Yearly Archives: 2018


Reality Distortion Field (RDF) – હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ – પી. કે. દાવડા 5

Reality Distortion Field નો સાદો અર્થ છે કે માણસની એવી શક્તિ, જે બીજા લોકોને પ્રથમ દૃષ્ટીએ અશક્ય લાગતા કામને એ શક્ય છે અને સહેલું છે એ સમજાવી શકે, અને એમની પાસેથી સફળતાપૂર્વક એ કામ કરાવી શકે. આના માટે હકીકતોને વળાંક આપી એની અણદેખી કરવી પડે તોય વાંધો નહીં.


પચાસ કલાકમાં શોર્ટફિલ્મ બનાવવાનો અનુભવ – જીજ્ઞેશ અધ્યારૂ 8

૨૭ સપ્ટેમ્બરને ગુરુવારે સવારે સાડા દસની આસપાસ ઓફિસમાં ચા પીતા પીતા ફેસબુક જોતો હતો ત્યાં ઈન્ડિઆ ફિલ્મ પ્રોજેક્ટ્સનો મેસેજ ઝબક્યો, પચાસ કલાકમાં ફિલ્મ બનાવવાનો પડકાર હતો. પહેલા થયું કે કોણ સતત પચાસ કલાક આ કરી શકે? એને માટે એક પ્રોફેશનલ ટીમ જોઈએ, આયોજન જોઈએ, જરૂરી સાધનો જોઈએ. પછી થયું સર્જનના મિત્રો આવા પડકાર લેવા તો કાયમ તૈયાર હોય છે જ! ગૃપમાં વાત તો કરી જોઉં. એટલે સર્જનના અમદાવાદ ગૃપમાં એ અંગેનો મેસેજ મૂક્યો. બાર વાગતા સુધીમાં ચાર મિત્રોની ઉત્સાહસભર હા આવી ગઈ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩) 2

જમદગ્નિઋષિ અને રેણુકાને પાંચ પુત્રો હતા. રેણુકાના માનસિક સ્ખલનથી ક્રોધિત થઈને તેમણેપોતાના પ્રથમ ચાર પુત્રોને રેણુકાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી હતી પરંતુ એક યા બીજા બહાને ચારેયે એમ કરવાની ના પાડી. એટલે ઋષીએ તેમને શાપ આપીને વ્યંઢળ (નપુંસક) બનાવી દીધા. અને પછી જમદગ્નિ ઋષિએ પરશુરામને તેની માતાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી ત્યારે પરશુરામે પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને તે જમીન પર પડતાં જ તેનાં અસંખ્ય મસ્તકો બનીને સંસારમાં ફેલાઈ ગયાં! અને તે માતા યેલમ્માનાં નામથી પૂજાવા લાગ્યા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) 2

કેવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઇ હતી! ત્રણેય નિર્દોષ માણસોથી ભૂલ થઇ હતી. એ પણ જ્ઞાની હતા તેવા માણસોથી. માટે જ કહ્યું છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. આપણે તો એ પણ જાણીએ છીએ કે સાચ ને નહીં આંચ. પરંતુ રેણુકાએ ખોટો વિચાર કર્યો અને સાચું બોલી. એ સાંભળી ઋષિ જમદગ્નિએ ક્રોધિત થઈને અનુચિત આદેશ આપ્યો. રેણુકાને સજીવન કરીને પરશુરામે પિતાશ્રીના આદેશનો ભંગ કર્યો. ખરેખર, સંજોગો સામે માનવી લાચાર હોય છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧) 16

નદી બે કાંઠે વહેતી હતી. નદીનાં શીતળ વહેતાં જળને જોઈ ઋષિના મનમાં અજબ આંદોલનો ઉઠતાં હતાં. તેમના મનમાં પણ હળવે હળવે વિચારોનો પ્રવાહ વહેતો હતો. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં, આલ્હાદક સૂર્યોદય સમયે તેમનો આશ્રમ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

એ સરસ્વતી નદીના કિનારે આશ્રમમાં ઋષિ જમદગ્નિ, ઋષિપત્ની રેણુકા અને ઋષિપુત્રો રહેતાં હતાં. ઋષિ પરંપરા પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને મધ્યાન્હ સમયે, ત્રિકાળ સંધ્યા કરવાથી મનની શક્તિમાં તથા સ્મૃતિમાં વધારો થતો એટલું જ નહીં પરંતુ તેમનું આયુષ્ય પણ તેથી જ વધતું હતું. એટલે જ તેઓ વર્ષો સુધી જપ-તપ કરી શકતા હતા. પ્રદૂષણમુક્ત, બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગી, પ્રાતઃ કાર્ય આટોપી સૂર્યોદય થતા તેના પહેલા કિરણ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતા હતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રસ્તાવના) 9

ગુજરાતી નવલકથાનો આરંભ જ ઐતિહાસિક નવલકથાથી થયો છે. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ ગુજરાતીની સૌ પ્રથમ નવલકથા ગણાવાઈ છે. એ પછીનાં દોઢસો વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલી સાહસ્રાધિક નવલકથાઓએ એમનાં અવનવાં રૂપો બતાવ્યાં છે. ક.મા.મુનશી અને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાને શિખર પર બેસાડી છે. આજે અનુઆધુનિક યુગમાં પણ કથાસર્જકોનું ઐતિહાસિક વિષયવસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી જેનું દૃષ્ટાંત તાજેતરમાં જ પ્રગટ થનાર પ્રકાશ પંડ્યા અને હર્ષદ દવે લિખિત નવલકથા ‘આમ્રપાલી’ છે.


વલસાડી હાઇકુ – સંકલિત 4

અનેકવિધ સર્જકો જેમ કે ઉશનસ, આશા વીરેન્દ્ર, પ્રા. મનોજ દરૂ, બકુલા ઘાસવાલા, પરિતોષ ભટ્ટ, અશ્વિન દેસાઈ, ડૉ. અરૂણિકા દરૂ અને રમેશ ચાંપાનેરીના કુલ કુલ ૩૨ હાઈકુનું સંકલન જે પુસ્તક ‘વલસાડી હાઇકુ – ૨’ ઓગસ્ટ ૨૦૧૫ અંક, ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક ‘મિલન’ નો હાઈકુ વિશેષાંકમાંથી સાભાર લીધા છે.


પિત્ઝાબોય – અજય ઓઝા 5

બોસની રીંગ આવી, ‘અર્ણવ તારે અત્યારે જ શર્મા એન્ડ શર્મા કમ્પનીની ઑફીસ પહોંચવું પડશે.’

‘અત્યારે જ?’ મેં પૂછ્યું, ‘ડે ટાઈમ?’

‘હા, બહુ નાઈટ શિફ્ટ કરી, કોઈવાર ડે ટાઈમ જોબ કરવાની પણ મજા લે ને ડિયર? જલદી પતી જશે. પાર્ટીનું નામ મિસિસ મિત્તલ શર્મા છે, આપણા માટે ન્યુ કસ્ટમર છે, એટલે સાચવી લેવા જરૂરી છે. એની પ્રોબ્લેમ? તને વાંધો હોય તો કોઈ બીજાને મોકલું?’

‘નોટ એટઓલ, બોસ. પણ ભરબપોરે કોઈની ઓફિસે આ પ્રકારની ‘મીટીંગ’? ઈઝ ઈટ પોસીબલ?’

‘આઈ ડોન્ટ નો અર્ણવ, એ આપણો પ્રોબ્લેમ પણ નથી ને? આપણે તો કસ્ટમરનો કોલ આવે એટલે ફોલો કરવાનું જ કામ, ઓકે?


નૂતન વર્ષના પ્રભાતે.. – સંપાદકીય 7

અક્ષરનાદ સર્વે સર્જકમિત્રોને, વાચકમિત્રો, સહયોગીઓ અને સર્વે સ્નેહીજનોને નવા વર્ષના સાલમુબારક.. વિક્રમ સંવત ૨૦૭૫નું આ નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સંતોષપ્રદ, ઉલ્લાસસભર અને સફળ નીવડે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના. ગત વર્ષે ઈશ્વરકૃપા અને મિત્રોના ઉત્સાહસભર સહકારથી અક્ષરનાદ સરસ ચાલી શક્યું, ધારણાથી વધુ સારી રીતે.. અશ્વિનભાઈ અનુદિત નવલકથા શિન્ડલર્સ લિસ્ટ અને ધ્રુવભાઈની તત્વમસિ અક્ષરનાદ પર ખૂબ વંચાઈ. એ સાથે અનેક કૃતિઓને વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને આવકાર મળ્યો. સર્જકમિત્રોનો અક્ષરનાદની ક્ષમતા અને પદ્ધતિમાં વિશ્વાસ અને સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે એથીય વધુ સત્વશીલ વાંચન વાચકો સુધી પહોંચાડી શકીએ અને નવા સર્જકોનો ઉત્સાહ વધારતો આ મંચ સહજતાથી આપી શકીએ એ જ પ્રયાસ સતત રહેશે..


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (ઉપસંહાર) 2

ઓસ્કરની ચડતીના દિવસો હવે પૂરા થઈ ચૂક્યા હતા. યુદ્ધે તેને ચડતીના દિવસો દેખાડ્યા હતા એ રીતે શાંતિનો સમય તેને ક્યારેય ચડતી આપવાનો ન હતો! ઓસ્કર અને એમિલિ હવે જર્મનીના મ્યુનિકમાં પહોંચી ગયા હતા. થોડો સમય તેઓ રોસનર બંધુની સાથે રહ્યા હતા, કારણે કે હેનરી અને તેનો ભાઈ મ્યુનિકના એક રેસ્ટોરન્ટમાં સંગીત પીરસવા માટે જોડાઈ ગયા હતા, અને ઠીક-ઠીક સમૃદ્ધ પણ થઈ ગયા હતા! રોસનરના સાંકડા અને ખીચોખીચ એપાર્ટમેન્ટમાં એક જૂનો કેદી ઓસ્કરને મળ્યો ત્યારે તેનો ફાટેલો કોટ જોઈને એ આઘાત પામી ગયો હતો! ક્રેકોવ અને મોરાવિયાની તેની સંપત્તિ તો રશિયનોએ કબજે લઈ લીધી હતી અને બચેલું ઝવેરાત ખાવા-પીવામાં વપરાઈ ગયું હતું. ફિજનબમ કુટુંબ મ્યુનિકમાં આવ્યું ત્યારે તેઓ ઓસ્કરની નવીનતમ પ્રેમિકાને મળ્યા હતા! એ યહૂદી છોકરી બ્રિનલિટ્ઝમાંના બચી ગયેલાઓમાંની કોઈ ન હતી, પરંતુ તેના કરતાં પણ ખરાબ છાવણીમાં રહીને આવી હતી! ઓસ્કરને મળવા આવનારા લોકો, ઓસ્કરની આવી નબળાઈઓને કારણે એમિલિ માટે શરમ અનુભવતા હતા.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૮) 1

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૭)

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


સજ્જનોનો દુકાળ નથી પડ્યો – ગોવિંદ શાહ 6

એક મોટા શહેરના છેવાડાના ગરીબ વિસ્તારમાં હું એક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ઊભો હતો. ત્યાં મારી નજર એક મેલાંઘેલાં કપડાંમાં સજ્જ ગરીબ છોકરા પર પડી. તે સ્ટોરમાં ફરી બધી વસ્તુઓ ધ્યાનથી જોતો હતો. સ્ટોરમાં શાકભાજી પણ હતા. મેં મારી ચીજો ખરીદી પેક કરાવી તે દરમ્યાન દુકાનદાર – શ્રીમાન જ્હોનની નજર તે છોકરા પર પડી. તેણે છોકરાને પૂછ્યું, “દીકરા! કેમ છે? કેમ આવ્યો છે?”

છોકરો – “સાહેબ! આજે તમારી પાસે આવેલા આ ટામેટાં ખૂબ જ સારા છે. બહુ સુંદર છે.”

દુકાનદાર – “તારી મમ્મી માંદી થઈ ગયેલી. હવે તેની તબિયત કેવી છે? શું હું તને કંઇ મદદ કરી શકું?”


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૬)

એમોન અને બૉસ સહિતના ઓસ્કરના બધા જ શરાબી મિત્રો ઓસ્કરને યહૂદી વાયરસનો શિકાર ગણાવીને ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, અને તે પણ માત્ર કહેવા ખાતર નહીં! હકીકતમાં તેઓ શબ્દશઃ એવું માનતા હતા! અને તેઓ તો આવા વાયરસનો શિકાર થયેલા માણસનો કોઈ વાંક પણ કાઢતા ન હતા! સારા-સારા માણસો સાથે આવું થતું તેમણે જોયું હતું! મગજનો કેટલોક હિસ્સો ગુલામીમાં એવો સપડાઈ જતો હોય છે, જેમાં અડધી જગ્યામાં બેક્ટેરિયા ભરેલા હોય, અને અડધી જગ્યામાં જાદુ! એ બેક્ટેરિયા ચેપી હતા કે નહીં એવું કોઈ પૂછે, તો જવાબમાં તેઓ તરત જ હા કહી દેતા! જો જો, ખૂબ જ ચેપી છે આ બેક્ટેરિયા તો…! ઓબરલેફ્ટેનન્ટ સસ્મથના કિસ્સાને તેઓ ચેપ લાગવાના એક જાણીતા દાખલા તરીકે ટાંકતા હતા!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૫)

ઓસ્કરની ફેક્ટરીમાં ઉત્પાદન તો કંઈ થતું ન હતું. “એક ગોળી પણ નહીં,” બ્રિનલિટ્ઝના કેદીઓ માથું ધુણાવીને કહેશે. એવી ૪૫ એમએમની એવી એક પણ ગોળી નહીં, જેનો ઉપયોગ કરી શકાય! અને રોકેટનું એક ખોખું પણ નહીં! ક્રેકોવના વર્ષો દરમ્યાન ડેફમાં થયેલું ઉત્પાદન અને બ્રિનલિટ્ઝના હિસાબો વચ્ચેનો તફાવત ઓસ્કર પોતે પણ કબૂલે છે. ઝેબ્લોસીમાં ૧૬,૦૦૦,૦૦૦ જર્મન માર્કનાં એનેમલવાળાં વાસણોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.


વેદકાળની રાષ્ટ્રીય ભાવના – હિમા યાજ્ઞિક 2

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसि|

જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એ ભાવના સૌ કોઈએ રાખવી જોઈએ અને રાખે છે. કારણ એની તોલે કોઈ ભાવના આવી શકે નહીં.

જે માતૃભૂમિ થકી આપણું પાલન પોષણ થયું. બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ પામ્યા, જે માતૃભૂમિએ આપણને સુરક્ષિત રાખ્યા તેનું ઋણ ચૂકવવાનો એક જ માર્ગ છે અને તે છે માતૃભૂમિની વંદના.

આર્ય લોકો ભારતમાં ભલે ગમે ત્યારે આવ્યા હોય, પરંતુ તેઓ આ ભૂમિ પર આવ્યા કે તરત જ ભારતભૂમિને પોતાની પવિત્ર ભૂમિ સમજવી શરૂ કરી છે. આર્યોએ ક્યારેય ભારતભૂમિને અલગ ગણી નથી. તેઓએ આ ભૂમિ સાથે એટલું બધું તાદાત્મ્ય સાધ્યું છે કે વેદમાં એક આખું ‘પૃથ્વીસુક્ત’ રચ્યું છે. જેમાં માતૃભૂમ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. આ દેશની નદી, પર્વત, જળ, સ્થળ બધું જ પોતીકું લાગે છે.


પડઘા વિશે – દલપતરામ

પ્રસ્તુત કાવ્યમાં સિંહ પોતાના પડઘાથી વ્યાકુળ થાય છે ત્યારે શાણું શિયાળ તેને પડઘાનો ભેદ સમજાવે છે. કવિ પડઘાની આ વાતનું ઓઠું લઈને સારા વચન કર્મનો સારો, તો ખરાબનો ખરાબ પડઘો પડતો હોય છે તે બતાવી વાણીનો સંયમ જાળવવાની શીખ દે છે. અહીં પ્રાસ અને વર્ણાનુપ્રાસ વાળા દોહરા છંદમાં કવિએ સરળ રીતે પોતાની વાત રજૂ કરી છે.


સરપંંચ – ડૉ. રાઘવજી માધડ

કાનો મારી લગોલગ આવીને ઊભો રહ્યો.

માર્યા…આને બોલાવવો પડશે!

મેંં કહ્યું; ‘કાંં કાના, કેમ છો?’

કાનો કહે; ‘ધૂબાકા!’

‘તારા બાપનો તંબૂરો ધૂબાકા? એક તો દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું છે ને પાછો ધુબાકાની દે છો?’ પણ આવુંં કહેવાય નહીં. બાકી હસવામાંંથી ખસવુંં થઈને ઉભુંં રહે. સાચું કહું? આવા લોકોને જાહેરમાંંતો કંઈ જ કહેવાય નહીં. માથે લૂગડાં નાખે. ફરિયાદ નોંધાવે, ન નોંધાવે તો આપડા દુશ્મનો એની પડખે થાય. ફરિયાદમાં પેલુંં લખાવે, લખો; ‘એટ્રોસીટી!’


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૪)

ડૉ. હિલ્ફ્સ્તેઇન, હેન્ડલર, લેવ્કોવિક્ઝ અને બાઇબર્સ્તેઇમે ક્રેંકેન્સ્ટ્યૂબમાં ડૉક્ટર તરીકે કામ કર્યું હતું. ટાઇફસ ફાટી નીકળવાની શક્યતાઓથી તેઓ સારી પેઠે પરિચિત હતા. આરોગ્ય માટે ટાયફસ જોખમરૂપ  હોવા ઉપરાંત, ઉપરથી આવેલા હુકમ પ્રમાણે બ્રિનલિટ્ઝને બંધ કરી દેવા માટેનું એક કારણ પણ બની શકે તેમ હતો! ચેપ લાગ્યો હોય તેવા કેદીઓને બળદગાડામાં ભરી-ભરીને બર્કેન્યુમાં બનાવેલી ટાયફસ માટેની ખાસ બેરેકમાં નાખી આવીને ત્યાં જ મરવા માટે છોડી દેવાના આદેશો આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓ બ્રિનલિટ્ઝ પહોંચી તેના, એક અઠવાડિયા પછી, ઓસ્કર એક દિવસ સવાર-સવારમાં દવાખાનાની મુલાકાતે ગયો, તે દરમ્યાન બાઇર્બેસ્તેઇને તેને બે સ્ત્રીઓમાં ટાયફસ હોવાની શક્યતા અંગે જાણ કરી! માથાનો દુખાવો, તાવ, બેચેની, આખાયે શરીરમાં સામાન્ય કળતર, વેગેરે જેવાં લક્ષણો શરૂ થઈ ગયાં હતાં. થોડા જ દિવસોમાં ટાઇફસના લાક્ષણિક ચાઠા દેખાવાની બાઇબર્સ્ટેનની ધારણા હતી. બંને સ્ત્રીઓને ફેક્ટરીથી ક્યાંક અલગ રાખવી પડે તેમ હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૩)

એમેલિયાની માફક બ્રિનલિટ્ઝની છાવણી પણ ઓસ્કરના ખર્ચે જ ચાલતી હતી. અમલદારશાહીના નિયમો પ્રમાણે ફેક્ટરીની અંદર ચાલતી બધી જ છાવણીઓ માલિકના ખર્ચે જ બાંધવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે મોટાભાગના ઉદ્યોગપતિઓને તારની વાડ અને પરચુરણ ચીજવસ્તુઓ જેવા નાના-મોટા ખર્ચ જેટલી કમાણી તો કેદીઓની સસ્તી મજુરીમાંથી જ થઈ જતી હતી! હકીકતે ક્રપ્પ અને ફાર્બન જેવા જર્મનીના માનીતા ઉદ્યોગપતિઓ તો એસએસની સંસ્થાએ પૂરી પાડેલી ચીજવસ્તુઓ અને તેમણે ફાળવેલા મજૂરોની મદદથી જ પોતાની છાવણી બાંધતા હતા. ઓસ્કર એસએસનો માનીતો ન હતો, એટલે તેને ખાસ કંઈ મળતું ન હતું! એસએસ દ્વારા તેને  સિમેન્ટના થોડા વેગનો બૉસ મારફતે અને બૉસે ઠરાવેલી ઘટાડેલી કાળાબજારની કિંમતે મળ્યા હતા. ફેક્ટરીના ઉત્પાદનમાં વાપરવા અને ચીજવસ્તુઓની હેરફેર માટે બે-ત્રણ ટન પેટ્રોલ અને બળતણનું તેલ પણ બૉસે જ તેને આપ્યું હતું. છાવણી ફરતે વાડ કરવા માટે થોડો તાર તો એ એમેલિયામાંથી લઈ આવ્યો હતો.


હું ચંદ્રકાંત બક્ષી – એક હિંમતભર્યો નાટ્યપ્રયોગ 4

બક્ષીના જીવનની, સંઘર્ષો અને સંતોષની, વ્યક્તિત્વ અને ખુદ્દારીની વાત સચોટ કહેતી એકદમ ચુસ્ત સ્ક્રિપ્ટ, જે કહેવું છે એ સિવાય કંઈ જ નહીં કહેવાની કાળજી અને અભિનયનો ઉજાસ – હું ચંદ્રકાંત બક્ષી આ બધા જ માપદંડો સજ્જડ સાચવે છે. બક્ષીનામા લગભગ બેથી વધુ વખત વાંચ્યું છે, એટલે એમના જીવન વિશે તો ખ્યાલ હતો જ. ગયા મહીને કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં હતો ત્યારેય બક્ષીને યાદ કરેલા. પાલનપુર અને કલકત્તા, બંને સાથે બક્ષીનું અદ્વિતિય જોડાણ નાટકમાં સતત ઝળક્યા કરે છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૨)

૧૯૬૩માં એમેલિયાના એક ભૂતપૂર્વ કેદીએ ન્યુયોર્કથી ‘માર્ટિન બબર સોસાયટી’ને લખેલો એક દુઃખદ પત્ર મળ્યો. પત્રમાં એણે લખેલું, કે એમેલિયાના બધા જ કેદીઓને મુક્તિ અપાવવાનું વચન ઓસ્કરે આપ્યું હતું. બદલામાં લોકોએ પોતાના શ્રમ વડે તેનું ઋણ ચૂકવી તેને સમૃદ્ધ બનાવ્યો હતો. અને છતાં પણ અમુક લોકોને તેના લિસ્ટમાં સામેલ કરાયા ન હતા. એ માણસને એવું લાગતું હતું, કે એ લિસ્ટમાં ન સમાવીને તેની સાથે દગાબાજી કરવામાં આવી હતી. કોઈ બીજા જ માણસે કહેલા જુઠ્ઠાણાને કારણે પોતાને આગ પરથી પસાર થવું પડ્યું હોય તેવા રોષ સાથે તેણે એ પછી જે કંઈ બન્યું તેને માટે ઓસ્કરને જવાબદાર ઠેરવ્યો હતો. ગ્રોસ રોસનની ઘતનાઓ, મોથેસનની ટેકરી પરથી કેદીઓને જે રીતે ફેંકી દેવામાં આવ્યા હતા તે, અને જે ભયાનક મૃત્યુકૂચ સાથે વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો… એ બધા માટે તેણે ઓસ્કરને જ જવાબદાર ઠેરવ્યો હતો! એ પત્રમાં સહજ ગુસ્સાને વશ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું હતું, કે એ લિસ્ટમાં પોતાનું હોવું એ કેટલી રાહતદાયક બાબત હતી, અને એ લિસ્ટમાંથી નીકળી જવું એ કેવી દૂર્ભાગ્યપૂર્ણ બાબત હતી!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૧)

શિન્ડલર વિશે કોઈપણ ચર્ચા નીકળે, યુદ્ધમાં બચી ગયેલા હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલરના મિત્રો આંખનું મટકું મારીને માથું ધુણાવીને ઓસ્કરના શુભ આશયોનો સરવાળો કરવાનો લગભગ ગાણિતિક પ્રયત્ન કરવાનું શરુ કરી દેતા હતા! શિન્ડલરના યહૂદીઓમાં ભાઈચારાની જે લાગણી હજુ પણ જોવા મળે છે તેની પાછળ તેમની એક જ દલીલ હોય છે, કે “મને તો સમજાતું જ નથી કે ઓસ્કરે આવું શા માટે કર્યું હશે!” વાતની માંડણી કરવા માટે એવું કહી શકાય ખરું, કે ઓસ્કર એક જુગારી હતો, લાગણીપ્રધાન વ્યક્તિ હતો, વગેરે. સંબંધોમાં પારદર્શિતા અને કંઈક સારું કામ કરવા માટેની સ્વભાવગત સરળતા તેને પસંદ હતી. ઓસ્કર પ્રકૃતિએ એક એવો ક્રાંતિકારી હતો જેને વ્યવસ્થાતંત્રનો ઉપહાસ કરવો ગમતો હતો; તેના સ્વભાવમાં ઉપર-ઉપર દેખાતી આંતરિક શાંતિની ઓથે, જરર પડ્યે આક્રમક બની શકવાની, કોઈનો પણ પ્રતિકાર કરવાની અને કોઈનાથી દબાઈ ન જવાની એક પ્રચંડ શક્તિ છુપાયેલી હતી! પરંતુ અહીં વાપરવામાં આવેલો એક પણ શબ્દ, જ્યાં-ત્યાંથી એકઠા કરીને નોંધેલા કે પછી ઉમેરેલા આ બધા જ શબ્દો, ઓસ્કરના એ સાતત્યભર્યા દૃઢનિશ્ચયનું વર્ણન કરી શકે તેમ નથી, જેના આધારે ૧૯૪૪ની પાનખરમાં એમેલિયાના તેના સાથિદારો માટે ઓસ્કરે એક અંતિમ સ્વર્ગ ઊભું કરી આપ્યું હતું.


ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ 5

ટેલિવિઝનમાં રસોઈજ્ઞાનવિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજુ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્યશ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણી વાર એ રસોઈ નિષ્ણાતોને(વાનગી બનાવવામાં વખત ઓછો લાગવાનો હોય ત્યારે) આહારશાસ્ત્રનું જ્ઞાન આપવાનું  મન થઇ જાય અથવા રસોઈ શીખનારી બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની દ્રષ્ટિએ વિવિધ વાનગીઓનું કેટલું અને કેવું મહત્વ છે એ વિષે પણ માહિતી આપે છે. આવા કાર્યક્રમો રસોઈ શોખીન મહિલાઓ અને વયોનિવૃત્ત  ભાઈઓ  ઉત્સાહથી જોતા હોય છે. હું રસોઈઉત્સુક મહિલા નથી છતાં એક વાર મેં આવો એક કાર્યક્રમ ‘નિહાળ્યો.’ એમાં મેં એક રસોઈનિષ્ણાત મહિલાને માહિતી આપતાં સાંભળ્યાં. તેઓ કહેતાં હતાં કે ‘હંમેશા સમતોલ આહાર લેવો જોઈએ. આવા આહારમાં ઢોંસા પણ આવે. ઢોંસા સંપૂર્ણ ભોજન છે.કારણ કે તેમાં શરીરને  આવશ્યક બધા જ પોષક દ્રવ્યો મળે છે. દક્ષિણ ભારતમાં (એ બહેન બોલેલાં સાઉથમાં) આ એક ઘેરેઘેર  બનતી પ્રચલિત વાનગી છે.પણ હવે બિનદક્ષિણભારતીય પ્રદેશોમાં પણ આ ઘેરેઘેર બનતી  એક નોવેલ્ટી બની છે. આજે આપણે ફલાણાફલાણા પ્રકારના ઢોંસા બનાવતાં શીખીશું.’


दस रूपये – सआदत हसन मन्टो

वो गली के उस नुक्कड़ पर छोटी छोटी लड़कीयों के साथ खेल रही थी। और उस की माँ उसे चाली (बड़े मकान जिस में कई मंज़िलें और कई छोटे छोटे कमरे होते हैं) में ढूंढ रही थी। किशोरी को अपनी खोली में बिठा कर और बाहर वाले से काफ़ी चाय लाने के लिए कह कर वह इस चाली की तीनों मंज़िलों में अपनी बेटी को तलाश कर चुकी थी। मगर जाने वो कहाँ मर गई थी। संडास के पास जा कर भी उस ने आवाज़ दी। “ए सरीता… सरीता!” मगर वो तो चाली में थी ही नहीं और जैसा कि उस की माँ समझ रही थी। अब उसे पेचिश की शिकायत भी नहीं थी। दवा पीए बग़ैर उस को आराम आचुका था। और वो बाहर गली के उस नुक्कड़ पर जहां कचरे का ढेर पड़ा रहता है, छोटी छोटी लड़कियों से खेल रही थी और हर क़िस्म के फ़िक्र-ओ-तरद्दुद से आज़ाद थी।


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૦)

ઓકેએચ (આર્મિ હાઇ કમાન્ડ)ના સિક્કા મારેલા હુકમો ઓસ્કરના ટેબલ પર પહોંચી ગયા હતા. યુદ્ધની પરિસ્થિતિના કારણે યુદ્ધ મંત્રાલયના ડાયરેક્ટરે ઓસ્કરને સંદેશો મોકલાવ્યો હતો, કે ‘કેએલ પ્લાઝોવ’ અને એમેલિયાની છાવણીઓને વિખેરી નાખવાની હતી. એમેલિયાના કેદીઓને વિસ્થાપિત કરવામાં આવે ત્યાં સુધી એમેલિયામાંથી પ્લાઝોવની છાવણીમાં પાછા મોકલી આપવાના હતા. ઓસ્કરે પોતે પણ, પ્લાન્ટને બંધ કરવા જરૂરી ટેકનિશ્યનોને રાખીને ઝેબ્લોસી ખાતેના પોતાના કામકાજને જેટલું બને તેટલું વહેલું સમેટી લેવાનું હતું. વધારે માહિતી મેળવવા માટે ઓસ્કરે ‘ઓકેએચ બર્લિન’ સ્થિત વિસર્જન સમિતિને અરજી કરવાની હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૯) 1

ઉનાળાના એ ગુંગળાવી નાખે એવા દિવસે એમોનની ઑફિસની અંદર ખુલ્લી બારી પાસે બેઠેલા ઓસ્કરના મનમાં શરુઆતથી જ એવી છાપ પડી હતી કે આ મુલાકાત એક નાટક જ બની રહેવાની હતી! કદાચ મેડરિટ્ઝ અને બૉસને પણ એવું જ લાગ્યું હશે, કારણ કે તેમની નજર પણ વારેઘડીએ એમોન પરથી હટીને બારીની બહાર દેખાતી ચૂનાના પત્થરની ટ્રોલીઓ પર, અને આવ-જા કરતી ટ્રકો કે વેગનો પર જ જતી હતી.


ન ઇતી…! – ધ્રુવ ભટ્ટ 15

થોડા વખત પહેલા ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ અહીં મૂક્યું હતું અને એને વાચકોનો બહોળો પ્રતિભાવ મળ્યો હતો. આજે એનું દસમું પ્રકરણ ધ્રુવભાઈના સૌજન્યથી મૂકી રહ્યાં છીએ. એ સમયે આ નવલકથાને ‘ના’ એવું નામ આપેલું જે હવે ‘ન ઇતી…!’ છે. સાથેે તેેેેનું મુુુુખપૃષ્ઠ પણ પ્રથમ વખત ધ્રુવભાઈના વાચકો સમક્ષ મૂક્યું છે.

શા માટે આવું મુખપૃષ્ઠ?

૧. કવર-પેજ પર મૂકેલી તસવીરમાં છે તે ઈબુ પર્તિવીની મૂર્તી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય મ્યૂઝીયમમાં છે પ્રાગૈતિહાસિક સમયથી ઇન્ડોનેશિયાના દ્વીપસમૂહના આદિવાસીઓ પૃથ્વીને જીવન આપનાર માતા, પ્રકૃતિની દેવી માનતા. પ્રથમ સહસ્ત્રાબ્દીમાં આ મૂર્તી બની અને તેને દેવી પૃથ્વી (પર્તિવી) નામ આપવામાં આવ્યું.

૨. પાશ્ચાદભૂમાં સંધ્યા સમયના આકાશમાં દેવયાની તારાવિશ્વ (The Andromeda Galaxy) નું ચિત્ર છે. આકાશ સાવ સ્પષ્ટ હોય અને બીજા કોઈ પ્રકાશનો અવરોધ ન નડે તો આ તારાવિશ્વ નરી આંખે મોટા ઝાંખા ધાબા જેવું જોઈ શકાય છે. આ તારાવિશ્વ જો વધુ પ્રકાશિત હોત તો તે પૃથ્વી પરથી આ ચિત્રમાં બતાવ્યું છે તેવું અને તે માપનું દેખાત.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૮)

વહીવટીભવનમાં આવેલી એમોનની ઑફિસમાં બે ટાઇપિસ્ટ હતા, જેમાં એક કુ. કોચમેન નામની જર્મન યુવતી હતી, અને બીજો એક મહેનતુ અને યુવાન યહૂદી કેદી મિતેક પેમ્પર હતો. આગળ જતાં આ પેમ્પરને ઓસ્કર પોતાનો સેક્રેટરી બનાવવાનો હતો, પરંતુ ‘૪૪ના ઉનાળામાં તો એ એમોન માટે કામ કરતો હતો. અને એટલે જ, બીજા લોકોની માફક એ પણ પોતાની હાલત બાબતે બહુ આશાવાદી ન હતો.


ચાર્લી ચેપ્લિનનો દીકરી જેરાલ્ડિનને પત્ર… – અનુ. : બ્રિજેશ પંચાલ 6

મારી દીકરી (જેરાલ્ડિન)!

આજે ક્રિસમસની રાતે, મારા નાનકડાં મહેલના બધાં યોધ્ધાઓ સૂઈ ગયા છે. તારાં ભાઈ-બહેન અને તારી મા સુધ્ધાં. પરંતુ હું જાગી ગયો છું અને મારા રૂમમાં આવ્યો છું. તું મારાથી કેટલી દૂર છે! તારો ચહેરો સદા મારી આંખો સામે જ રહે છે. નહીં તો હું અંધ થઈ જવાનું પસંદ કરું. આ તારી છબી માત્ર ટેબલ ઉપર જ નહીં, મારા હ્રદયમાં પણ છે. અને તું ક્યાં છે? છેક સ્વપ્ન-નગરી પેરિસમાં, ધ ચેમ્પ્સ-ઍલિસિયસના ભવ્ય રંગમંચ ઉપર ડાન્સ કરતી હોઈશ! રાત્રિની આ નીરવ શાંતિના અંધકારમાં જાણે મને તારાં પગલાનો અવાજ સંભળાય છે. શીતલ રાતના આકાશમાં ચમકતા તારાઓ સમી તારી આંખો દેખાય છે.