Monthly Archives: August 2008


જે હતા મિત્રો – સારસ્વત

ભીના ભરપૂર કાંટાળા, લીલેરા જે હતા મિત્રો; હવે ખડકો અને રણ રણ, ગયા બદલાઈ સૌ મિત્રો. અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી; લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો. કદી ડુંગર નથી માંગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ; મૂઠી બે હાસ્ય, ખોબો જળ, છતાં ટટળાવતા મિત્રો. અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી; પડી છે એ જ આંખોમાં, સમજતા કેમ ના મિત્રો. – સારસ્વત


મુખવાસ – સંકલીત 6

થયું કે ઘણાં બધાં દિવસથી પચાવવામાં ભારે એવો ખોરાક લીધા – આપ્યા કરું છું તો આજે થોડો મુખવાસ …. હે પ્રભુ ! હું જે ઈચ્છું તે નહીં, પણ જે યોગ્ય હોય તે જ થજો…  *** જે ઉંડો સ્નેહ કરી જાણે છે તે માનવી કદી વૃધ્ધ થતા નથી  *** ચમત્કારો ક્યારેક થાય છે ખરા પણ તેના માટે માણસે આકરી મહેનત કરવી પડે છે.  *** કેળવણી એ સરકારનું કોઈ ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે  *** ક્રાંતિ એ કોઈ મહેફિલ નથી, એ કોઈ કલાકૃતિ નથી. ક્રાંતિને હળવા હાથે, મુલાયમપણે, કાળજીપૂર્વક, સન્માનપૂર્વક, ગણતરીપૂર્વક અમલમાં મૂકી શકાતી નથી – માઓ ત્સે તુંગ  *** બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી દઈએ એ એક જ્યોત છે જેને પેટાવવાની છે *** સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચોતરફ લોબાન જેવું. – અદમ ટંકારવી *** મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો… – સુરેશ દલાલ *** માટી તને મૃદુ ફૂલ બનીને મહેકવાનું સૂઝ્યું ક્યાંથી? *** તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી… – સુન્દરમ *** તારૂં કશું ન હોય તો છોડીને આવ તું તારૂં જ બધું હોય તો છોડી બતાવ તું…. – મિસ્કિન *** સ્વપ્નભ્રંશ એનો જ થાય છે જે સ્વપ્ન સેવે છે… *** આ તો બીજ માં થી ફૂટે છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ. *** બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો અને બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો…. *** અને છેલ્લે રવિન્દ્રનાથ ઠાકુર ની એક રત્ન કણિકા… Every Child comes with the message that God is not yet discouraged of man…


મરીઝ ના બેહતરીન શેર 31

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼  *** એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે  *** એણે આપી તો ક્ષમા એ રીતે કંઈ જ સૂઝી નહીં સજા જાણે  *** એનાથી તો સરસ તારી અવહેલના હતી આ તારી આંખમાં જે ગલત આવકાર છે  *** એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !  *** એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં  *** કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી  *** કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !  *** કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ પોતે ન દે, બીજા કને માગવા ન દે  *** ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને  *** ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.  *** જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.  *** જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે.  *** જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ, બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું.  *** ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ === મરીઝ   – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક __________________________________________ OTHER RELATED POST :  […]


મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ….. 10

આજે મેં બધુંય છોડી દેવાનું નક્કી કર્યું… મેં મારી નોકરી છોડી, સંબંધો છોડ્યા જવાબદારી છોડી, આધ્યાત્મિકતા છોડી… કારણ કે હું જીવન છોડી દેવા માંગતો હતો… હું જંગલ તરફ ચાલ્યો, પ્રભુ સાથે છેલ્લી વાત કરવા “પ્રભુ”, મેં કહ્યું, “શું તમે મને એક કારણ આપી શકો જીવન ન છોડવા માટે?” “આસપાસ નજર કર” પ્રભુ બોલ્યા, “શું તને ઘાસ અને વાંસ દેખાય છે?” “હા” મેં કહ્યું, “મેં તે બંનેને જમીનમાં રોપ્યા તેમની ખૂબ કાળજી લીધી બધુંય યોગ્ય પ્રમાણમાં આપ્યું યોગ્ય પાણી યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણ ઘાસ તરત ઉગી ગયું અને જમીનને તેની લીલી સુંદર ચાદર ઓઢાડી દીધી પણ વાંસમાં થી કાંઈ ન ઉગ્યું, તો ય મેં તેને ન છોડ્યું બીજા વર્ષે ઘાસ ખૂબ ફેલાયું અને હજીય વાંસમાં કાંઈ ન ઉગ્યું, તોય મેં તેને ન છોડ્યું ત્રીજા વર્ષે ઘાસ અનેકગણું વધી ગયું અને વાંસમાં હજીય કાંઈ ન ઉગ્યું તો પણ હજીય મેં તેને ન છોડ્યું ચોથા વર્ષે પણ એમ જ થયું અને પાંચમાં વર્ષે એક નાનકડું કુંપણ ફૂટ્યું, ઘાસની સરખામણીમાં તે કાંઈ ન હતુ પણ ફક્ત છ મહીના પછી વાંસ સો ફીટ લાંબુ હતુ તેણે તેના મૂળ મજબૂત કરવામાં પાંચ વર્ષ નાખ્યા અને એ ઉંડા મૂળના પ્રતાપે તે આજે આટલુ ઉંચુ ઉગી શક્યું મેં મારી કોઈ પણ રચનાને એવી અઘરી કસોટી નથી આપી જેમાંથી તે પાર ન ઉતરી શકે તને ખબર છે, તારા કપરા સમયમાં જ્યારે તને લાગ્યું કે તારા જીવનનો કોઈ અર્થ નથી હકીકતમાં તું તારા મૂળ પ્રસારી રહ્યો હતો? મેં વાંસ ને ન છોડ્યુ, હું તને પણ નહીં છોડું… બસ પોતાની જાતને કોઈ સાથે સરખાવવી નહીં ઘાસને જે કાર્ય માં મહીનો લાગે છે […]


સાતમ આઠમ નો મેળો @ મહુવા 11

સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું… એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે. અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ … નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો […]


ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી 6

ભણાવવું એટલે શું? ભણાવવુ એટલે જાણકારી આપવી અને સાથે મર્દાનગી આપવી આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરૂં કામ આ છે ભણેલો માણસ શૂરવીર હોય સેવા પણ એને માટે જ છે સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ શિક્ષણ, સાહિત્ય અને સેવા, જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું  – મનુભાઈ પંચોળી


તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર

તારૂ ના માં ! બાળક હોઉં હોવુ પોપટ પંખી; ઉડી જાઉં ક્યાંક કદાપિ મનમાં એવુ ઝંખી સાચે સાચુ કહી દેજે, કાંઈ રાખીશ ના સંતાડી; “પીટ્યું પોપટડુ” કરી અમને પૂરત પીંજરે માડી? જા માં ! ત્યારે જા ની તું, ઉતાર અમને ખોળેથી તું લાડ અમને ના કરતી તું, તારે ખોળે જા નહીં રમીએ તારે હાથે જા નહીં જમીએ તારા ઘરમાં જા નહીં રહીશું ! વનવગડામાં ભાગી જઈશું ! રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)


આઈ ફોન 3G હવે ભારતમાં

વિશ્વભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ હતી અને જેના રીલીઝ વખતે તેને ખરીદવા ખૂબ લાંબી કતારો લાગી હતી તે એપલ નો બહુચર્ચિત આઈફોન 3G વોડાફોન અને એરટેલ દ્વારા ભારતમાં આજે રીલીઝ થઈ રહ્યો છે. તેની કિંમત ૮ ગીગાબાઈટસ મેમરી સાથે ૩૧૦૦૦ અને ૧૬ ગીગાબાઈટ્સ મેમરી સાથે ૩૬૧૦૦ રાખવામાં આવી છે. ૧૦૦૦૦ રૂ ભરીને તેના માટે બુકીગ કરાવી શકાય છે તેમ વોડાફોન વેબસાઈટ કહે છે, જ્યારે એરટેલ સાથે બુકીંગ ભાવ ૫૦૦૦ રૂ છે. અમેરીકામાં મળતા નવ થી દસ હજારની સરખામણીએ અહીં ત્રીસહજાર રૂપીયા ખૂબ વધારે છે જે સૌથી નબળુ પાસુ છે. અને મારા મતે આ ખરાબ બાબત બીજા બધા સારા પાસાઓને ઢાંકી દેશે….આઈફોન નો ક્રેઝ તો મને પણ ખૂબ છે પણ તે માટે આટલા બધા ખર્ચવાની મને કોઈ ઈચ્છા નથી…


વડોદરા આજકાલ

વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે… તો બિગ બઝારમાં ૧૩ થી ૧૭ ઓગસ્ટના મહાબચત અભિયાનને ય જોયું, લેન્ડમાર્ક બુકસ્ટોરની અને મ્યુઝિક સેક્શન ની મુલાકાત લીધી, તો નવા બનેલા શોપીંગ મોલ એમ ક્યૂબ અને વડોદરા સેન્ટ્રલ સામે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર ની મુલાકાત લીધી. પંદરમી ઓગસ્ટે સેન્ટ્રલ સ્ક્વેરની મુલાકાત લીધી, ધ્વજવંદન અહીં થયુ હતુ એટલે તિરંગાને ફરકતો જોવાની મજા આવી. ખૂબ મોટા સફેદ કલરના જાહેરમા મૂકેલા મેસેજ બોર્ડ પર પંદરમી ઓગસ્ટ માટે ઘણા લોકોએ મેસેજ લખ્યા, મેં ય લખ્યું…અહીં રીબોક, નાઈકી, વુડલેન્ડ જેવી નામી કંપનીઓના શોરૂમ્સ છે, બીજા માળે ક્રોમા નો વિશાળ ઈલેક્ટ્રોનીક્સ શો રૂમ છે….ફરવાની અને અનેક વેરાઈટી જોવાની મજા પડી. એક દિવસ સૂરત પણ આંટો મારી આવ્યો. ભૂલથી બરોડા થી સૂરત જતા એસ ટી માં ચડી ગયો, છ કલાક થયા, કારણ કે બરોડા થી ભરૂચ વચ્ચે રોડ છ લેન નો થાય છે, એક સિવિલ એન્જીનીયર હોવાના લીધે રોડ કન્સ્ટ્રક્શન જોવાની મજા પડી પણ એક મુસાફર તરીકે ખૂબ કંટાળ્યો. ખરાબ રસ્તો અને વારે વારે ટ્રાફીક જામ….રસ્તો તો બનશે ત્યારે વપરાશે પણ અત્યારે તો ૩૦૦ કીમી માં ત્રણ વાર ટોલ ટેક્સ આપીને ખરાબ રસ્તો ભોગવવો પડે છે. વડોદરા અને સૂરતમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી, તે હતી હોર્ડીંગસ પરની એડ, બોમ્બ બ્લાસ્ટ પછીના દિવસોમાં એનડીટીવી ઈમેજીન પર આવતી જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલિ વાળી સીરિયલ તરફથી આ એડ હતી, તો અમૂલની પણ એક એડ […]


સપ્ત શ્લોકી ગીતા

ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्‌ मामनुस्मरन यः प्रयाति त्यजन्‌ देहं स याति परमां गतिम्‌ ॥१॥ स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्‌ प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥२॥ सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम्‌ । सर्वतःश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥३॥ कविं पुराणमनुशासितार- मणोरणीयांसमनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात्‌ ॥४॥ उर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्‌ । छन्दांसि यस्य पर्णान यस्तं वेद स वेदवित्‌ ॥५॥ सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च । वेदैश्च सर्वेरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्‌ ॥६॥ मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥७॥


મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો


આજની ઘડી રળિયામણી – નરસિંહ મહેતા 4

નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિથી કોણ અજાણ્યું હશે? ભણે નરસૈયો જેનું દરશન કરતા…….તો ગુજરાતના ધરેઘરમાં પ્રખ્યાત છે. આજે પ્રસ્તુત છે એવી જ એક ભક્તિસભર પ્રાર્થના મારે આજની ઘડી રે રળિયામણી….વહાલા એવા શ્રી કૃષ્ણના આવ્યાની વધામણી આપતું આ ગીત તેમની કૃષ્ણ પ્રત્યેની લાગણી ખૂબ સરસ રીતે દર્શાવી જાય છે. હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં

પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]


સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ 23

રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા …. હનુમાનગડા થી સત્તાધાર : હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ. બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને […]


જંગલ સફારી – ગીરના યાત્રાધામ 7

આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So ….. દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા. ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા […]


તમે જ એને મળ્યા હોત તો? – સુમંત દેસાઈ 6

નાનકડી એક વાર્તા છે એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતુ ન હતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય, ત્યાં જઈ, ગાડી આવે ત્યારે પાટા નીચે પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું. પણ ઘરેથી નીકળતા બીજો એક વિચાર કર્યો, કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હુંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ચાલ્યા જવું. ……. હવે એ વાતને ત્યાં રહેવા દઈએ, એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે; એ માણસ ઘરેથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ જ તમે તેને સામા મળ્યા હોત તો? બોલો એનું શું થાત? ત્યાંથી ઘરે પાછા જવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી ને જવાબ આપો …. ( સુમંત દેસાઈ – લોકજીવન પખવાડીક )      * * * * * * * * * * આવતી કાલે માણો અમારી વીકએન્ડની હનુમાનગાળા, સત્તાધાર, કનકાઈ, ગીર, તુલસીશ્યામ (૦૨ & ૦૩ ઓગસ્ટ, ૨૦૦૮) યાત્રાની ઝલક –  ફોટા, વીડીયો અને માહિતી.


હેપ્પી ફ્રેન્ડશીપ ડે 6

આવતી કાલે ઓગસ્ટ મહીના નો પ્રથમ રવિવાર છે અને દરેક ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. કહે છે કે તમારા શત્રુ સાથે હજાર ઝધડા કરી લેજો પણ તમારા મિત્ર સાથે એક પણ નહીં …કારણકે દુશ્મન તો એ ઝધડાઓનો જવાબ આપશે પણ મિત્ર તેનો જવાબ પોતાનામાં શોધશે… બ્લોગ જગતના તમામ લેખક – વાચક મિત્રો, અને દરેક ગુજરાતી ભાષા પ્રેમીને અધ્યારૂ ના જગત તરફ થી હેપ્પી ફ્રેન્ડશીપ ડે…આશા કરૂં કે ગુજરાતી ભાષાના લીધે શરૂ થયેલી આપ સર્વ સાથેની મારી ઓળખાણ અને દોસ્તી આમ જ વધતી રહે…..


કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા

અમારા કોલેજના છેલ્લા વર્ષમાં, છેલ્લા સેમીસ્ટરમાં ઘણા લાગણીભર્યા દિવસો જોયા, કદાચ અભ્યાસના સમયગાળાનો સૌથી લાગણીશીલ સમય આ જ હોય છે. ચાર વર્ષના એન્જીનીયરીંગ અભ્યાસ પછી બધા પોતપોતાના રસ્તે પડવા તૈયાર હોય છે, હૈયામાં કાંઈક કરી બતાવવાનો ઉત્સાહ, અને દિલમાં મિત્રોની રોજની મુલાકાતો, ટોળ ટપ્પા અને મસ્તીની યાદો …. આ લાગણી તો જેણે અનુભવી હોય એ જ જાણે … અમારા અંતિમ વર્ષે ત્રણેય વર્ષોના જૂનીયર ફાઈનલ યરના મિત્રોને ફેરવેલ પાર્ટી આપે છે, એમ એસ યુનિ. માં આ પાર્ટીનું મહત્વ અદકેરૂં છે. અમારી ફેરવેલ વખતનું સોવેનીયર મારા હાથમાં આવ્યું. એક મિત્ર અને સહાધ્યાયિ જયકર મહેતાએ તેમાં આપેલી એક કવિતા ખૂબ ગમી હતી … આજે પ્રસ્તુત છે તે કવિતા … ભૂલી જવાશે આ સમય, સંગાથ ને સંભારણા, સ્વપ્ન પણ ઉડી જશે, ખુલતા નયનનાં બારણાં, સાથે રહ્યાં, સાથે ભણ્યા, ત્યાં સાથ છૂટી જાય છે. પારકા ને પોતાના ગણ્યા ત્યાં સાથ તૂટી જાય છે. ભીની યાદો, સૂકી યાદો ને વાગોળવી ક્યાં સુધી, આજે દિલ તણી મંજૂષામાં કેદી બની પૂરાય છે. ભણતરની પાંખો વડે પંખી ઉડી સૌ જાય છે. સુખની ક્ષિતીજે પહોંચવા હામ ભીડી જાય છે. ચાલો, ઉડું છું હું ય આજે, એકાંત ભરખી જાય છે, આવજો, મિત્રો આવજો ના પડઘા હજી સંભળાય છે…