્મને બદલે લોકકેળવણી વિશે અને વિશ્વાસમૂલક આસ્તિકતા વિશે લખાયેલા ટૂંકા લેખો છે.


સર્જનશીલ શિક્ષક, રાજેશ દલાલ – રાધિકા હર્ઝબર્ગર, આલોક માથુર, અનુ. હર્ષદ દવે 2

જેમનો વૈશ્વિક સ્તર પર મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર કરવામાં આવે છે તેવા જે. કૃષ્ણમૂર્તિએ રાજેશ દલાલને પોતાની સાથે રહેવા માટે આમંત્રિત કર્યા હતા. કારણ કે તેઓ સર્જનશીલ શિક્ષક હતા. રાજેશ દલાલ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી હતા. તેઓ કાનપુર આઈઆઈટીના સ્નાતક હતા. પરંતુ પોતાની ઉજ્જવળ કારકિર્દીની તક તેમને વારાણસીની રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાતા અટકાવી શકી ન હતી. ૧૯૮૬માં કૃષ્ણમૂર્તિના દેહ વિલય બાદ તેમણે ચેન્નાઈમાં ‘વસંત વિહાર’ ને સ્ટડી સેન્ટર તરીકે વિકસાવવામાં સારો એવો ફાળો આપ્યો હતો અને કેએફઆઈની બધી શાળાઓ તથા અભ્યાસ કેન્દ્રો સાથે પણ તેઓ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે કૃષ્ણમૂર્તિના બોધને આત્મસાત કર્યો હતો. તેમણે ઘણા યુવાન લોકોને અને નવાગંતુકોને કૃષ્ણમૂર્તિના બોધને સમજવામાં ભરપૂર સહાય કરી હતી. કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન તરફથી પ્રકાશિત થતી પત્રિકા ‘અંતરમેળ’ નાં મે-ઓગસ્ટ અંકમાં તેમને આપવામાં આવેલી ભાવાંજલિનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે.


૧૦ માઈકો ફિક્શન વાર્તાઓ (ભાગ ૫) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 21

ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિકની આજની દસ માઈક્રોફિક્શન વાર્તાઓ વાચકોના તેમના સર્જનને મળી રહેલ અઢળક સ્નેહ અને ઉત્સાહના ફળ સ્વરૂપ રચનાઓ છે. સુંદર પ્રતિભાવો લેખકને વધુ સારી રીતે સર્જન માટે પ્રેરણા આપે છે, આશા છે દર વખતની જેમ આ પાંચમા ભાગમાં પણ હાર્દિકભાઈની માઈક્રો ફિક્શન રચનાઓ માણવી આપને ગમશે. હાર્દિકભાઈની આ પહેલાની રચનાઓ પોસ્ટની નીચે તેમના નામ પર ક્લિક કરવાથી માણી શકાશે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


અભિવ્યક્તિની અનુભૂતિ – દિનેશ કાનાણી 9

કવિમિત્ર શ્રી રાકેશભાઈ હાંસલીયાને રાજકોટમાં તેમના ઘરે મળ્યો, અને તેમની પાસેથી શ્રી દિનેશભાઈ કાનાણી સંપાદિત સુંદર સામયિક ‘ડાયલોગ’ના બે અંકો મળ્યા. સુંદર સંપાદનનો અનુભવ સાથે સાથે એક કવિની પોતાની અનુભૂતિનો સ્વાદ પણ આ સામયિકમાં વાચકને મળી રહે છે. જુલાઈ-ઓગસ્ટના અંકમાં દિનેશભાઈએ મૂકેલ ‘આ ક્ષણે આટલું કહેવું છે..’ આજે મેં અપનાવેલ શીર્ષક ‘અભિવ્યક્તિની અનુભૂતિ’ સાથે મૂક્યું છે. સુંદર અછાંદસ આજના સમયની અભિવ્યક્તિમાં રહેલ ખાલીપણા વિશે કહે છે.


શું સૌરભ બગડી ગયો છે? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨) 7

સૌરભ એના રૂમમાં કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠો હતો અને કંઈ કામને લીધે આરતીબેન અચાનક બારણાને ધક્કો મારી સૌરભની રૂમમાં દાખલ થયા. આરતીબેનને જોઈને સૌરભ ચમકી ગયો અને ઝડપથી કોમ્પ્યુટરનું સ્ક્રીન ફેરવી નાખ્યું પણ ત્યાં સુધીમાં સ્ક્રીન પર શું હતું તે આરતીબેને જોઈ લીધું હતું. ખૂબ જ આઘાત પામેલ સ્થિતિમાં આરતીબેન રૂમમાંથી બહાર નીકળી ગયા.


અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રો ફિક્શન સ્પર્ધા ૨૦૧૪ 37

આજના સ્વતંત્રતા દિવસના સપરમા અવસરે, લાંબા સમયથી જેની ખૂબ ઇચ્છા હતી એવી અક્ષરનાદની સૌપ્રથમ સ્પર્ધા – આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ ની જાહેરાત કરતા અત્યંત આનંદ થાય છે. આજની પોસ્ટ અંતર્ગત સ્પર્ધાના નિયમો વિશે જણાવ્યું છે…


ચાર કૃષ્ણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ 15

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. રક્ષાબંધન, જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ, કૃષ્ણમય થવાના ભીના ભીના અનરાધાર દિવસો.. પણ ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક બીજા ઘરને, એક મહત્વની હસ્તીને તો જાણે ભૂલી જ જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે એની કલ્પના દેવિકાબેન પ્રસ્તુત કરે છે, તો અન્ય એક રચનામાં કોમ્પ્યુટરના સ્ક્રીન પર કૃષ્ણને આમંત્રણ પણ પાઠવે છે. કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


 ‘Khamā Gayrne’. (Akoopar in English) – Dhruv Bhatt 7

શ્રી ધ્રુવ ભટ્ટની ગીરની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર માંથી આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુતિ થઈ છે. અકૂપારનો હાલમાં જ અંગ્રેજીમાં અનુવાદ પ્રો. પિયુષ જોશી અને ડૉ. સુરેશ ગઢવીએ કર્યો છે. અકૂપારના આ અંગ્રેજી સંસ્કરણમાંથી થોડો ભાગ આજે અક્ષરનાદના વાચકો માટે ધૃવભાઈની પરવાનગી સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. આ પહેલા સમુદ્રાન્તિકેનો પણ અંગ્રેજી અનુવાદ રજૂ થયેલો છે. અકૂપારના અંગ્રેજી સંસ્કરણ માટે ધ્રુવભાઈને અભિનંદન સહ શુભકામનાઓ.


મધુરજની અને રજનીગંધા! – વલીભાઈ મુસા 12

અક્ષરનાદ પર વલીભાઈની વાર્તાઓ સમયાંતરે સતત પ્રસ્તુત થતી રહે છે, એ જ શૃંખલામાં તેમની તરોતાજા વાર્તા નવપરણિત યુગલની આંતરીક સમજણની અને તેમના સહજ મનમેળની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 7

યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


કાંડા ઘડિયાળ (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ 18

એક સંપાદકનું એ સદભાગ્ય હોય છે કે તેને અનેક અનોખી અને સુંદર કૃતિઓ સૌથી પહેલા માણવાનો અવસર મળે છે. કેટલીક કૃતિઓ વાંચીને એક સંપાદક તરીકેની મારી વર્ષોની ફરજ મને સફળ થતી લાગે છે, એવી જ એક કૃતિ આજે પ્રસ્તુત કરી રહ્યો છું, હેમલભાઈ વૈષ્ણવ માઈક્રોફિક્શનમાં તેમનો હાથ સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા છે અને વાચકોના પ્રતિભાવ સાથે પ્રેમને પામ્યા છે. આજની તેમની કૃતિ એક વાર્તાકાર તરીકેની તેમની નવોદિત છબીને તોડીને તેમને પ્રસ્થાપિત લેખકની શ્રેણીમાં મૂકી શકે એટલી સબળ અને સુંદર થઈ છે. ‘કાંડા ઘડિયાળ’ને તાંતણે બંધાયેલી તેમની આ આખીય વાર્તા એક અનોખી લયબદ્ધતા લઈને આવે છે. વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ હેમલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ 23

પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, “નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.” આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


રવિનું ઓળખપત્ર – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૧) 11

ઝંખનાબેન ખૂબ વ્યાકુળ હતાં. મારા ક્લીનીકનાં વેઈટીંગ રુમમાં દસ મિનિટનું વેઈટીંગ પણ તેમને અકળાવતું હતુ. ઝંખનાબેન એમના ૮ વર્ષનાં દિકરા રવિ માટે ખૂબ ચિતિંત હતા. રવિનું વર્તન એમને સમજમાં નહોતુ આવતુ. છેલ્લા ૨-૩ મહિનાથી રવિ સ્કૂલમાં, ટ્યુશનમાં અને ઘરની બહાર સોસાયટીમાં બિલકુલ શાંત બેસી રહેતો. ક્લાસમાં પૂછે એના જવાબ ન આપતો, ઈતર પ્રવૃત્તિઓથી તદ્દન દૂર રહેતો, રીસેસમાં એકલો જ ટીફિન ખાતો, સ્કૂલના ગ્રાઉન્ડ પર પણ બીજા બાળકો સાથે રમતો નહી. ઘરની બહાર સોસાયટીમાં પણ રવિની ઉંમરના ૮-૧૦ બાળકો હોવા છતાં રવિ કોઈ સાથે રમતો નહીં અને એકલો જ બેસી રહેતો. સગા-સબંધીઓને ત્યાં કે બહારગામ લગ્નપ્રસંગે જતાં ત્યાં પણ રવિ બધાથી અતડો રહેતો. જ્યારે ઘરમાં આનાથી તદ્દન વિરુધ્ધ વર્તન કરતો.


બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો : શૃંખલા સ્વરૂપે – ડૉ. નીના વૈદ્ય 3

ડૉ. નીના પિયુષ વૈદ્ય અમદાવાદની બી જે મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ (૧૯૮૮) તથા બાળરોગ નિષ્ણાંત (૧૯૯૧)ની પદવી મેળવી શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પીડિઍટ્રિશન તરીકે પ્રેક્ટિસ કરે છે. આ રોજીંદી પ્રેક્ટિસ દરમિયાન તેમને બાળકોની સાયકોલોજીને મેડીકલ સિવાયના દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર લાગી. આથી તેમણે એમ.એસ યુનિવર્સિટી વડોદરાથી ગાઈડન્સ અને કાઉન્સેલિંગ (૨૦૦૧ – ૨૦૦૨)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. બાળઉછેર દરમિયાન માતા-પિતા દ્વારા અજાણપણે થતી નાની ભૂલોની બાળમાનસ પર થતી અસર પર આધારિત તેમનું ચિંતન અને તેમની બાળક સાથેની કાઉન્સેલીંગની બેઠકનાં વાસ્તવિક અનુભવો અક્ષરનાદના વાચકો સાથે લેખના માધ્યમથી કેટલીક રોજીંદી ઘટનાઓ અને પ્રસંગો શ્રૃંખલા રૂપે રજૂ કરવા જઈ રહ્યા છે. દર પખવાડીયે રવિવારે પ્રસ્તુત થનાર તેમની આ શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે. શ્રેણીની સફળતા બદલ ડૉ. નીનાબેનને શુભકામનાઓ અને અક્ષરનાદને તેમના અનુભવ અને ચિંતન વહેંચવાના માધ્યમ રૂપે તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર, તેમની કલમને શુભકામનાઓ.