Monthly Archives: November 2016


ગામડે પાછી વળી.. – સં. સુરેશ જાની 4

હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.

આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી 7

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 6

રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.

જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.


લીંબુડા ઝૂલે તારા બારણે છબીલારાજ… – રમેશ ચાંપાનેરી 2

લીંબુ-મરચાની પોટલીને હું જ્યારે જ્યારે કોઈની બારસાખે, લટકતી જોઉં છું, ત્યારે ત્યારે મને દયા આવે છે. શું જમાનો આવ્યો.. આટલી સરસ શાકભાજીને સાલુ ફાંસીએ લટકવાનું… માનવીને ત્યાં લીંબુ-મરચાંના દર્શન કરતાં સહેલાઈથી મા-બાપના દર્શન થતાં હોય, એમ ફોટા મૂક્યા હોય તો વડીલ ભૂતની પણ તાકાત નહીં કે મેલી નજરને એડમિશન આપે.


શૅર ધ લોડ – આરોહી શેઠ 8

હમણાં થોડા સમયથી ઍરિયલ ઈન્ડિયાની જાહેરાત આવે છે. શૅર ધ લોડ. ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક જાહેરાત છે. એક પિતા પોતાની પુત્રીના ઘરે જાય છે અને જુએ કે પોતની લાડકવાયી કેટલી મોટી થઈ ગઈ છે. ઘરના બધા કામ સંભાળે છે સાથે નોકરી પણ કરે છે, તેનો પતિ પણ નોકરી કરે છે! ..ફક્ત નોકરી જ કરે છે.


વેકેશન.. – શૈલેશ પંડ્યા 6

આજથી વેકેશનનું હસતું રમતું છેલ્લાં દોઢ મહિનાથી ઊછળતું-કૂદતું, ખીલતું ને આંગણને ખીલાવતું ફૂલ હવે કરમાઈ જશે. મામાનું ઘર હવે ખાલી ખાલી લાગશે.. આપણા સૌરાષ્ટ્રમાં તો વેકેશનનો મહિનો એટલે મામાનો મહિનો.. ભાગ્યેજ કો’ક ઘર એવું હશે કે જેના બાળકો વેકેશનમાં મામાને ઘરે ના ગયા હોય..


કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા 20

બ્રિટનની એટલી સરકારે હિન્દુસ્તાનને આઝાદી આપવાનો નિર્ણય લીધા પછી, એની પુર્વ તૈયારી રૂપે ઓગસ્ટ ૧૯૪૬ માં વાઈસરોય લોર્ડ વેવલના વડપણ નીચે સંપૂર્ણપણે હિન્દુસ્તનીઓનું પ્રધાનમંડળ નિમ્યું. એ પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરૂ, લીયાકાતઅલીખાન, વલ્લભભાઈ પટેલ, આઈ. આઈ. ચુંદરીગર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુર રબ નસ્તાર, મૌલાના આઝાદ, સી. રાજગોપાલાચારી, ડો. જહોન મથાઈ, ગઝનફરઅલી ખાન, સરદાર બલદેવસિંગ, જગજીવનરામ, સી. એચ. ભાભા. અને જોગેન્દ્રનાથ મંડલ મંત્રીઓ હતા. કુલ ૧૪ પ્રધાનોમાંથી ચાર મુસ્લીમ હતા.


આજ દિવાળી, કાલ દિવાળી – ગોપાલ ખેતાણી 20

“દિવાળી” – આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી.

અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ધમધમતું બજાર. અત્યારે દિવાળી એટલે શોપીંગ મોલમાં જ ઉઠાવાતો આનંદ. દિવાળી એટલે રજાઓ છે તો ઘરને તાળા મારી બહાર નીકળી જવાની તક. ઘરે હોય તો મહેમાન આવશે ને?!! કોણ નાસ્તા બનાવવાની અને પરોણાગત કરવાની લપ કરે. રજા આવી છે તો બહાર ફરી લઈએ, નિરાંત તો ખરી.