Monthly Archives: August 2018


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૩ – ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત 3

પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૨ – આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા, વિષ્ણુ ભાલિયા 2

પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા અને વિષ્ણુ ભાલિયા.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૯)

માલગાડીમાં બેસીને બૂડાપેસ્ટથી પાછા ફરતી વેળાએ ઓસ્કર શિન્ડલરે એવી ધારણા રાખી હતી, કે જર્મનો દ્વારા હવે વસાહતને બહુ ઝડપથી સમેટી લેવામાં આવશે. એ જ સમયે વસાહતની સાફસૂફી કરવાનું કામ પૂરું કરવા માટે, અને પ્લાઝોવની વેઠિયા મજૂરોની છાવણીમાં બાકી બચેલા કેદીઓનો હવાલો સંભાળવા માટે એમોન ગેટે નામનો એસએસનો અંટર્સ્ટર્મફ્યૂહરર લ્યૂબિનથી આવી રહ્યો હતો. ગેટે શિન્ડલર કરતાં આઠ મહિના જ નાનો હતો, પરંતુ ઉંમરની સાથે-સાથે તેમની વચ્ચે ઘણી સમાનતા હતી. ઓસ્કરની માફક એ કૅથલિક કુટુંબમાં ઉછર્યો હતો અને તેની જેમ છેક ૧૯૩૮ પહેલા જ, પોતાના લગ્ન-વિચ્છેદ પછી ચર્ચની વિધિઓમાં ભાગ લેવાનું એણે બંધ કરી દીધું હતું. ઓસ્કરની માફક એ પણ ‘રિઅલજિમ્નેશ્યમ’ હાઇસ્કૂલમાંથી ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતક બન્યો હતો. આમ એ એક વ્યવહારુ માણસ હતો, કોઈ વિચારક નહીં; પરંતુ પોતાને તે એક દાર્શનિક માનતો હતો!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૮)

ડૉ. સેદલસેકે ઓસ્કરને અગવડભરી મુસાફરીની જે વાત કરેલી, એ સાચી જ ઠરી! મોંઘો ઓવરકોટ પહેરેલો ઓસ્કર પોતાની સૂટકેસમાં સુખસુવિધાઓના એવા-એવા સામાનની સાથે મુસાફરી કરી રહ્યો હતો, જેની મુસાફરીના અંત સુધી કોઈ જરૂર ન પડી. મુસાફરી માટે જરૂરી દસ્તાવેજો તો તેની પાસે હતા જ, પરંતુ એ દસ્તાવેજોનો એ ઉપયોગ કરવા માગતો ન હતો. સરહદ પાર કરતી વેળાએ એ દસ્તાવેજો રજુ કરવા ન પડે તો સારું એવું તેને લાગતું હતું. આમ કરવાથી જરૂર પડ્યે પોતે ક્યારેય હંગેરી ગયો હોવાનો ઇનકાર કરી શકાય.


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૧ – અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી, પ્રિયંકા જોશી. 2

આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ વીસેક માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજના સર્જકો છે અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી અને પ્રિયંકા જોશી.


ભૂરિશ્રવાનુંં કથાનક – હિમા યાજ્ઞિક 2

મહાભારત યુદ્ધ દરમિયાન દ્રંદ્રયુદ્ધ જાણે એક અને અદ્રિતીય હતુઁ. બંને મહારથીઓ હતા. બંંને યુદ્ધકૌશલ્ય દાખવનારા હતા.

સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા શ્રીકૃષ્ણનો તથા વૃષ્ણિ-અંધકાદિ યાદવોનો કટ્ટર દુશ્મન હતો. સાથેસાથે યજ્ઞયાગાદિ પ્રસંગે પુષ્કળ દક્ષિણા આપનાર તથા ખ્યાતિ ધરાવતો દાબવીર પણ તે હતો. જ્યારે વૃષ્ણિ અને અંધકવંશીઓમાંં વાઘ સમાન શ્રેષ્ઠ એવો સાત્યકિ અર્જુનનો શિષ્ય તો ખરો, પણ સાથેસાથે ધનુર્વિદ્યામાં તેનાથી સહેજે ઊતરતો નહોતો. સાથેસાથે તે શ્રીકૃષ્ણનો પરમ મિત્ર અને પૂર્ણ વફાદાર સાથી પણ ખરો.

પહેલાં તો બંંને એકબીજા વાગ્બાણોથી વીંધવા લાગ્યા. ધીમેધીમે બંને યોદ્ધાઓ પોતાનું પરાક્રમ બતાવવા જાણે અધીરા થયા. અનેક મહાયોદ્ધાઓ સાથે આજે લડીને થાકેલો સાત્યકિ અત્યારે જાણે મરણિયો બન્યો હતો. સામે તાજોમાજો થઈને યુદ્દ્ઘમાઁ ઊતરેલો ભૂરિશ્રવા રથયુદ્ધ કરવા ધસી આવ્યો


પાંચ ગઝલરચનાઓ.. – શૌનક જોષી 3

શૌનકભાઈ જોષીની પાંચ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ તેમજ ફતેપુરા ગામની સરકારી શાળાના કર્મઠ આચાર્ય, ઉત્તમ વાસ્તુશાસ્ત્રી અને સંવેદનશીલ કવિ એવા શૌનકભાઈ ગઝલ અને ગીતરચનામાં વિશેષ રૂચિ રાખે છે. કળાના વિવિધ સ્વરૂપોને માણતા એક અદના અભિનેતા પણ છે અને અક્ષરનાદની ‘પાસવર્ડ’સહિત અનેક શોર્ટફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે એ માટે તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ..


કબૂલાતનામું – ઍડગાર ઍલન પૉ, અનુ. નિલય પંડ્યા 1

ડૉ. નિલય પંડ્યા દ્વારા અનુદિત ઍડગાર ઍલન પૉની જાણીતી વાર્તાઓનો સંગ્રહ ‘લાલ મોત’ તેમણે અક્ષરપર્વ-૨ના દિવસે ભેટ આપ્યો એ બદલ તેમનો ખૂબ આભાર.. એ સંગ્રહની અનેકવિધ ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતા એક અનોખી લાગણી થઈ આવે છે. પૉની વાર્તાઓ સામાન્ય વાર્તાઓ કરતા એક અલગ વિશ્વમાં લઈ જાય છે એ તેમની રચનારીતિની વિશેષતા છે, તો નિલયભાઈના અનુવાદની સશક્ત આવડત પણ આ સંગ્રહમાં ઉડીને આંખે વળગે છે. આજે અક્ષરનાદ પર પ્રસ્તુત વાર્તા કબૂલાતનામું તેમના આ સંગ્રહ ‘લાલ મોત’ માંથી જ લીધી છે, પૉની વિખ્યાત વાર્તા The Tell-Tale Heart નો એ અનુવાદ છે જેમાં વાર્તાકાર પોતે કરેલા ખૂનનું વિગતે વર્ણન કરે છે, અને એ ખૂન થઈ ગયા પછીનો ઘટનાક્રમ – એ વાત છેક છેલ્લા શબ્દ સુધી વાચકને જકડી રાખે છે. સુંદર સંગ્રહ બદલ નિલયભાઈને શુભકામનાઓ.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૭)

સેદલસેક નામનો એક ઓસ્ટ્રિઅન યહૂદી ડેન્ટિસ્ટ ક્રેકોવમાં આવીને શિન્ડલર વિશે તપાસ ચલાવી રહ્યો હતો. બુડાપેસ્ટથી ટ્રેઇન મારફતે એ ક્રેકોવ આવ્યો હતો. તેની પાસેની બનાવટી તળિયાવાળી એક સૂટકેસમાં, જર્મન ગવર્નર જનરલ ફ્રેંક દ્વારા રદ્દ કરીને કબજે કરાયેલી પોલિશ ચલણ ઝ્લોટીની ઢગલાબંધ નોટો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી.

પોતાના ધંધાર્થે મુસાફરી કરવાના બહાના હેઠળ બુડાપેસ્ટની ઝિઓનિસ્ટ બચાવ સંસ્થાના પ્રતિનિધી તરીકે તે અહીં આવ્યો હતો.

દુનિયાના અન્ય લોકોને તો ઠીક, પેલેસ્ટાઇનના ઝિયોનિસ્ટોને પણ છેક ૧૯૪૨ની પાનખર સુધી ખબર ન હતી, કે યુરોપમાં યહૂદીઓ પર કેવો જુલમ કરવામાં આવી રહ્યો છે! યહૂદીઓની પરિસ્થિતિ અંગે નક્કર માહિતી એકઠી કરવા માટે એમણે ઇસ્તંબૂલ શહેરમાં એક કચેરી ખોલી હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૬)

શનિવાર સાંજ સુધી વસાહતની અંદર એસએસ અત્યંત વ્યસ્ત રહી. ક્રેકુસા સ્ટ્રીટના હત્યાકાંડ દરમ્યાન એસએસની ધાર્યું પરિણામ લાવવાની તાકાત શિન્ડલરે જોઈ જ હતી. હુમલાની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને થતી હતી! અને શુક્રવારે કોઈ છટકી જાય, તો છેવટે શનીવારે તો પકડાઈ જ જતું હતું! જો કે આટલી નાનકડી ઉંમરે પણ સ્વસ્થ રહી શકવા જેટલી બુદ્ધિ, અને તેનાં કપડાંનો લાલ રંગ અંધારામાં ભળી જવાના કારણે, જિનીયા એ અઠવાડિયે તો બચી ગઈ!

એસએસની લશ્કરી કાર્યવાહી દરમ્યાન એ લાલ બાળક જીવી ગયું હશે એવું વિચારવાની હિંમત ઝેબ્લોસીમાં બેઠેલા શિન્ડલરમાં તો ન હતી! પોમોર્સ્કા સ્ટ્રીટના પોલીસ હેડક્વાર્ટર્સમાં બેઠેલા ટોફેલ અને અન્ય ઓળખીતાઓ સાથેની વાતચીત પરથી શિન્ડલરને ખબર પડી, કે વસાહતમાંથી સાત હજાર લોકોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો! યહૂદીઓને લગતી બાબતોની ઑફિસના ગેસ્ટાપો અધિકારીઓ આ સફાઈની જાહેરાત કરતાં ખુશ થતા હતા, તો પોમોર્સ્કા સ્ટ્રીટના કારકુનો પણ જૂન મહીનાની આ કાર્યવાહીનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા!


‘પગથાર’ને વિસામે.. – સંકલિત

‘અક્ષરપર્વ-૨’ ના દિવસે, શીતલબેન ગઢવીએ ફેસબુક ગૃપ ‘ગઝલ તો હું લખું’ નો ચોથો ગઝલસંગ્રહ ‘પગથાર’ ભેટ આપ્યો. કલકત્તાની મારી મુલાકાત દરમ્યાન આવતા-જતાં ફ્લાઈટની લાંબી મુસાફરીમાં એ સંગ્રહની ગઝલોમાંથી પસાર થવાનો અવસર મળ્યો. એમાંથી ઘણી ગઝલો ખૂબ ગમી ગઈ. આજે એ જ સંગ્રહની મને ગમતી થોડીક ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. આ પહેલા ‘લઈને અગિયારમી દિશા’ સંગ્રહની વાત પણ અક્ષરનાદ પર મૂકી હતી. આવો સરસ સંગ્રહ આપવા માટે શ્રી મગન મકવાણા ‘મંગલપંથી’ને અનેક શુભકામનાઓ.. અને સંગ્રહના સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક અભિનંદન. સોશિયલ મિડીયાના સાર્થક ઉપયોગની દિશામાં આ ગૃપ સદાય અગ્રસર રહ્યું છે, એ હજુ આગળ વધતું રહે એવી અભિલાષા.. સંગ્રહની પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.


આપણો, આપણી જાત સાથેનો સંબંધ – અક્ષય દેવગાણીયા 2

શીર્ષક વાંચ્યું..? ફરીથી એક વખત વાંચી જુઓ.

આપણો, આપણી જાત સાથેનો સંબંધ…

આવો પણ કોઇ સંબંધ અસ્તિત્વ ધરાવે છે આ વિશ્વમાં? આપણી ખુદની જાત સાથે શેનો સંબંધ? તો તેનો જવાબ છે – હા.. આવો સંબંધ હોય. દરેક વ્યકિતનો પોતાની જાત સાથેનો, પોતાના હ્રદય સાથેનો, પોતાના અંતરાત્મા સાથેનો સંબંધ હોય છે. જીવનમાં બનતી દરેક ઘટના, પરિસ્થિત કે સંજોગ પછી પોતાની જાત સાથે તે ઘટના, પરિસ્થિત, સંજોગનું પૃથક્કરણ કરે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, સમસ્યા હોય તો સમાધાન પૂછે છે, ભૂલ થઇ હોય તો પસ્તાવો પણ કરે છે.


વિશ્વ અંગદાન દિવસ.. અંગદાન મહાદાન (ઈ-પુસ્તક) 3

આજે વર્લ્ડ ઓર્ગન ડૉનેશન ડે એટલે કે વિશ્વ અંગદાન દિવસ છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં – એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે.

અક્ષરનાદ શ્રાવણનો આ પવિત્ર સોમવારનો દિવસ અંગદાનને લગતી જાગૃતિ ફેલાવવામાં અને એ માટે વધુને વધુ લોકોને પ્રેરીત કરવાના હેતુથી અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવવા ધારે છે. આપણે આપણા ધાર્મિક દિવસોમાં – શ્રાવણના આખા મહીનામાં દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા થયો છે. ગુરુના ચરણે સર્વસ્વનું દાન હોય કે કૃષ્ણના શ્રીચરણે સઘળા સંશયોનું દાન હોય, ગરીબોને ભોજનનું દાન હોય કે મંદિરોમાં રોકડા રૂપિયાનું, સમાજની વાડીઓ વગેરેમાં સુવિધાઓ વધારવા થતું દાન હોય કે કુંવારી કન્યાઓને જમાડીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય, દાન ડાબા હાથે થાય તો જમણા હાથને ખબર ન પડે એ રીતે કરવાનો મહિમા થયો છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૫)

વસાહતમાં લોકોને જે તકલીફો પડતી હતી તેના વિશે થોડી ધારણા તો ઓસ્કર પોતાના કર્મચારીઓના ચહેરા પરથી જ બાંધી લેતો હતો. શ્વાસ લેવાની, શાંતિથી ભોજન લેવાની કે પોતાના કુટુંબ સાથે બેસીને પૂજાપાઠ કરવાની પણ ફુરસત વસાહતમાં કોઈની પાસે ન હતી. સામેની વ્યક્તિ પર શંકા રાખીને જ કેટલાયે લોકો પોતાના માટે આશ્વાસન અને રક્ષણ મેળવી રહ્યા હતા. રસ્તા પર જતા યહૂદી પોલીસ પર જાય એટલી જ શંકા એમને પોતાની સાથે રહેતા માણસ પર પણ રહેતી હતી! એ સમય જ એવો હતો, કે કોઈ ડાહ્યો માણસ પણ કોના પર વિશ્વાસ કરવો એ નક્કી કરી શકે તેમ હતું નહીં! જોસેફ બાઉ નામના એક યુવાન કલાકારે વસાહત વિશે લખ્યું હતું, કે “એક-એક રહીશનું પોતાનું આગવું, ગુપ્ત અને રહસ્યભર્યું વિશ્વ હતું.”


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૪)

પોલીસમેન ટોફેલ અને એસએસની ટેક્સ્ટાઇલ ફેક્ટરી ઓસ્ટફેઝરના દારુડિયા અમલદાર બૉસ જેવા વિવિધ સ્ત્રોત તરફથી ઓસ્કરને અફવાઓ સાંભળવા મળી હતી, કે વસાહતમાં આથી પણ વધારે સઘન લશ્કરી કાર્યવાહી થવાની હતી. કાર્યવાહીનો અર્થ કંઈ પણ કરી શકાય તેમ હતો. લ્યૂબિનથી આવેલી કેટલીક કમાન્ડો ટૂકડીઓને એસએસ દ્વારા ક્રેકોવમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. વંશીય સુધારણાના ક્ષેત્રે આ ટૂકડીઓએ બહુ નક્કર કામગીરી નિભાવી હતી! ટોફેલ દ્વારા ઓસ્કરને એવી માહિતી આપવામાં આવી હતી હતી, કે એણે ઉત્પાદનમાં કાપ મૂકવો ન હોય, તો જુન મહિનાની પહેલી અઠવાડિક રજા સબાથ પછી રાત્રે કામ કરનારા કર્મચારીઓ માટે ફેક્ટરીમાં જ થોડી પથારીઓની કામચલાઉ વ્યવસ્થા કરી રાખવી.


કામણગારી કચોરીઓ – રૂચિર શાહ 2

ગુજરાતીઓમાં શિયાળાનું અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળશે. શિયાળામાં ઘરનાં શાકભાજીનું બજેટ કદાચ બમણું થઈ જતું હોય છે અને કેમ ન થાય? પેલી તાજી બાંધેલી નાની નાની ક્વાંટ – છોટાઉદેપુરની થોડી વધારે કડવી મેથીની ઝૂડીઓ, મરવા પડેલા માણસના મોઢામાં મૂકો ને પ્રાણ પૂરે એવા એ રિંગણાં, વાલોળ, સૂરતી પાપડી, લાલચોળ ગાજર અને પાંચ પાંચ દાણા ભરેલી તુવેર. મુંહ માંગી રકમ દે દેંગે!! શિયાળાની શરૂઆતમાં શાકભાજી મોંઘા હોય છે એટલે જમવામાં આંબામોર હળદર અને થોડું સલાડ ખાઈ ને લુત્ફ ઉઠાવીએ છીએ. એ તો ઠીક તુવેર ૬૦ રૂપિયે કિલો હોય તો પણ અઠવાડિયામાં એકાદ વાર તુવેર – રીંગણાંનું શાક પણ થઈ જાય. પણ ક્યારે તુવેર જરા ૪૦ રૂપિયે કિલો થાય અને ક્યારે જેના માટે આટલી બધી કસરત કરીએ છીએ એ કચોરીઓ ઘરે બને એની રાહ જોવાય છે.


ચાર ગઝલરચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 4

‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને ‘હું હવે કાગળ ઉપર’ એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.


ચુંદડી – મિત્તલ પટેલ 8

રોહન ફક્ત પાંચ વર્ષનો હતો જ્યારે એની મા એને અને અપંગ પતિને સાસુના ભરોસે મૂકીને જતી થઈ હતી. માથી ક્યારેય અળગો ન રહેનાર રોહન એના વિના તરફડતો, રડતો રહેતો. દાદી અને પપ્પા એના પર અપાર સ્નેહ વરસાવતા, પણ રોહનને તો મમ્મીના સ્નેહની જ ખેવના રહેતી. મમ્મીના ગયા પછી બીજા જ મહિને એને શહેરની સૌથી શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળી ગયો. બીજા બાળકોની મમ્મીને જોઈને રોહનનો જીવ બળતો. એના દાદી પોતાના પ્રેમના મલમથી એના કોમળ હૈયે લાગેલા ઘા રૂઝવવાનો પ્રયત્ન કરતા.


દયારામની કવિતામાં વૈષ્ણવ પરંપરાનું અનુસંધાન – તરુણ મહેતા 1

ગુજરાતી સાહિત્યના મધ્યકાલમાં આપણે ભક્તિ જ્ઞાનપ્રેરક રચનાનું એક ઘોડાપુર જોઈ શકીયે છીએ. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ ગુજરાતીભાષાને સામાજિક સંસ્કારોથી ઘડે છે. ભક્તિમાર્ગ પ્રવર્તક નરસિંહ વ્યાવહારિકિ રીતિમાં પણ ભક્તિનો પ્રવેશ કરાવે છે. તેથી તેના આત્મકથનાત્મક પદો ‘હૂંડી’, ‘હાર’, ‘મામેરું’, ‘શામળશાનો વિવાહ’માં આ પ્રકારના સંસ્કારો દેખાય છે. જ્ઞાન અને ઉપદેશની અનિવાર્યતા તે સમયનું કદાચ જરૂરી પરિબળ હશે પણ નરસિંહથી શરૂ થયેલી કવિ પરંપરા વ્યવહાર જીવનમાં પણ ભક્તિપ્રધાન કેમ રહેવું તેનું નિદર્શન કરે છે. આથી અખો, પ્રેમાનંદ, ભાલણ, નાકર, મીરાં જેવાં અગ્રહરોળના કવિઓના જીવનમાં પણ ભક્તિ આંદોલનનું ખૂબ મહાત્મ થયું છે.