Yearly Archives: 2019


ટામેટું રે ટામેટું.. – આરોહી શેઠ 8

ટામેટું રે ટામેટું,
ઘી ગોળ ખાતું’તું,
નદીએ ન્હાવા જાતું’તું…
યાદ આવી ગયું બાળપણ? પણ આ ટામેટું કેવી રીતે નદીએ ન્હાવા જશે? નદી તો સૂકાઈ ગઈ. જ્યાં પીવાના પાણીના સાંસા હોય ત્યાં નહાવાની તો વાત જ જવા દો.


સુનંદા વશિષ્ઠ : ધ વૉરિઅર – ચેતન ઠાકર 11

કહેવાય છે કે ‘હિસ્ટ્રી નેવર રીપીટ’ પરંતુ હંમેશા ઇતિહાસ સમયાંતરે પુનરાવર્તન કરતો જ હોય છે તેના સ્વરૂપ અને માર્ગમાં ચોક્કસ ફેરફાર હોઈ શકે. આજે મારે કંઈક આવી જ ખુશીથી તરબતર કરી દે અને ગર્વ થાય એવી એક વાત કરવી છે જેમાં ઇતિહાસ કેવી રીતે પુનરાવર્તિત થાય છે તેનું સચોટ ઉદાહરણ છે. અહીંયા વાત છે વર્તમાન ભારતની એક લોખંડી સ્ત્રીની કે દીકરીની જેનું નામ છે સુનંદા વશિષ્ઠ. તેમને ટીવી ઉપર કે યુ-ટ્યુબ ઉપર બોલતા જોવા અને સાંભળવા તે દરેક ભારતીય માટે ગૌરવ આપનારી ઘટના છે. તેના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી.


ચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર 8

ઉત્તરકાશી રામકથામાં ‘સર્જક યાત્રા’ ને લીધે અનેક સર્જકમિત્રોના સંગાથનો લાભ મળ્યો. મને પરિચિત સર્જકો સાથે મિત્રતા વધુ ઘનિષ્ઠ થઈ અને ઘણા સર્જક મિત્રોનો પહેલીવાર વિશેષ અંગત પરિચય થયો. આ યાદીમાં કવિ શ્રી પાર્ષદ પઢિયારને પણ મળવાનું થયું. તેમના તરફથી તેમનો ગીત અને ગઝલ સંગ્રહ ‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ તેમણે મને ભેટ આપ્યો અને વળતી મુસાફરી દરમ્યાન એમાંથી પસાર થવાનો અવસર મળ્યો.


દિવાળી : तमसो मा ज्योतिर्गमय – ગોપાલ ખેતાણી 14

અક્ષરનાદનો અવાજ અને ઓળખાણ છે એવા સર્જક સહયોગી મિત્રો જેઓ આ વેબસરનામાને એક એવુંં પોતીકું આંગણું ગણે છે જ્યાં તેઓ ઉલ્લાસપૂર્વક અને નિખાલસપણે પોતાના વિચારો, સર્જન અને પ્રયોગો મૂકી શકે છે. અક્ષરનાદ વિક્રમ સંવત્ત ૨૦૭૫ના આજના અંતિમ દિવસની સંધ્યાએ, જ્યારે ચોતરફ ચોપડા પૂજનનો ઉત્સાહ છે ત્યારે ગોપાલભાઈના આજના આ વિચારપૂર્ણ લેખ દ્વારા અક્ષરની આ ઓનલાઈન પરબમાં શ્રી સવા લખી નવા ખાતાની શરૂઆત કરીએ છીએ. સર્વે મિત્રોને દિપોત્સવી પર્વની અનેક શુભકામનાઓ..


પુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ 4

‘સર્જન’માં અમે વિક્રમ સંવતનો છેલ્લો ટાસ્ક કરેલો મિત્રોને ગમતી નવલકથા કે ટૂંકી વાર્તાના કોઈ પણ એક પાત્ર સાથે એના લેખકનો સંવાદ આલેખવાનો. હેતુ હતો કે દરેક પાત્ર પાસે એના લેખકને કહેવા માટે કંઈક હોય છે, અને લેખક પાસે એ પાત્રના નિરુપણને યથાર્થ ઠેરવવાનાં પૂરતા કારણો પણ હોય જ! આ જ પ્રક્રિયામાં ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ના સારમેય સાથે સર્જક ધ્રુવ ભટ્ટની કાલ્પનિક વાત ભારતીબેન ગોહિલે આલેખી છે. આશા છે આ પ્રયોગ વાચકમિત્રોને માણવો ગમશે.


કાળો કોશી : એટલે બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો – મયુરિકા લેઉવા બેંકર 38

કોઈ તમને પૂછે કે નખથી લઈને માથા સુધી કાળું હોય એવું પંખી કયું? તો તમે તરત જવાબ આપશોઃ કાગડો. પણ મિત્રો, સંપૂર્ણપણે કાળું હોય એવું પંખી માત્ર કાગડો નથી. એવું એક બીજું વ્યાપક પંખી પણ છે. જેનું નામ છે કાળો કોશી. કાળો કોશીને કાળિયોકોશી પણ કહે છે. અંગ્રેજીમાં તેને Black Drongo કહે છે. તો આ Black Drongo મારું અતિપ્રિય પક્ષી છે.


કરોળિયાનું જાળું – વૈશાલી રાડીયા 10

એક, બે, ત્રણ.. તેણે મનમાં જ ગણી લીધા, તરત મોટો અવાજ આવ્યો ને છપાક અવાજ સાથે સ્વિમિંગપૂલમાંથી પાણી ઊડ્યું. પાણી કપાતું રહ્યું તેમતેમ એના મનના વિચારોની ગતિ પણ ઝડપથી ચાલતી રહી! રોજ તો એ પૂલમાં એવી રીતે સ્વિમિંગની મોજ માણતી જાણે દુનિયામાં બીજું કોઈ કામ કે ચિંતા હોય જ નહિ! હકીકતમાં સ્વિમિંગની એક કલાક અને રાતે ચારથી પાંચ કલાકની ઊંઘ લેવા સિવાય એક મિનિટ પણ એની જિંદગીમાં ફુરસદ નહોતી. એટલે નકામા વિચારોનો તો સમય જ નહોતો. તેમ છતાં, તેમ છતાં…


યેલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાતે.. – સ્વાતિ શાહ 12

પ્રવાસ એટલે એવી સફર જેમાં મુસાફરીને અંતે કંઈક પામ્યાનો સંતોષ થાય, એ કુદરતનું સામિપ્ય અને સાન્નિધ્ય હોય, જાણકારી હોય, મિત્રો સાથે સરસ જગ્યાઓએ સમય વીતાવ્યાનો આનંદ હોય કે પછી કુદરતની કારીગરી સમા અદ્રુત યાદગાર રચનાઓની વણઝાર જોવાની ઉત્સુકતા હોય. અમારો અમેરિકાનો પ્રવાસ નક્કી કરતી વખતે મનમાં હતું કે કોન્ક્રીટના જંગલમાં તો કાયમ ફરીએ છીએ – રહીએ છીએ એટલે એ નથી જોવું, અમારાં બહેન બનેવીને અમે વિનંતી કરી કે આપણે કુદરતના આશિર્વાદ જેવા, માણસના ચંચુપાતથી દૂર રહેલા નેશનલ પાર્ક જોવા છે. મારાં મનમાં નાનપણથી યેલોસ્ટોન નેશનલ પાર્કનું એક વિશેષ આકર્ષણ અથવા તો કહું કે તેને જોવાનું કુતુહલ હતું. મારાં ફોઈનાં મોઢે એના વિશે ઘણું સાંભળ્યું હતું અને ત્યારથી ત્યાં જવા મન તલપાપડ થયા કરતું. લગભગ છ મહિના અગાઉથી આયોજન શરુ કરી દીધું હતું કારણ એક જ કે અમારે પાર્કની અંદર રહી કુદરતના આ મબલખ આશિર્વાદને પૂર્ણપણે અનુભવવા હતા, માણવા હતા.


ઉઘરાણી – મીનાક્ષી વખારિયા 15

ધખતી જોવાનાઈથી છલોછલ, એવો એક જોરૂકો ઘોડેસવાર ધૂળના ગોટેગોટા ઉડાડતો ગામ વચાળે આવેલાં કૂવાના થાળે પાણી પીવા આવી પૂયગો. જાણે સાક્ષત કામદેવ જ જોઈ લ્યો..! એમાંય પરણેલી ને કુંવારી પનિહારીઓ વચાળે આવેલ જણને પાણી પીવડાવવાની હોડ લાગી… ને ઈ બધીયુંમાં કાચી કુંવારી, વિજીના સીમસીમ કરતાકને નસીબ ખૂલી ગયાં.. ગાગરમાંથી પડી રહેલી પાણીની ધારે ધારે તરસ્યો, ઘુટુક ઘુટુક કરીને પાણી હાયરે, વિજીની નિતરતી જવાનીનેય પી રહ્યો.. ગાગર ખાલી થઈ પણ બેય જણ જાણે પૂતળાં બની ગયાં.


દિવાળી : અતુલ્ય ભારતનો અનન્ય ઉત્સવ – ચેતન ઠાકર 11

અતુલ્ય ભારત – Incredible India! આ શીર્ષક બદલ ભારત સરકારને અભિનંદન આપીએ એટલા ઓછા છે, આપણાં વિશાળ અને વિવિધતાથી છલોછલ દેશને એક જ શબ્દમાં રજુ કરવાનું લગભગ અશકય કહી શકાય તેવું કાર્ય આ બે શબ્દો બખૂબી પૂર્ણ કરે છે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ મારી અંદર રહેલા લેખકના જીવને છેલ્લા થોડા દિવસોથી સતત ઇચ્છા થતી કે દિવાળી જેવો સર્વેના સમન્વયનો, સ્નેહ અને ઉમંગનો, માનસીક રીતે સંપૂર્ણપણે રિચાર્જ કરતો તહેવાર આવે છે તો તેના વિષે કંંઈક વિશેષ લખવું છે.

Rangoli by Hardi Adhyaru

આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૧) 1

મંત્રી રાક્ષસને મગધમાં ઘણું જાણવાનું મળતું હતું તેથી તેના દિવસો ક્યાં જતા હતા તેની ખબર પડતી ન હતી. થોડા દિવસો પછી ગુપ્તચર અચાનક તેમને એક રાત્રે શસ્ત્રાગારમાં લઇ ગયો. તે બહુ મોટું શસ્ત્રાગાર હતું. તેને લઇ જતા પહેલાં તેની આંખમાં કોઈ ટીપાં નાખવામાં આવ્યા. એથી તેને થોડું ઝાંખું દેખાવતું હતું, તે સ્પષ્ટપણે બધું જોઈ શકતો ન હતો. તેમ છતાં તેને આંખે પાટા બાંધીને ઘોડાગાડીમાં લઇ જવામાં આવ્યો હતો. એ સ્થાન પર પહોંચતા લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગ્યો હતો.


હાઈકુ (૨) – હરસુખ રાયવડેરા 8

હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા તેમના હાઈકુનો બીજો ભાગ આજે પ્રસ્તુત છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૦) 2

અમાત્ય રાક્ષસ વર્ષકાર પાસે આવ્યો. વાતચીત કર્યા બાદ વર્ષકારે સામે ચાલીને રાક્ષસને મગધ જઈને ત્યાની ગતિવિધિનું અવલોકન કરવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું કે તેનો એક ગુપ્તચર તેને જુદા જ રસ્તેથી મગધ લઇ જશે. તે તેને મગધના શસ્ત્રાગારમાં પણ લઇ જશે. આ બધી વ્યવસ્થા ગુપ્ત રીતે જ થશે. ત્યાં જઈને જોવું વધારે સારું છે.


ટ્રાફિકના નવા નિયમો, વિવાદો અને તેના ઉકેલ 11

આ ગરમાગરમ મુદ્દાને પણ પળવારમાં ભુલાવી દેતો સુપર હોટ મુદ્દો લોકજીભે ન કેવળ ચર્ચાય છે પરંતુ તેનો ઉગ્ર વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જો કોઈ આ મુદ્દે સરકાર તરફની જરા પણ વાત કરે તો તેની સામે અન્ય લોકોનો પુણ્યપ્રકોપ ફાટી નીકળે છે. આ મુદ્દો એટલે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને થનારા દંડની જોગવાઈમાં કરેલો અનેકગણો વધારો છે.


Lion in Devaliya

દિલ્હી ટુ દેવળિયા : ખમ્મા ગીરને! – ગોપાલ ખેતાણી 33

ગુજરાતમાં ગરમીએ “માઝા” મૂકી હતી (કેસર કેરી બહુ થયેલી ને!) પણ “વાયુ”ની કૃપાથી અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ સારું થઈ ગયેલું. રાજકોટમાં થોડા દિવસનો આનંદ માણી જૂનાગઢ તરફ રવાના થયા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૯)

આ કથામાં અમાત્ય રાક્ષસનું પાત્ર કદાચ તમને થોડું ઉપેક્ષિત લાગે પરંતુ તેના જેવો કુટિલ, મુત્સદી અને રાજનીતિજ્ઞ બ્રાહ્મણ મળવો મુશ્કેલ હતો. તેની આદત હતી ઓછું બોલવું, કામ વધારે કરવું. તેની જવાબદારી ગુપ્તચર વિભાગ, શસ્ત્રાગાર અને નવા સંશોધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. વૈશાલી આજે પણ અભેદ્ય હતું તેનું શ્રેય કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે આ અમાત્ય રાક્ષસને આપી શકાય.


જેટલીજી, સુષ્માજીની વિદાય : કામ છોડી દેવું ખતરનાક હોય છે? – જિજ્ઞેશ ઠાકર 7

આમ તો મૃત્યુ એ તદ્દન કુદરતી વાત છે. તેમાં કોઈ વ્યક્તિનું કશું પણ ચાલે નહીં. કોઈ મૃત્યુને એક દોરાવાર પણ આઘુંપાછું કરી શકે નહીં. પરંતુ પ્રવૃત્તિને કારણે મન મજબૂત રહે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ માંદા પડ્યા ત્યારે એવું કહેવાતું હતું કે જો તેઓ ફરી વડાપ્રધાન બન્યા હોત તો કદાચ બચી ગયા હોત. એવું જ અત્યારે કહેવું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં પણ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ફરી મંત્રી બન્યા હોત તો મૃત્યુ એટલુ નજીક ન હોત.


પરિણામ – પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15

અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય પાંચમી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯) નું પરિણામ આજે પ્રસ્તુત છે.. બંને નિર્ણાયકો જાણીતા અને માઇક્રોફિક્શનના અદના સર્જકો એટલે એમનો નિર્ણય પણ ખૂબ ચીવટથી અપાયેલ ગુણાંક સાથેનો છે.. શ્રી ભારતીબેન ગોહિલ અને શ્રી મિત્તલબેન પટેલ એ બંને પોતપોતાના કામની અતિશય વ્યસ્તતા છતાં આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ધ્યાનથી વાંચી, ખંતથી તપાસીને અત્યંત કાળજીપૂર્વક ગુણાંક આપ્યા છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૮)

એકધારી અથાગ મહેનત, ખંત અને એકાગ્રતાથી અનેક વિદ્યાઓમાં પારંગત થતી જતી આમ્રપાલીએ મહિનાઓ સુધી પ્રગતિ ચાલુ રાખી. અને એક દિવસ તેણે જાહેર કર્યું કે માયા-મહેલમાં તે આવતા મહિનાથી પોતાના પ્રણય-મિત્રનું સ્વાગત કરશે. જે વ્યક્તિ સહુ પ્રથમ એક કોટિ મુદ્રાઓ જમા કરાવશે તેની યોગ્ય તપાસ બાદ મારી સાથે આનંદમાં સહભાગી બની શકશે.


ત્રિઉંડ ટ્રેક અહેવાલ – મીરા જોશી 39

જેમ લાગણીનું સ્થાન હ્રદય મનાય છે, બુદ્ધિનું સ્થાન મસ્તિષ્ક ગણાય છે તેમ માનવજાતિના આત્માનું સ્થાન હિમાલય છે. માનવ સંસ્કૃતિનો પ્રાણ જો કોઈ ચોક્કસ ઠેકાણે વિશેષરૂપે સ્ફૂરતો હોય તો તે હિમાલયમાં છે. – આજે પણ કાકા કાલેલકરના આ શબ્દો હિમાલયના અદ્ભુત મહત્વની સાક્ષી પૂરે છે.


લાગણીના શહેરમાં – સ્નેહલ તન્ના 6

સ્નેહલ તન્ના રાજકોટ નાગરિક સહકારી બેંકના વાંચન પરબ કાર્યક્રમ શૃંખલાના સંચાલિકા છે, C.A છે, બેંકમાં અધિકારી છે અને રાજકોટના સમાચારપત્ર જયહિંદમાં કોલમ પણ લખે છે. તેમની આ તાજી કાવ્યરચના અક્ષરનાદમાં પ્રકાશન માટે ભરતભાઈ કાપડીઆએ પાઠવી છે. બંને મિત્રોનો આભાર અને ખૂબ શુભકામનાઓ..


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૭) 3

અમાત્ય રાક્ષસ અને અમાત્ય વર્ષકાર બંને દીવાના આછા પ્રકાશમાં ચર્ચા કરતા બેઠા હતા. ચર્ચાનો મુખ્ય વિષય હતો આમ્રપાલી. રાક્ષસ મગધ વિષે જાણવા આતુર હતો પરંતુ તે વર્ષકારને સીધી રીતે એવો પ્રશ્ન પૂછવા નહોતો ઈચ્છતો. કારણ કે તે જાણતો હતો કે વર્ષકારે જીવનના ઘણા વર્ષો સુધી મગધમાં મુત્સદીગીરી કરી હતી. એક પ્રશ્ન માત્રથી તે બધી વાત જાણી જાય અને સામેવાળાને ન કહેવું હોય તો પણ કહેવું જ પડે તેવી કુશળતા ધરાવતા હતા. એટલે જ બહુચર્ચાતી બાબતને લઈને વાતનો દોર હાથમાં લેવાનો તેણે પ્રયત્ન કર્યો. રાક્ષસે કહ્યું, ‘આ આમ્રપાલીનું શું કરવું?’


જોડણી માતાની કથા – નેહા રાવલ 9

એવું સાંભળ્યું હતું કે દરેકને પોતાના કર્મો અહીં જ ભોગવવા પડે છે. કદાચ એ ન્યાયે જ અમારા લમણે આ અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું લખાયું હશે. બાળપણમાં કરેલી અનેક લેખન ભૂલો, ભાષા પ્રત્યેની બેદરકારી અને જોડણી વિષે કરેલા આંખ આડા કાન… બધાયનો હિસાબ સરવાળે અહીં જ થશે એવી ત્યારે ક્યાં ખબર હતી? પણ ઉફ્ફ…. આ વિદ્યાર્થીઓ! આટલી ખરાબ ભાષા? આ લોકોનું લેખન જોતા અમુક અક્ષરો તો નામશેષ થઇ ગયાનો ભ્રમ જ થયો? ક્યા છે પેલો ‘ણ..’ ફેણનો અણઅ….. જે લહેકાથી ગાતા હતા? હવે તો ‘આપણે’ માં પણ ‘આપડે’ થઈને ‘ણ’ નો ‘ડ’ થઇ ચાલ્યો? અને પેલો ‘નળ’ નો ‘અળઅ..?’ એ તો જાણે ગાયબ જ થઇ ગયો? નળ દમયંતીના આખ્યાનમાં ઉડી જતા હંસોની માફક એ જાણે ક્યાં ઉડી ગયો? આ પરીક્ષાના પેપર તપાસતા તપાસતા આંખે અંધારા છવાઈ ચાલ્યા. વિદ્યાર્થીઓ આ શું લખી રહ્યા છે? અમે શું આટલું ખરાબ શીખવ્યું હતું? શું આ લાંછન વિદ્યાર્થીઓ પરનું છે કે એક શિક્ષક પર? તો દૂર કાઢવાનો ઉપાય ? હે પ્રભુ? શું કરું?


રશિઅન ડૉલ : જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી – જીજ્ઞેશ અધ્યારૂ 1

અનેક વેબશ્રેણીઓના જમાવડા વચ્ચે માત્ર ‘ટાઈમલૂપ’ હોવાના લીધે શરૂ કરેલી ‘રશિઅન ડૉલ’ એક ક્ષણ પણ નિરાશ નથી કરતી. ખૂબ સબળ અને સ્પષ્ટ વાર્તાકથન, મજેદાર અને રસપ્રદ વળાંકો, પ્રભાવશાળી અભિનય, સહજ સંવાદો, વાર્તાની સાથે સતત વહેતો એક અંડરકરંટ જે સતત પ્રેક્ષકને વાર્તાથી આગળ લઈ જાય, અને ખૂબ આશાભર્યો અંત.. બધું મળીને આ શ્રેણીને આટલી લોકપ્રિય બનાવે છે.

Review of webseries Russian Doll

ક્યારેક ઉત્તર પણ મળે.. – રાકેશ હાંસલિયા 1

પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૬) 2

આમ્રપાલીની શરતો સાંભળીને બધાં આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. વર્ષકાર પણ આભો બની ગયો. દશ સહસ્ત્ર મુદ્રા પણ ઘણી ગણાય અને એક કોટિ મુદ્રા તો સમગ્ર વૈશાલીના આંગળીને વેઢે ગણાય એટલા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ પાસે જ હોઈ શકે.


એ નગરનું નામ ખાંડવપ્રસ્થ – લલિત ખંભાયતા 1

ગુજરાત સમાચારની બુધવારની ‘શતદલ’ પૂર્તિમાં ઓક્ટોબર ૨૦૧૮થી હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી લલિતભાઈ ખંભાયતાની સુંદર કિશોર સાહસ કથા ‘એ નગરનું નામ ખાંડવપ્રસ્થ’ને વાચકોનો સુંદર આવકાર મળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં એ પૂર્ણ થઈ પછી હવે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થઈ છે. લલિતભાઈનો બાળસાહિત્યના પ્રકારમાં પ્રથમ પ્રયાસ છે અને એ વાચકોનો પ્રેમ પામી છે એ બદલ તેમને ખૂબ અભિનંદન અને આ સુંદર પુસ્તક ભેટ આપવા બદલ તેમનો આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે. પ્રસ્તુત છે પુસ્તકનું પ્રથમ પ્રકરણ..


ત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 19

એક્ટિવા ઉપર બેસતા પહેલા ખંજને પોતાના મોબાઇલમાં રહેલા અનેક ફોટાઓ માંથી ત્રિકમકાકાએ ધ્રુજતા હાથે પાડેલો સેલ્ફીવાળો ફોટો શોધી કાઢ્યો. એ ખાસ ફોટાને જોતાની સાથે આવા દુઃખના માહોલમાં પણ ખંજનનું મ્હોં મલકાઇ ગયું. એક્ટિવા ચાલુ કરીને એ નીકળ્યો. આજે ત્રિકમકાકા સાથે વિતાવેલી અનેક યાદો એની આંખ સામે આવી ગઈ. “ખંજનીયા, એક કામ તારે કરી આપવું પડશે.” સવારના પહોરમાં સાડા છ વાગે એ દિવસે ત્રિકમકાકાએ ફોન ઉપર અચાનક માંગણી કરી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)

સમય જતા લિચ્છવીઓમાં હવે પોતાના મનોરથો સિદ્ધ કરવાના વિચારો ઘોળાવા શરુ થયા હતા. ધીરે ધીરે તખ્તો ગોઠવતો જતો હતો. લિચ્છવીઓ હવે અધીરા થયા હતા. હવે તો આમ્રપાલી શરત રજૂ કરે અને તે સ્વીકારીને તેને પોતાની કરી લઈએ એવું તેઓ વિચારતા હતા પણ..